QuoteOur government is developing a new work culture in bureaucracy and making it responsive, says PM Modi
QuoteIndia’s success in the ICJ elections shows how India’s standing has risen among the nations: PM Modi
QuoteDigital platform has been facilitated for farmers to sell their produce online from anywhere in the country: PM Modi
QuoteThe poor now have access to health and life insurance at a minimal cost, says PM Modi
QuotePrime Minister says Pradhan Mantri Ujjwala Yojana (PMUY) scheme has transformed the lives of crore of women
QuoteThe LED bulb scheme has helped the medium income families to save up to Rs 14,000 crore, says PM Modi
QuoteThe influence of Indians is visible when there are elections abroad and slogans such as #AbKiBaarTrumpSarkar, #AbKiBaarCameronSarkar are used: PM Modi
QuoteI might have to pay a political price for the path I have taken against corruption, but I’m ready for it: PM Modi at HTLS 2017

શોભના ભારતીય જી

હાજર રહેલા તમામ મહાનુભવો,

ભાઈઓ અને બહેનો,

મને વધુ એક વાર આપની સમક્ષ હાજર રહેવાની તક મળી છે. અહીં ઘણા જાણીતા અને ઓળખીતા ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ ગ્રુપ અને તેના વાચકોનો હું મને અહીં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.

સાથીઓ, બે વર્ષ પહેલાં હું જ્યારે અહીં કોઈ સમિટમાં આવ્યો હતો ત્યારે વિષય હતો “Towards a Brighter India”, બે વર્ષમાં, માત્ર બે જ વર્ષમાં આજે આપણે “The Irreversible Rise of India” વિષય અંગે વાત કરી રહ્યા છીએ. આ માત્ર વિષયનું જ પરિવર્તન નથી, પરંતુ આ દેશના વિચાર પ્રવાહમાં આજે જે પરિવર્તન આવ્યું છે અને દેશમાં જે આત્મવિશ્વાસ આવ્યો છે તે પરિવર્તનનું પ્રતિક છે.

આપણે જો દેશને એક પૂર્ણ સ્વરૂપમાં એટલે કે એક Living Entity તરીકે જોઈએ તો આજે દેશમાં જે Positive Attitude આવ્યો છે તે અગાઉ ક્યારેય પણ જોવા મળ્યો નથી. મને એવું યાદ આવતું નથી કે દેશના ગરીબોએ, નવયુવાનોએ અને મહિલાઓ તેમજ ખેડૂતોએ, શોષિતો અને વંચિતોએ પોતાનું સામર્થ્ય અને પોતાના સાધનો ઉપર આટલો ભરોંસો ક્યારેય મૂક્યો હોય. પહેલા ક્યારેય પણ મૂક્યો નથી.
આ ભરોંસો હવે પેદા થયો છે. આપણે બધા સવા સો ભારતીયોએ મળીને તેને માટે દિવસ-રાત એક કર્યા છે. દેશવાસીઓને ખુદ પોતાના પર ભરોંસો છે, દેશ ઉપર પણ ભરોંસો છે.

કોઈપણ દેશને ઉંચાઈ પર લઈ જવાનો આ એક મંત્ર છે.

આજે ગીતા જયંતિ છે અને ગીતામાં સ્પષ્ટતાપૂર્વક જણાવવામાં આવ્યું છે કે –

उद्धरेत आत्मन आत्मानम न आत्मानं अवसादयेत आत्मेव-आत्मनो बंधु आत्मेव रिपुर आत्मना

પોતાને ઉચ્ચ સ્તરે લઈ જાવ, નકારાત્મક વિચારોને ટાળો.

તમે જ તમારા ખુદના મિત્ર છો અને તમે જ ખુદ પોતાના શત્રુ છો.

અને એટલા માટે જ ભગવાન બુદ્ધે કહ્યું હતું કે –

‘अप्प दीपो भव’

એટલે કે, પોતાનો પ્રકાશ જાતે બનો.

સવા સો કરોડ દેશવાસીઓનો વધતો ભરોસો આ દેશના વિકાસનો એક મજબૂત પાયો બની રહ્યો છે. આ હોલમાં બેઠેલી દરેક વ્યક્તિથી શરૂ કરીને આ હોટલની બહાર જે વ્યક્તિ ઓટો ચલાવી રહ્યા છે, ક્યાંક રિક્ષા ખેંચી રહ્યા છે, ક્યાંક ખેતરમાં તૂટેલા પાળાને ઠીક કરી રહ્યા છે અને ક્યાંક બરફની વચ્ચે રાતભર પહેરો ભરતા રહીને હવે કોઈ ટેન્ટમાં સૂઈ રહ્યા છે. તેણે પોતાના હિસ્સાની તપસ્યા કરી છે. ભારતના આવી દરેક વ્યક્તિની તપસ્યા કે જેને કારણે આજે આપણે ઉજ્જવળ ભારત તરફ આગળ વધતા રહીને Irreversible Rise of India ની વાત કરવા લાગ્યા છીએ.

સાથીઓ, 2014ના વર્ષમાં દેશના લોકોએ માત્ર સરકારને બદલવા માટે જ મત આપ્યા નહોતા. 2014માં દેશમાં પરિવર્તન લાવવા માટે પણ મત આપ્યા હતા. સિસ્ટમમાં એવો બદલાવ લાવવા માટે મત આપ્યા હતા કે જે સ્થાયી હોય, કાયમી હોય અને ત્યાંથી પાછા વળવું પડે નહીં તેવા (Irreversible) હોય. સ્વતંત્રતાના આટલા વર્ષો પછી પણ આપણી સિસ્ટમની કમજોરી આપણા દેશની સફળતામાં વચ્ચે આવી રહી છે.

આ એક એવી સિસ્ટમ હતી કે જેમાં દેશની ક્ષમતાઓ સાથે ન્યાય થઈ શકતો નહોતો. દેશમાં દરેક જગાએ કોઈને કોઈ વ્યક્તિએ આ સિસ્ટમ સામે લડવું પડી રહ્યું હતું. લોકોની સિસ્ટમ સાથેની લડાઈ બંધ થાય અને તેમની જીંદગીમાં Irreversible Change આવે તેવો મારો માત્ર પ્રયાસ જ નહીં, પરંતુ કટિબધ્ધતા પણ રહેશે. Ease of Living આગળ ધપશે.

નાની બાબતો માટે, રેલવે અને બસની ટિકિટ કઢાવવા માટે, ગેસનું જોડાણ મેળવવા માટે, વિજળીનું જોડાણ પ્રાપ્ત કરવા માટે, હોસ્પિટલમાં ભરતી થવા માટે, પાસપોર્ટ મેળવવા માટે તથા ઈન્કમટેક્સનું રિફંડ મેળવવા માટે લોકોએ પરેશાન નહીં થવું પડે.

સાથીઓ, આ સરકાર માટે ભ્રષ્ટાચાર મુક્ત, નાગરિકલક્ષી અને વિકાસ માટે મૈત્રીપૂર્ણ Eco-system સૌથી મોટી પ્રાથમિકતા છે. નીતિઓ ઉપર આધારિત, ટેકનિક ઉપર આધારિત અને પારદર્શિતા ઉપર આધારિત એક એવું વ્યવસ્થાતંત્ર ગોઠવવામાં આવશે કે જેમાં ગરબડ થવાની, લીકેજ થવાની કોઈ સંભાવના રહેશે નહીં.

