“જૈસે થે” વાદીઓને હચમચાવી દીઘા હતા!

ગુજરાતની સ્થાપના 1લી મે, 1960ના રોજ થઈ હતી અને તે દાયકાના અંત સુધીમાં તો રાજ્યની સ્થાપના અંગેનો આરંભિક ઉત્સાહ તેમજ આશાવાદ સાવ ઓસરી ગયા હતા. ઝડપી સુધારા અને પ્રગતિના સપના તૂટી ગયા હતા અને ગુજરાતના સામાન્ય લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક, જીવરાજ મહેતા અને બળવંતરાય મહેતા જેવા રાજકીય માંઘાતાઓના સંઘર્ષ તેમજ બલિદાનોને રાજકારણમાં પેસી ગયેલા નાણાંકીય લોભ તેમજ સત્તાની ભૂખે નિરર્થક બનાવી દીધા હતા. 1960ના દાયકાના અંત તથા 1970ના દાયકાના આરંભે તો ગુજરાતમાં કોંગ્રેસી સરકારના ભ્રષ્ટાચાર તથા ગેરવહિવટે માઝા મૂકી દીધી હતી. 1971માં ભારતે યુદ્ધમાં પાકિસ્તાનને હરાવી દીધું હતું અને ગરીબોના ઉત્થાનનો વાયદો કરીને કોંગ્રેસની સરકાર ફરી સત્તા ઉપર આવી હતી. આ વચન ઠાલું નિવડ્યું હતું અને ‘ગરીબી હટાવો’નું સૂત્ર થોડા સમયમાં બદલાઈને ‘ગરીબ હટાવો’ બની ગયું હતું. ગરીબોનું જીવન તો વધુ દુષ્કર બની ગયું હતું અને ગુજરાતમાં તો પડ્યા ઉપર પાટું જેવો ઘાટ કારમા દુષ્કાળ અને ભીષણ મોંઘવારીએ કર્યો હતો. જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ માટે લાંબી લાંબી લાઈનો આખા રાજ્યમાં એક રોજીંદું, સામાન્ય દ્રશ્ય બની ગયું હતું. સામાન્ય લોકો માટે આ તકલીફોમાંથી કોઈ રાહતના

.

સંકેત ક્યાંય મળતા નહોતા. આવી સ્થિતિમાં કોઈ સુધારાલક્ષી પગલા લેવાના બદલે, ગુજરાતની કોંગ્રેસી નેતાગીરી જૂથવાદના ઝઘડામાં ગૂંથાયેલી હતી અને લોકોની તકલીફો પ્રત્યે તેણે કોઈ દરકાર, સંવેદનશીલતા દાખવી નહોતી. તેના પરિણામે, ઘનશ્યામભાઈ ઓઝાની સરકારને ઉથલાવી તેના સ્થાને ચીમનભાઈ પટેલે સત્તા હસ્તગત કરી હતી. જો કે, એ સરકાર પણ એટલી જ નિષ્ફળ સાબિત થઈ હતી અને ગુજરાતના લોકોમાં અસંતોષનો જ્વાળામુખી સક્રિય થઈ ગયો હતો. આ આગ વ્યાપક આક્રોશ બનીને સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ હતી. ડિસેમ્બર, 1973માં મોરબી એન્જિનિયરીંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ફૂડ બિલમાં થયેલા અસાધારણ વધારા સામે વિરોધ કર્યો હતો. આ વિરોધને જોતજોતામાં વ્યાપક ટેકો મળ્યો અને તેના પરિણામે સરકાર સામે રાજ્યમાં એક વ્યાપક જન આંદોલન શરૂ થયું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર અથાગ પ્રયાસો છતાં લોકોનો આ અસંતોષ ડામી શકી નહોતી. આ અસંતોષ ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામેની એક વ્યાપક લોકચળવળ હોવા છતાં એ વખતના ગુજરાતના શિક્ષણ મંત્રીએ આ આંદોલન માટે જનસંઘ ઉપર આક્ષેપ કરતાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી. 1973માં નરેન્દ્ર મોદીએ સામાજિક સક્રિયતામાં તેમજ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોમાં ઊંડો રસ લેવાનું શરૂ કરી દીધું હતું. એક યુવા પ્રચારક અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સહયોગી તરીકે નરેન્દ્ર મોદી નવનિર્માણ આંદોલનમાં જોડાયા હતા અને તેમને સોંપવામાં આવેલી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી હતી. નવનિર્માણ આંદોલન દરેક રીતે એક જન આંદોલન હતું અને સમાજના તમામ વર્ગોમાંથી લોકો એક અવાજે તેમાં જોડાયા હતા. આંદોલનને એક સન્માનિત અગ્રણી અને ભ્રષ્ટાચાર સામેની લડતના મસિહા તરીકે જાણીતા એવા લોકનાયક જયપ્રકાશ નારાયણનું પણ સમર્થન મળતા તે વધુ મજબૂત બન્યું હતું. જયપ્રકાશ નારાયણ અમદાવાદ આવ્યા ત્યારે એ લોકલાડિલા નેતાના સંપર્કમાં આવવા અને તેમની સાથે નિકટ રહીને કામ કરવાની તક નરેન્દ્ર મોદીને મળી હતી. યુવા નરેન્દ્ર મોદીના માનસ ઉપર આ પીઢ નેતા સાથેના સંસર્ગની એક ઊંડી છાપ પડી હતી. નવનિર્માણ આંદોલન ખૂબજ સફળ રહ્યું હતું અને ચીમનભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી ફક્ત છ મહિનામાં જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. રાજ્યમાં નવેસરથી ચૂંટણીઓ યોજાઈ હતી અને અપેક્ષા મુજબ કોંગ્રેસની સરકારનો પરાજય થયો હતો. વિધિની વક્રતા તો એ હતી કે ગુજરાતની ચૂંટણીઓના પરિણામો 12મી જૂન, 1975ના દિવસે જાહેર થયા હતા. એ દિવસે જ અલ્હાબાદ હાઈકોર્ટે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને ચૂંટણીમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરાવ્યાં હતાં અને પ્રધાનમંત્રી તરીકે તેમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મૂકી દીધો હતો. તેના એક અઠવાડિયા પછી ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્ત્વમાં નવી સરકારે શપથ લીધા હતા. નવનિર્માણ આંદોલન નરેન્દ્ર મોદી માટે વ્યાપક જનઆંદોલનનો પહેલો પરિચય હતો અને તેનાથી સામાજિક મુદ્દાઓ વિષે તેમનો વૈશ્વિક દ્રષ્ટિકોણ નોંધપાત્ર પ્રમાણમાં બહોળો બન્યો હતો. આ ચળવળના પગલે જ નરેન્દ્ર મોદીને તેમની રાજકીય કારકિર્દીમાં પહેલો હોદ્દો – ગુજરાતમાં લોક સંઘર્ષ સમિતિના મહામંત્રી તરીકેનો મળ્યો હતો. આ ચળવળ દરમિયાન તેમને વિદ્યાર્થીઓના પ્રશ્નો ખૂબજ નિકટથી સમજવાની વિશેષરૂપે તક મળી હતી અને તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ તક તેમના માટે ખૂબજ મહત્ત્વની મૂડી જેવી સાબિત થઈ હતી. 2001થી તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારા ઉપર વિશેષ ધ્યાન આપ્યું અને ગુજરાતની યુવા પેઢીને વિશ્વ સ્તરનું શિક્ષણ સુલભ બનાવ્યું છે. નવનિર્માણ આંદોલન પછીનો ગુજરાતનો ઉત્સાહ પણ ખૂબજ અલ્પજીવી નિવડ્યો હતો અને 25મી જૂન, 1975ની મધરાતે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી, તે નિયમો હેઠળ નાગરિક સ્વાતંત્ર્ય તથા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સસ્પેન્ડ કરાયા હતા. નરેન્દ્ર મોદીના જીવનના મહત્ત્વના તબક્કાઓમાંના એકનો આરંભ થઈ ગયો હતો. 

