પ્રિય મિત્રો,

થોડા સપ્તાહ પૂર્વે હું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે ગયો હતો. અદ્ભુત સાબરમતી નદીના કિનારે અમે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અનુભવ કર્યો અને વિવિધ દેશોના સ્પર્ધકોને આવકાર્યા હતા. જોકે, થોડા વર્ષો પહેલા આ ચિત્ર કંઈક અલગ હતું. રિવરફ્રન્ટની મારી મુલાકાતથી હું જુની યાદોમાં સરી પડ્યો. જે સમયે સાબરમતી નદીના પટમાં પાણી સિવાય બધું હતું. અહીં યુવાનો ક્રિકેટ રમતાં અને સર્કસ યોજાતાં હતા.

છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન સાબરમતી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે નદી બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને તેની આસપાસ સર્જાતા મનોરંજક જીવંત માહોલના કારણે લોકો આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આજે, રિવરફ્રન્ટના બાંધકામના કારણે અહીં પાણીનું સ્તર વધ્યું છે અને વરસાદના કારણે થતાં રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. પાણીના સ્તરમાં વધારાના કારણે વિજળીના દરો ઘટ્યા છે. રિવરફ્રન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ ઘણાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા પત્રો મને લખ્યા છે. ઉલ્લેખનિય છે કે રિવરફ્રન્ટને સૌથી નવીનતમ પ્રોજેક્ટ્સમાં પણ સ્થાન મળ્યું છે.

ગુજરાત: આપણા શહેરોમાં વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં

રિવરફ્રન્ટ એ ગુજરાતના શહેરોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અમારી પ્રતિબદ્ધતાની એક ઓળખ છે. હકીકત એ છે કે સારી માળખાગત સુવિધાઓને કારણે શહેરીકરણ વધ્યું છે અને લોકો અહીં સ્થાયી થઇ રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો અમદાવાદ તરફ આકર્ષાઇ રહ્યાં છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ અર્બનાઇઝ્ડ રાજ્ય છે. રાજ્યની 42 ટકા જનતા નગર અને શહેરોમાં વસે છે અને અમારી શહેરી વસતીનો એક દશકાનો વૃદ્ધિદર 35.8 ટકા રહ્યો છે. અમને ખબર છે કે ઝડપી શહેરીકરણની સાથે-સાથે ઘણાં પડકારો પણ સર્જાઇ રહ્યાં છે.

નગર અને શહેરોના માળખાની ભારે કસોટી થઇ રહી છે. વસતી અને ટ્રાફિકની સમસ્યાઓ સહિતના ઘણાં મોટા પડકારો સર્જાઇ રહ્યાં છે. જોકે, આપણે શહેરીકરણને સમસ્યાના સ્વરૂપે જોઇશું તો આપણે ક્યારેય આ પડકારોને પાર કરી શકીશું નહીં. આપણે શહેરીકરણના પડકારનો ઉકેલ લાવવો પડશે, નહીં કે તેની સામે લડવું, આમ કરવાથી જ આપણે પડકારોને પાર પાડી શકીશું. ગુજરાતે જે કર્યું છે તે વિસ્તારપૂર્વક આપને જણાવતા મને ખુશી થાય છે. શહેરીકરણની સમસ્યાનો હલ લાવવા માટે ગુજરાતના વલણ અંગે હું વિશ્વાસ અને ગૌરવથી કહી શકીશ કારણકે માત્ર થોડાં લોકોને જ વિકાસનું ફળ નહીં મળે, પરંતુ દરેક વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચશે. નવીનીકરણ અને માળખાગત અને સંસ્થાકીય વલણ અપનાવીને અમે શહેરીકરણના વિશાળ પડકારને લોકો માટે અર્થસભર તકમાં ફેરવી દીધો છે. મને યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં ત્યારે શહેરી વિકાસ માટે માત્ર રૂ. 200 કરોડથી પણ ઓછો ખર્ચ કરવામાં આવતો હતો.

