પ્રધાનમંત્રીએ આજે “કોવિડ-19 વ્યવસ્થાપનઃ અનુભવ, સારી રીતો અને ભવિષ્યનો માર્ગ” પર આયોજિત એક કાર્યશાળામાં ભારતીય અધિકારીઓ અને નિષ્ણાતો સાથે 10 પડોશી દેશોના આરોગ્ય ક્ષેત્રના આગેવાનો, નિષ્ણાતો અને અધિકારીઓને સંબોધન કર્યું હતું. આ 10 દેશોમાં અફઘાનિસ્તાન, ભૂટાન, માલ્દિવ્સ, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન, સેશીલ્સ, શ્રીલંકા વગેરે સામેલ હતા.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન આ દેશોની આરોગ્ય વ્યવસ્થાઓએ જે રીતે એકબીજાને સાથસહકાર આપ્યો હતો એની અને સંકલિત પ્રયાસો સાથે સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં રોગચાળાના પડકારને સફળતાપૂર્વક ઝીલવાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ રોગચાળા સામે તાત્કાલિક ખર્ચને પૂર્ણ કરવા કોવિડ-19 ઇમર્જન્સી રિસ્પોન્સ ફંડ ઊભું કરવાની તથા દવાઓ, પીપીઇ અને પરીક્ષણ માટેના ઉપકરણો જેવા સંસાધનોના આદાનપ્રદાનની વાતને યાદ કરી હતી. તેમણે પરીક્ષણ, ચેપના નિયંત્રણ અને તબીબી કચરાના નિકાલમાં એકબીજાની શ્રેષ્ઠ રીતોમાંથી પ્રાપ્ત થયેલા અનુભવો અને પદાર્થપાઠો વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ રોગચાળાની સૌથી કિંમતી ભેટ છે – સાથસહકારની ભાવના. આપણી પારદર્શકતા અને દ્રઢતા સાથે આપણે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા વિસ્તારમાં સ્થાન હાંસલ કર્યું છે. આ સફળતા પ્રશંસાને પાત્ર છે. અત્યારે આપણા વિસ્તાર અને દુનિયાને રસીઓ ઝડપથી વિકસવવા પર આશા છે. એમાં પણ આપણે અગાઉ જેવો જ સાથસહકાર આપીશું.”

 

 

|

પ્રધાનમંત્રીએ વિવિધ દેશોના પ્રતિનિધિઓને એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ વધારીને આપણા ડૉક્ટરો અને નર્સો માટે વિશેષ વિઝા યોજના બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી તેઓ આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન જે તે દેશની વિનંતીને માન આપીને આ વિસ્તારની અંદર ઝડપથી પ્રવાસ કરી શકે. તેમણે આ સહભાગી દેશોના નાગરિક ઉડ્ડયન મંત્રાલયો તબીબી કટોકટી માટે પ્રાદેશિક એર એમ્બ્યુલન્સ સમજૂતી કરી શકે કે નહીં એવું પણ પૂછ્યું હતું. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, આપણે આપણી વસ્તી વચ્ચે કોવિડ-19 રસીઓની અસરકારકતા વિશે ડેટા એકત્ર કરવા, એનું સંકલન કરવા અને એનો અભ્યાસ કરવા માટે પ્રાદેશિક પ્લેટફોર્મ બનાવી શકીએ. ઉપરાંત તેમણે પૂછ્યું હતું કે, આપણે ભવિષ્યમાં રોગચાળાને નિવારવા ટેકનોલોજીની મદદથી રોગચાળાશાસ્ત્રને પ્રોત્સાહન આપવા પ્રાદેશિક નેટવર્ક ઊભું કરી શકીએ?

પ્રધાનમંત્રીએ સહભાગી દેશોને કોવિડ-19 સિવાય તેમની સફળ જાહેર આરોગ્યની નીતિઓ અને યોજના વહેંચવાનુ સૂચન કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, ભારતમાંથી આયુષ્માન ભારત અને જન આરોગ્ય યોજનાઓ સંપૂર્ણ વિસ્તાર માટે ઉપયોગી કેસ-સ્ટડીઝ બની શકે છે. પ્રધાનમંત્રી તેમની વાતને પૂર્ણ કરતાં કહ્યું હતું કે, “જો આપણે 21મી સદીને એશિયાની સદી બનાવવી હોય, તો દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરના ટાપુ દેશો વચ્ચે વધારે સંકલન સ્થાપિત કરવું પડશે. રોગચાળા દરમિયાન તમે જે પ્રાદેશિક એકતાની જે ભાવના પ્રદર્શિત કરી છે એના પરથી પુરવાર થયું છે કે, આ પ્રકારનું સંકલન શક્ય છે.”

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • शिवकुमार गुप्ता February 20, 2022

    जय माँ भारती
  • शिवकुमार गुप्ता February 20, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 20, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 20, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 20, 2022

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela

Media Coverage

PM Modi Distributes Over 51,000 Appointment Letters At 15th Rozgar Mela
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh
April 27, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The Prime Minister's Office posted on X :

"Saddened by the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"