હું જો, જનધન યોજનાની વાત કરૂં તો તેનાથી દેશના ગરીબોના જીવનમાં એવું પરિવર્તન આવ્યું છે કે તેમણે આ બાબતે અગાઉ કોઈ વિચાર પણ નહીં કર્યો હોય. જે ગરીબોને અગાઉ બેંકના દરવાજેથી ધૂત્કારીને ભગાડી મૂકવામાં આવતા હતા તેવા લોકો પાસે આજે તેમનું બેંક એકાઉન્ટ છે. જે લોકોના જનધન ખાતા ખૂલ્યા છે તેમની પાસે રૂપે ડેબીટ કાર્ડ પણ આપવામાં આવ્યું છે. સવા સો કરોડ લોકોના આપણા દેશમાં આવા લોકોની સંખ્યા 30 કરોડથી પણ વધુ છે.

આ ગરીબ દેશના આત્મવિશ્વાસની બાબતનો વિચાર કરો. જ્યારે તે બેંકમાં જઈને પૈસા જમા કરાવે છે, જ્યારે જ્યારે તે રૂપે ડેબીટ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે તેના આત્મવિશ્વાસ અને તેના ઉત્સાહમાં વધારો થાય છે. આ બાબત હવે કાયમી બની ચૂકી છે. એમાં કોઈ ફેરફાર કરી શકે તેમ નથી.

આવું જ ઉજ્જવલા યોજનાનું છે. ગામડાંમાં રહેતી 3 કરોડથી વધુ મહિલાઓની જીંદગીમાં આ યોજનાને કારણે કાયમ માટે પરિવર્તન આવી ચૂક્યુ છે. તમને વિનામૂલ્યે માત્ર ગેસનું જોડાણ મળ્યું નથી, તેમને સુરક્ષા મળી છે, આરોગ્ય મળ્યું છે અને પરિવાર માટે સમય મળ્યો છે.

આવી કરોડો મહિલાઓની જીંદગીમાં આવેલા એક પરિવર્તન બાબતે પણ વિચાર કરો. આ પરિવર્તન સ્વચ્છ ભારત મિશનને કારણે આવ્યું છે. સરકારે માત્ર શૌચાલય બનાવ્યા નથી, પરંતુ તેમણે કરોડો મહિલાઓને તથા દિકરીઓને એવી પીડામાંથી મુક્તિ આપી છે કે જે તેમણે સાંજ સુધી રાહ જોઈને સહન કરવી પડતી હતી.

કેટલાક લોકો થોડી ગંદકી જોવા મળશે, તો તેનો ફોટો લઈને ચર્ચા કરતા રહે, લખતા રહેશે, ટી.વી. પર દેખાડતા રહેશે, પરંતુ લોકોને જાણ છે કે આ અભિયાનને કારણે ભૂમિ પર કોઈ પ્રકારે ફેરફાર ન થાય તેવું પરિવર્તન (Irreversible) આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, મને એ ખબર નથી કે આ હોલમાં બેઠેલી કેટલી વ્યક્તિઓ પોતાની જાતને આ પરિવર્તન સાથે જોડી શકે છે, પરંતુ અહીંથી બહાર નિકળીને તમે જેટલા પૈસા પાર્કિંગ ટીપ તરીકે આપશો તેનાથી પણ ઘણાં ઓછા પૈસામાં આજે ગરીબનો જીવન વીમો મળી રહે છે.

જરા વિચાર તો કરો. દર મહિને માત્ર એક રૂ.1માં અકસ્માત વીમો અને દૈનિક રૂ.90 પૈસાના પ્રિમિયમથી જીવન વીમો આજે દેશના 15 કરોડથી વધુ ગરીબ લોકો સરકારની આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના હેઠળ ગરીબોને અંદાજે રૂ.1800 કરોડની રકમ દાવા પેટે ચૂકવી દેવાઈ છે. આટલા પૈસા જો કોઈ અન્ય સરકારે આપ્યા હોત તો પોતાને ગરીબોના મસીહા બનીને રજૂ કરી રહ્યા હોત.

પરંતુ, ગરીબો માટે આટલું મોટુ કામ થયુ, મને નથી લાગતું કે આ બાબત તરફ અગાઉ કોઈએ ધ્યાન આપ્યું હશે. એ બાબત પણ સાચી છે અને હું તેને સ્વિકારીને ચાલુ છું કે આવું જ બીજુ એક ઉદાહરણ એલઈડી બલ્બનું છે. અગાઉની સરકાર વખતે જે એલઈડી બલ્બ રૂ.300 થી 350માં વેચાતા હતા તે આજે મધ્યમ વર્ગના પરિવારને લગભગ રૂ.50માં મળી રહે છે. ઉજાલા યોજના શરૂ થયા પછી દેશમાં અંદાજે 28 કરોડ એલઈડી બલ્બનું વેચાણ થઈ ચૂક્યુ છે. આ બધા બલ્બને કારણે લોકોના રૂ.14,000 કરોડની બચત થઈ હોય તેવુ અનુમાન કરવામાં આવે છે.

એવું પણ નથી કે બચત ઉપર, વિજળીનું બિલ ઓછુ કરવા બાબતે થોડા સમયમાં પૂર્ણ વિરામ લાગી જશે. જે બચત થઈ રહી છે તે તો થતી જ રહેશે. આ બચત પણ એક કાયમી બાબત બની છે.

ભાઈઓ અને બહેનો, અગાઉની સરકારોને આવુ કરતાં શું કોઈએ રોક્યા હતા કે નહીં તે હું જાણતો નથી, પરંતુ એટલું તો જાણું જ છું કે સિસ્ટમમાં સ્થાયી પરિવર્તન લાવવા માટે નિર્ણયો લેવાની, દેશના હિતમાં નિર્ણયો કરવાની બાબતને કોઈ રોકી શકશે નહીં.

જે લોકો એ બાબત પર વિશ્વાસ મૂકે છે કે દેશને જાદુઈ લાકડી ઘૂમાવીને બદલી શકાતો નથી તેવા લોકો હતાશા અને નિરાશાથી ભરેલા છે. આવો અભિગમ આપણને કશું પણ નવું કરવાથી અથવા તો ઈનોવેટિવ (નવતર) કામ કરવાથી રોકે છે.

આ અભિગમ આપણને નિર્ણયો લેતાં રોકતો હોય છે. આ કારણે આ સરકારનો અભિગમ તેનાથી બિલકુલ અલગ છે. જેવી રીતે યુરિયાનું નીમ કોટીંગ થાય છે. એની વાત કરીએ તો અગાઉની સરકારોમાં યુરિયાનું 35 ટકા જેટલું જ નીમ કોટીંગ થતું હતું ત્યારે સમગ્ર સિસ્ટમને ખબર હતી કે 35 ટકા જેટલું નીમ કોટીંગ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. યુરિયાને અલગ દિશામાં ફંટાઈ જતું રોકવાનું હોય, ફેક્ટરીઓમાં જતુ રોકવાનું હોય તો તેનું 100 ટકા નીમ કોટીંગ કરવું જ પડે, પરંતુ આવો નિર્ણય અગાઉ લઈ શકાયો નહોતો. આ સરકારે નિર્ણય કર્યો કે યુરિયાનું પૂરેપૂરૂ નીમ કોટીંગ કરવામાં આવશે.

ભાઈઓ અને બહેનો, આ નિર્ણયને કારણે યુરિયાને અલગ દિશામાં વળી જતું તો રોકી શકાયું, પરંતુ સાથે સાથે આપણી કાર્યક્ષમતામાં પણ વધારો થયો. હવે ખેડૂતે એટલી જ જમીનમાં ઓછુ યુરિયા નાંખવું પડે છે. એટલું જ નહીં, ઓછુ યુરિયા નાંખવા છતાં તેના ખેત ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.

