Quoteએક મિશન મોડ મિકેનિઝમ રાષ્ટ્રની ટોચની 860 ગુણવત્તાયુક્ત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવતા હોશિયાર વિદ્યાર્થીઓને શિક્ષણ લોનના વિસ્તરણને સરળ બનાવશે અને ચલાવશે, જે દર વર્ષે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેશે
Quoteએક ખાસ લોન પ્રોડક્ટ કોલેટરલ ફ્રી, ગેરેંટર ફ્રી એજ્યુકેશન લોન માટે સક્ષમ કરશે; સરળ, પારદર્શક, વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ અને સંપૂર્ણ ડિજિટલ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા સુલભ બનાવવામાં આવી છે
Quote₹7.5 લાખ સુધીની લોનની રકમને ભારત સરકાર દ્વારા 75% ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે, જેથી બેંકોને કવરેજ વધારવામાં મદદ મળે
Quoteવધુમાં, રૂ. 8 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે, આ યોજના રૂ. 10 લાખ સુધીની લોન પર 3% વ્યાજ મુક્તિ પણ પ્રદાન કરશે.
Quoteઆ 4.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને પહેલેથી જ આપવામાં આવતી સંપૂર્ણ વ્યાજ છૂટ ઉપરાંત છે.
Quoteપીએમ વિદ્યાલક્ષ્મી યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની મહત્તમ પહોંચ માટે છેલ્લા દાયકામાં લેવામાં આવેલી પહેલોના અવકાશ અને પહોંચ પર નિર્માણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મીને  કેન્દ્રીય ક્ષેત્રની નવી યોજના મંજૂર કરી દીધી છે, જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા પ્રદાન કરવા ઇચ્છે છે, જેથી નાણાકીય તંગી કોઈને પણ ઉચ્ચ અભ્યાસ કરતાં અટકાવી ન શકે. પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020માંથી બહાર આવેલી અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે, સરકારી અને ખાનગી એમ બંને પ્રકારનાં એચઇઆઇમાં વિવિધ પગલાં મારફતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવી જોઈએ. પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ, કોઈપણ વિદ્યાર્થી કે જે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (ક્યુએચઈઆઈ) માં પ્રવેશ મેળવે છે, તે  ટ્યુશન ફી અને અભ્યાસક્રમને લગતા અન્ય ખર્ચની સંપૂર્ણ રકમને આવરી લેવા માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રીગેરેન્ટર ફ્રી લોન મેળવવા માટે પાત્ર બનશે.આ યોજનાનું સંચાલન સરળ, પારદર્શક અને વિદ્યાર્થીઓને અનુકૂળ સિસ્ટમ મારફતે કરવામાં આવશે, જે આંતર-કાર્યક્ષમ અને સંપૂર્ણપણે ડિજિટલ હશે.

આ યોજના દેશની ટોચની ગુણવત્તા ધરાવતી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે, જે એનઆઈઆરએફ રેન્કિંગ્સ દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે - જેમાં તમામ એચઇઆઇ, સરકારી અને ખાનગીનો સમાવેશ થાય છે, જેને એકંદર, કેટેગરી-સ્પેસિફિક અને ડોમેન સ્પેસિફિક રેન્કિંગમાં એનઆઈઆરએફમાં ટોચના 100 માં સ્થાન આપવામાં આવ્યું છે; રાજ્ય સરકારના એચ.ઈ.આઈ.ને એન.આઈ.આર.એફ. અને કેન્દ્ર સરકાર સંચાલિત તમામ સંસ્થાઓમાં 101-200માં સ્થાન આપવામાં આવ્યું છે. નવીનતમ એનઆઈઆરએફ રેન્કિંગનો ઉપયોગ કરીને આ સૂચિને દર વર્ષે અપડેટ કરવામાં આવશે, અને તેની શરૂઆત 860 ક્વોલિફાઇંગ ક્યુએચઇઆઇથી થશે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે, જેથી પીએમ-વિદ્યાલક્ષ્મીનો લાભ સંભવિત રીતે મેળવી શકાય. જો તેઓ એવી રીતે ઇચ્છે તો.

₹ 7.5 લાખ સુધીની લોનની રકમ માટે, વિદ્યાર્થી બાકી ડિફોલ્ટના 75% ની ક્રેડિટ ગેરંટી માટે પણ પાત્ર રહેશે. આનાથી આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ લોન ઉપલબ્ધ કરાવવામાં બેંકોને ટેકો મળશે.

