QuoteAtal Tunnel will transform the lives of the people of the region: PM
QuoteAtal Tunnel symbolizes the commitment of the government to ensure that the benefits of development reach out to each and every citizen: PM
QuotePolicies now are not made on the basis of the number of votes, but the endeavour is to ensure that no Indian is left behind: PM
QuoteA new dimension is now going to be added to Lahaul-Spiti as a confluence of Dev Darshan and Buddha Darshan: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના સિસ્સુ, લાહૌલ અને સ્પિતિમાં ‘આભાર સમારોહ’માં સહભાગી થયા હતા.

|

ટનલની પરિવર્તનકારક અસર

પ્રધાનમંત્રીએ સંબોધન કરતા તેમના આ વિસ્તારમાં કાર્યકર્તા તરીકેની કામગીરી દરમિયાન રોહતાંગ દ્વારા લાંબા રુટ પર થઈને પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં રોહતાંગ પાસ બંધ થઈ જતો હોવાથી લોકોને મુશ્કેલીઓ પડતી હતી. તેમણે એ દિવસોમાં શ્રી ઠાકુર સેન નેગી સાથેની એમની ચર્ચાઓને પણ યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી આ મુશ્કેલીઓથી સારી રીતે વાકેફ હતા, જેમણે વર્ષ 2002માં આ ટનલનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ 9 કિલોમીટર લાંબી ટનલ દ્વારા આશરે 45-46 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ટનલની પરિવર્તનકારક અસરને કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ટનલ લાહૌલ-સ્પિતિ અને પંગી વિસ્તારના ખેડૂતો, બાગાયતી કામ સાથે સંકળાયેલા લોકો અને પશુપાલકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ વગેરે તમામ વર્ગનાં લોકો માટે આશીર્વાદરૂપ નીવડશે. ટનલ વિસ્તારમાં કૃષિ ઉત્પાદનને બગડતું અટકાવશે અને એને બજારમાં ઝડપથી પહોંચાડવામાં મદદરૂપ થશે. એનાથી આ વિસ્તારના ચંદ્રમુખી બટાટાને નવા બજારો સુધી પહોંચાડવામાં મદદ મળશે અને એને નવા ગ્રાહકો મળશે. ટનલ લાહૌલ-સ્પિતિ વિસ્તારમાં આયુર્વેદિક ગુણો ધરાવતી ઔષધિઓ અને મરીમસાલાને બહાર લઈ જવામાં પણ મદદરૂપ થશે અને વિસ્તારના લોકો સાથે દુનિયા સાથે પરિચિત થશે. ઉપરાંત ટનલ આ વિસ્તારના લોકોના બાળકોની શિક્ષણ માટે બહાર જવાની જરૂરિયાતને દૂર કરશે.

|

પ્રવાસનને પ્રોત્સાહન અને રોજગારીની તકોનું સર્જન

પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં પ્રવાસનની સંભવિતતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લૌહાલ-સ્પિતિમાં દેવદર્શન અને બૌદ્ધદર્શનના સમન્વય તરીકે નવું પરિમાણ ઉમેરાશે. હવે સ્પિતિ ઘાટીમાં ટેબો મઠ સુધી સરળતાપૂર્વક પહોંચવામાં દુનિયાના લોકોને મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, સંપૂર્ણ વિસ્તાર પૂર્વ એશિયા અને દુનિયાભરના બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ માટે મોટું કેન્દ્ર બની જશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાથી રોજગારીની કેટલીક તકોનું સર્જન થશે.

અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ વધશે

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અટલ ટનલ સરકારની એ પ્રતિબદ્ધતા પૂર્ણ કરવાનું પ્રતીક છે કે વિકાસના લાભો દરેક નાગરિક સુધી પહોંચે. તેમણે કહ્યું હતું કે, અગાઉ લાહૌલ-સ્પિતિ અને આ પ્રકારનાં અન્ય કેટલાંક વિસ્તારોને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યાં હતાં, કારણ કે આ વિસ્તારોને કેટલાંક લોકો તેમની રાજકીય સ્વાર્થી ઇચ્છાઓ પૂર્ણ કરી શકતા નહોતા. પણ હવે દેશમાં સરકાર નવી વિચારસરણી અને નીતિઓ સાથે કામ કરી રહ્યો છે, જે મતની સંખ્યાને ધ્યાનમાં રાખીને કામ કરતી નથી, પણ કોઈ પણ ભારતીય વિકાસના લાભથી વંચિત ન રહી જાય એ સુનિશ્ચિત કરવા પ્રયાસરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાહૌલ-સ્પિતિ આ પરિવર્તનનું મોટું ઉદાહરણ છે, જે એવા જિલ્લાઓમાં સામેલ છે, જ્યાં હર ઘર પાઇપ સે જલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

|

પ્રધાનમંત્રીએ દલિતો, આદિવાસીઓ, જનજાતિઓ, પીડિતો અને વંચિતો માટે તમામ મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સરકારે ગ્રામીણ વીજળીકરણ, એલપીજી ગેસના જોડાણની ઉપલબ્ધતા, શૌચાલયો જેવી સુવિધાઓનું નિર્માણ, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની સુવિધાઓના પ્રયાસો વિશે જાણકારી આપી હતી. સંબોધનના અંતે તેમણે કોરોનાવાયરસ સામે સતર્ક રહેવા લોકોને અપીલ કરી હતી.

Click here to read full text speech

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers

Media Coverage

'2,500 Political Parties In India, I Repeat...': PM Modi’s Remark Stuns Ghana Lawmakers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Swami Vivekananda Ji on his Punya Tithi
July 04, 2025

The Prime Minister, Shri Narendra Modi paid tribute to Swami Vivekananda Ji on his Punya Tithi. He said that Swami Vivekananda Ji's thoughts and vision for our society remains our guiding light. He ignited a sense of pride and confidence in our history and cultural heritage, Shri Modi further added.

The Prime Minister posted on X;

"I bow to Swami Vivekananda Ji on his Punya Tithi. His thoughts and vision for our society remains our guiding light. He ignited a sense of pride and confidence in our history and cultural heritage. He also emphasised on walking the path of service and compassion."