આવી જ રીતે આપણે હવે દેશમાં એક ડીજીટલ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ પર આવીને કોઈપણ જગાનો ખેડૂત કોઈપણ સ્થળેથી પોતાની ખેત પેદાશ વેચી શકશે. આ દેશમાં ઘણું વ્યવસ્થા પરિવર્તન આવી રહ્યું છે. e-Nam એટલે કે ઈલેકટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ દ્વારા હવે દેશની સાડા ચારસોથી પણ વધુ મંડીઓને ઓનલાઈન જોડી દેવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્લેટફોર્મ ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ ચૂકવવામાં ખૂબ જ મદદરૂપ થવાની છે.

હજુ હમણાં જ સરકારે દેશના કૃષિ ક્ષેત્રમાં સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે સંગ્રહની પધ્ધતિને મજબૂત કરવા માટે ‘પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના’ ની શરૂઆત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ એવો છે કે ખેડૂતના ખેતરમાં અથવા તો બગીચામાં ખેત પેદાશો પેદા થયા પછી તે મંડી સુધી પહોંચે તે પહેલાં જ બગડી જતી હતી, તેને હવે બચાવી લેવામાં આવી છે. આ સરકારની યોજના હેઠળ ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને પણ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતનું ખેતર એક ઔદ્યોગિક એકમની જેમ કામ કરતું થાય.

ફૂડ પાર્ક બાબતે, ફૂડ પ્રોસેસીંગ સાથે જોડાયેલી આધુનિક ટેકનિક બાબતે, નવા ગોદામો અંગે તથા એગ્રો- પ્રોસેસીંગની સમગ્ર માળખાગત સુવિધાઓ તૈયાર કરવા માટે આ સરકાર રૂ.6000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવાની છે.

ભાઈઓ અને બહેનો, સમયની સાથે સાથે ઓર્ગેનિક ફાર્મિંગ અને ઓર્ગેનિક પ્રોડક્ટસની માંગ પણ સતત વધતી જઈ રહી છે. સિક્કીમની જેમ દેશના ઘણાં રાજ્યો માટે 100 ટકા ઓર્ગેનિક સ્ટેટ બનવાની ક્ષમતા છે. ખાસ કરીને આપણાં હિમાલયન પ્રદેશમાં આવેલા રાજ્યોમાં આવી પ્રવૃત્તિ વધારી શકાય તેમ છે. આ પ્રવૃત્તિ માટે પણ સરકાર 10,000 ક્લસ્ટર્સ બનાવીને તેમાં ઓર્ગેનિક ખેતીને વિસ્તૃત બનાવવાની યોજના પર પણ કામ કરી રહી છે.

હજુ હમણાં જ અમે એક મોટો નિર્ણય લીધો છે. ભાઈઓ અને બહેનો, હમણાં સુધી વાંસને દેશના એક કાયદા હેઠળ વૃક્ષ માનવામાં આવતો હતો. આ કારણે ખેડૂતોને વાંસ કાપવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડતી હતી. હવે સરકારે વાંસને વૃક્ષની યાદીમાંથી ખસેડી લીધો છે.

આ નિર્ણયનો ફાયદો દેશના દૂર દૂરના વિસ્તારો અને ખાસ કરીને ઉત્તર-પૂર્વના ખેડૂતોને થશે. આ લોકો વાંસનો ફર્નિચર, હસ્તકલા વગેરે કામ માટે ઉપયોગ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અગાઉની સરકારો દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં વાંસને ઝાડ માનવામાં આવતું ન હતું.

આ વિરોધાભાસ 10-12 વર્ષથી ચાલતો હતો, જે અમે દૂર કર્યો છે. સાથીઓ, આપણી સરકારમાં સમગ્રલક્ષી અભિગમ દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દેશની જરૂરિયાતોને સમજીને નિર્ણયો લેવામાં આવે છે. આ પ્રકારના નિર્ણયો અગાઉ લેવામાં આવતા નહોતા. એટલે દેશની દરેક વ્યક્તિ ચિંતામાં હતી. દેશને તેની આંતરિક ખરાબીઓથી મુક્ત થયેલો જોવા માટે અને સાથે સાથે નવી વ્યવસ્થાઓનું નિર્માણ થાય તેવો દેશ આપણે ઈચ્છીએ છીએ.

ભાઈઓ અને બહેનો, આપણે ત્યાં જે સિસ્ટમ હતી તેમાં ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો હતો. કાળુ નાણું જ દેશના તમામ મોટા ક્ષેત્રોને નિયંત્રિત કરી રહ્યું હતું. વર્ષ 2014માં દેશના સવા સો કરોડ લોકોએ આ વ્યવસ્થાને બદલવા માટે મત આપ્યા હતા. તેમણે દેશની કાયમી બિમારીઓનો ઈલાજ કરવા માટે મત આપ્યા હતા અને નવા ભારતના નિર્માણ માટે પણ મત આપ્યા હતા.

નોટબંધી પછી દેશમાં જે પ્રકારનું વર્તણુંકલક્ષી પરિવર્તન આવ્યું છે તેનો તમે પણ અનુભવ કરી રહ્યા હશો. આઝાદી પછી પહેલીવાર એવું થયું છે કે જ્યારે ભ્રષ્ટાચારીઓને કાળા નાણાંની લેવડ-દેવડ કરતાં પહેલાં ડર લાગી રહ્યો છે. તેમને પકડાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જે કાળુ નાણું પહેલાં સમાંતર અર્થતંત્રનો આધાર બની રહ્યું હતું તે નોટબંધી આવ્યા પછી ઔપચારિક અર્થતંત્રમાં આવી ગયું છે.

મોટી બાબત એ પણ છે કે આ નાણું બેંકીંગ પધ્ધતિમાં પાછુ આવ્યું છે અને પોતાની સાથે પૂરાવા પણ લઈને આવ્યું છે. દેશને જે ડેટા મળ્યો છે તે ખજાના કરતાં જરા પણ ઓછો નથી. આ ડેટાના માઈનીંગથી ખ્યાલ આવી રહ્યો છે કે આપણાં દેશમાં એક જ સરનામે 400-400, 500-500 કંપનીઓ ચાલી રહી હતી અને એક-એક કંપનીના 2000-2000 ખાતા ખોલવામાં આવ્યા હતા. આ શું કોઈ અજાયબ વિરોધાભાસ નથી કે એક તરફ ગરીબોને બેંકમાં ખાતુ ખોલાવવામાં તકલીફ પડી રહી હતી અને બીજી તરફ એક કંપની આસાનીથી હજારો ખાતા ખોલાવી શકતી હતી.

નોટબંધીના સમય દરમિયાન આવા ખાતાઓમાંથી પણ હેરાફેરી કરવામાં આવી હતી. આ બાબતો પકડાઈ રહી છે. આજ સુધીમાં એવી લગભગ સવા બે લાખ કંપનીઓને ડી-રજીસ્ટર કરવામાં આવી ચૂકી છે. આવી કંપનીઓમાં જે લોકો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા તેમની એવી જવાબદારી બની રહેતી હતી કે આ કંપનીઓ સાચી રીતે કામ કરે તે બાબતે ધ્યાન આપે. આવા લોકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આવા લોકોને અન્ય કોઈપણ કંપનીમાં ડિરેક્ટર તરીકે નિમવા ઉપર પણ પ્રતિબંધ આવી ગયો છે.

સાથીઓ, આ એક એવું પણ કદમ છે કે જે આપણાં દેશમાં એક સ્વસ્થ અને સ્વચ્છ કોર્પોરેટ કલ્ચરને મજબૂત બનાવશે. જીએસટી લાગુ કરાયો તે પછી દેશની આર્થિક સ્વચ્છતા માટે લેવાયેલું આ એક મહત્વનું કદમ છે. 70 વર્ષમાં જે વ્યવસ્થા ઉભી થઈ હતી, વેપાર કરવાની જે કમજોરીઓ હતી, જે મજબૂરીઓ હતી તેને પાછળ છોડીને દેશ હવો આગળ વધી રહ્યો છે.

