QuoteAt this moment, we have to give utmost importance to what doctors, experts and scientists are advising: PM
QuoteDo not believe in rumours relating to vaccine, urges PM Modi
QuoteVaccine allowed for those over 18 years from May 1: PM Modi
QuoteDoctors, nursing staff, lab technicians, ambulance drivers are like Gods: PM Modi
QuoteSeveral youth have come forward in the cities and reaching out those in need: PM
QuoteEveryone has to take the vaccine and always keep in mind - 'Dawai Bhi, Kadai Bhi': PM Modi

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે આપની સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના, આપણા બધાના ધૈર્ય, આપણા બધાના દુઃખ સહન કરવાની મર્યાદાની કસોટી કરી રહ્યો છે. ઘણાંય આપણા, આપણને ખોટા સમયે છોડીને જતા રહ્યા છે. કોરોનાના પહેલા વેવનો સફળતાપૂર્વક સામનો કર્યા બાદ, દેશ ઉત્સાહથી ભરેલો હતો, આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ આ તોફાને દેશને હચમચાવી નાખ્યો છે.

સાથીઓ, વિતેલા દિવસોમાં આ સંકટ સાથે લડવા માટે, મારી અલગ અલગ સેક્ટરના એક્સપર્ટ્સ સાથે, તજજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રીના લોકો હોય, વેક્સિન મેન્યુફેક્ચરર્સ હોય, ઓક્સિજનના પ્રોડક્શન સાથે જોડાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર, તેમણે પોતાના મહત્વપૂર્ણ સૂચનો સરકારને આપ્યા છે. આ સમયમાં, આપણે આ લડાઈને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં, ભારત સરકાર પૂર્ણ ક્ષમતા સાથે જોડાઈ ગઈ છે. રાજ્ય સરકારો પણ તેમની જવાબદારી નિભાવવાની પૂરી કોશિશ કરી રહી છે.

સાથીઓ, કોરોના સામે, આ સમયે બહુ મોટી લડાઈ, દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ લડી રહ્યા છે. ગત એક વર્ષમાં તેમને આ બિમારીને લઈને દરેક પ્રકારના અનુભવ પણ થયા છે. આપણી સાથે, અત્યારે મુંબઈના પ્રસિદ્ધ ડોક્ટર શશાંક જોશીજી જોડાઈ રહ્યા છે. 

ડોક્ટર શશાંકજીને કોરોનાના ઈલાજ અને તેનાથી જોડાયેલા સંશોધનનો ઘણો જ બહોળો અનુભવ છે, તેઓ ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝીસીઅન્સના ડીન પણ રહી ચૂક્યા છે. આવો વાત કરીએ ડોક્ટર શશાંક સાથે.

મોદીજી – નમસ્કાર ડો.શશાંકજી 

ડો.શશાંક – નમસ્કાર સર 

મોદીજી – હમણાં થોડા દિવસો પહેલાં જ આપની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. આપના વિચારોની સ્પષ્ટતા મને ઘણી જ સારી લાગી હતી. મને લાગ્યું કે દેશના બધા નાગરિકોએ તમારા વિચારો જાણવા જોઈએ. જે વાતો સાંભળવામાં આવે છે તેને જ એક સવાલ રૂપે આપની સામે પ્રસ્તુત કરું છું. ડો.શશાંક – તમે લોકો આ સમયમાં દિવસ-રાત જીવન રક્ષાના કામમાં લાગેલા છો, સૌથી પહેલા તો હું ઈચ્છીશ કે તમે સેકન્ડ વેવ વિશે લોકોને જણાવો. મેડિકલી એ કેવી રીતે અલગ છે અને શું શું સાવધાની રાખવી જરૂરી છે.

ડો. શશાંક – ધન્યવાદ સર, આ જે બીજી લહેર (વેવ) આવી છે, તે ઝડપથી આવેલ છે. તે જે પહેલો વેવ હતો, તેનાથી આ વાયરસ વધારે ઝડપથી ચાલી રહ્યો છે, પરંતુ સારી વાત એ છે કે તેનાથી વધુ ઝડપથી રિકવરી પણ છે અને મૃત્યુદર ઘણો જ ઓછો છે. તેમાં બે-ત્રણ ફેરફાર છે, પહેલાં તો એ કે તે યુવાનોમાં અને બાળકોમાં પણ થોડો જોવા મળી રહ્યો છે. તેના લક્ષણ છે, પહેલાં જેવા લક્ષણ હતા, શ્વાસ ચઢવો, સૂકી ઉધરસ આવવી, તાવ આવવો, એ બધું તો ઠીક છે અને તેની સાથે થોડી સુગંધ જતી રહેવી, સ્વાદ જતો રહેવો તે પણ છે. અને લોકો થોડા ભયભીત થયા છે. ભયભીત થવાની જરા પણ જરૂર નથી. 80-90 ટકા લોકોમાં આમાંથી કોઈપણ લક્ષણ જોવા મળતાં નથી, આ મ્યૂટેશન – મ્યૂટેશન- જે કહેવાય છે, ગભરાવાની જરૂર નથી. આ મ્યૂટેશન થતા રહે છે જેમ કે આપણે કપડાં બદલાવીએ છીએ તેવી જ રીતે વાયરસ પણ પોતાના રંગ બદલતો રહે છે અને તેથી જરા પણ ડરવાની જરૂર નથી અને આ વેવ ને આપણે ચોક્કસ પસાર કરી દેશું. વેવ આવતો-જતો રહે છે, અને આ વાયરસ આવતો-જતો રહેતો હોય છે તો આ જ અલગ-અલગ લક્ષણ છે અને મેડિકલી આપણે સાવધાન રહેવું જોઈએ. એક 14 થી 21 દિવસનું આ કોવિડનું ટાઈમટેબલ છે જેમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

