મનપસંદ ફિલ્મ અને ગીત

Published By : Admin | September 16, 2016 | 23:50 IST

એમના કાર્યોના સમયપત્રક અને પ્રવાસને ધ્યાનમાં લઈએ તો સ્વાભાવિક રીતે જ જણાય કે નરેન્દ્ર મોદીને ફિલ્મો જોવાનો ખરેખર ક્યારેય સમય જ નથી હોતો. મોદીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે "સામાન્ય રીતે મને મુવિઝની ઘેલછા નથી. પરંતુ હું જ્યારે યુવાન હતો, ત્યારે ફિલ્મો જોતો હતો, જેમાં માત્ર યુવાનોને હોય એવી જિજ્ઞાસામાત્ર રહેતી. એ સમયે પણ, માત્ર મનોરંજન ખાતર મુવિઝ જોવાનો ક્યારેય મારો સ્વભાવ ન હતો.એના બદલે, એ મુવિઝ દ્વારા કહેવાયેલી વાર્તામાંથી જીવનના બોધપાઠની શોધ કરવાની મને આદત હતી. મને યાદ છે કે, એકવાર હું મારા કેટલાક શિક્ષકો અને મિત્રો સાથે આર. કે. નારાયણની નવલકથા પર આધારિત જાણીતી હિન્દી મુવી ગાઈડ જોવા ગયો હતો. અને, એ મુવી જોયા પછી, હું મારા મિત્રો સાથે ભારે ચર્ચામાં પડી ગયો હતો. મારી દલીલ એ હતી કે મુવીની મુખ્ય વિચારવસ્તુ, છેવટે, પ્રત્યેક વ્યક્તિને તેના પોતાના અંતરાત્માનું માર્ગદર્શન મળતું હોવાનું છે. પરંતુ હું હજુ નાનો હોવાથી મારા મિત્રોએ મને ગંભીરતાથી લીધો ન હતો!" ફિલ્મ ગાઈડે એમના પર બીજા જ એક હેતુથી છાપ છોડી હતી - દુકાળની કરુણ વાસ્તવિકતા અને ખેડૂતોને પાણી નહીં મળવાને પગલે સર્જાયેલી અસહાયતાની પરિકલ્પના. એ પછી, એમને જ્યારે તક મળી હતી, તેમણે ગુજરાતમાં જળ સંગ્રહના સંસ્થાગત વ્યવસ્થતાતંત્રને પ્રોત્સાહન આપવામાં નોંધપાત્ર સમય ફાળવ્યો હતો. આ જ પ્રોજેક્ટને તેઓ પ્રધાનમંત્રીની ભૂમિકામાં રાષ્ટ્રીય સ્તરે પણ લાવ્યા.

શ્રી મોદી કામમાં ગળાડૂબ રહે છે અને એમને જે પદ માટે ચૂંટવામાં આવ્યા છે, તેની માગણીઓ એમની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી ફિલ્મો જોવાની લક્ઝરી એમને ઉપલબ્ધ નથી. જોકે, તેઓ કળા અને સંસ્કૃતિના વિશ્વ સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. આપણી એકંદર સાંસ્કૃતિક સભાનતામાં આપણા કલાકારોના યોગદાનને ઊંડા અંતઃકરણપૂર્વક મૂલવતા શ્રી મોદીએ ગુજરાતમાં કાઈટ ફેસ્ટિવલથી માંડીને તાજેતરમાં જ ઈન્ડિયા ગેટ નજીક રાજપથની લૉનમાં ભારત પર્વ યોજવા જેવા નવીન વિચારો અમલમાં મૂક્યા છે.

અને મોદીને કોઈ ગીત મનપસંદ છે? એનો તત્કાલ મળેલો જવાબ છે, લતા મંગેશ્કરનું બોધ પ્રસ્તુત કરતું ગીત - "હો પવન વેગ સે ઉડને વાલે ઘોડે...." 1961ની ફિલ્મ 'જય ચિત્તોડ'નું ગીત...ભરત વ્યાસના પ્રેરણાદાયક શબ્દોમાં એસ. એન. ત્રિપાઠીના કમ્પોઝિશનમાં સુદ્રઢ રીતે વણાયેલું ગીત "તેરે કંધો પે આજ ભાર હૈ મેવાડ કા, કરના પડેગા તુઝે સામના પહાડ કા... હલ્દી ઘાટી નહીં હૈ કામ કોઈ ખિલવાડ કા, દેના જવાબ વહાં શેરોં કે દહાડ કા.... "

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi

Media Coverage

Bharat Tex showcases India's cultural diversity through traditional garments: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.