જીએસટીના કારણે દેશમાં એક પારદર્શકતાનો નવો અધ્યાય શરૂ થયો છે. વધુને વધુ વેપારીઓ પણ આ ઈમાનદાર સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે.

સાથીઓ, આવા જ એક અપરિવર્તનીય ફેરફાર (Irreversible Change) માટે આધાર નંબર દ્વારા મદદ મળી રહી છે. આધાર એક એવી શક્તિ છે કે જેના દ્વારા સરકાર ગરીબોના અધિકારોને સુરક્ષિત કરવા માંગે છે.

સસ્તુ અનાજ, સ્કોલરશીપ, દવાઓના ખર્ચા, પેન્શન, સરકાર તરફથી મળતી તમામ સબસીડીઓ વગેરેને ગરીબો સુધી પહોંચાડવા માટે આધારની એક મોટી ભૂમિકા ઉભી થઈ છે. આધારની સાથે મોબાઈલ અને જનધન ખાતાની તાકાત જોડાવાથી એક એવી વ્યવસ્થાનું નિર્માણ થયું છે કે જેના અંગે આપણે થોડાંક વર્ષ પહેલાં વિચાર્યું પણ ન હતું. આ એક એવી વ્યવસ્થા છે કે જે Irreversible છે.

છેલ્લા 3 વર્ષમાં આધારની મદદથી કરોડો નકલી નામો દૂર કરવામાં આવ્યા છે. હવે તો બેનામી સંપત્તિના વિરોધમાં પણ આધાર એક મોટું હથિયાર બની રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, આ સરકારમાં સરકારી ખરીદીની જૂની પધ્ધતિઓ પણ સંપૂર્ણપણે બદલાવા માંડી છે અને નવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેને સરકારના ઈ-માર્કેટ પ્લેસ GeM તરીકે ઓળખવામાં આવે છે.

સરકારમાં આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે અને એ દ્વારા ખરીદી થઈ રહી છે. હવે કોટેજ ઈન્ડસ્ટ્રી વાળા લોકો પણ, નાની નાની હસ્તકલાની ચીજો બનાવનાર લોકો પણ, ઘરે સામાન બનાવનાર લોકો પણ GeM ના માધ્યમથી પોતાનો સામાન વેચી શકે છે.

ભાઈઓ અને બહેનો, હવે આપણે એક એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ કે જેમાં કાળુ નાણું પેદા કરવું, કમજોર સિસ્ટમ હોવાના કારણે ભ્રષ્ટાચાર કરવો વગેરે બાબતો ઓછામાં ઓછી રહી જશે.

જે દિવસે દેશમાં મહદ્દ અંશે ખરીદ વેચાણ, પૈસાની લેવડ-દેવડ એક ટેકનિકલ અથવા ડીજીટલ એડ્રેસ મારફતે થવા માંડશે તે દિવસે આવો સંગઠીત ભ્રષ્ટાચાર મહદ્દ અંશે અટકી જશે. મને ખબર છે કે રાજનૈતિક દ્રષ્ટિએ પણ મારે આ બાબતને કારણે કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.

સાથીઓ, જ્યારે યોજનામાં ગતિ આવે છે ત્યારે દેશમાં પ્રગતિ પણ આવે છે. એવું કોઈ તો પરિવર્તન આવ્યું હશે કે જેને કારણે સરકારની તમામ યોજનાઓની ગતિ વધી ગઈ છે. સાધનો એ જ છે, તેના સ્રોતો પણ એ જ છે, પરંતુ સિસ્ટમમાં એક ગતિ આવી ચૂકી છે. આવું એટલા માટે બન્યું છે કે સરકારની બ્યૂરોક્રસીમાં પણ એક નવી કાર્ય સંસ્કૃતિ વિકાસ પામી રહી છે અને તેને કારણે સરકાર વધુને વધુ જવારદાર બની રહી છે.

• આજે આવી બાબતોને કારણે એવુ પરિણામ પ્રાપ્ત થયું છે કે પાછલી સરકાર દરરોજ 11 કિ.મીના નેશનલ હાઈવેનું નિર્માણ કરતી હતી. અત્યાર સુધીમાં હવે દિવસના 22 કિ.મી.થી વધુ નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે.

• અગાઉની સરકારના છેલ્લા 3 વર્ષમાં ગામડાંઓમાં 30 હજાર કિ.મી.ની સડકો બની હતી, અમારી સરકારના 3 વર્ષમાં 1,20,000 કિ.મી.ની સડકો બની છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં લગભગ 1100 કિ.મી.ની નવી રેલવે લાઈનોનું નિર્માણ થયુ હતું. આ સરકારના 3 વર્ષમાં આ પ્રમાણ 2100 કિ.મી.થી પણ વધુ આગળ નિકળી ગયું છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં 2500 કિ.મી. રેલવે લાઈનનું વિજળીકરણ કરવામાં આવ્યું હતું. આ સરકારના 3 વર્ષમાં 4300 કિ.મી.થી વધુ રેલવે લાઈનનું વિજળીકરણ થઈ રહ્યું છે.

• પાછલી સરકારના છેલ્લા 3 વર્ષમાં લગભગ 1,49,000 કરોડનો મૂડી ખર્ચ (capital expenditure) કરવામાં આવતો હતો. આ સરકારના 3 વર્ષમાં લગભગ 2 લાખ, ચોસઠ હજાર કરોડનું મૂડી ખર્ચ કરવામાં આવ્યું છે.

• અગાઉની સરકારના છેલ્લા 3 વર્ષમાં કુલ 12 હજાર મેગા વોટ રિન્યુએબલ એનર્જીની નવી ક્ષમતા ઉભી કરવામાં આવી હતી. આ સરકારના 3 વર્ષમાં 22 હજાર મેગા વોટથી વધુ રિન્યુએબલ એનર્જીની નવી ક્ષમતાને ગ્રીડના પાવર સાથે જોડવામાં આવી છે.

• અગાઉની સરકારની તુલનામાં શીપીંગ ઈન્ડસ્ટ્રીના વિકાસની વાત કરીએ તો અગાઉ જ્યારે કાર્ગો હેન્ડલીંગનો વૃધ્ધિ દર નકારાત્મક હતો તે હવે આ સરકારના 3 વર્ષમાં 11 ટકા કરતાં વધુ દરે વૃધ્ધિ પામી રહ્યો છે.

સાથીઓ, જો બિલકુલ જમીની સ્તર પર આવીને આવી ચીજોને ઠીક કરી ન હોત તો શું આવી ગતિ હાંસલ થઈ શકી હોત? સરકાર આ પ્રકારના નિર્ણયો લઈ શકી હોત? મોટા અને સ્થિર પરિવર્તનો આપમેળે આવતા નથી. તેના માટે સિસ્ટમમાં પરિવર્તન કરવાની જરૂર પડતી હોય છે. જ્યારે આવા ફેરફારો થાય છે ત્યારે દેશમાં માત્ર 3 વર્ષમાં જ Ease Of Doing Business ના રેંકીંગમાં 142 થી 100 સુધી પહોંચી શકાય છે.

ભાઈઓ અને બહેનો, આપ સૌને ખબર તો હશે જ કે વર્ષ 2014માં જ્યારે અમે સત્તા પર આવ્યા ત્યારે અમને વારસામાં શું મળ્યું હતું? અર્થવ્યવસ્થાની હાલત, શાસનની હાલત, Fiscal Order અને બેંકીંગ સિસ્ટમની હાલત કેવી હતી? બધી બાબતો બગડી ચૂકી હતી. તમારે બધાંએ એ વખતે ઓછા શબ્દોમાં આવી વાતો કહેવી પડતી હતી. હેડલાઈનમાં લખવામાં આવતું હતું કે અને કહેવામાં આવતું હતું કે Policy Paralysis થયો છે.