મોદીજી – ડો. શશાંક, મારા માટે પણ આપે જે એનાલિસીસ જણાવ્યું, ઘણું જ રસપ્રદ છે, મને કેટલાય પત્રો મળ્યા છે, જેમાં ટ્રીટમેન્ટ વિશે પણ લોકોમાં ઘણી આશંકાઓ છે, કેટલીક દવાઓની માગ ઘણી જ વધારે છે, તેથી હું ઈચ્છું છું કે કોવિડની ટ્રિટમેન્ટ વિશે પણ આપ લોકોને જરૂર જણાવો. 

ડો.શશાંક – હા, સર... લોકો ક્લિનિકલ ટ્રિટમેન્ટ ઘણી મોડી ચાલુ કરે છે અને પોતાની રીતે બિમારી દબાઈ જશે તેવો ભરોસો રાખે છે, અને મોબાઈલ પર આવતી વાતો પર ભરોસો રાખે છે, અને જો સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરે તો આ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો કોવિડમાં ક્લિનિક ટ્રિટમેન્ટ પ્રોટોકોલ છે, તેમાં ત્રણ પ્રકારની તિવ્રતા છે, હલકો કે માઈલ્ડ કોવિડ, મધ્યમ કે મોડરેટ કોવિડ અને તીવ્ર કોવિડ જેને સિવિયર કોવિડ કહે છે, તેના માટે છે. તો જે હલકો કોવિડ છે તેના માટે તો આપણે ઓક્સિજનનું મોનિટરિંગ કરીએ છીએ, પલ્સનું મોનિટરિંગ કરીએ છીએ, તાવનું મોનિટરિંગ કરીએ છીએ, તાવ વધી જાય તો ક્યારેક પેરાસેટામોલ જેવી દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણા ડોક્ટર્સ સાથે સંપર્ક કરવો જોઈએ, જે મોડરેટ કોવિડ હોય છે, મધ્યમ કોવિડ હોય છે, અથવા તીવ્ર કોવિડ હોય છે તો તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો બહુ જ જરૂરી છે. સાચી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. તેમાં સ્ટિરોઈડ જે છે તે જીવન બચાવી શકે છે, જે ઈન્હેલર્સ આપી શકે છે, ટેબ્લેટ આપણે આપી શકીએ છીએ અને સાથે જ પ્રાણ-વાયુ જે ઓક્સિજન છે તે આપવું પડે છે અને તેને માટે નાની-નાની સારવાર છે પરંતુ ઘણીવાર શું થાય છે કે એક નવી experimental દવા છે જેનું નામ છે રેમડેસિવીર. આ દવાથી એક વાત એ ચોક્કસ છે કે હોસ્પિટલમાં બે-ત્રણ દિવસ ઓછું રહેવું પડે છે અને ક્લિનિકલ રિકવરીમાં તેની થોડી સહાય હોય છે. આ દવા પણ ક્યારે કામ કરે છે, જ્યારે પહેલા 9-10 દિવસમાં આપવામાં આવે છે અને તે પાંચ જ દિવસ આપવી પડે છે, તો આ લોકો જે દોડી રહ્યા છે રેમડેસિવીરની પાછળ, તેમ જરા પણ દોડવું જોઈએ નહીં. આ દવાનું થોડું કામ છે, જેમને ઓક્સિજન લાગે છે, પ્રાણવાયુ ઓક્સિજન લાગે છે, જે હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડોક્ટર જ્યારે કહે ત્યારે જ લેવી જોઈએ. આ તો બધા લોકોએ સમજવું ઘણું જ જરૂરી છે. આપણે પ્રાણાયામ કરીશું, આપણા શરીરના જે ફેફસાં છે તેને થોડા expand કરીશું અને આપણું લોહી પાતળું કરવા માટેનું જે ઈન્જેક્શન આવે છે જેને આપણે heparin કહીએ છીએ. આવી નાની-નાની દવાઓ આપીશું તો 98 ટકા લોકો સાજા થઈ જાય છે. તો સકારાત્મક રહેવું ઘણું જ જરૂરી છે. ટ્રિટમેન્ટ પ્રોટોકોલ વૈદ્યની સલાહ અનુસાર લેવું ઘણું જરૂરી છે. અને આ જે મોંઘી મોંઘી દવાઓ છે, તેની પાછળ દોડવાની કોઈ જ જરૂર નથી સર, આપણી પાસે સારી સારવાર ચાલુ છે, પ્રાણવાયુ ઓક્સિજન છે, વેન્ટિલેટરની પણ સુવિધા છે, બધું જ છે સર, અને ક્યારેક ક્યારેક આ દવાઓ જો મળી પણ જાય છે તો યોગ્ય લોકોને જ આપવી જોઈએ તો તેને માટે ઘણો જ ભ્રમ ફેલાયેલો છે અને તેથી એ સ્પષ્ટિકરણ કરવા માંગુ છું સર કે આપણી પાસે દુનિયાની સૌથી બેસ્ટ ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે, તમે જોશો કે ભારતમાં સૌથી સારો રિકવરી રેટ છે. જો તમે compare કરો યુરોપ સાથે, અમેરિકા ત્યાં કરતાં આપણે ત્યાંના ટ્રિટમેન્ટ પ્રોટોકોલથી દર્દી સાજા થઈ રહ્યા છે સર.. 

