પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના મહાનિદેશક મહામહિમ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસિસ સાથે ટેલીફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળાના સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રતિભાવની સુવિધા ઊભી કરવામાં ડબલ્યુએચઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે એમની પ્રશંસા કરી હતી. તેમણે અન્ય રોગો સામેની લડાઈને નજર અંદાજ ન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વિકાસશીલ દેશોની આરોગ્ય વ્યવસ્થાને ટેકો આપવામાં ડબલ્યુએચઓના મહત્ત્વને સ્વીકાર્યું હતું.

ડબલ્યુએચઓના મહાનિદેશકે સંસ્થા અને ભારતીય આરોગ્ય સંસ્થાઓ વચ્ચે ગાઠ અને નિયમિત જોડાણ પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને આયુષ્માન ભારત યોજના અને ભારતની ક્ષય (ટ્યુબરક્યુલોસિસ) સામેની લડત જેવી સ્થાનિક પહેલોની વિશેષ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્યલક્ષી સમસ્યાઓનું સમાધાન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રી અને મહાનિદેશકે પરંપરાગત તબીબી ઉપચાર વ્યવસ્થાઓના મૂલ્ય પર ફળદાયક ચર્ચા કરી હતી, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોની સુખાકારી અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે. તેઓ સંપૂર્ણ આચારસંહિતા દ્વારા આધુનિક તબીબી રીતમાં પરંપરાગત તબીબી ઉપચાર પદ્ધતિઓનો સમન્વય કરવાની તથા વર્ષોથી અસરકારક પુરવાર થયેલી પરંપરાગત તબીબી ઉત્પાદનો અને પદ્ધતિઓની કાળજીપૂર્વક વૈજ્ઞાનિક માન્યતા માટેની જરૂરિયાત પર સંમત થયા હતા.  

મહાનિદેશક ટેડ્રોસે ભારપૂર્વક જણાવ્યું હતું કે હજુ સુધી પરંપરાગત દવાઓની અસરકારકતાનો પર્યાપ્ત સ્વીકાર થયો નથી. તેમણે કહ્યું હતું કે, ડબલ્યુએચઓ આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પદ્ધતિઓના સંશોધન, તાલીમ અને વહેંચણીને પ્રોત્સાહન આપવા સક્રિયપણે કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ‘કોવિડ-19 માટે આયુર્વેદ’ થીમ અંતર્ગત 13 નવેમ્બરના રોજ ભારતમાં આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવાની જાણકારી મહાનિદેશકને આપી હતી.

પ્રધાનમંત્રી અને મહાનિદેશકે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના જોડાણ પર પણ ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં મહાનિદેશકે પ્રધાનમંત્રી મોદીની આંતરરાષ્ટ્રીય સમુદાયના લાભ માટે રસીઓ અને ફાર્માસ્યુટિકલ્સના અગ્રણી ઉત્પાદક તરીકે ભારતની ક્ષમતાઓનો ઉપયોગ કરવાની કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી.  

 

  • शिवकुमार गुप्ता March 06, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता March 06, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता March 06, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता March 06, 2022

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
The world is keenly watching the 21st-century India: PM Modi

Media Coverage

The world is keenly watching the 21st-century India: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays at Somnath Mandir
March 02, 2025

The Prime Minister Shri Narendra Modi today paid visit to Somnath Temple in Gujarat after conclusion of Maha Kumbh in Prayagraj.

|

In separate posts on X, he wrote:

“I had decided that after the Maha Kumbh at Prayagraj, I would go to Somnath, which is the first among the 12 Jyotirlingas.

Today, I felt blessed to have prayed at the Somnath Mandir. I prayed for the prosperity and good health of every Indian. This Temple manifests the timeless heritage and courage of our culture.”

|

“प्रयागराज में एकता का महाकुंभ, करोड़ों देशवासियों के प्रयास से संपन्न हुआ। मैंने एक सेवक की भांति अंतर्मन में संकल्प लिया था कि महाकुंभ के उपरांत द्वादश ज्योतिर्लिंग में से प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ का पूजन-अर्चन करूंगा।

आज सोमनाथ दादा की कृपा से वह संकल्प पूरा हुआ है। मैंने सभी देशवासियों की ओर से एकता के महाकुंभ की सफल सिद्धि को श्री सोमनाथ भगवान के चरणों में समर्पित किया। इस दौरान मैंने हर देशवासी के स्वास्थ्य एवं समृद्धि की कामना भी की।”