વિચારો, આપણાં દેશને Fragile Five માં ગણવામાં આવતો હતો. દુનિયાના તમામ દેશો એવું વિચારી રહ્યા હતા કે અર્થવ્યવસ્થા માટે જે સંકટ ઉભુ થયું છે તેનાથી આપણે તો બહાર આવી શકીશું, પરંતુ આ Fragile Five પોતે તો ડૂબશે જ અને આપણને પણ સાથે સાથે ડૂબાડશે.

આજે વૈશ્વિક સ્તરે ભારત ક્યાં ઉભુ છે. કેવી સ્થિતિમાં છે, તમે બધાં આ અંગે સારી રીતે પરિચીત છો. નાનો હોય કે મોટો, દરેક દેશ મહદ્દઅંશે આજે ભારત સાથે ખભાથી ખભો મિલાવીને આગળ વધવા માંગે છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. હવે તો રોકાવાનું નથી, આગળ જ વધવાનું છે.

સાથીઓ, જ્યારે કોઈ રાષ્ટ્ર આત્મવિશ્વાસ સાથે પોતાના કદમ આગળ વધારી રહ્યો હોય, તો Irreversible અથવા Reversible નો કોઈ અર્થ રહેતો નથી. જ્યારે કોઈ એક રાષ્ટ્ર આત્મવિશ્વાસ સાથે કદમ આગળ ધપાવે છે અને નિર્ણયો લે છે ત્યારે જે બને છે તે પાછલા 70 વર્ષમાં પણ જોવા મળ્યું નથી.

International Court of Justice ની ચૂંટણીમાં ભારતને જે સફળતા હાંસલ થઈ છે તેના કારણે સમગ્ર વિશ્વના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું છે, જે બદલાવનું પ્રતિક છે. ભાઈઓ અને બહેનો, જ્યારે યોગને યુનાઈટેડ નેશન્સમાં સર્વ સંમતિથી માન્યતા મળે છે ત્યારે તેને Irreversible Rise તરીકે જોવામાં આવે છે.

જ્યારે ભારતની પહેલના કારણે International Solar Alliance ની સ્થાપના થઈ ત્યારે તેમાં Irreversible Rise દેખાતો હતો.

સાથીઓ, અમારી સરકારે ડીપ્લોમસીની સાથે Humanism ને જોડ્યું છે. માનવીય સંવેદનાઓ સાથે જોડ્યું છે. જ્યારે નેપાળમાં ભૂકંપ આવે છે ત્યારે ભારત સૌથી પહેલાં બચાવ અને મદદની કામગીરીમાં લાગી જાય છે. જ્યારે માલદીવમાં પાણીનું સંકટ પેદા થાય છે ત્યારે ભારતમાંથી જહાજ ભરી ભરીને પાણી મોકલવામાં આવે છે. જ્યારે યમનમાં સંકટ આવે છે ત્યારે ભારત 4000 થી વધુ નાગરિકોને માત્ર બચાવતું નથી, પણ અન્ય 48 દેશોના 2000 વ્યક્તિઓને પણ સુરક્ષિત બહાર લાવે છે. આ બાબત ભારતની વધતી જતી શાખ અને વધતા જતા વિશ્વાસનું પરિણામ છે કે આજે વિદેશમાં રહીને પણ ભારતીયો પોતાનું મસ્તક ઉંચુ રાખીને સામેની વ્યક્તિ સામે વાત કરી શકે છે.

જ્યારે વિદેશમાં “અબ કી બાર કેમરન સરકાર” અને “અબ કી બાર ટ્રમ્પ સરકાર” ના નારા ગૂંજતા હતા ત્યારે ભારતીય લોકોના સામર્થ્યને સ્વિકૃતિ પ્રાપ્ત થઈ હતી. ભાઈઓ અને બહેનો, જ્યારે દરેક સંગઠન, દરેક સમાજ અને દરેક વ્યક્તિ પોતાના સામર્થ્યને સમજીને પોતાનું સ્તર બદલવાની શરૂઆત કરશે ત્યારે જ ન્યૂ ઈન્ડિયાનું સપનું સાકાર થશે. ન્યૂ ઈન્ડિયાનું આ સપનું માત્ર મારૂં જ નથી, તમારૂં પણ છે. આજે સમયની એ માંગ છે કે રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલી દરેક સંસ્થા દેશની આવશ્યકતાઓને સમજીને દેશની સામે હાલમાં જે પડકારો મોજૂદ છે તેને સમજીને પોતાના સ્તરે કેટલાંક સંકલ્પ કરે.

વર્ષ 2022માં જ્યારે દેશની સ્વતંત્રતાના 75 વર્ષનું પર્વ મનાવવામાં આવશે ત્યારે આપણે બધાંએ આવા સંકલ્પો પૂરાં કરવાના છે. હું તમને બધાંને જાતે તો કોઈ સલાહ આપી શકતો નથી, પરંતુ આપણા સૌના પ્રિય, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની એક વાત તમને યાદ અપાવવા માંગુ છું.

“આપણે ત્યાં મિડિયા આટલું Negative કેમ છે? આખરે એવું તે શું થયું છે કે ભારતમાં આપણી ક્ષમતાઓ અને ઉપલબ્ધિઓથી આપણે શરમાઈ રહ્યા છીએ? આપણો દેશ આટલો મહાન છે, આપણી પાસે સફળતાની આટલી અદ્દભૂત કથાઓ હોવા છતાં પણ આપણે શા માટે તેને સ્વિકારવાનું ટાળી રહ્યા છીએ?”

તેમણે આ વાત ઘણાં વર્ષ પહેલાં કરી હતી. તમે વિધિવત્ત લોકો વચ્ચે ઠીક લાગે તો આ બાબતે તમારે ત્યાં કટાર લેખમાં ન્યૂઝ રૂમમાં તેની ચર્ચા જરૂર કરજો. મને આશા છે કે તમે પણ જે પરિવર્તન લાવશો તે Irreversible હશે.

હું આ મંચ ઉપરથી દેશના સમગ્ર મિડિયા જગતને આગ્રહ કરી રહ્યો છું કે તમે પોતે પણ સંકલ્પ કરો અને બીજા લોકોને પણ સંકલ્પ કરવા માટે પ્રેરણા આપો. જે રીતે તમે સ્વચ્છ ભારત અભિયાનને પોતાનું અભિયાન માનીને આગળ ધપાવ્યું હતું અને તેને જન આંદોલનમાં બદલવાની સક્રિય ભૂમિકા નિભાવી હતી તેવી જ રીતે સંકલ્પથી સિધ્ધિ સુધીની આ યાત્રામાં આગળ આવીને સાથ આપો.

આ શબ્દો સાથે હું મારી વાત અહીં સમાપ્ત કરૂં છું. વધુ એક વાર હિંદુસ્તાન ટાઈમ્સ ગ્રુપને આવુ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

જયહિંદ!!!

  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 04, 2023

    Jay shree Ram
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s speech at the launch of various development works in Bilaspur, Chhattisgarh
March 30, 2025
QuoteToday, on the auspicious day of Navratri, on the New Year, three lakh poor families of Chhattisgarh are entering their new houses: PM
QuoteGovernment is concerned about providing health facilities and medical treatment for poor tribals: PM
QuoteGovernment is running a special campaign for the development of tribal society: PM

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

छत्तीसगढ़ महतारी की जय!

रतनपुर वाली माता महामाया की जय!

कर्मा माया की जय! बाबा गुरु घासीदास की जय!

जम्मो संगी-साथी-जहुंरिया,

महतारी-दीदी-बहिनी अउ सियान-जवान,

मन ला जय जोहार !

छत्तीसगढ़ के राज्यपाल श्री रमेन डेका जी, यहां के लोकप्रिय और ऊर्जावान मुख्‍यमंत्री श्री विष्णुदेव साय जी, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी मनोहर लाल जी, इसी क्षेत्र के सांसद और केंद्र में मंत्री तोखन साहू जी, छत्तीसगढ़ विधानसभा के स्‍पीकर मेरे परम मित्र रमन सिंह जी, उपमुख्यमंत्री विजय शर्मा जी, अरुण साहू जी, छत्तीसगढ़ सरकार के सभी मंत्री गण, सांसद गण और विधायक गण और दूर-दूर से यहां आए मेरे भाइयों और बहनों!

|

आज से नववर्ष शुरू हो रहा है। आज पहला नवरात्रि है और ये तो माता महामाया की धरती है। छत्तीसगढ़ माता कौशल्या का मायका है। ऐसे में मातृशक्ति के लिए समर्पित इन नौ दिन छत्तीसगढ़ के लिए बहुत ही विशेष रहते हैं और मेरा परम सौभाग्य है कि नवरात्रि के पहले दिन मैं यहां पहुंचा हूं। अभी कुछ दिन पहले भक्त शिरोमणि माता कर्मा के नाम पर डाक टिकट भी जारी हुआ है। मैं आप सभी को इसकी बधाई देता हूं।

साथियों,

नवरात्रि का ये पर्व रामनवमी के उत्सव के साथ संपन्न होगा और छत्तीसगढ़ की तो, यहां की राम भक्ति भी अद्भुत है। हमारा जो रामनामी समाज है, उसने तो पूरा शरीर राम नाम के लिए समर्पित किया है। मैं प्रभु राम के ननिहाल वालों को, आप सभी साथियों को बहुत-बहुत शुभकामनाएं देता हूं। जय श्री राम!

साथियों,

आज के इस पावन दिवस पर मुझे मोहभट्टा स्वयंभू शिवलिंग महादेव के आशीर्वाद से छत्तीसगढ़ के विकास को और गति देने का अवसर मिला है। थोड़ी देर पहले 33 हजार 700 करोड़ रुपये से अधिक की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इसमें गरीबों के घर हैं, स्‍कूल हैं, रोड है, रेल है, बिजली है, गैस की पाइप लाइन हैं। यानी ये सारे प्रोजेक्‍ट्स छत्तीसगढ़ के नागरिकों को सुविधा देने वाले हैं। यहां नौजवानों के लिए नए रोजगार बनाने वाले हैं। आप सभी को इन विकास कार्यों के लिए बहुत-बहुत बधाई।

साथियों,

हमारी परंपरा में किसी को भी आश्रय देना एक बहुत बड़ा पुण्य माना जाता है। लेकिन जब किसी के घर का सपना पूरा होता है, तो उससे बड़ा आनंद भला क्‍या हो सकता है। आज नवरात्रि के शुभ दिन, नव वर्ष पर छत्तीसगढ़ के तीन लाख गरीब परिवार अपने नए घर में गृह प्रवेश कर रहे हैं। मुझे अभी यहां तीन लाभार्थियों से मिलने का अवसर मिला और मैं देख रहा था उनके चेहरे पर खुशी नहीं समा रही थी और वो मां तो अपना यहां आनंद रोक ही नहीं पा रही थी। मैं इन सभी परिवारों को, तीन लाख परिवार साथियों, एक नए जीवन के लिए बहुत शुभकामनाएं देता हूं। इन गरीब परिवारों के सिर पर पक्की छत आप सभी की वजह से ही संभव हो पाई है। ये मैं इसलिए कह रहा हूं क्योंकि आपने मोदी की गारंटी पर भरोसा किया। छत्तीसगढ़ के लाखों परिवारों के पक्के घर का सपना पहले की सरकार ने फाइलों में गुमा दिया था और तब हमने गारंटी दी थी, ये सपना हमारी सरकार पूरा करेगी। और इसलिए विष्‍णु देव जी की सरकार बनते ही पहली कैबिनेट में 18 लाख घर बनाने का निर्णय लिया गया। आज उसमें से तीन लाख घर बनकर तैयार हैं। मुझे खुशी इस बात की भी है, इसमें बहुत सारे घर हमारे आदिवासी क्षेत्रों में बने हैं। बस्तर और सरगुजा के अनेक परिवारों को भी अपने पक्के घर मिले हैं। जिन परिवारों की अनेक पीढ़ियों ने झोपड़ियों में बेहाल जीवन बिताया है, उनके लिए ये कितना बड़ा उपहार है, ये हम समझ सकते हैं और जो नहीं समझ सकते हैं, मैं उनको समझाना चाहता हूं। आप अगर रेलवे में या बस में यात्रा कर रहे हैं, जगह नहीं मिल रही है, खड़े-खड़े जा रहे हैं और अगर थोड़ी सी एकाध सीट मिल जाए, आपका आनंद कितना बड़ा रह जाता है, पता है न! एक-दो-तीन घंटे की यात्रा में बैठने की जगह मिल जाए, तो आपकी खुशियां अनेक गुना बढ़ जाती हैं। आप कल्पना कीजिए कि इन परिवारों ने पीढ़ी दर पीढ़ी झोपड़ी में जिंदगी गुजारी। आज जब उनको पक्का घर मिल रहा है, आप कल्‍पना कीजिए, उनकी जीवन की खुशियां कितनी उमंग से भरी होंगी। और जब ये सोचता हूं, ये देखता हूं, मुझे भी नई ऊर्जा मिलती है। देशवासियों के लिए रात-दिन काम करने का मन मजबूत हो जाता है।

|

साथियों,

इन घरों को बनाने के लिए भले ही सरकार ने मदद दी है। लेकिन घर कैसा बनेगा, ये सरकार ने नहीं, हर लाभार्थी ने खुद तय किया है। ये आपके सपनों का घर है और हमारी सरकार सिर्फ चारदीवारी ही नहीं बनाती, इन घरों में रहने वालों की जिंदगी भी बनाती है। इन घरों को Toilet, बिजली, उज्ज्वला की गैस, नल से जल, सभी सुविधाओं से जोड़ने का प्रयास है। यहां मैं देख रहा हूं कि बहुत बड़ी संख्या में माताएं-बहनें आई हैं। ये जो पक्के घर मिले हैं, इनमें से अधिकतर की मालिक हमारी माताएं-बहनें ही हैं। हजारों ऐसी बहनें हैं, जिनके नाम पर पहली बार कोई संपत्ति रजिस्टर हुई है। मेरी माताओं-बहनों, आपके चेहरे की ये खुशी, आपका ये आशीर्वाद, ये मेरी बहुत बड़ी पूंजी है।

साथियों,

जब इतने सारे घर बनते हैं, लाखों की संख्या में घर बनते हैं, तो इससे एक और बड़ा काम होता है। अब आप सोचिए कि ये घर बनाता कौन है, इन घरों में लगने वाला सामान कहां से आता है, ये छुट-पुट का सामान कोई दिल्ली-मुंबई से थोड़ा आता है, जब इतने सारे घर बनते हैं, तो गांव में हमारे राज मिस्त्री, रानी मिस्त्री, श्रमिक साथी, सभी को काम मिलता है और जो सामान आता है, उसका फायदा भी तो स्‍थानीय छोटे-छोटे दुकानदारों को होता है। जो गाड़ी में, ट्रक में सामान लाते हैं, उनको होता है। यानी लाखों घरों ने छत्तीसगढ़ में बहुत सारे लोगों को रोजगार भी दिया है।