આજે, અંદાજપત્રિય આયોજનમાં શહેરી વિકાસ માટે રૂ. 5670 કરોડની જોગવાઇ કરવામાં આવે છે, જે 25 ગણો વધારો સૂચવે છે. સાકલ્યવાદી અભિગમ સાથે રાજ્ય સરકારે વર્ષ 2009માં સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના (એસજેએમએમએસવીવાય)ની રજૂઆત કરી હતી. નોંધનીય છે કે આ પહેલ ગુજરાતના 8 શહેરો અને 159 નગરપાલિકાઓના વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને મોટા શહેરોમાં ઉપલબ્ધ સેવાઓને તેમના ઘર આંગણે ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને સંપૂર્ણ રીતે ભંડોળ પુરું પાડવામાં આવે છે.શરૂઆતમાં રૂ. 7000 કરોડના બજેટ સાથે શરૂ કરાયેલી આ યોજના માટે ભંડોળની જોગવાઇ નોંધપાત્ર વધીને રૂ. 15,000 કરોડ કરવામાં આવી છે.

પરિવહન અને શહેરી ગતિવિધિ માટેના તમામ પાસાઓનું મજબૂતીકરણ

શહેરીજીવનમાં આપણે રોજ રોડનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આપણા મનમાં શહેરની પહેલી છાપ તેના રોડની ગુણવત્તા અને ટ્રાફિક જેવા પરિબળોથી ઉપસી આવે છે. વસતી અને વાહનોની સંખ્યા વધવા સાથે રોડ ખુબજ સારી ગુણવત્તાયુક્ત તૈયાર કરવામાં આવ્યાં છે. ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ અંગે ફરિયાદ કરવું ખુબજ સરળ છે, પરંતુ આ સમસ્યાનો હલ લાવવા કંઇક કરવાનું આપણામાંથી કેટલાં લોકોએ વિચાર્યું છે? આર્થિક વિકાસ માટે શહેરી પરિવહન ખુબજ મહત્વપૂર્ણ માધ્યમ છે અને સરકારે શહેરી વસતીમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને સારા રોડને પ્રાથમિકતા આપી છે.

ગુજરાતમાં અમે સંખ્યાબંધ ફ્લાયઓવરનું નિર્માણ કર્યું છે, જેના કારણે અમારા શહેરોના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર સરળ બની છે. સુરતે 'ફ્લાયઓવર સીટી ઓફ ગુજરાત' તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે કારણકે અહીં ટ્રાફિકની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં ફ્લાયઓવરનાનિર્માણથી સમસ્યાનો ઉકેલ આવ્યો છે. અમદાવાદમાં ઘણાં ફ્લાયઓવર અને અન્ડરપાસથી ટ્રાફિકની સ્થિતિમાં અમે નોંધપાત્ર સુધારો લાવ્યાં છીએ.

ઉપરોક્ત દર્શાવેલા પ્રયાસો ઉપરાંત શહેરી પરિવહન માળખાને મજબૂત બનાવવા માટે અમે કોઇપણ કચાશ રાખી નથી. જ્યારે તમે અમદાવાદમાં સફર કરશો તો ખુબજ પ્રશંસા પ્રાપ્ત કરેલા જનમાર્ગ- બીઆરટીએસની નોંધ તમે ચોક્કસપણે લેશો. સુરત અને રાજકોટમાં પણ હાલ આ પ્રોજેક્ટ કાર્યરત છે.અમે મલ્ટી-મોડલ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએટીએ)ની રચના કરી છે, જેથી સુરક્ષિત, પોષાય તેવા, સગવડભર્યા અને વિશ્વસનીય શહેરી પરિવહનને પ્રોત્સાહન આપવા માટે રોડમેપ તૈયાર કરી શકાય.

