Quote"કોઈપણ તણાવ વિના ઉત્સવના મૂડમાં પરીક્ષા આપો"
Quote"ટેક્નોલોજીને તક તરીકે ગણો, પડકાર તરીકે નહીં"
Quote"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પરામર્શ સંપૂર્ણ રહ્યો છે. આ અંગે ભારતભરના લોકોની સલાહ લેવામાં આવી હતી”
Quote“20મી સદીની શિક્ષણ પ્રણાલિ અને વિચારો 21મી સદીમાં આપણી વિકાસની દિશા નક્કી કરી શકતા નથી. આપણે સમય સાથે બદલાવું જ પડશે"
Quote“શિક્ષકો અને માતા-પિતાનાં અધૂરાં સપના વિદ્યાર્થીઓ પર લાદી શકાય નહીં. બાળકો માટે તેમનાં પોતાનાં સપનાને અનુસરવું મહત્વપૂર્ણ છે”
Quote“પ્રેરણા માટે કોઈ ઈન્જેક્શન કે ફોર્મ્યુલા નથી. તેના બદલે, તમારી જાતને વધુ સારી રીતે શોધો અને તમને શેનાથી ખુશી મળે છે તે શોધો અને તેના પર કામ કરો”
Quote"તમને આનંદ આવે તેવી વસ્તુઓ કરો અને ત્યારે જ તમને મહત્તમ પરિણામ મળશે"
Quote“તમે એક ખાસ પેઢીના છો. હા, હરીફાઈ વધુ છે પણ તકો પણ વધુ છે”
Quote"દીકરી પરિવારની તાકાત છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં આપણી નારી શક્તિની ઉત્કૃષ્ટતા જોવાથી વધુ સારું શું હોઈ શકે.”
Quote"બીજામાં રહેલા ગુણોની કદર કરવાની અને તેમની પાસેથી શીખવાની ક્ષમતાનો વિકાસ કરો"
Quoteજેમ જેમ હું તમારી સાથે જોડાઈશ તેમ મને તમારી આકાંક્ષાઓ અને સપનાઓની ઝલક મળે છે અને તે મુજબ મારાં જીવનને ઘડવાનો પ્રયત્ન કરું છું. તેથી, આ પ્રોગ્રામ મને વિકાસ કરવામાં મદદ કરી રહ્યો છે”

પરીક્ષા પે ચર્ચા (PPC)ની 5મી આવૃત્તિમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે વાર્તાલાપ પહેલા સ્થળ પર પ્રદર્શિત વિદ્યાર્થીઓનાં પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ  શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, શ્રીમતી અન્નપૂર્ણા દેવી, ડો. સુભાષ સરકાર, ડો. રાજકુમાર રંજન સિંહ અને શ્રી રાજીવ ચંદ્રશેખર આ પ્રસંગે રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાની વર્ચ્યુઅલ સહભાગિતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર વાતચીત દરમિયાન પરસ્પર, આનંદિત વાતાવરણમાં વાતચીતનો સ્વર જાળવી રાખ્યો હતો.

|

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ગયા વર્ષે વર્ચ્યુઅલ વાર્તાલાપ પછી તેમના આ યુવા મિત્રોને સંબોધિત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પીપીસી એ તેમનો પ્રિય કાર્યક્રમ છે. તેમણે આવતીકાલે વિક્રમ સંવતના નવાં વર્ષની શરૂઆતની નોંધ લીધી હતી અને આવનારા ઘણા તહેવારો માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ PPCની 5મી આવૃત્તિમાં એક નવી પ્રથા રજૂ કરી હતી. તેમણે કહ્યું કે જે પ્રશ્નો તેઓ હાથ પર લઈ શક્યા નથી તે નમો એપ પર વીડિયો, ઓડિયો અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા સંબોધવામાં આવશે.

