QuoteThe person at Railway Station was Narendra Modi, The person in the Royal Palace in London is the 'Sevak' of 125 crore Indians: PM #BharatKiBaat
QuoteIndia is increasingly getting aspirational; days of incremental change are over: PM Modi #BharatKiBaat
QuoteWhen policies are clearly laid out and intentions are fair then with the existing system one can get desired results: PM Modi #BharatKiBaat
QuoteMahatma Gandhi turned the struggle for independence into a mass movement. In the same way, development should now become a 'Jan Andolan': PM #BharatKiBaat
QuoteDemocracy is not any contract or agreement, it is about participative governance: PM Modi #BharatKiBaat
QuoteThrough surgical strike, our Jawans gave befitting reply to those who export terror: PM Modi #BharatKiBaat
QuoteWe believe in peace. But we will not tolerate those who like to export terror. We will give back strong answers and in the language they understand. Terrorism will never be accepted: PM #BharatKiBaat
QuoteI am like any common citizen. And, I also have drawbacks like normal people do: PM Modi #BharatKiBaat
QuoteHard work, honesty and the affection of 125 crore Indians are my assets: PM Narendra Modi #BharatKiBaat
QuoteWe have a million problems but we also have a billion people to solve them: PM Modi #BharatKiBaat
QuoteBhagwaan Basaweshwar remains an inspiration for us even today. He spent his entire life in uniting the society: PM #BharatKiBaat
QuoteWe have left no stone unturned to bring about a positive change in the country: PM Modi #BharatKiBaat
QuoteWe are ensuring farmer welfare. We want to double their incomes by 2022: PM Modi #BharatKiBaat
QuoteThe 125 crore Indians are my family: Prime Minister Narendra Modi #BharatKiBaat
QuoteWe live in a technology driven society today. In the era of artificial intelligence, we cannot refrain from embracing technology: PM Modi #BharatKiBaat
Quote“Bharat Aankh Jhukaakar Ya Aankh Uthaakar Nahi Balki Aankh Milaakar Baat Karne Mein Vishwaas Karta Hai”: PM Narendra Modi #BharatKiBaat
QuoteConstructive criticism strengthens democracy: PM Modi #BharatKiBaat
QuoteAlways remember our country, not Modi... I have no aim to be in history books: PM #BharatKiBaat

યુકેના લંડન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત કી બાત સબ કે સાથ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વના શ્રોતાઓ સમક્ષ વાતચીત કરી હતી.

તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. શ્રોતાઓ સાથેના આ વાર્તાલાપનાં મુખ્ય અંશો અહીં રજૂ કર્યા છે.

રેલવે સ્ટેશન મારા જીવનનું સ્વર્ણિમ પૃષ્ઠ છે જેણે મને જીવતા અને ઝઝૂમતા શીખવ્યું.

રેલવે સ્ટેશન પર જે વ્યક્તિ હતા તે નરેન્દ્ર મોદી હતા. લંડનમાં રોયલ પેલેસમાં જે વ્યક્તિ છે તે 125 કરોડ ભારતવાસીઓનો સેવક છે.

રેલવે સ્ટેશનના મારા જીવને મને ઘણું શીખવ્યું છે. તે મારો અંગત સંઘર્ષ હતો. તમે જ્યારે રોયલ પેલેસ કહો છો તે હું નથી પરંતુ ભારતના 125 કરોડ દેશવાસીઓ છે.

અધીરાઇ ખરાબ વસ્તુ નથી. જો કોઈ વ્યક્તિ પાસે સાઇકલ હોય તો તે સ્કૂટરની આકાંક્ષા ધરાવતો હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્કૂટર હોય તો તે કારની અપેક્ષા રાખે છે. આ આકાંક્ષાઓ કુદરતી છે. ભારત સતત અપેક્ષિત રહ્યું છે.

જે ક્ષણે સંતોષનો ભાવ પેદા થાય છે ત્યાર પછી જીવન આગળ વધતું નથી. દરેક વય, દરેક યુગ કાંઇકને કાંઇક નવું પામવાની ગતિ આપે છે.

|

જુસ્સો હોવો જરૂરી છે. મને આનંદ છે કે આજે સવા સો કરોડ લોકોના મનમાં એક ઉમંગ, આશા અને સંકલ્પનો ભાવ છે અને લોકો મારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે.

હું ઇતિહાસના પાનાઓ પર નોંધાવવાના હેતુસાથેનથી આવ્યો. હું વિનંતી કરું છું કે તમે બધા દેશને યાદ રાખો નહીં કે મોદીને. હું પણ તમારા જેવો જ છું. ભારતનો એક સામાન્ય નાગરિક.

હા, લોકોને અમારી પાસેથી વધુ અપેક્ષાઓ છે કેમ કે તેમને ખબર છે કે અમે એ અપેક્ષાઓને અમે પૂરી કરી શકીશું. લોકો જાણે છે કે જ્યારે લોકો કાંઇક કહીએ છીએ ત્યારે સરકાર તેમનું સાંભળે છે અને તેમ કરે છે.
લોકોને મારી પાસેથી અપેક્ષા એટલા માટે છે કેમ કે તેમને ભરોસો છે કે અમે તેમ કરી દેખાડીશું.

રાહ જોવી મારા માટે ઊર્જા છે અને જ્યારે તમે સર્વજન હિતાય, સર્વજન સુખાયનો સંકલ્પ લઈને ચાલો છો તો નિરાશાની વાત આવતી જ નથી.

|

‘ત્યારે અને હવે’માં જમીન-આસમાનનો તફાવત છે કેમ કે, જ્યારે નીતિ સ્પષ્ટ હોય, દાનત સાફ હોય અને હેતુ પ્રામાણિક હોય તો એ જ વ્યવસ્થા સાથે તમે ઇચ્છિત પરિણામ લાવી શકો છો.

સ્વતંત્રતાની લડત દરમિયાન મહાત્મા ગાંધીએ કંઇક અલગ કર્યું હતું. તેમણે સ્વતંત્રતાની લડતને સામૂહિક ચળવળમાં પરિવર્તિત કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિ જે કાંઈ કરે છે તે દેશની સ્વતંત્રતામાં યોગદાન ગણાશે.

આજે સમયની માંગ છે કે વિકાસને લોકો જન આંદોલન બનાવે.

લોકશાહીમાં સામેલ થાઓ તો જ સારૂ સંચાલન શક્ય બનશે.

લોકશાહી એ કોઈ કરાર કેસંધી નથી તે ભાગીદારીનું કાર્ય છે. જનતા જનાર્દનની તાકાત ઘણી મોટી હોય છે અને તેના પર ભરોસો રાખવો પડશે, તેના પરિણામો જોવા મળશે.

ભારતના ઇતિહાસ પર નજર કરો. ભારતે ક્યારેય અન્ય કોઈના પ્રાંતની ઇચ્છા સેવી નથી. પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં આપણો કોઈ સ્વાર્થ ન હતો પણ આપણા સૈનિકોએ તેમાં ભાગ લીધો. આ એક મોટું બલિદાન હતું. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ દળમાં આપણી ભૂમિકા જુઓ.

|

અમે શાંતિમાં માનીએ છીએ પરંતુ અમે એ લોકોને પણ સહન નહીં કરીએ જેઓ આતંકવાદ ફેલાવે છે. અમે તેમને કડક જવાબ આપીશું અને તેઓ સમજે છે તે ભાષામાં તેમને જવાબ આપીશું. આતંકવાદ ક્યારેય સ્વીકાર્ય નથી.

જે લોકો આતંકવાદ ઇચ્છે છે તેમને હું કહેવા માગું છું કે ભારત બદલાઈ ગયું છું અને તેમના આ કૃત્યો સહન નહીં કરે.

ગરીબી સમજવા માટે મારે પુસ્તકો વાંચવાની જરૂર નથી. હું ગરીબીમાં જીવ્યો છું. હું જાણું છું કે ગરીબ હોવું કે સમાજના પછાત વર્ગમાંથી આવવું તે શું છે. હું ગરીબો, વંચિતો અને સીમાંત લોકો માટે કાર્ય કરવા માગું છું
18,000 ગામડાઓમાં વિજળી ન હતી. ઘણી બધી મહિલાઓ માટે શૌચાલય ન હતા. દેશની આ વાસ્તવિકતાને કારણે મને ઉંઘ આવતી નહોતી. ભારતના ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે હું પ્રતિબદ્ધ છું.
હું દેશનો એક સામાન્ય નાગરિક છું. અને, સામાન્ય લોકોમાં હોય છે તેમ મારી પણ કેટલીક નબળાઈઓ છે.

