Quoteપ્રોજેક્ટ્સ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડતી લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, હાલની લાઇન ક્ષમતામાં વધારો કરશે અને પરિવહન નેટવર્કમાં વધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે
Quoteઆ પ્રોજેક્ટ્સ આશરે 106 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારીનું સર્જન કરશે
Quoteપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.

બે મંજૂર થયેલા પ્રોજેક્ટ્સ છે – (ક) નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર સેક્શનનું 256 કિલોમીટરને આંબીકરણ કરશે તથા (બ) એરુપલેમ અને નામ્બુરુ વચ્ચે અમરાવતી થઈને 57 કિલોમીટરને આવરી લેતી નવી લાઇનનું નિર્માણ.

નરકટિયાગંજ-રક્સૌલ-સીતામઢી-દરભંગા અને સીતામઢી-મુઝફ્ફરપુર સેક્શનને બમણું કરવાથી નેપાળ, ઉત્તર-પૂર્વ ભારત અને સરહદી વિસ્તારો સાથે જોડાણ મજબૂત થશે તથા માલગાડીની સાથે પેસેન્જર ટ્રેનોની અવરજવરની સુવિધા મળશે, જેના પરિણામે આ વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ થશે.

નવી રેલ લાઇન પ્રોજેક્ટ એરુપલેમ-અમરાવતી-નામબુરુ આંધ્રપ્રદેશના એનટીઆર વિજયવાડા અને ગુંટુર જિલ્લાઓ અને તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી પસાર થાય છે.

આંધ્રપ્રદેશ, તેલંગાણા અને બિહાર એમ ત્રણ રાજ્યોના 8 જિલ્લાઓને આવરી લેતી આ બંને યોજનાઓથી ભારતીય રેલવેનાં હાલનાં નેટવર્કમાં આશરે 313 કિલોમીટરનો વધારો થશે.

નવી લાઇન પ્રોજેક્ટથી 9 નવા સ્ટેશનો સાથે આશરે 168 ગામો અને આશરે 12 લાખ ની વસતિને કનેક્ટિવિટી મળશે. મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટથી બે મહત્વાકાંક્ષી જિલ્લાઓ (સીતામઢી અને મુઝફ્ફરપુર) સાથે જોડાણ વધશે, જે અંદાજે 388 ગામડાઓ અને આશરે 9 લાખ ની વસતિને સેવા આપે છે.

કૃષિ પેદાશો, ખાતર, કોલસો, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાનાં કાર્યોને પરિણામે 31 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાનો વધારાનો નૂર પરિવહન થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં, કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (168 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 7 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

નવી લાઇનની દરખાસ્ત આંધ્રપ્રદેશની પ્રસ્તાવિત રાજધાની "અમરાવતી"ને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે તથા ઉદ્યોગો અને વસતિ માટે અવરજવરમાં સુધારો કરશે, જે ભારતીય રેલવે માટે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો કરશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તથી કામગીરી સરળ બનશે અને ગીચતામાં ઘટાડો થશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે.

આ વિવિધ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીનાં નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારનાં લોકોને વિસ્તૃત વિકાસનાં માધ્યમથી 'સ્વચ્છ' બનાવશે, જે તેમની રોજગારી/સ્વરોજગારીની તકો વધારશે.

આ પ્રોજેક્ટ્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સાતત્યપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
A chance for India’s creative ecosystem to make waves

Media Coverage

A chance for India’s creative ecosystem to make waves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Nuh, Haryana
April 26, 2025

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Nuh, Haryana. "The state government is making every possible effort for relief and rescue", Shri Modi said.

The Prime Minister' Office posted on X :

"हरियाणा के नूंह में हुआ हादसा अत्यंत हृदयविदारक है। मेरी संवेदनाएं शोक-संतप्त परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं हादसे में घायल लोगों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार राहत और बचाव के हरसंभव प्रयास में जुटी है: PM @narendramodi"