साथियों,

भाजपा सरकार, छत्तीसगढ़ के लोगों से किए गए, हर वादे को पूरा कर रही है। और अभी मुख्‍यमंत्री जी बता रहे थे कि पिछले दिनों जो स्‍थानिक स्‍वराज संस्थाओं के चुनाव हुए, त्रिस्‍तीय चुनाव और उसमें भी आपने जिस प्रकार से आशीर्वाद दिए हैं, आज मैं आया हूं, तो इसके लिए भी आभार व्यक्त करता हूं।

साथियों,

यहां बहुत बड़ी संख्या में अलग-अलग योजनाओं के लाभार्थी आए हैं। आप सभी ने अनुभव किया है कि हमारी सरकार कितनी तेज़ी से अपनी गारंटियां पूरी कर रही हैं। छत्तीसगढ़ की बहनों से हमने जो वादा किया था, वो पूरा कर के दिखाया। धान किसानों को 2 साल का बकाया बोनस मिला है, बढ़े हुए MSP पर धान की खरीदी की गई है। इससे लाखों किसान परिवारों को हज़ारों करोड़ रुपए मिले हैं। कांग्रेस की सरकार में यहां भर्ती परीक्षाओं में भी खूब घोटाले हुए, भाजपा सरकार ने भर्ती परीक्षाओं में हुए घोटालों को लेकर जांच बिठाई है। और हमारी सरकार पूरी पारदर्शिता के साथ परीक्षाएं करवा रही है। इन ईमानदार प्रयासों का नतीजा है कि भाजपा पर जनता का भरोसा बढ़ता जा रहा है। विधानसभा और लोकसभा चुनाव के बाद अब निकाय चुनाव में भी यहां भाजपा का परचम लहराया है। छत्तीसगढ़ की जनता भाजपा सरकार के प्रयासों को अपना भरपूर समर्थन दे रही है।

|

साथियों,

छत्तीसगढ़ को राज्य बने 25 साल हो रहे हैं, ये वर्ष छत्तीसगढ़ का रजत जयंती वर्ष है, संयोग से यह साल अटल जी का जन्म शताब्दी वर्ष भी है। छत्तीसगढ़ सरकार, 2025 को अटल निर्माण वर्ष के रूप में मना रही है। हमारा संकल्प है– हमने बनाया है, हम ही संवारेंगे। आज इंफ्रास्ट्रक्चर के जितने भी प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है, वो इसी संकल्प का हिस्सा है।

साथियों,

छत्तीसगढ़ को अलग राज्य इसलिए बनाना पड़ा था, क्योंकि यहां विकास का लाभ नहीं पहुंच पा रहा था। कांग्रेस के राज में यहां विकास का काम नहीं हो पाता था और जो काम होते भी थे, उसमें कांग्रेस वाले घोटाले कर देते थे। कांग्रेस को कभी आपकी चिंता नहीं रही। आपके जीवन की, आपकी सुविधाओं की, आपके बच्चों की चिंता हमने की है। हम विकास की योजनाओं को छत्तीसगढ़ के गांव-गांव तक ले जा रहे हैं। वहां एक बेटी कोई एक पेंटिंग बना के लाई है, बेचारी कब से हाथ ऊपर रख के खड़ी है। मैं जरा security वालों से कहूंगा जरा उस बेटी को, जरा पीछे बेटा नाम-पता लिख देना, मैं आपको चिट्ठी भेजूंगा। जरा इसको कोई collect करके मेरे तक पहुंचा दे। बहुत-बहुत धन्यवाद बेटा, बहुत धन्यवाद। आज आप देखिए, यहां दूर-सूदूर के आदिवासी क्षेत्रों में भी अच्छी स़ड़कें पहुंच रही हैं। कई इलाकों में पहली बार ट्रेन पहुंच रही है, अभी मैंने यहां एक ट्रेन को हरी झंडी दिखाई है। अब यहां कहीं पहली बार बिजली पहुंच रही है, कहीं पाइप से पानी पहली बार पहुंच रहा है, कहीं नया मोबाइल टावर पहली बार लग रहा है। नए स्कूल-कॉलेज-अस्पताल बन रहे हैं। यानि हमारे छत्तीसगढ़ की तस्वीर भी बदल रही है, तकदीर भी बदल रही है।

साथियों,

छत्तीसगढ़ देश के उन राज्यों में शामिल हो गया है, जहां शत-प्रतिशत रेल नेटवर्क बिजली से चलने लगा है। ये बहुत बड़ी उपलब्धि है। छत्तीसगढ़ में इस समय करीब 40 हज़ार करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर काम चल रहा है। इस साल के बजट में भी छत्तीसगढ़ के लिए 7 हज़ार करोड़ रुपए की व्यवस्था की गई है। इससे छत्तीसगढ़ के अनेक क्षेत्रों में अच्छी रेल कनेक्टिविटी की मांग पूरी होगी। इससे आसपास के राज्यों से कनेक्टिविटी भी बेहतर होगी।

|

साथियों,

विकास के लिए बजट के साथ-साथ नेक-नीयत भी ज़रूरी है। अगर कांग्रेस की तरह मन और मस्तिष्क में बेईमानी भरी हो, तो बड़े से बड़े खज़ाने भी खाली हो जाते हैं। यही स्थिति हमने कांग्रेस के शासन के दौरान देखी है। इस कारण, आदिवासी अंचलों तक विकास नहीं पहुंच पाया। हमारे सामने कोयले का उदाहरण है। छत्तीसगढ़ में बहुत बड़ी मात्रा में कोयला है। लेकिन यहां आपको जरूरत भर की बिजली नहीं मिल पाती थी। कांग्रेस के समय में बिजली की हालत खस्ताहाल थी, यहां पर बिजली के कारखानों पर उतना काम ही नहीं किया गया। आज हमारी सरकार यहां नए बिजली कारखाने लगवा रही है।

साथियों,

हम यहां सौर ऊर्जा से बिजली बनाने पर भी बहुत अधिक जोर दे रहे हैं। और मैं आपको एक और बड़ी शानदार योजना के बारे में बताऊंगा। मोदी ने एक ऐसी योजना शुरू की है, जिसमें आपका बिजली बिल जीरो हो जाएगा और घर में बिजली पैदा करके आप कमाई भी कर सकेंगे। इस योजना का नाम है- पीएम सूर्य घर मुफ्त बिजली योजना। इसके लिए हमारी सरकार हर घर को सोलर पैनल लगाने के लिए 70-80 हजार रुपए की मदद दे रही है। यहां छत्तीसगढ़ में भी 2 लाख से ज्यादा परिवारों ने पीएम सूर्य घर मुफ्त बिजली योजना में अपना रजिस्ट्रेशन करा दिया है। आप भी इस योजना से जुड़ेंगे तो आपको बहुत लाभ होगा।

साथियों,

नेक नीयत का एक और उदाहरण, गैस पाइपलाइन भी है। छत्तीसगढ़ समंदर से दूर है। तो यहां तक गैस पहुंचाना इतना आसान नहीं है। पहले जो सरकार थी, उसने गैस पाइपलाइन पर भी जरूरी खर्च नहीं किया। हम इस चुनौती का भी समाधान कर रहे हैं। हमारी सरकार, यहां गैस पाइप लाइनें बिछा रही है। इससे पेट्रोलियम से जुड़े उत्पादों को ट्रकों से ट्रांसपोर्ट करने की मजबूरी कम होगी। ये चीज़ें कम कीमत में आप लोगों को मिलने लगेंगी। गैस पाइपलाइन आने से, यहां CNG से गाड़ियां चल पाएंगी। इसका एक और फायदा होगा। घरों में खाना बनाने की गैस अब पाइप से भी आ पाएगी। जैसे पाइप से पानी आता है किचन में, वैसे ही अब गैस आएगा। हम अभी 2 लाख से ज्यादा घरों में सीधे पाइप से गैस पहुंचाने का लक्ष्य लेकर चल रहे हैं। गैस उपलब्ध होने से यहां छत्तीसगढ़ में नए उद्योग लगाना भी संभव हो पाएगा। यानि बड़ी संख्या में यहीं पर रोजगार बनेंगे।