મોદી જી – ડો. શશાંક તમારો ખૂબ ખૂબ આભાર.

ડોક્ટર શશાંકે જે જાણકારી આપણને આપી, તે બહુ જ જરૂરી છે અને આપણને બધાને કામ આવશે.

સાથીઓ, હું તમને આગ્રહ કરું છું કે તમને જો કોઈ પણ જાણકારી જોઈતી હોય, કોઈ શંકા હો, તો સાચા source પાસેથી જ જાણકારી લો. તમારા જે ફેમીલી ડોક્ટર હોય, આસપાસના જે ડોક્ટર્સ હોય, તમે તેમની સાથે ફોન પર સંપર્ક કરીને સલાહ લો. હું જોઈ રહ્યો છું કે આપણા ઘણાં ડોક્ટર પોતે પણ આ જવાબદારી ઉઠાવી રહ્યા છે. કેટલાય ડોક્ટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી રહ્યા છે. ફોન પર, વોટ્સએપ પર પણ કાઉન્સેલિંગ કરી રહ્યા છે. કેટલીયે હોસ્પિટલોની વેબસાઈટ છે, જ્યાં જાણકારી પણ ઉપલબ્ધ છે, અને ત્યાં આપ ડોક્ટર્સ સાથે પરામર્શ પણ કરી શકો છો. તે ઘણું જ પ્રશંસનિય છે. 

મારી સાથે શ્રીનગરથી ડોક્ટર નાવીદ નજીર શાહ જોડાઈ રહ્યા છે. ડોક્ટર નાવીદ શ્રીનગરની એક ગર્વન્મેન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. નાવીદજી પોતાની દેખરેખ હેઠળ ઘણાએ કોરોના દર્દીઓને સાજા કરી ચૂક્યા છે અને રમજાનના આ પવિત્ર મહિનામાં ડો. નાવીદ પોતાનું કાર્ય પણ નિભાવી રહ્યા છે, અને તેમણે આપણી સાથે વાતચીત માટે સમય પણ કાઢ્યો છે. આવો તેમની સાથે જ વાત કરીએ. 

મોદી જી – નાવીદ જી નમસ્કાર... 

ડો.નાવીદ – નમસ્કાર સર... 

ડોક્ટર નાવીદ મન કી બાત ના અમારા શ્રોતાઓએ આ મુશ્કેલ સમયમા પેનિક મેનેજમેન્ટનો સવાલ ઉઠાવ્યો છે. આપ આપના અનુભવથી તેમને શું જવાબ આપશો ? 

ડો. નાવીદ – જુઓ જ્યારે કોરોના શરૂ થયો હતો ત્યારે કાશ્મીરમાં સૌથી પહેલા હોસ્પિટલ ડેઝિગ્નેટ થઈ As Covid hospital, તે અમારી સીટી હોસ્પિટલ હતી. જે મેડિકલ કોલેજ હેઠળ આવે છે. તો તે સમયે એક ડરનું વાતાવરણ હતું. લોકોમાં તો હતો જ અને કદાચ તેઓ સમજતા હતા કે કોવિડનું ઈન્ફેક્શન જો કોઈને થઈ જાય તો death sentence માનવામાં આવશે, અને તેવામાં અમારી હોસ્પિટલમાં ડોક્ટર સાહેબો અથવા પેરા-મેડિકલ સ્ટાફ કામ કરતા હતા, તેમનામાં પણ એક ડરનું વાતાવરણ હતું કે અમે આ દર્દીઓને કેવી રીતે face કરીશું, અમને ઈન્ફેક્શન થવાનો ખતરો તો નથી ને. પરંતુ જેમ ટાઈમ પસાર થયો, અમે પણ જોયું કે જો સંપૂર્ણ રીતે આપણે જે protective gear પહેરવાની જે પ્રથા છે તેના પર અમલ કરીએ તો આપણે પણ સુરક્ષિત રહી શકીએ છીએ અને અમારો જે બાકીનો સ્ટાફ છે તે પણ સુરક્ષિત રહી શકે છે અને આગળ-આગળ અમે જોતા ગયા કે દર્દીઓ કે કેટલાક લોકો જેઓ બિમાર હતા, જે asymptomatic, જેમનામાં બિમારીના કોઈ જ લક્ષણ નહોતા. અમે જોયું લગભગ લગભગ 90-95 ટકા થી વધુ જે દર્દી છે તેઓ without in medication પણ સાજા થઈ જાય છે. તો સમય એવી રીતે પસાર થતો ગયો, લોકોમાં કોરોનાનો જે ડર હતો તે ઘણો જ ઓછો થઈ ગયો. આજની જ વાત આ જે સેકન્ડ વેવ જે આ વખતે આવ્યો છે, આ કોરોનામાં આ સમયમાં પણ આપણે પેનિક થવાની જરૂર નથી. આ સમયે પણ જે protective measures છે, જે SOPs છે, જો તેના પણ આપણે અમલ કરીશું જેમ કે માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, તેના ઉપરાંત ફિઝીકલ ડિસ્ટન્સ મેઈન્ટેઈન કરવું કે social gathering avoid કરીએ- તો આપણે આપણા રોજના કામ પણ ઘણી સારી રીતે કરી શકીએ છીએ અને આ બિમારીથી પ્રોટેક્શન પણ મેળવી શકીએ છીએ.