|

પહેલો પ્રશ્ન દિલ્હીની ખુશી જૈનનો આવ્યો હતો. બિલાસપુર, છત્તીસગઢથી, વડોદરાનાં કિની પટેલે પણ પરીક્ષાઓને લગતા તણાવ અને તંગદિલી વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને તણાવમાં ન આવવા માટે કહ્યું હતું કેમ કે આ તેમના દ્વારા આપવામાં આવેલી પ્રથમ પરીક્ષા નથી. "એક રીતે તમે પરીક્ષા-પ્રૂફ છો", એમ તેમણે કહ્યું. અગાઉની પરીક્ષાઓમાંથી મળેલો અનુભવ તેમને આવનારી પરીક્ષાઓને પાર કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે અભ્યાસનો અમુક ભાગ ચૂકી જવાયો હોઈ શકે છે પરંતુ તેમને તેના પર ચિંતા કે તણાવ ન કરવા જણાવ્યું હતું. તેમણે સૂચવ્યું કે તેઓએ તેમની તૈયારીની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેમની રોજિંદી દિનચર્યામાં હળવા અને સહજ રહેવું જોઈએ. બીજાનું અનુકરણ કરીને કંઈ પણ અજમાવવાનો કોઈ અર્થ નથી, પરંતુ તમારી દિનચર્યા સાથે રહો અને ઉત્સવની હળવાશની રીતે કામ કરો.

|

આગળનો પ્રશ્ન કર્ણાટકના મૈસુરુના તરુણનો હતો. તેણે પૂછ્યું કે યુટ્યુબ વગેરે જેવા ઘણા ઓનલાઈન વિક્ષેપો હોવા છતાં અભ્યાસના ઓનલાઈન મોડને કેવી રીતે આગળ વધારવું. દિલ્હીના શાહિદ અલી, કેરળના તિરુવનંતપુરમના કીર્થાના અને તમિલનાડુના કૃષ્ણાગિરીના શિક્ષક ચંદ્રચુડેશ્વરનના મનમાં પણ આ જ પ્રશ્ન હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમસ્યા ઓનલાઈન કે ઓફલાઈન અભ્યાસની પદ્ધતિઓમાં નથી. અભ્યાસના ઑફલાઇન મોડમાં પણ મન ખૂબ જ વિચલિત થઈ શકે છે. " માધ્યમ નહીં પરંતુ મન સમસ્યા છે", એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ભલે તે ઓનલાઈન હોય કે ઓફલાઈન જ્યારે મન અભ્યાસમાં હોય ત્યારે વિદ્યાર્થીઓને વિક્ષેપો-ખલેલ પરેશાન કરશે નહીં. તેમણે કહ્યું કે ટેકનોલોજીનો વિકાસ થશે અને વિદ્યાર્થીઓએ શિક્ષણમાં નવી ટેકનોલોજીને અપનાવવી જોઈએ. શીખવાની નવી રીતોને તક તરીકે લેવી જોઈએ, પડકાર તરીકે નહીં. ઑનલાઇન તમારા ઑફલાઇન શિક્ષણમાં વધારો કરી શકે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન કલેક્શન માટે છે અને ઓફલાઈન સંવર્ધન કરવા માટે છે. તેણે ઢોસા બનાવવાનું ઉદાહરણ આપ્યું હતું. ઢોસા ઓનલાઈન બનાવતા શીખી શકાય છે પરંતુ તૈયારી અને વપરાશ ઓફલાઈન થશે. તેમણે કહ્યું કે વર્ચ્યુઅલ દુનિયામાં જીવવાની સરખામણીમાં પોતાના વિશે વિચારવામાં અને પોતાની સાથે રહેવામાં ઘણી ખુશી છે.

|

હરિયાણાનાં પાણીપતનાં શિક્ષિકા સુમન રાનીએ પૂછ્યું કે કેવી રીતે નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ ખાસ કરીને વિદ્યાર્થીઓનાં જીવનને અને સામાન્ય રીતે સમાજમાં, સશક્ત બનાવશે અને તે કેવી રીતે નવા ભારત માટે માર્ગ મોકળો કરશે. પૂર્વ ખાસી હિલ્સ, મેઘાલયની શિલાએ પણ આ જ રીતે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે તે 'રાષ્ટ્રીય' શિક્ષણ નીતિ છે અને 'નવી' શિક્ષણ નીતિ નથી. તેમણે જણાવ્યું હતું કે વિવિધ હિતધારકો સાથે ઘણાં વિચાર-મંથન પછી નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. જે પોતાનામાં એક રેકોર્ડ હશે. "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પરામર્શ સંપૂર્ણ રહ્યો છે. આ અંગે સમગ્ર ભારતમાં લોકોની સલાહ લેવામાં આવી હતી. તેમણે આગળ કહ્યું, આ નીતિ સરકાર દ્વારા નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો દ્વારા દેશના વિકાસ માટે બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ, શારીરિક શિક્ષણ અને તાલીમ અભ્યાસેતર પ્રવૃત્તિઓ હતી. પરંતુ હવે તેમને શિક્ષણનો એક ભાગ બનાવવામાં આવ્યા છે અને નવી પ્રતિષ્ઠા મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે 20મી સદીની શિક્ષણ પ્રણાલિ અને વિચારો 21મી સદીમાં આપણી વિકાસની દિશા નક્કી કરી શકતા નથી. તેમણે કહ્યું કે જો આપણે બદલાતી પ્રણાલિઓ સાથે વિકાસ નહીં કરીએ તો આપણે બાકાત રહી જઈશું અને પાછળ  રહી જઈશું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વ્યક્તિના જુસ્સા-પૅશનને અનુસરવાની તક આપે છે. તેમણે જ્ઞાનની સાથે કૌશલ્યનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે કૌશલ્યોનો સમાવેશ કરવાનું આ જ તો કારણ છે. તેમણે વિષયોની પસંદગીમાં NEP દ્વારા પૂરી પાડવામાં આવેલ સુગમતાની પણ રૂપરેખા આપી હતી. તેમણે કહ્યું કે NEPનું યોગ્ય અમલીકરણ નવી તકોનાં સ્થળો ખોલશે. તેમણે દેશભરની શાળાઓને વિદ્યાર્થીઓ દ્વારા શોધેલી નવી ટેક્નોલોજીના અમલીકરણ માટે નવા રસ્તાઓ શોધવા વિનંતી કરી હતી.

|

ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશનાં રોશિનીએ પૂછ્યું કે પરિણામો વિશે તેના પરિવારની અપેક્ષાઓ સાથે કેવી રીતે સામનો કરવો અને માતાપિતા દ્વારા અનુભવાય તે રીતે શિક્ષણને ગંભીરતાથી લેવું કે પછી તેને તહેવાર તરીકે માણવું. પંજાબના ભટિંડાનાં કિરણ પ્રીત કૌરે આવો જ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓ પર તેમનાં સપના ન લાદવાં જણાવ્યું હતું. “શિક્ષકો અને માતા-પિતાનાં અધૂરાં સપના વિદ્યાર્થીઓ પર લાદી શકાય નહીં. દરેક બાળક પોતાનાં સપનાને અનુસરે તે મહત્વનું છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે વાલીઓ અને શિક્ષકોને અનુરોધ કર્યો કે દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ વિશિષ્ટ ક્ષમતા હોય છે તે સ્વીકારે અને તે શોધે. તેમણે વિદ્યાર્થીને પોતાની શક્તિને ઓળખવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું કહ્યું હતું.

દિલ્હીના વૈભવ કનૌજિયાએ પૂછ્યું કે જ્યારે આપણી પાસે વધુ બેકલોગ હોય ત્યારે કેવી રીતે પ્રેરિત રહેવું અને સફળ થવું. ઓડિશાના માતા-પિતા સુજીત કુમાર પ્રધાન, જયપુરનાં કોમલ શર્મા અને દોહાના એરોન એબેને પણ સમાન વિષય પર પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, "પ્રેરણા માટે કોઈ ઇન્જેક્શન અથવા ફોર્મ્યુલા નથી. તેના બદલે, તમારી જાતને વધુ સારી રીતે શોધો અને તમને શેનાથી ખુશી મળે છે તે શોધો અને તેના પર કામ કરો." તેમણે વિદ્યાર્થીઓને એવી વસ્તુઓ ઓળખવા કહ્યું કે જે તેમને કુદરતી રીતે પ્રોત્સાહિત કરે છે, તેમણે આ પ્રક્રિયામાં સ્વાયત્તતા પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને તેમની મુશ્કેલીઓ માટે સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ ન કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બાળકો, દિવ્યાંગો અને પ્રકૃતિ તેમના ધ્યેયો સિદ્ધ કરવા માટે કેવી રીતે પ્રયાસ કરે છે તે માટે આસપાસનું અવલોકન કરવાની સલાહ પણ આપી હતી. "આપણે આપણી આસપાસના પ્રયત્નો અને શક્તિઓનું અવલોકન કરવું જોઈએ અને તેમાંથી પ્રેરણા લેવી જોઈએ", એમ તેમણે કહ્યું. તેમણે તેમનાં પુસ્તક એક્ઝામ વોરિયરમાંથી પણ યાદ કર્યું કે કેવી રીતે વ્યક્તિ પોતે 'પરીક્ષા'ને પત્ર લખીને અને પોતાની તાકાત અને તૈયારી સાથે પરીક્ષાને પડકારવાથી પ્રેરિત થઈ શકે છે.

|

ખમ્મમ, તેલંગાણાથી અનુષાએ કહ્યું કે જ્યારે શિક્ષકો તેમને શીખવે છે ત્યારે તે વિષયોને સમજે છે પરંતુ થોડા સમય પછી ભૂલી જાય છે કે તેનો સામનો કેવી રીતે કરવો. નમો એપ દ્વારા ગાયત્રી સક્સેનાએ યાદશક્તિ અને સમજણ વિશે પણ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે જો વસ્તુઓ સંપૂર્ણ ધ્યાન સાથે શીખવામાં આવે તો કંઈ પણ ભૂલાશે નહીં. તેમણે વિદ્યાર્થીને વર્તમાનમાં સંપૂર્ણ હાજર રહેવા જણાવ્યું હતું. વર્તમાન વિશેની આ માઇન્ડફુલનેસ તેમને વધુ સારી રીતે શીખવામાં અને યાદ રાખવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે વર્તમાન સૌથી મોટો 'વર્તમાન' છે અને જે વર્તમાનમાં જીવે છે અને તેને સંપૂર્ણ રીતે સમજે છે તે જીવનમાંથી મહત્તમ લાભ મેળવે છે. તેમણે તેમને યાદશક્તિની શક્તિનો ખજાનો રાખવા અને તેને વિસ્તારતા રહેવાનું કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે વસ્તુઓને યાદ કરવા માટે સ્થિર મન સૌથી યોગ્ય છે.

ઝારખંડની શ્વેતા કુમારીએ કહ્યું કે તે રાત્રે અભ્યાસ કરવાનું પસંદ કરે છે પરંતુ તેને દિવસના સમયે અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે. રાઘવ જોશીએ પણ નમો એપ દ્વારા અભ્યાસ માટે યોગ્ય સમયપત્રક વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈના પ્રયાસનાં પરિણામ અને સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે તેનું મૂલ્યાંકન કરવું સારું છે. તેમણે કહ્યું કે આઉટપુટ અને પરિણામનું વિશ્લેષણ કરવાની આ આદત એ શિક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે ઘણી વાર આપણે એવા વિષયો માટે વધુ સમય ફાળવીએ છીએ જે આપણને સરળ લાગતા હોય અને જેમાં આપણને  રસ હોય. તેમણે કહ્યું કે આ માટે 'મન, હૃદય અને શરીરની છેતરપિંડી' દૂર કરવા માટે ઇરાદાપૂર્વકના પ્રયત્નોની જરૂર છે. "તમને આનંદ થાય તેવી વસ્તુઓ કરો અને તે ત્યારે જ તમે મહત્તમ પરિણામ મેળવશો", એમ તેમણે ઉમેર્યું.

|

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરનાં એરિકા જ્યોર્જે પૂછ્યું કે એવા લોકો માટે શું કરી શકાય જેઓ જાણકાર છે પરંતુ અમુક કારણોસર યોગ્ય પરીક્ષા આપી શક્યા નથી. ગૌતમ બુદ્ધ નગરના હેર ઓમ મિશ્રાએ પૂછ્યું કે તેઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની જરૂરિયાતો અને બોર્ડની પરીક્ષા માટે અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ. પ્રધાનમંત્રીએ  કહ્યું કે પરીક્ષા માટે અભ્યાસ કરવો ખોટું છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ પૂરા મનથી અભ્યાસક્રમનો અભ્યાસ કરે તો વિવિધ પરીક્ષાઓથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું કે વ્યક્તિએ પરીક્ષા પાસ કરવાને બદલે વિષયમાં નિપુણતા મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે રમતવીરો સ્પર્ધા માટે નહીં પરંતુ રમતગમત માટે તાલીમ લે છે. “તમે એક ખાસ પેઢીના છો. હા, ત્યાં વધુ સ્પર્ધા છે પરંતુ ત્યાં વધુ તકો પણ છે”, એમ તેમણે કહ્યું. તેમણે વિદ્યાર્થીને સ્પર્ધાને તેમના સમયની સૌથી મોટી ભેટ ગણવા કહ્યું હતું.