  • krishangopal sharma Bjp January 06, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷
  • krishangopal sharma Bjp January 06, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  • krishangopal sharma Bjp January 06, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
  • Rahul Naik December 07, 2024

    🙏🙏
  • Chhedilal Mishra December 01, 2024

    Jai shrikrishna
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • Devendra Kunwar October 08, 2024

    BJP
  • manvendra singh September 27, 2024

    जय हो
  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • Pawan Sharma September 19, 2024

    ji
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar

Media Coverage

'Operation Brahma': First Responder India Ships Medicines, Food To Earthquake-Hit Myanmar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Cricket legend K. Srikkanth reveals what makes PM Modi a true leader!
March 26, 2025

Former Indian cricketer Krishnamachari Srikkanth shares his heartfelt admiration for PM Modi, recounting moments that reflect the PM’s humility, warmth and unwavering ability to inspire.

Reminiscing his meeting with PM Modi, Srikkanth says, “Greatest thing about PM Modi is… when you go talk to him and meet him, you feel so comfortable, you don’t feel overpowered that he is the Prime Minister. He will be very casual and if you want to discuss anything and have any thoughts, he will make you feel very very comfortable, so you won’t feel scared.”

The cricket legend recalls how he once sent a text message addressed to the PM to his Secretary congratulating PM Modi for victories in 2019 and 2024 Lok Sabha elections and was taken aback when he received a personal reply from the PM himself!

“The biggest quality PM Modi has is his ability to talk to you, make you feel comfortable and make you feel important,” Srikkanth adds recalling a programme he had attended in Chennai. He notes how Shri Modi, even as a Prime Ministerial candidate in 2014, remained approachable and humble. He fondly recalls the event where the PM personally called him on stage. “I was standing in the crowd and suddenly, he called me up. The entire auditorium was clapping. That is the greatness of this man,” he shares.

PM Modi’s passion for cricket is another aspect that deeply resonates with Srikkanth. Reminiscing a memorable instance, he shares how PM Modi watched an entire match in Ahmedabad with great enthusiasm like a true cricket aficionado.

Even in challenging moments, PM Modi’s leadership shines through. Srikkanth highlights how after Team India lost the World Cup in November 2023, PM Modi personally visited the Indian dressing room to boost the team’s morale. “PM Modi went and spoke to each and every cricketer and spoke to them personally. That matters a lot as a cricketer after losing the final. Words of encouragement from the Prime Minister has probably boosted India to win the Champions Trophy and the T20 World Cup,” he says.

Beyond cricket, the former Indian cricketer is in awe of PM Modi’s incredible energy and fitness, attributing it to his disciplined routine of yoga and meditation. “Because PM Modi is physically very fit, he is mentally very sharp. Despite his hectic international schedule, he always looks fresh,” he adds.

For Krishnamachari Srikkanth, PM Modi is more than just a leader he is an inspiration. His words and actions continue to uplift India’s sporting spirit, leaving an indelible impact on athletes and citizens alike.