ગુજરાતના શહેરોમાં નવીન રિક્ષા સેવા! 

મોટા શહેરોની મુલાકાત વખતે તમે 'રેડિયો ટેક્સી', 'કોલ અ કેબ; અંગે સાંભળ્યું હશે, પરંતુ ક્યારેય તમે એની ટાઇ રિક્ષા સર્વિસ અંગે સાંભળ્યું છે? ગુજરાત સ્થિત એક ફાઉન્ડેશનની પહેલ દ્વારા રિક્ષા ડ્રાઇવર્સનું એક જૂથ એક છત નીચે આવ્યું છે અને જી-ઓટોનું ગઠન કરવામાં આવ્યું છે, જે ચોવીસ કલાક વિશ્વાસપાત્ર રિક્ષા સેવા ઉપલબ્ધ કરાવે છે. આ જી-ઓટોમાં સેવા ખુબજ અદભુત છે. જ્યારે તમે રિક્ષામાં બેસશો ત્યારે ડ્રાઇવર તમને પાણીની બોટલ અને સમાચારપત્રો ઓફર કરશે. હાલમાં આ સેવા અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં ઉપલબ્દ છે અને આગામી વર્ષોમાં તે રાજ્યના અન્ય હિસ્સાઓમાં વિસ્તારવામાં આવશે. આ પ્રકારની પહેલ સગવડયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે મૈત્રીપૂર્ણ પરિવહનના વિકલ્પ પણ પુરાં પાડે છે!

પર્યાપ્ત શહેરી આવાસના પડકારોને પાર પાડવા

મોટી સંખ્યામાં લોકો શહેરો તરફ આકર્ષાઇ રહ્યાં છે ત્યારે આવાસની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવી વધુ એક પડકાર છે. સરકાર તરીકે અમારી ફરજ છે કે લોકોના માથે છત હોય. ઘર એ માત્ર ચાર દિવાલથી નથી બનતું, પરંતુ એવું સ્થળ હોવું જોઇએ કે ત્યાં રહી શકાય. રાજ્યભરમાં શહેરી આવાસની સુવિધાને મજબૂત બનાવવા માટે અમે ઘણાં પગલાં ભર્યાં છે.

ગુજરાતને ઝુંપડપટ્ટી મુક્ત બનાવવા માટે અમે 25 લાખ જેટલાં કાચા ઘરોને પાકા ઘરોમાં ફેરવવા માટેનો સર્વે પહેલેથી જ પૂર્ણ કરી લીધો છે. અગાઉની સરકારોએ 40 વર્ષમાં 10 લાખ ઘરોનું બાંધકામ કર્યું હતું અને તેની સામે અમે માત્ર એક જ દશકામાં 22 લાખ ઘરોનું બાંધકામ કર્યું છે અને ગુજરાતમાં ગરીબોને આનો લાભ મળ્યો છે. આગામી વર્ષોમાં અમે શહેરી આવાસના પડકારને પાર પાડવા માટેની પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરીશું.

1+1: ટ્વીન-સીટી મોડલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના પ્રયાસો

અમે અમદાવાદને ચમકતું જોવા માગીએ છીએ, પરંતુ અમદાવાદ સાથે ગાંધીનગર પણ ચમકે તેમ અમે ઇચ્છીએ છીએ. એકબીજાની નજીક આવેલા બે શહેરોને વિકાસ માટેની સરખી તક શા માટે ન મળવી જોઇએ? આથી અમે ટ્વીન સીટી મોડલ રજૂ કર્યું છે. ગુજરાત સક્રિયપણે અમદાવાદ-ગાંધીનગર, સુરેન્દ્રનગર-વઢવાણ, સુરત-નવરાસી, વડોદર-હાલોલ, ભરૂચ-અંક્લેશ્વર અને મોરબી-વાંકાનેર ટ્વીન સીટી પર કામ કરી રહ્યું છે. શ્રેષ્ઠ શહેરોની રચનાની દિશામાં ગુજરાતની પહેલને ટ્વીન સીટીથી ચોક્સપણે લાભ મળી રહેશે.