મારી મૂડી છે – કઠોર પરિશ્રમ, પ્રામાણિકતા અને સવા સો કરોડ લોકોનો પ્રેમ.

મેં દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે હું ભૂલ કરી શકું છું પરંતુ ખોટા ઇરાદાથી કોઈ કામ નહીં કરું.
આપણી પાસે લાખો સમસ્યા છે પરંતુ તેનાસમાધાન માટે કરોડો લોકો પણ છે.

દેશમાં વેલનેસ સેન્ટર હોય કે પ્રિવેન્ટિવ હેલ્થકેર હોય અમે તમામ ભારતીયોના સ્વાસ્થ્યમાટે કામ કરી રહ્યા છે.
લંડનમાં હું એક વસ્તુ કરવા માગતો હતો અને તે હતી ભગવાન બસવેશ્વરને અંજલિ આપવી.

|

ભગવાન બસવેશ્વરે લોકશાહી માટે પોતાનું સમગ્ર જીવન હોમી દીધું અને સમાજને જોડવાનું અભૂતપૂર્વ કામ કર્યું છે.

લોકશાહી, સામાજિક ચેતના અને નારી સશક્તિકરણ માટે ભગવાન બસવેશ્વરે કરેલા પ્રયાસોસૌને માટે પ્રેરણાસ્રોત છે.

અમે એક એવી પ્રણાલી બનાવી રહ્યા છીએ જેમાં તમામ માટે અવસર હોય.

આજે અમે ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ પછી તે 2022 સુધીમાં કૃષિ મારફતે થનારી આવકને બમણી કરવાનું લક્ષ્ય હોય, યુરિયા સરળતાથી મળી રહે તેની વાત હોય કે યુરિયાનું નીમ-કોટિંગ હોય. અમે એક ચોક્કસ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ.

ગમે તે પેરામીટર હોય, દેશ માટે સારૂ કરવામાં અમે કોઈ ખામી રાખી નથી.

ભારતના 125 કરોડ લોકો મારો પરિવાર છે.

આજે આપણે આર્ટિફિશિયર ઇન્ટેલિજન્સના યુગમાં જીવી રહ્યા છીએ અને આપણે ટેકનોલોજીથી અલગ રહી શકીએ નહીં.

ભારતના પ્રધાનમંત્રીને ઇઝરાયલ જતાં કોણ રોકી રહ્યું હતું. હા, હું ઇઝરાયેલ ગયો અને હું પેલેસ્ટાઇન પણ ગયો. હું સાઉદી અરેબિયા સાથ પણ સહકાર સાધીશ અને ભારતને ઊર્જાની જરૂર પડશે તો હું ઇરાન પણ જઇશ.
ભારત નજર ઝુકાવીને કે નજર ઉઠાવીને પણ નહીં પરંતુ નજર મિલાવીને વાત કરવામાં વિશ્વાસ ધરાવે છે.
યોગ્ય ટીકા વિના લોકશાહી સફળ થઈ શકતી નથી.

હું ઇચ્છીશ કે આ સરકારની ટીકા થાય. ટીકા, આલોચનાથી જ લોકશાહી મજબૂત બને છે.

મારી સમસ્યા ટીકા, આલોચનાનો વિરોધ કરવાની નથી. ટીકા કરવા માટે જે તે વ્યક્તિએ સંશોધન કરવું પડે છે અને યોગ્ય હકીકતો જાણવી પડે છે. અત્યારે આમ બનતું નથી. તેને બદલે જે કાંઈ બને છે તે આક્ષેપો છે.
ઇતિહાસમાં નામ અંકિત કરવું મારું લક્ષ્ય નથી. હું પણ એવો જ છું જેવા મારા સવા સો કરોડ દેશવાસીઓ છે.
હું ઇતિહાસમાં નામ અંકિત કરાવવાના હેતુસાથ જન્મ્યો ન હતો. હું વિનંતી કરું છું કે બધા આપણા દેશને યાદ કરે નહીં કે મોદીને. હું પણ તમારા જેવો જ છું, ભારત દેશનો એક સામાન્ય નાગરિક.

|

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Blood boiling but national unity will steer Pahalgam response: PM Modi

Media Coverage

Blood boiling but national unity will steer Pahalgam response: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh
April 27, 2025
QuotePM announces ex-gratia from PMNRF

Prime Minister, Shri Narendra Modi, today condoled the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The Prime Minister's Office posted on X :

"Saddened by the loss of lives in an accident in Mandsaur, Madhya Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"