Quoteપ્રધાનમંત્રીએ તાલીમ દરમિયાન પોતાનાં કી લર્નિંગ વહેંચનારા તાલીમી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી
Quoteપ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીઓને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતાનો અભ્યાસ કરવા જણાવ્યું હતું, જે વૈશ્વિક દક્ષિણનાં વિકાસનાં પથમાં મદદ કરી શકે છે
Quoteપ્રધાનમંત્રીએ ભારતના જી-20ના પ્રમુખપદ વિશે ચર્ચા કરી હતી અને તાલીમાર્થી અધિકારીઓને જી-20ની બેઠકોમાં ભાગ લેવાના તેમના અનુભવો વિશે પૂછ્યું

ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ની વર્ષ 2022ની બેચના તાલીમાર્થી અધિકારીઓએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ તાલીમી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી અને તેમને સરકારી સેવામાં સામેલ થયા પછી અત્યાર સુધીના અનુભવ વિશે પૂછ્યું હતું. તાલીમાર્થી અધિકારીઓએ તેમની તાલીમ દરમિયાન તેમના શિક્ષણને વહેંચ્યું હતું, જેમાં ગામની મુલાકાત, ભારત દર્શન અને સશસ્ત્ર દળોના જોડાણનો સમાવેશ થાય છે. તેમણે પ્રધાનમંત્રીને જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી સરકારની ઘણી કલ્યાણકારી યોજનાઓની પરિવર્તનશીલ અસર વિશે પણ માહિતી આપી હતી, જેનાં તેમણે પ્રત્યક્ષ સાક્ષી બન્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કલ્યાણકારી યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા તરફ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા વિશે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી કેવી રીતે તેનું પરિણામ આવ્યું છે તે વિશે વાત કરી હતી. તેમણે તાલીમી અધિકારીઓને મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમનાં અમલીકરણ અને સફળતાનો અભ્યાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે આ સમજણ આંતરરાષ્ટ્રીય દક્ષિણનાં દેશોને તેમનાં વિકાસનાં માર્ગે મદદ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ ભારતના જી20ના પ્રમુખપદ પર પણ ચર્ચા કરી હતી અને તાલીમાર્થી અધિકારીઓને જી-20ની બેઠકમાં ભાગ લેવાના તેમના અનુભવો વિશે પૂછ્યું હતું. પર્યાવરણને લગતા મુદ્દાઓ પર બોલતા પ્રધાનમંત્રીએ મિશન લાઇફ (પર્યાવરણ માટે જીવનશૈલી) વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે, આબોહવામાં ફેરફારની સમસ્યાનું સમાધાન દરેક વ્યક્તિ દ્વારા જીવનશૈલીમાં ફેરફાર કરીને અસરકારક રીતે કરી શકાય છે.

 

  • vimal agrawal August 14, 2023

    जय हो 🙏
  • PRANIK BAJPAI July 27, 2023

    शुभकामनायें
  • Pvrs NARASIMHARAO July 27, 2023

    Bharat Mata ki jai
  • Kuldeep Yadav July 27, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી.. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • Umakant Mishra July 26, 2023

    Jay Shri ram
  • Vishwas Kulkarni July 26, 2023

    Hon'ble PM Sir, Forest Conservation Act 1980 is applicable to Privately owned land also.In the year 1988 from the Field of Smt Shantabai Kulkarni MSEB,cut 443 Teak Trees without consent of the Owner. Kindly requested please decide the Court case,as "Mediation Fit Case " , Great mother expired in the 2003,in her presence matter would have been settled, today 26/07/2023. Please look into the matter. Case pending in Bombay High court, Nagpur Bench.👏👏
  • Ram Ghoroi July 26, 2023

    Bharat mata ki Jay 🇮🇳🇮🇳🙏🙏
  • Jaysree July 26, 2023

    barath matha ki jai
  • Drhansraj Bansal July 26, 2023

    vishav ka he nahi brmand ko samjne vala ek Yogi jo h sirf modi.Har har Mahadev.har har modi jay mahakal
  • Jayakumar G July 26, 2023

    🌺Jai Bharat🌺Jai Modi BJP Sarkaar🙏 #RajasthanwithModiji #MizoramwithModiji #MPstatewithModiji #JaipurwithModiji #ChattisgarhwithModiji
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
A chance for India’s creative ecosystem to make waves

Media Coverage

A chance for India’s creative ecosystem to make waves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Nuh, Haryana
April 26, 2025

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Nuh, Haryana. "The state government is making every possible effort for relief and rescue", Shri Modi said.

The Prime Minister' Office posted on X :

"हरियाणा के नूंह में हुआ हादसा अत्यंत हृदयविदारक है। मेरी संवेदनाएं शोक-संतप्त परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार राहत और बचाव के हरसंभव प्रयास में जुटी है: PM @narendramodi"