ઉપરોક્ત ઉપરાંત , ₹ 8 લાખ સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા અને અન્ય કોઈ પણ સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજમાં રાહત યોજના હેઠળ લાભ મેળવવાને પાત્ર ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે, મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ₹ 10 લાખ  સુધીની લોન માટે વ્યાજમાં 3 ટકાની સહાય પણ આપવામાં આવશે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ સબવેન્શન સપોર્ટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સરકારી સંસ્થાઓના છે અને ટેકનિકલ/પ્રોફેશનલ કોર્સ પસંદ કર્યા છે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. વર્ષ 2024-25થી 2030-31 દરમિયાન રૂ. 3,600 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ સમયગાળા દરમિયાન 7 લાખ નવા વિદ્યાર્થીઓને વ્યાજમાં આ માફીનો લાભ મળવાની અપેક્ષા છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે યુનિફાઇડ પોર્ટલ "પીએમ-વિદ્યાલક્ષ્મી" હશે, જેના પર વિદ્યાર્થીઓ તમામ બેંકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સરળ એપ્લિકેશન પ્રક્રિયા દ્વારા એજ્યુકેશન લોન તેમજ ઇન્ટરેસ્ટ સબવેન્શન માટે અરજી કરી શકશે. વ્યાજમાં છૂટની ચુકવણી ઇ-વાઉચર અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) વોલેટ દ્વારા કરવામાં આવશે.

પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી ભારતનાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણની મહત્તમ સુલભતા માટે શિક્ષણ અને નાણાકીય સર્વસમાવેશકતાનાં ક્ષેત્રોમાં ભારત સરકારે છેલ્લાં એક દાયકામાં હાથ ધરેલી વિવિધ પહેલોની શ્રેણીનાં અવકાશ અને પહોંચને વધારે ગાઢ બનાવશેઆ કેન્દ્રીય ક્ષેત્રની ઇન્ટરેસ્ટ સબસિડી (સીએસઆઇએસ) અને ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ ફોર એજ્યુકેશન લોન્સ (સીજીએફએસઈએલ)ની પૂર્તિ કરશે, જે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા લાગુ કરવામાં આવેલી પીએમ-યુએસપીની બે ઘટકોની યોજનાઓ છે. પીએમ-યુએસપી સીએસઆઇએસ હેઠળ રૂ. 4.5 લાખ સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા અને માન્ય સંસ્થાઓ પાસેથી ટેકનિકલ/વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 10 લાખ સુધીની શૈક્ષણિક લોન માટે મોરેટોરિયમ સમયગાળા દરમિયાન સંપૂર્ણ વ્યાજમાં માફી મળે છે. એટલે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી અને પીએમ-યુએસપી સંયુક્તપણે તમામ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત એચઇઆઇમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સંપૂર્ણ સાથસહકાર પ્રદાન કરશે તથા માન્ય એચઇઆઇમાં ટેકનિકલ/વ્યાવસાયિક શિક્ષણ મેળવશે.

 

  • सुधीर बुंगालिया January 11, 2025

    बहुत ही अच्छा कदम शिक्षा के क्षेत्र में
  • Mahesh Kulkarni January 10, 2025

    very good scheme for girls
  • Ganesh Dhore January 01, 2025

    जय श्री राम 🙏
  • Vivek Kumar Gupta December 29, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 29, 2024

    नमो .............................🙏🙏🙏🙏🙏
  • Avdhesh Saraswat December 27, 2024

    NAMO NAMO
  • Gopal Saha December 23, 2024

    hi
  • Vishal Seth December 17, 2024

    जय श्री राम
  • sailendran December 05, 2024

    Great move by our PM
  • Siva Prakasam December 04, 2024

    🌺💐 jai sri ram🌺💐🙏
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
A Quiet Revolution: How India slashed poverty from 29.5 to 9.4 per cent and boosted rural growth

Media Coverage

A Quiet Revolution: How India slashed poverty from 29.5 to 9.4 per cent and boosted rural growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets the people of Telangana on their Statehood Day
June 02, 2025

Prime Minister, Shri Narendra Modi, has greeted the people of Telangana on their Statehood Day, today. "The state is known for making innumerable contributions to national progress. Over the last decade, the NDA Government has undertaken many measures to boost ‘Ease of Living’ for the people of the state", Shri Modi stated.

The Prime Minister posted on X :
"Greetings to the wonderful people of Telangana on their Statehood Day. The state is known for making innumerable contributions to national progress. Over the last decade, the NDA Government has undertaken many measures to boost ‘Ease of Living’ for the people of the state. May the people of the state be blessed with success and prosperity."