સ્વામી વિવેકાનંદનાં નિર્વાણ દિવસે તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ

- ચાલો, સ્વામીજીનાં આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ

 

પ્રિય મિત્રો,

આજથી ૧૧૦ વર્ષપહેલા આજનાં ૪ જુલાઈ ૧૯૦૨નાં દિવસે ભારતનાં મહાન સપૂત સ્વામી વિવેકાનંદે આપણી વચ્ચેથી વિદાયલીધી. સ્વામીજીનાં આ નિર્વાણ દિવસે તેમનાં શબ્દો આપણા હૃદયમાં ગૂંજી રહ્યા છે, મારું ભૌતિક શરીર ભલે ચાલ્યું જાય, પણ હું તો આવનારા ૧૫૦૦ વર્ષ સુધી કામ કરતો રહીશ. પોતાનાં ૩૯ વર્ષ અને ૫ મહિનાનાં ટુંકાજીવનમાં પોતાનાકાર્ય અને સંદેશથી તેમણે સાચે જ દુનિયા આખીનેજીતી લીધી હતી.

સ્વામીજીનોસંદેશએવો તોપ્રભાવક હતો કે આપણા દેશનાં ઘડતરમાં જેનોફાળોછે તેવાલગભગતમામ આંદોલનોમાં તેનીઅસરપડી હતી, અનેઆવનારાભવિષ્યમાંપણ તેમના સંદેશનો પ્રભાવ પડતો રહેશે.આઝાદીની લડત દરમ્યાનસશસ્ત્રલડવૈયાઓથી લઈને અહિંસક આંદોલનકર્તા, સૌ કોઈ ઉપર સ્વામીજીનાં વિચારોનો ગહેરો પ્રભાવ હતો. લોકોની વિચારધારાઓ ભલેભિન્નહોય કે પછીપરિણામસુધી પહોંચવાનાં તેમનાં રસ્તા ભલે જુદા-જુદા હોય પણ આ સૌ કોઈ માટે સ્વામી વિવેકાનંદનાં વિચારો પ્રેરણાનાંસ્ત્રોતબની રહ્યા હતા.

મહાત્મા ગાંધીએ લખ્યું છે કે, મેં સ્વામી વિવેકાનંદનાં લખાણોનો ઉંડો અભ્યાસ કર્યો છે, અને તેમનાં વિચારો વાંચ્યા બાદ દેશ પ્રત્યેનો મારો પ્રેમ હજાર ગણો વધી ગયો છે.

તો બીજી બાજુનેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે, વિવેકાનંદ વિશે લખતાં મને આત્યાધિક આનંદ થઈ આવે છે. સ્વામીજી એક મહાન ત્યાગી અને અસીમ પ્રેમનાં ધોધ સમાન હતા, તેઓ અગાધ જ્ઞાનનાં માલિક અને સંવેદનાથી છલોછલ વ્યક્તિ હતા....હું તેમનાં વિશે કલાકો સુધી લખું તોય મારા શબ્દો આ મહાન માણસનું વર્ણન કરવામાં નિષ્ફળ જશે.

શ્રી અરવિંદનાં શબ્દોમાં, હજીય આપણે તેમનાં પ્રચંડ પ્રભાવનો અનુભવ કરી રહ્યા છીએ. આપણને ચોક્કસ ખ્યાલ નથી કે ક્યારે અને કઈ રીતે, પણ કોઈ સિંહસમાન, ભવ્ય, આંતરસૂઝથી ભરપૂર અને ક્રાંતિકારી બાબત ભારતનાં આત્મામાં પ્રવેશ પામી છે અને આપણે કહેવું રહ્યું, જુઓ, વિવેકાનંદ હજુય તેમની (ભારત)માતા અને તેનાં પુત્રોનાં આત્મામાં જીવંત છે.

આપણા દેશની અનેખાસકરીનેગરીબઅને વંચિતોનીઉન્નતિમાટેકામકરનાર તમામલોકોમાટે તેઓ સાચા અર્થમાં પ્રેરણામૂર્તિ હતા. રામકૃષ્ણ મિશનનાંસ્થાપકહોવા છતાં તેઓ રાષ્ટ્રનાં ઘડતર માટે પ્રવૃત્ત અન્ય તમામ સંસ્થાઓનાં જીવનબળ બની રહ્યા હતા.

આજે સ્વામીજી તેમનાં આદર્શોથી અને આ આદર્શોને પોતાનાં જીવનમાં ઉતારવા કટિબધ્ધ લોકોનાં નિશ્ચયબધ્ધ પ્રયાસોથી અમર બની ચૂક્યા છે.

મદ્રાસનાં વિક્ટોરિયા હોલખાતેનાં એક પ્રસિધ્ધ વાર્તાલાપ“My Planof Campaign” (મારી ભાવિયોજનાઓ) દરમ્યાન સ્વામીજીએ કહ્યું હતું કે, મારા બાળકો, હું મારી બધી યોજનાઓ અંગે તમને માહિતગાર કરવા માટે આવ્યો છું. જો તમે સાંભળવા તૈયાર હોવ તો હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. પણ જો તમે મને સાંભળશો નહિ, કે પછી  જો મને અહીંથી બહાર ધકેલી દેશો, તો હું ફરીને ફરી તમારી વચ્ચે આવતો રહીશ. સ્વામીજીનાં આદર્શોને આપણાં રોજિંદા જીવનમાં ઉતારવા એ તેમને આપેલી શ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ ગણાશે. સ્વામીજી મારા માટે કાયમ પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે અને જીવનનાં પ્રત્યેક દિવસમાં તેમનાં આદર્શો અનુસાર જીવવાનો મારો પ્રયાસ છે.

સ્વામીજીનું એક જાણિતું વિધાનછે, ભારતે આ દુનિયાને જીતવાની છે અને તેનાથી ઓછું કશું મને ખપશે નહિ. આપણા દેશને સામર્થ્યવાન બનાવવાનું સ્વામીજીનું સ્વપ્ન હતું અને તેમનાં સ્વપ્નનેવાસ્તવિકતા બનાવવાનીજવાબદારી હવે આપણી ઉપર છે.

સ્વામીજીનાં ભારત માટેનાં સ્વપ્નનેહકીકતબનાવવા માટે પુરુષાર્થ કરવાદ્વારાજ આપણે તેમનાં આદર્શોને સાચા અર્થમાંજીવનમાં ઉતારી શકીશું.

તેમણે એક સમર્થ અને સમૃધ્ધ, ‘સમરસ ભારત અને જગદગુરુ ભારતની કલ્પના કરી હતી.

આજે ફરી દેશની અંદરનાં નકારાત્મકમાનસિકતા ધરાવતા પરિબળો અને દેશબહારનાં શત્રુઓ દ્વારાઆપણા દેશની શાંતિઅને સોહાર્દની કસોટીથઈ રહી છે. કસોટીનાં આ કાળમાં સ્વામીજીનું શિકાગો ખાતેનું પ્રખ્યાત વક્તવ્ય યાદ કરવું જોઈએ જેમાં તેમણે અન્યાય અને અસહિષ્ણુતાનો વિરોધ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.



...સાંપ્રદાયિક વલણો
,
અન્યાય અને તેમાંથી જ પેદા થનાર ભયંકર ધર્માંધતા જેવી બાબતોએ સમયે-સમયે આ દુનિયાને હિંસા અને માનવસંહારથી ભરી દીધી છે
,
સંસ્કૃતિઓનો ખાત્મો બોલાવ્યો છે અને આ દુનિયાનાં દેશોને નિરાશામાં ધકેલી દીધા છે. જો આ ભયાનક અને શેતાની બાબતો આપણી વચ્ચે ન હોત તો આ દુનિયા આજે છે તેનાં કરતા ઘણી આગળ હોત

.આજની આ ધર્મસભા એ ધર્માંધતાનો મૃત્યુઘંટ છે
,
તલવાર કે કલમોથી ખેલાતા એ તમામ યુધ્ધોનો અને એક જ અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા મથતા વિવિધ ધાર્મિક સંપ્રદાયો વચ્ચેનાં વૈમનસ્યનો આ મૃત્યુઘંટ છે.

સ્વામીજી દેશનાં યુવાનોનેખૂબજમહત્વઆપતા. યુવાનો પોતાનાજીવનનું ઘડતર કરે, પોતાની મહત્વાકાંક્ષાઓ સિધ્ધ કરે અને સાથેસાથે દેશનાં પાયાને મજબુત બનાવે એ માટે તેમનેજરૂરીકૌશલ્ય-હુન્નરથી સજ્જ બનાવવા ઉપર તેમણેભારમૂક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આજની આ આધુનિક યુવાપેઢી પર મને આશા છે, મારા કાર્યકરો આ પેઢીમાંથી જ આવશે. તેઓ સિંહની જેમ દુનિયાનાં પ્રશ્નોનું નિરાકરણ લાવશે.

આજનાં દિવસે આપણે સ્વામી વિવેકાનંદને ભાવભીની શ્રધ્ધાંજલિ પાઠવીએ.

 

આપનો,

નરેન્દ્ર મોદી

  • Jitendra Kumar May 09, 2025

    ❤️🇮🇳🙏
  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
  • rajiv Ghosh February 13, 2024

    abki baar 400 paar, Modi ji jindabad
  • Uma tyagi bjp January 10, 2024

    जय श्री राम
  • Lalruatsanga January 07, 2024

    good
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • G.shankar Srivastav September 01, 2022

    नमस्ते 👋
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
New firms registrations up 29% in May: MCA

Media Coverage

New firms registrations up 29% in May: MCA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.