ટ્વીન સીટી સાથે અમે સેટેલાઇટ ટાઉન પણ વિકસિત કરવા જઇ રહ્યાં છીએ અને વિશ્વ સ્તરના શહેરોનું નિર્માણ ગુજરાતને વાઇબ્રન્ટ ભવિષ્ય તરફ દોરી જશે! દિલ્હી જેવા શહેરને વિકાસ માટે ઘણો લાંબો સમય લાગ્યો, પરંતુ ધોલેરા દિલ્હી કરતાં બે ગણા, શાંઘાઇ કરતાં છ ગણું મોટું હશે અને આધુનિક માળખાગત સુવિધા બાબતે ઘણું આગળ હશે.

કાંકરિયા લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને સુરતમાં સાયન્સ સેન્ટર જેવાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સથી શહેરી જનતાને લાભ મળી રહેશે. તમને જાણીને આનંદ થશે કે શહેરી વિકાસના વિવિધ પ્રયાસોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન 50 કરતા વધુ એવોર્ડ જીત્યાં છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પાસેથી ઉપલબ્ધ વિગતો અનુસાર જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મીશન (જેએનયુઆરએમ) પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે.

રુર્બનાઇઝેશન - આત્મા ગામની, સુવિધા શહેરની

અમે શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ત્યાં અટકીશું નહીં. નાના નગરો અને ગામડાઓમાં સારું માળખું અને સેવાઓ પુરી પાડવાની પણ જરૂર સર્જાઇ છે. રુર્બનાઇઝેશનના અમારા મંત્રથી ગામડાની અનોખી સાંસ્કૃતિક ઓળખ જળવાઇ રહેશે અને તેની સાથે-સાથે શહેર જેવી સુવિધાઓ પણ તેમને મળી રહેશે (આત્મા ગામની, સુવિધા શહેરની) ! આ વર્ષના વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં શહેરીકરણ કેન્દ્ર સ્થાને રહ્યું હતું. સમીટ દરમિયાન હું રુર્બનાઇઝેશન પરની પેનલ ચર્ચામાં ઉપસ્થિત રહ્યો હતું. સમીટ પૂર્ણ થયાં બાદ હું પ્રોફેસર પૌલ રોમરને મળ્યો હતો, જેઓ યુએસએમમાં એનવાયુના સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાં શહેરીકરણના પ્રોજેક્ટને માર્ગદર્શન આપે છે. પ્રોફેસર રોમરે શહેરી વિકાસની દિશામાં ગુજરાતના પગલાંની પ્રશંસા કરી હતી.

રાજકીય ઇચ્છાશક્તિ, અધિકારીઓની શ્રેષ્ઠ ટીમ અને લોકોના સહકારથી ગુજરાત સરકાર અર્બન રિજનરેશન માટે તૈયાર છે, જે નવા વૈશ્વિક સ્તરના શહેરોનું નિર્માણ કરશે અને ગામડાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ભવ્ય અને દિવ્ય ગુજરાત માટે અમારા પ્રયાસોમાં અસરકારક રીતે યોગદાન આપી શકે.

 

નરેન્દ્ર મોદી

  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • manvendra singh September 24, 2024

    jai hind 🙏🏽
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय जय श्री राम जय
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
  • MLA Devyani Pharande February 16, 2024

    nice
  • rajiv Ghosh February 13, 2024

    abki baar 400 paar, Modi ji jindabad
  • Uma tyagi bjp January 09, 2024

    जय श्री राम
  • Lalruatsanga January 07, 2024

    wow
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Finepoint | How Modi Got Inside Pakistan's Head And Scripted Its Public Humiliation

Media Coverage

Finepoint | How Modi Got Inside Pakistan's Head And Scripted Its Public Humiliation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.