મોદી જી – ડો. નાવિદ વેક્સિનને લઈને પણ લોકોના કેટલાય સવાલો છે, જેમ કે વેક્સિનથી કેટલી સુરક્ષા મળશે, વેક્સિન પછી કેટલા ખાતરીબદ્ધ થઈ શકીએ? આપ કંઈક વાત તેની જણાવો તો શ્રોતાઓને ઘણો જ લાભ થશે. 

ડો.નાવીદ – જ્યારે કોરોનાનું ઈન્ફેક્શન સામે આવ્યું ત્યારથી લઈને આજ સુધી આપણી પાસે કોવિડ-19 માટે કોઈ જ effective treatment available નથી, તો આપણે આ બિમારી સામે લડત માત્ર બે ચીજથી આપી શકીએ, એક તો protective measures અને અમે પહેલેથી જ કહી રહ્યા હતા કે જો કોઈ ઈફેક્ટિવ વેક્સિન આપણી પાસે આવે તો તે આપણને આ બિમારીથી છૂટકારો અપાવી શકે છે અને આપણા દેશમાં બે વેક્સિન આ સમયે ઉપલબ્ધ છે, કોવેક્સિન અને કોવિશિલ્ડ છે જે અહીંયા જ બનેલી વેક્સિન છે. અને કંપનીઓ પણ જે trials કરી છે, તેમા પણ જોવામાં આવ્યું કે તેની efficacy જે છે તે 60 ટકાથી પણ વધારે છે, અને જો આપણે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અમારી UT માં અત્યારસુધી 15થી 16 લાખ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. હા.. સોશિયલ મીડિયામાં ઘણાં તેના misconception કે myths છે તેમાં આવ્યું હતું કે આ..આ સાઈડ ઈફેક્ટ છે. અત્યારસુધી આપણે ત્યાં જેણે પણ વેક્સિન લીધી છે, કોઈ સાઈડ ઈફેક્ટ તેમનામાં જોવા મળી નથી. માત્ર, જે સામાન્ય કોઈ વેક્સિન સાથે associated હોય છે, કોઈને તાવ આવવો, આખા શરીરમાં દુખાવો અથવા local site જ્યાં ઈન્જેક્શન આપવામાં આવે છે ત્યાં દુખાવો થવો -તેવી જ સાઈડ ઈફેક્ટ્સ અમે બધા દર્દીઓમાં જોઈ છે, કોઈ અમે adverse effect નથી જોઈ. અને હા બીજી વાત, લોકોમાં એ પણ આશંકા છે કે કેટલાક લોકો after vaccination એટલે કે રસી લીધા બાદ પોઝીટીવ થઈ ગયા. તેમાં કંપની તરફથી જ ગાઈડલાઈન છે કે જેણે રસી લીધી છે, ત્યારબાદ તેનામાં ઈન્ફેક્શન લાગે છે, તો તે પોઝીટીવ થઈ શકે છે. પરંતુ બિમારીની જે severity છે, એટલે કે બિમારીની ગંભીરતા જે છે, તે દર્દીઓમાં એટલી બધી નહીં હોય એટલે કે તેઓ પોઝીટીવ થઈ શકે છે પરંતુ જે બિમારી છે તે એક જીવલેણ બિમારી તેમને માટે સાબિત નથી થઈ શકતી. તેથી જે પણ આ misconception છે વેક્સિન વિશે, તેને આપણે મનમાંથી કાઢી નાખવું જોઈએ અને જેનો-જેનો વારો આવ્યો- કારણ કે 1 મે થી આપણા આખા દેશમાં 18 વર્ષથી વધુની ઉંમરના જે લોકો છે તેમને વેક્સિન લગાવવાનો કાર્યક્રમ શરૂ થશે, તો લોકોને અપીલ એ જ કરીશું કે આપ આવો, વેક્સિન લઈ લો અને પોતાને પણ સુરક્ષિત કરો અને ઓવરઓલ આપણી society અને આપણી community કોવિડ-19ના ઈન્ફેક્શનથી સુરક્ષિત થઈ જશે. 

મોદી જી – ડો.નાવીદ આપનો ખૂબ ખૂબ આભાર અને આપને રમજાનના પવિત્ર મહિનાની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. 

ડો.નાવીદ- ખૂબ ખૂબ આભાર.. 

મોદી જી – સાથીઓ કોરોનાના આ સંકટમાં વેક્સિનનું મહત્વ સૌને સમજાઈ રહ્યું છે, તેથી મારો આગ્રહ છે કે વેક્સિનને લઈને કોઈપણ અફવા માં ન આવો. તમને બધાને ખ્યાલ જ હશે કે ભારત સરકાર તરફથી બધી રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી છે જેનો લાભ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકો લઈ શકે છે. હવે તો 1 મે થી દેશમાં 18 વર્ષની ઉપરની દરેક વ્યક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ થવાની છે. હવે દેશનું કોર્પોરેટ સેક્ટર, કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને વેક્સિન લેવાના અભિયાનમાં ભાગીદાર બની શકશે. મારે એ પણ કહેવું છે કે ભારત સરકાર તરફથી મફત વેક્સિનનો કાર્યક્રમ હમણાં જે ચાલી રહ્યો છે, તે આગળ પણ ચાલતો જ રહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે, કે તેઓ ભારત સરકારના આ મફત વેક્સિન અભિયાનનો લાભ પોતાના રાજ્યના વધુને વધુ લોકો સુધી પહોંચાડે.

સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે બિમારીમાં આપણા માટે, આપણા પરિવારની દેખરેખ કરવી, માનસિક રીતે કેટલું મુશ્કેલ હોય છે, પરંતુ આપણી હોસ્પિટલોના નર્સિંગ સ્ટાફને તો આ જ કામ સતત, કેટલાય દર્દીઓ માટે એકસાથે કરવાનું હોય છે. આ સેવાભાવ આપણા સમાજની બહુ જ મોટી તાકાત છે. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સેવા અને પરિશ્રમ વિશે સારી રીતે તો કોઈ નર્સ જ કહી શકે છે. તેથી મેં રાયપુરના ડોક્ટર બી.આર.આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલી સિસ્ટર ભાવના ધ્રુવ જીને મન કી બાતમાં આમંત્રિત કર્યા છે, તે અનેક કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આવો, તેમની સાથે વાત કરીએ. 

મોદી જી – નમસ્કાર ભાવના જી 

ભાવના – આદરણીય પ્રધાનમંત્રી જી...નમસ્કાર.. 

મોદી જી – ભાવના જી... 

ભાવના- Yes sir 

મોદી જી – મન કી બાત સાંભળનારાઓને તમે એ ચોક્કસ જણાવો કે તમારા પરિવારમાં આટલી બધી જવાબદારીઓ, આટલા બધા multitask અને તેના પછી પણ આપ કોરોનાના દર્દીઓ સાથે કામ કરી રહ્યા છો. કોરોનાના દર્દીઓ સાથે તમારો અનુભવ જે રહ્યો, તે ચોક્કસ દેશવાસીઓ સાંભળવા માંગશે કારણ કે સિસ્ટર જે હોય છે, નર્સ જે હોય છે જે દર્દીની એકદમ નજીક હોય છે અને સૌથી લાંબા સમય સુધી હોય છે તો તે બધી વસ્તુને બહુ બારિકાઈથી સમજી શકે છે. 

ભાવના – જી સર, મારો ટોટલ એક્સપિરિયન્સ કોવિડમાં સર, 2 મહિનાનો છે સર. અમે 14 દિવસ ડ્યૂટી કરીએ છીએ અને 14 દિવસ પછી અમને આરામ આપવામાં આવે છે. પાછા બે મહિના પછી અમારી આ કોવિડ ડ્યૂટી ફરીથી શરૂ થાય છે. જ્યારે સૌથી પહેલાં મારી કોવિડ ડ્યૂટી લાગી, તો સૌથી પહેલાં મેં મારા પરિવારજનોને આ કોવિડ ડ્યૂટીની વાત જણાવી.

આ મે મહિનાની વાત છે અને મેં, જેવું મેં share કર્યું કે બધા ડરી ગયા, ગભરાઈ ગયા અને મને કહેવા લાગ્યા કે બેટા સંભાળીને કામ કરજે, એક emotional situation હતી સર...વચ્ચે જ્યારે મારી દિકરીએ મને પૂછ્યું, mumma તમે કોવિડ ડ્યૂટી માટે જાવ છો, તો તે સમય મારા માટે ઘણી જ emotional moment હતી. પરંતુ જ્યારે હું કોવિડ દર્દી પાસે ગઈ, તો મેં એક જવાબદારી ઘરમાં છોડી દીધી અને જ્યારે હું કોવિડ દર્દીને મળી સર, તો તેઓ તેનાથી વધુ ગભરાયેલા હતા, કોવિડના નામથી બધા દર્દી એટલા ડરેલા હતા સર, કે તેમને સમજાતું નહોતું કે તેમની સાથે શું થઈ રહ્યું છે, અમે આગળ શું કરીશું. અમે તેમનો ડર દૂર કરવા માટે તેમને ઘણું જ સારું healthy environment આપ્યું સર... અમને જ્યારે આ કોવિડ ડ્યૂટી કરવાનું કહ્યું તો સર સૌથી પહેલાં અમને PPE Kit પહેરવાનું કહેવામાં આવ્યું સર, જે ઘણું જ મુશ્કેલ છે. PPE Kit પહેરીને ડ્યૂટી કરવી. સર એ ઘણું tough હતું અમારા માટે, મેં 2 મહિના ડ્યૂટીમાં દરેક જગ્યાએ 14-14 દિવસ ડ્યૂટી કરી, વોર્ડમાં, આઈસીયુમાં, આઈસોલેશનમાં સર.. 

મોદી જી – એટલે કે કુલ એક વર્ષથી તો આપ આ જ કામને કરી રહ્યા છો. 

