માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – "વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ" (વીવીપી)ને મંજૂરી આપી છે.

ઉત્તર સરહદ પરના તાલુકાઓનાં ગામોનો વ્યાપક વિકાસ, આ રીતે ઓળખાયેલાં સરહદી ગામોમાં રહેતા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે. આનાથી લોકોને સરહદી વિસ્તારોમાં તેમનાં મૂળ સ્થાનો પર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ મળશે અને આ ગામોમાંથી સ્થળાંતરને ઉલટું કરવામાં મદદ મળશે અને સરહદની સુરક્ષામાં વધારો થશે.

આ યોજના દેશની ઉત્તરીય જમીનની સરહદ પર 4 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 જિલ્લાઓ અને 46 સરહદી તાલુકાઓમાં આવશ્યક માળખાગત સુવિધાઓના વિકાસ અને આજીવિકાની તકોનું સર્જન કરવા માટે ભંડોળ પૂરું પાડશે, જે સર્વસમાવેશક વૃદ્ધિ હાંસલ કરવામાં અને સરહદી વિસ્તારોમાં વસતિને જાળવી રાખવામાં મદદ કરશે. પ્રથમ તબક્કામાં ૬૬૩ ગામોને કાર્યક્રમમાં લેવામાં આવશે.

આ યોજના ઉત્તર સરહદ પર આવેલાં સરહદી ગામોના સ્થાનિક કુદરતી માનવ અને અન્ય સંસાધનો પર આધારિત આર્થિક ચાલકોને ઓળખવા અને વિકસાવવા તથા સામાજિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મારફતે યુવાનો અને મહિલાઓનું સશક્તીકરણ દ્વારા "હબ એન્ડ સ્પોક મૉડલ" પર વૃદ્ધિ કેન્દ્રો વિકસાવવામાં, સ્થાનિક સાંસ્કૃતિક પ્રોત્સાહન મારફતે પ્રવાસન સંભવિતતાનો લેવા, સમુદાય આધારિત સંસ્થાઓ, સહકારી મંડળીઓ, એસએચજી, એનજીઓ વગેરે મારફતે "એક ગામ-એક ઉત્પાદન"ની વિભાવના પર પરંપરાગત જ્ઞાન અને વારસો અને સાતત્યપૂર્ણ ઇકો-એગ્રિ વ્યવસાયોનો વિકાસ કરવા વગેરેમાં મદદ કરે છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની મદદથી વાઈબ્રન્ટ વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.

જે મુખ્ય પરિણામોનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમાં બારમાસી માર્ગો સાથે જોડાણ, પીવાનું પાણી, 24x7 વીજળી – સૌર અને પવન ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવું, મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું, પ્રવાસન કેન્દ્રો, બહુહેતુક કેન્દ્રો તથા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો વગેરેનો સમાવેશ થાય છે.

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથે ઓવરલેપ થશે નહીં. 4800 કરોડ રૂપિયાની નાણાકીય ફાળવણીમાંથી 2500 કરોડ રૂપિયા રસ્તા માટે વાપરવામાં આવશે.

 

  • Tribhuwan Kumar Tiwari February 19, 2023

    वंदेमातरम जय श्री सूर्य देव
  • sandip gautam February 17, 2023

    Pm modi ji se vinamra nivedan h ki wo Gorakhpur ke result ko roll number se aur category wise ki mang kare sir please. justice for rrc gorakhapur 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
  • Ambikesh Pandey February 16, 2023

    👍
  • ckkrishnaji February 16, 2023

    🙏
  • Kasiviswanathan K February 16, 2023

    salute to Modi ji this system helps to strengthen the living of people and 🇮🇳 nation , we stands with Modi ji government🙏🚩
  • Pawan Chaudhary February 16, 2023