ગુજરાતના નવસારીનાં એક પેરન્ટ સીમા ચેતન દેસાઈએ પ્રધાનમંત્રીને ગ્રામીણ કન્યાઓનાં ઉત્થાનમાં સમાજ કેવી રીતે યોગદાન આપી શકે તે વિશે પૂછ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે કન્યાઓનાં શિક્ષણની અવગણના કરવામાં આવતી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છોકરીઓનાં યોગ્ય શિક્ષણની ખાતરી કર્યા વિના કોઈ પણ સમાજ સુધરી શકે નહીં. તેમણે કહ્યું કે દીકરીઓની તકો અને સશક્તીકરણનું સંસ્થાકીયકરણ થવું જોઈએ. છોકરીઓ વધુ મૂલ્યવાન સંપત્તિ બની રહી છે અને આ પરિવર્તન આવકાર્ય છે. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ભારતમાં સૌથી વધુ સંસદ સભ્યો છે. "દીકરી પરિવારની તાકાત છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં આપણી નારી શક્તિની ઉત્કૃષ્ટતા જોવાથી વધુ સારું બીજું શું હોઈ શકે,” એમ પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું.

|

દિલ્હીના પવિત્ર રાવે પૂછ્યું હતું કે નવી પેઢીએ પર્યાવરણનાં સંરક્ષણમાં યોગદાન આપવા શું કરવું જોઈએ? ચૈતન્યએ તેના વર્ગ અને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું કેવી રીતે બનાવવું તે પૂછ્યું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓનો આભાર માન્યો અને આ દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવાનો શ્રેય આપ્યો હતો. બાળકો ટીકાકારોને ખોટાં સાબિત કરી અને પ્રધાનમંત્રીના સ્વચ્છતાના સંકલ્પને સાચા અર્થમાં સમજ્યા. તેમણે કહ્યું કે આપણે જે પર્યાવરણનો આનંદ લઈ રહ્યા છીએ તે આપણા પૂર્વજોનાં યોગદાનને કારણે છે. એ જ રીતે, આપણે પણ ભાવિ પેઢી માટે સારું વાતાવરણ છોડવું જોઈએ. તેમણે કહ્યું કે નાગરિકોનાં યોગદાનથી જ આ શક્ય બની શકે છે. તેમણે “P3 ચળવળ” - પ્રો પ્લેનેટ પીપલ એન્ડ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ-લાઈફનાં મહત્વ પર ભાર મૂક્યો. આપણે 'ઉપયોગ કરો અને ફેંકો' કલ્ચરથી દૂર રહેવું પડશે અને ચક્રીય અર્થતંત્રની જીવનશૈલી તરફ આગળ વધવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ અમૃત કાલનાં મહત્વને રેખાંકિત કર્યું જે દેશના વિકાસમાં વિદ્યાર્થીના શ્રેષ્ઠ વર્ષો સાથે મેળ ખાય છે. તેમણે પોતાની ફરજ બજાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રસીકરણ કરાવીને ફરજ બજાવવા બદલ વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી.

|

અંતમાં, પ્રધાનમંત્રીએ કાર્યક્રમનું સંચાલન કરનાર વિદ્યાર્થીઓને બોલાવ્યા અને તેમની કુશળતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી. તેમણે અન્યમાં ગુણોની કદર કરવાની અને તેમની પાસેથી શીખવાની ક્ષમતા વિકસાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો. ઈર્ષ્યાને બદલે શીખવાની વૃત્તિ હોવી જોઈએ. જીવનમાં સફળતા માટે આ ક્ષમતા મહત્વપૂર્ણ છે.

|

તેમણે તેમના માટે PPCનાં મહત્વને સ્વીકારીને વ્યક્તિગત નોંધ પર નિષ્કર્ષ કાઢી સમાપન કર્યું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ યુવા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે ત્યારે તેઓ 50 વર્ષ નાના અનુભવે છે. “હું તમારી પેઢી સાથે જોડાઈને તમારી પાસેથી શીખવાનો પ્રયત્ન કરું છું. જેમ જેમ હું તમારી સાથે જોડાઈશ તેમ મને તમારી આકાંક્ષાઓ અને સપનાઓની ઝલક મળે છે અને તે મુજબ મારાં જીવનને ઘડવાનો પ્રયત્ન કરું છું. તેથી આ પ્રોગ્રામ મને વિકાસ કરવામાં મદદ કરી રહ્યો છે. મને મારી મદદ કરવા અને વિકાસ કરવા માટે સમય આપવા બદલ હું આપ સૌનો આભાર માનું છું”, દેખીતી રીતે ઉત્સાહિત પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

|

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research