ભાવના - Yes sir, ત્યાં જતાં પહેલાં મને ખબર નહોતી કે મારા colleagues કોણ છે. મેં એક ટીમ મેમ્બરની રીતે કામ કર્યું સર. તેમના જે પણ પ્રોબ્લેમ હતા, તેને share કર્યા, મેં દર્દીઓ વિશે જાણ્યું અને તેઓના stigma દૂર કર્યા સર, કેટલાય લોકો એવા હતા સર જે કોવિડના નામથી જ ડરતા હતા. એ બધા symptoms તેમનામાં દેખાતા હતા જ્યારે અમે તેમની history લેતા હતા, પરંતુ તેઓ ડરને કારણે તેઓ પોતાનો ટેસ્ટ નહોતા કરાવી શકતા, તો અમે તેમને સમજાવતા હતા અને સર, જ્યારે severity વધી જતી હતી ત્યારે તેમના lungs already infected થઈ ચૂક્યા હોય છે ત્યારે તેમને આઈસીયુની જરૂર રહેતી હતી, ત્યારે તેઓ આવતા હતા અને સાથે આખો પરિવાર આવતો હતો. તો આવા 1-2 કેસ મેં જોયા સર અને એવું પણ નથી, દરેક age group સાથે કામ કર્યું સર મેં. જેમાં નાનાં બાળકો હતા, મહિલા, પુરુષ, વડિલો, બધા જ પ્રકારના દર્દી હતા સર... તે બધા સાથે અમે વાત કરી તો બધાએ કહ્યું કે અમે ડરને કારણે ન આવી શક્યા, બધાનો અમને આ જ જવાબ મળ્યો સર. તો આપણે તેમને સમજાવીએ સર, કે ડર જેવું કંઈ નથી હોતું, તમે અમને સાથ આપો, અમે તમને સાથ આપીશું બસ તમે જે પણ પ્રોટોકોલ્સ છે તેને follow કરો, બસ હું આટલું જ તેમના માટે કરી શકી. 

મોદી જી – ભાવના જી, મને ઘણું જ સારું લાગ્યું આપની સાથે વાત કરીને, તમે ઘણી જ સારી માહિતી આપી છે. તમારા પોતાના અનુભવ ઉપરથી આપી છે, તો ચોક્કસ દેશવાસીઓને તેનાથી એક પોઝીટિવીટીનો મેસેજ જશે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવના જી... 

ભાવના - Thank you so much sir... Thank you so much... જય હિન્દ સર... 

મોદી જી – જય હિન્દ 

ભાવના જી અને નર્સિંગ સ્ટાફના તમારા જેવા હજારો-લાખો ભાઈ-બહેનો બહુ સારી રીતે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તે આપણા બધા માટે બહુ મોટી પ્રેરણા છે. આપ આપના સ્વાસ્થ્ય પર પણ વધારે ધ્યાન આપો. આપના પરિવારનું પણ ધ્યાન રાખો.

સાથીઓ, આપણી સાથે, અત્યારે બેંગલુરુથી સિસ્ટર સુરેખા જી પણ જોડાયા છે. સુરેખા જી K.C. General Hospital માં Senior Nursing Officer છે. આવો, તેમના અનુભવો પણ જાણીએ. 

મોદી જી – નમસ્તે સુરેખા જી... 

સુરેખા - I am really proud and honoured sir to speak to Prime Minister of our country. 

મોદી જી – સુરેખાજી, આપ આપના સાથી નર્સ અને હોસ્પિટલ સ્ટાફ સાથે મળીને બહુ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. ભારત દેશ આપનો આભારી છે. COVID-19 સામેની આ લડાઇમાં, નાગરીકો માટે આપનો શું સંદેશ છે.. 

સુરેખા - સુરેખા – યસ સર... એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું કંઈક એવું કહેવા માંગુ છું કે કૃપા કરીને તમારી આસપાસના લોકો માટે થોડા વિનમ્ર બનો અને પ્રારંભિક પરીક્ષણ અને યોગ્ય ટ્રેકિંગની મદદથી મૃત્યુ દર ઘટાડવામાં આપણને મદદ મળશે, તદુપરાંત, જો તમને કોઈ લક્ષણો જોવા મળે છે તો જાતે આઈસોલેટ થઈને નજીકના ડોકટરની સલાહ લો અને વહેલી તકે સારવાર મેળવો. શક્ય તેટલું ઝડપથી. તેથી, આપણા આખા સમુદાયને આ રોગ વિશે જાગરૂકતા, જાણવાની અને સકારાત્મક રહેવાની જરૂર છે, ગભરાશો નહીં અને કોઈ તણાવમાં આવશો નહીં. તે દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરે છે. અમે આપણી સરકારના ઘણાં આભારી છીએ અને વેક્સિન લેવા બદલ પણ ગર્વ અનુભવીએ છીએ અને મેં પણ વેક્સિન લઈ લીધી છે અને મારા સ્વાનુભવથી હું સમગ્ર દેશના નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈપણ વેક્સિન બહુ ઝડપથી 100 ટકા સુરક્ષા નથી આપતી. ઈમ્યૂનિટી વધારવા માટે થોડો સમય ચોક્કસ લાગે છે. વેક્સિન લેવા માટે જરા પણ ગભરાશો નહીં. કૃપા કરીને આપ વેક્સિન લઈ લો, તેની બહુ જ ઓછી સાઈડ ઈફેક્ટ છે અને હું એક સંદેશો ચોક્કસ વહેતો કરવા માંગીશ કે ઘરે રહો, સ્વસ્થ રહો, જે બિમાર છે તેવા લોકો સાથે સંપર્ક ટાળો અને નાક, આંખ અને મોં ને બિનજરૂરી સ્પર્શ કરવાનું ટાળો. મહેરબાની કરીને વ્યક્તિગત અંતર જાળવવાનો પ્રયત્ન કરો, બરાબર રીતે માસ્ક પહેરો, નિયમિતપણે હાથ ધોવાનું રાખો અને ઘરે જ રહીને તમે ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકો છો. મહેરબાની કરીને આયુર્વેદિક કાવો પીવો, વરાળ લો, રોજ mouth gargling કરો અને શ્વાસોચ્છવાસની કસરત પણ તમે કરી શકો છો. અને છેલ્લે બીજી એક વસ્તુ જે મહત્વની છે કે ફ્રન્ટલાઈન વર્કર્સ અને વ્યાવસાયિકો માટે સહાનુભૂતિ રાખો. અમને તમારા સપોર્ટ અને સહકારની જરૂર છે. આપણે સાથે મળીને લડીશું. આપણે આ રોગચાળામાંથી પસાર થઈ જઈશું અને લોકોને આ જ મારો સંદેશ છે સર... 

મોદી જી - Thank you Surekha ji. 

સુરેખા - Thank you sir. 

સુરેખા જી ખરેખર, તમે ઘણાં જ મુશ્કેલ સમયમાં મોરચો સંભાળીને બેઠા છો. આપ આપનું ધ્યાન રાખજો. આપના પરિવારને પણ મારી ઘણી ઘણી શુભેચ્છાઓ. હું દેશના લોકોને પણ આગ્રહ કરીશ કે જે ભાવના જી, સુરેખા જીએ તેમના અનુભવ પરથી જણાવ્યું છે. કોરોના સામે લડવા માટે પોઝીટીવ સ્પિરિટ ઘણો જ જરૂરી છે અને દેશવાસીઓએ તેને જાળવી રાખવાનો છે.

સાથીઓ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની સાથે-સાથે આ સમયમાં લેબ ટેક્નિશિયન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ પણ ભગવાનની જેમ કામ કરી રહ્યા છે. જ્યારે કોઈ એમ્બ્યુલન્સ કોઈ દર્દી સુધી પહોંચે છે તો તેને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દેવદૂત જેવા જ લાગે છે. તે બધાની સેવાઓ વિશે, તેમના અનુભવો વિશે, દેશે જરૂર જાણવું જોઈએ. મારી સાથે અત્યારે એવા જ એક સજ્જન છે – શ્રીમાન પ્રેમ વર્મા જી.., જે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે. તેમના નામ પરથી જ ખ્યાલ આવે છે કે પ્રેમ વર્મા જી પોતાના કામને, પોતાના કર્તવ્યને પૂરા પ્રેમ અને લગન સાથે કરે છે. આવો તેમની સાથે વાત કરીએ.... 

મોદી જી - નમસ્તે પ્રેમ જી 

પ્રેમ જી - નમસ્તે સર જી 

શ્રી મોદી – ભાઈ.. પ્રેમ 

પ્રેમ જી - હા જી..સર. 

મોદી જી – આપ આપના કાર્ય વિશે જણાવો. 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – થોડું વિસ્તારપૂર્વક જણાવો. તમારો જે અનુભવ છે તે પણ જણાવો. 

પ્રેમ જી – હું CATS Ambulance માં driver ની post પર છું અને Control અમને એક tab પર call આપે છે. 102 તરફથી જે call આવે છે, અમે move કરીએ છીએ દર્દીની પાસે. અમે દર્દીને ત્યાં જઈએ છીએ, તેમની પાસે, બે વર્ષથી continue કરી રહ્યો છું આ કામ. મારી kit પહેરીને, મારા gloves, mask પહેરીને patient ને, જ્યાં તેઓ drop કરવા માટે કહે છે, જે પણ hospital માં, અમે બહુ જ જલ્દી તેમને drop કરીએ છીએ. 

મોદી જી – તમને તો વેક્સિનના બે ડોઝ મળી ચૂક્યા હશે. 

પ્રેમ જી – બિલકુલ સર 

મોદી જી – તો બીજા લોકો પણ વેક્સિન લે. તેના માટે આપનો શું સંદેશ છે? 

પ્રેમ જી – સર બિલકુલ... બધાએ આ ડોઝ લેવો જ જોઈએ અને પરિવાર માટે સારી જ છે. હવે મને મારી મમ્મી કહે છે, આ નોકરી છોડી દે. મેં કહ્યું મમ્મી જો હું પણ નોકરી છોડીને બેસી જઈશ તો બધા દર્દીઓને કોણ કેવી રીતે મૂકવા જશે. કારણ કે આ કોરોના કાળમાં બધા ભાગી રહ્યા છે. બધા નોકરી છોડી છોડીને જઈ રહ્યા છે. મમ્મી પણ મને કહે છે કે બેટા એ નોકરી છોડી દે. મેં કહ્યું નહીં મમ્મી હું નોકરી નહીં છોડું. 

મોદી જી – પ્રેમ જી માતાને દુખી ન કરતાં. માતાને સમજાવજો. 

પ્રેમ જી – હા...જી 

મોદી જી – પરંતુ આ જે તમે માતાની વાત જણાવીને 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – તે બહુ જ સ્પર્શી જતી વાત છે. 

પ્રેમ જી – હા....જી..

મોદી જી – આપના માતા જી ને પણ 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – મારા પ્રણામ કહેજો..