    ईट ईट पर नाम लिखा है जयकारा श्री राम लिखा है
  • Kuldeep Yadav February 16, 2023

    આદરણીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારા નમસ્કાર મારુ નામ કુલદીપ અરવિંદભાઈ યાદવ છે. મારી ઉંમર ૨૪ વર્ષ ની છે. એક યુવા તરીકે તમને થોડી નાની બાબત વિશે જણાવવા માંગુ છું. ઓબીસી કેટેગરી માંથી આવતા કડીયા કુંભાર જ્ઞાતિના આગેવાન અરવિંદભાઈ બી. યાદવ વિશે. અમારી જ્ઞાતિ પ્યોર બીજેપી છે. છતાં અમારી જ્ઞાતિ ના કાર્યકર્તાને પાર્ટીમાં સ્થાન નથી મળતું. એવા એક કાર્યકર્તા વિશે જણાવું. ગુજરાત રાજ્ય ના અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેર ના દેવળાના ગેઈટે રહેતા અરવિંદભાઈ યાદવ(એ.બી.યાદવ). જન સંઘ વખત ના કાર્યકર્તા છેલ્લાં ૪૦ વર્ષ થી સંગઠનની જવાબદારી સંભાળતા હતા. ગઈ ૩ ટર્મ થી શહેર ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી કરેલી. ૪૦ વર્ષ માં ૧ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કરેલો અને જે કરતા હોય એનો વિરોધ પણ કરેલો. આવા પાયાના કાર્યકર્તાને અહીંના ભ્રષ્ટાચારી નેતાઓ એ ઘરે બેસાડી દીધા છે. કોઈ પણ પાર્ટીના કાર્યકમ હોય કે મિટિંગ એમાં જાણ પણ કરવામાં નથી આવતી. એવા ભ્રષ્ટાચારી નેતા ને શું ખબર હોય કે નરેન્દ્રભાઇ મોદી દિલ્હી સુધી આમ નમ નથી પોચિયા એની પાછળ આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ નો હાથ છે. આવા પાયાના કાર્યકર્તા જો પાર્ટી માંથી નીકળતા જાશે તો ભવિષ્યમાં કોંગ્રેસ જેવો હાલ ભાજપ નો થાશે જ. કારણ કે જો નીચે થી સાચા પાયા ના કાર્યકર્તા નીકળતા જાશે તો ભવિષ્યમાં ભાજપને મત મળવા બોવ મુશ્કેલ છે. આવા ભ્રષ્ટાચારી નેતાને લીધે પાર્ટીને ભવિષ્યમાં બોવ મોટું નુકશાન વેઠવું પડશે. એટલે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ને મારી નમ્ર અપીલ છે કે આવા પાયા ના અને બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ મૂકો બાકી ભવિષ્યમાં ભાજપ પાર્ટી નો નાશ થઈ જાશે. એક યુવા તરીકે તમને મારી નમ્ર અપીલ છે. આવા કાર્યકર્તાને દિલ્હી સુધી પોચડો. આવા કાર્યકર્તા કોઈ દિવસ ભ્રષ્ટાચાર નઈ કરે અને લોકો ના કામો કરશે. સાથે અતિયારે અમરેલી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહીયો છે. રોડ રસ્તા ના કામો સાવ નબળા થઈ રહિયા છે. પ્રજાના પરસેવાના પૈસા પાણીમાં જાય છે. એટલા માટે આવા બિન ભ્રષ્ટાચારી કાર્યકર્તા ને આગળ લાવો. અમરેલી જિલ્લામાં નમો એપ માં સોવ થી વધારે પોઇન્ટ અરવિંદભાઈ બી. યાદવ(એ. બી.યાદવ) ના છે. ૭૩ હજાર પોઇન્ટ સાથે અમરેલી જિલ્લામાં પ્રથમ છે. એટલા એક્ટિવ હોવા છતાં પાર્ટીના નેતાઓ એ અતિયારે ઝીરો કરી દીધા છે. આવા કાર્યકર્તા ને દિલ્હી સુધી લાવો અને પાર્ટીમાં થતો ભ્રષ્ટાચારને અટકાવો. જો ખાલી ભ્રષ્ટાચાર માટે ૩૦ વર્ષ નું બિન ભ્રષ્ટાચારી રાજકારણ મૂકી દેતા હોય તો જો મોકો મળે તો દેશ માટે શું નો કરી શકે એ વિચારી ને મારી નમ્ર અપીલ છે કે રાજ્ય સભા માં આવા નેતા ને મોકો આપવા વિનંતી છે એક યુવા તરીકે. બાકી થોડા જ વર્ષો માં ભાજપ પાર્ટી નું વર્ચસ્વ ભાજપ ના જ ભ્રષ્ટ નેતા ને લીધે ઓછું થતું જાશે. - અરવિંદ બી. યાદવ (એ.બી યાદવ) પૂર્વ શહેર ભાજપ મહામંત્રી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આપનો યુવા મિત્ર લી. કુલદીપ અરવિંદભાઈ યાદવ
  • PRATAP SINGH February 16, 2023

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩 श्री मोदी जी को जय श्री राम।
  • KALYANASUNDARAM S B February 16, 2023

    Vande Mataram 🇮🇳🇮🇳
  • KALYANASUNDARAM S B February 16, 2023

    Vande Mataram 🇮🇳
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally