વ્હાલા મિત્રો,

શિક્ષક દિવસે હું ગુજરાતના 1.5 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. આ રસપ્રદ ચર્ચા દરમિયાન અમદાવાદની એક વિદ્યાર્થીનીએ મને પ્રશ્ન કર્યો કે તેના પરિવારના એક સભ્યને ધુમ્રપાનની આદત છોડાવવા માટે તેણે કયાં પગલાં ભરવા જોઇએ.

આ પ્રશ્ને દરેક પુત્રીઓની ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન અંતઃકરણ પુર્વક પુછાયેલો હતો! દિકરી નાની ઉંમરથી જ તેના પરિવાર માટે કઇ સારી બાબત છે તેના પર ધ્યાન રાખતી હોય છે, પરંતુ આ પ્રશ્ન માત્ર દિકરીઓ પુરતો સિમિત નથી. બીજા લાખો લોકો અને ખાસ કરીને માતઓ અને દિકરીઓ ગુટખા અને સિગારેટની આદત અને તેના જોખમની અસરથી પોતાના પરિવારને દૂર રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. કારણકે ગુટખા અને સિગારેટ પીવાની આદતને કારણે તેમના પરિવારોમાં ભંગાણ સર્જાયું હોય છે.

મને આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપુર્ણ પગલું ભર્યું છે. આપને જાણકારી હશે કે 11મી સપ્ટેમ્બર, 2012થી રાજ્યભરમાં ગુટખાના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમે એક એવા સમાજની રચના કરવા પ્રતિબદ્ધ છીએ, જ્યાં સ્વાસ્થ્યને હાનિકારક એવાં ગુટખાના સેવનને કારણે કોઇપણ મહિલાને વિધવા થવાનો વારો ન આવે. અમે એવો દિવસ જોવા માગીએ છીએ, જ્યારે ગુટખાના વપરાશને કારણે કોઇપણ બાળકને તેના પિતા અથવા કોઇપણ માતાને તેનો પુત્ર ગુમાવવો ન પડે.

11મી સપ્ટેમ્બર, 1893માં શિકાગો ખાતે યોજાયેલી વૈશ્વિક ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આત્માને ઝંઝોળતું પ્રવચન આપ્યું હતું. 119 વર્ષ પહેલાં જે રીતે સ્વામી વિવેકાનંદે તેમના પ્રવચન દ્વારા સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લાવ્યાં, આપણે પણ આશા રાખીએ કે આ ખાસ દિવસથી આપણે ગુટખાના અનિષ્ટને દૂર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરીએ.

ગુટખાની હાનિકારકતા તમે જે માનો છો તેનાથી ઘણી વધારે છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે બદામ કરતાં ગુટખા વધુ મોંઘી હોય છે. જોકે, જેમને ગુટખાની લત હોય છે તેઓ આ બાબત ક્યારેય સમજશે નહીં અને પોતાના પતન તરફ આગળ વધશે, જ્યાંથી ક્યારેય પાછું ફરી શકાતું નથી. આપણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઇએ કે ગુટખા પાછળ ખર્ચાતા નાણા શું માનવ જીવનના મૂલ્ય માટે યોગ્ય છે? માનવીને જ નહીં, પરંતું ગાયો પણ ગુટખાની શિકાર બને છે. ઘણીવાર જોવા મળે છે કે ગાયો પણ ગુટખાના પેકેટ આરોગતી હોય છે, જે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આથી, ગુટખાને ના કહેવાથી તમે માનવ જીવન સાથે ગાય માતાને પણ બચાવી શકશો.

મિત્રો, ગુજરાતને ગુટખાના રાક્ષસથી બચાવવા સરકારના પ્રયત્નોથી પણ વધારે તમારો સહકાર વધુ મહત્વપુર્ણ છે. આપણા જીવનમાંથી ગુટખાને દૂર કરીને યુવાનોને કેન્સરના રોગથી બચાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. મને વિશ્વાસ છે કે યોગ્ય સહાકર અને માર્ગદર્શનથી આ શક્ય બનશે. પણ જો તમે માનતા હોવ કે ચેતવણીથી જ ગુટખા ખાવાની આદતને બંધ કરી શકાય તો તમે ભુલ કરો છો. ગુટખાની આદત છોડાવવા માટે તમારે અન્ય માર્ગો પણ અપનાવવા પડશે. ઉદાહરણરુપે, જો તમારા પરિવારનો કોઇ સભ્યને ગુટખા ખાવાની તીવ્ર ઇચ્છા થાય તો તમે તેમની સાથે ચાલવા જવું કે પછી સારું સંગીત સાંભળવું અથવા સાથે બેસીને ચા અથવા કોફી પીવાની ઓફર કરીને તેમનું ધ્યાન અન્યત્ર ખેંચી શકો છો. ધીમે ધીમે તમે નોંધશો કે તેમનું ગુટખાનું સેવન ઘટી રહ્યું છે. ગુટખા ખાવાથી જેમને કેન્સર થયું હોય તેવા દર્દીઓના ફોટા બતાવો અને મને ખાતરી છે કે એકવાર તેઓ આ ફોટાને જોશે તો તેઓ ગુટખાના સેવન અંગે પુનઃવિચાર કરશે. તમારો પ્રેમ, લાગણી અને સંભાળ તેમને આદતમાંથી બહાર લાવવામાં મદદરૂપ નિવડશે.

આથી જ મેં આપને આ ઝુંબશેમાં હિસ્સો લેવા આમંત્રણ આપ્યું છે. હું આપને અરજ કરું છું કે તમારો ફોન ઉપાડો અને 8000980009 પર મીસ કોલ કરો. વધુમાં જો તમારી પાસે ગુટખાની હાનિકારકતા અંગેના ફોટોગ્રાફ કે મુવી હોય તો અન્ય લોકોને તે બતાવો. તમે નિબંધ લખીને કે આ વિષય પર શોર્ટ ફિલ્મ કે પોસ્ટર તૈયાર કરીને તેને વેબસાઇટ પર મૂકી શકો છો, જેથી તમામ લોકો તેને જોઇ શકે. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ -નો ટુ ગુટખા- ના ટેગ સાથે ગુટખાની હાનિકારકતા અને આદત છોડવા અંગેનો સંદેશો વહેતો કરી શકે છે. આ સૂચવે છે કે આપણે સાથે મળીને ભરેલું નાનું પગલું મોટો બદલાવ લાવી શકે છે.

જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે મેં ગુટખા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી ત્યારે મોટાપ્રમાણમાં સહકાર પ્રાપ્ત થવાનું ક્યારેય વિચાર્યું ન હતું. જૂનાગઢમાં જાહેરાત કર્યાંના તુરંત જ સમારોહમાં ઉપસ્થિત એક સ્વાતંત્ર્ય સેનાનીએ મને ગુટખાનું પેકેટ આપીને કહ્યું "આજથી ગુટખા બંધ." ઘણી બહેનોએ તેમના સહકાર વ્યક્ત કરતાં પત્રો લખ્યાં છે. મારા માટે આ અનુભવ હ્રદયસ્પર્શી હતો.

મને વિશ્વાસ છે કે આપણે સાથી મળીને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીશું, જ્યાં ગુટખાના કેસ જેવી બાબત માત્ર ઇતિહાસ બનીને રહી જશે.

 

આપનો,

નરેન્દ્ર મોદી

 

 

Gutka Mukti Abhiyan- A historic step!
Seers from different faiths extend support to Gutka Mukti Abhiyan
Extend solidarity with Gutka Mukti Abhiyan
If you don't stop Gutka , you can't stop Cancer

  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • Sankar Prasad Chhetry August 16, 2024

    Joy Shree Ram
  • Tarun Raj Panchal May 29, 2024

    जय श्री राम नमो नमो नमो नमो नमो नमो नमो नमो एक बार फिर मोदी सरकार अबकी बार 400 के पार
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
  • Sukhen Das March 19, 2024

    abki bar 400 par
  • rajiv Ghosh February 13, 2024

    abki baar 400 paar, Modi ji jindabad
  • Uma tyagi bjp January 31, 2024

    जय श्री राम
  • Lalruatsanga January 07, 2024

    wow
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns

Media Coverage

Big desi guns booming: CCS clears mega deal of Rs 7,000 crore for big indigenous artillery guns
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.