साथियों,

बीते दशकों में कांग्रेस की नीतियों की वजह से छत्तीसगढ़ सहित देश के अनेक राज्यों में नक्सलवाद को बढ़ावा मिला। देश में जहां-जहां अभाव रहा, जो-जो क्षेत्र विकास से पीछे रहे, वहां-वहां नक्सलवाद फलता-फूलता रहा। लेकिन जिस दल ने 60 साल सरकार चलाई, उसने क्या किया? उसने ऐसे जिलों को पिछड़ा घोषित कर, अपनी जिम्मेदारी से मुंह मोड़ लिया। हमारे नौजवानों की अनेक पीढ़ियां खप गईं। अनेक माताओं ने अपने लाडले खो दिए। अनेक बहनों ने अपना भाई खो दिया।

साथियों,

उस समय की सरकारों की ये उदासीनता, ये आग में घी डालने जैसा था। आपने तो खुद सहा है, देखा है, छत्तीसगढ़ में कितने ही जिलों में सबसे पिछड़े आदिवासी परिवार रहते थे। उनकी कांग्रेस सरकार ने कभी सुध नहीं ली। हमने गरीब आदिवासियों के शौचालय की चिंता की, स्वच्छ भारत अभियान चलाया, हमने गरीब आदिवासियों के इलाज की चिंता की, 5 लाख रुपए तक मुफ्त इलाज देने वाली आयुष्मान भारत योजना चलाई, हमने आपके लिए सस्ती दवा की चिंता की, अस्सी परसेंट छूट देने वाले पीएम जन औषधि केंद्र खोले।

|

साथियों,

जो लोग सामाजिक न्याय पर झूठ बोलते हैं, उन्हीं लोगों ने आदिवासी समाज को भुला रखा था। इसलिए तो मैं कहता हूं, जिसको किसी ने नहीं पूछा, उसको मोदी पूजता है। हम आदिवासी समाज के विकास के लिए भी विशेष अभियान चला रहे हैं। हमने आपके लिए धरती आबा जनजातीय उत्कर्ष अभियान शुरू किया है। इसके तहत करीब 80 हज़ार करोड़ रुपए आदिवासी क्षेत्रों में खर्च किए जा रहे हैं। इससे छत्तीसगढ़ के करीब 7 हज़ार आदिवासी गांवों को फायदा हो रहा है। आप भी जानते हैं कि आदिवासियों में भी अति पिछड़ी आदिवासी जनजातियां होती हैं। पहली बार हमारी सरकार ने ऐसे अति पिछड़े आदिवासियों के लिए पीएम जनमन योजना बनाई है। इसके तहत, छत्तीसगढ़ के 18 जिलों में 2 हज़ार से अधिक बसाहटों में काम किए जा रहा हैं। देशभर में पिछड़ी जनजातियों की बस्तियों में करीब 5 हज़ार किलोमीटर की सड़कें स्वीकृत की गई हैं। इनमें से करीब आधी सड़कें, छत्तीसगढ़ में ही बनाई जानी हैं, यानि ढाई हजार किलोमीटर की सड़कें यहां पीएम जनमन योजना के तहत बनेंगी। आज इस योजना के तहत ही यहां अनेक साथियों को पक्के घर भी मिले हैं।

साथियों,

आज डबल इंजन सरकार में छत्तीसगढ़ की स्थिति तेज़ी से बदल रही है। जब सुकमा जिले के एक स्वास्थ्य केंद्र को राष्ट्रीय गुणवत्ता प्रमाणपत्र मिलता है, तो नया विश्वास जगता है। जब कई सालों बाद दंतेवाड़ा में फिर से स्वास्थ्य केंद्र शुरू होता है, तो नया विश्वास जगता है। ऐसे ही प्रयासों के कारण, नक्सल प्रभावित क्षेत्रों में स्थाई शांति का नया दौर नज़र आ रहा है। अभी दिसंबर में जब मन की बात हुई, तो मैंने बस्तर ओलंपिक की चर्चा की थी। आपने भी वो मन की बात जरूर सुना होगा, बस्तर ओलंपिक में जिस प्रकार हज़ारों नौजवानों ने हिस्सा लिया, वो छत्तीसगढ़ में आ रहे बदलाव का प्रमाण है।

साथियों,

मैं छत्तीसगढ़ के नौजवानों का एक शानदार भविष्य अपनी आंखों के सामने देख रहा हूं। छत्तीसगढ़ जिस प्रकार, नई शिक्षा नीति को लागू कर रहा है, वो बहुत ही शानदार काम हो रहा है। देशभर में 12 हज़ार से अधिक आधुनिक पीएम श्री स्कूल शुरु हो चुके हैं। इनमें से करीब साढ़े तीन सौ, छत्तीसगढ़ में हैं। ये पीएम श्री स्कूल, दूसरे स्कूलों के लिए आदर्श बनेंगे। इससे राज्य की पूरी शिक्षा व्यवस्था का स्तर ऊपर उठेगा। छत्तीसगढ़ में दर्जनों एकलव्य मॉडल स्कूल पहले से ही शानदार काम कर रहे हैं। नक्सल प्रभावित इलाकों में भी अनेक स्कूल फिर से शुरू किए गए हैं। आज छत्तीसगढ़ में विद्या समीक्षा केंद्र की भी शुरुआत हुई है। ये भी देश की शिक्षा व्यवस्था में एक बड़ा कदम है। इससे स्कूलों में शिक्षा का स्तर और अच्छा होगा, क्लास में शिक्षकों की, विद्यार्थियों की रियल टाइम में मदद भी हो पाएगी।

साथियों,

हमने आपसे किया एक और वादा पूरा किया है। नई राष्ट्रीय शिक्षा नीति के तहत, यहां हिंदी में भी मेडिकल और इंजीनियरिंग की पढ़ाई शुरू हो रही है। अब मेरे गांव, गरीब, आदिवासी परिवारों के युवाओं के सपनों को पूरा करने में भाषा कोई बाधा नहीं बनेगी।

|

साथियों,

बीते वर्षों में मेरे मित्र रमन सिंह जी ने जो मजबूत नींव रखी थी, उसे वर्तमान सरकार और सशक्त कर रही है। आने वाले 25 वर्षों में हमें इस नींव पर विकास की एक भव्य इमारत बनानी है। छत्तीसगढ़ संसाधनों से भरपूर है, छत्तीसगढ़ सपनों से भरपूर है, छत्तीसगढ़ सामर्थ्य से भरपूर है। 25 साल बाद, जब हम छत्तीसगढ़ की स्थापना के 50 वर्ष मनाएं, तो छत्तीसगढ़ देश के अग्रणी राज्यों में हो, इस लक्ष्य को हम पाकर के ही रहेंगे। मैं आपको फिर विश्वास दिलाऊंगा, यहां विकास का लाभ, छत्तीसगढ़ के हर परिवार तक पहुंचे, इसके लिए हम कोई कोर कसर बाकी नहीं छोड़ेंगे। एक बार फिर आप सभी को इतने सारे विकास कार्यों के लिए और नव वर्ष के आरंभ में ही बहुत बड़े सपने लेकर के जो यात्रा आरंभ हो रही है, उसके लिए मैं आपको बहुत-बहुत बधाई देता हूं। बहुत-बहुत धन्यवाद!