પ્રેમ જી – બિલકુલ 

મોદી જી – હાં.. 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – અને પ્રેમ જી હું આપના માધ્યમથી 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – આ એમ્બ્યુલન્સ ચલાવનારા આપણા ડ્રાઈવર પણ 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – કેટલું મોટું risk લઈને કામ કરે છે 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – અને દરેકની માતા શું વિચારતી હશે? 

પ્રેમ જી – બિલકુલ સર

મોદી જી – તે વાત જ્યારે શ્રોતાઓ સુધી પહોંચશે 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – હું ચોક્કસ માનું છું કે તેમના હ્રદયને પણ સ્પર્શી જશે. 

પ્રેમ જી – હા....જી.. 

મોદી જી – પ્રેમ જી ખૂબ ખૂબ ધન્યવાદ. તમે એક પ્રકારે પ્રેમની ગંગા વહાવી રહ્યા છો. 

પ્રેમ જી – ધન્યવાદ સરજી... 

મોદી જી – ધન્યવાદ ભાઈ 

પ્રેમ જી – ધન્યવાદ 

સાથીઓ, પ્રેમ વર્માજી અને તેમના જેવા હજારો લોકો, આજે પોતાનું જીવન દાવ પર લગાવીને લોકોની સેવા કરી રહ્યા છે. કોરોના સામે આ લડાઈમાં જેટલા પણ જીવન બચી રહ્યા છે તેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સનું પણ બહુ મોટું યોગદાન છે. પ્રેમ જી આપને અને દેશભરમાં આપના બધા સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનુ છું. આપ સમય પર પહોંચતા રહો અને જીવન બચાવતા રહો. 

મારા પ્રિય દેશવાસીઓ, એ સાચું છે કે કોરોનાથી ઘણાં બધા લોકો સંક્રમિત થઈ રહ્યા છે પરંતુ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા પણ તેટલી જ વધુ છે. ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદી જીએ હાલમાં જ કોરોનાને હરાવ્યો છે. પ્રીતિ જી મન કી બાતમાં આપણી સાથે જોડાય છે. તેમના અનુભવ આપણને બધાને ઘણાં જ કામ આવશે. 

મોદી જી – પ્રીતિ જી નમસ્તે.. 

પ્રીતિ – નમસ્તે સર...આપ કેમ છો? 

મોદી જી – હું ઠીક છું. સૌથી પહેલાં તો હું આપની કોવિડ-19 સાથે 

પ્રીતિ – જી 

મોદી જી – સફળતાપૂર્વક લડવા બદલ 

પ્રીતિ – જી 

મોદી જી – પ્રશંસા કરીશ. 

પ્રીતી - Thank you so much sir 

મોદી જી – મારી આશા છે કે તમારું સ્વાસ્થ્ય ઘણું ઝડપથી સારું થાય 

પ્રીતિ – જી આભાર સર.. 

મોદી જી – પ્રીતિ જી 

પ્રીતિ – હા..જી..સર 

મોદી જી- આ આખા વેવમાં માત્ર આપનો જ નંબર લાગ્યો કે પરિવારના અન્ય સભ્યો પણ આમાં ફસાઈ ગયા છે 

પ્રીતિ – નહીં..નહીં..સર હું એકલી જ થઈ હતી. 

મોદી જી – ચાલો, ભગવાનની કૃપા રહી.. અચ્છા હું ઈચ્છીશ, 

પ્રીતિ – હા..જી...સર 

મોદી જી – કે તમે આ પીડાની અવસ્થાના કેટલાક અનુભવ જો વહેંચી શકો તો કદાચ જે શ્રોતા છે તેમને પણ આવા સમયમાં કેવી રીતે પોતાની જાતને સંભાળવવી જોઈએ તેનું માર્ગદર્શન મળશે. 

પ્રીતિ – જી..સર...ચોક્કસ.. સર initially stageમાં મને બહુ જ વધારે lethargy, એટલે કે સુસ્તી જેવું લાગતું અને ત્યારબાદ મારા ગળામાં થોડી ખરાશ થવા લાગી. તો પછી મને લાગ્યું તો ખરું કે આ symptoms તો છે તો મેં ટેસ્ટ કરાવ્યો. બીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ જેવો તે પોઝીટિવ આવ્યો, મેં મારી જાતને quarantine કરી લીધી. એક રૂમમાં આઈસોલેટ કરીને ડોક્ટર્સ સાથે મેં કન્સલ્ટ કર્યું. તેમની medication start કરી દીધું. 

મોદી જી – તો તમારા quick action ને કારણે તમારો પરિવાર બચી ગયો. 

પ્રીતિ – જી સર...પછી તો બધાનો રિપોર્ટ કરાવ્યો હતો. બાકી બધા નેગેટિવ હતા. હું જ પોઝિટીવ હતી. તેની પહેલાં જ મેં મારી જાતને આઈસોલેટ કરી લીધી હતી એક રૂમની અંદર. પોતાની જરૂરિયાતનો બધો સામાન સાથે રાખીને, પોતાની જાતે જ એક રૂમમાં બંધ થઈ ગઈ હતી. અને તેની સાથે-સાથે મેં ડોક્ટર સાથે medication start કરી દીધી.

સર મેં મેડિકેશનની સાથેસાથે મેં યોગ, આયુર્વેદિક અને મેં આ બધું શરૂ કર્યું અને સાથે મેં કાવો પણ લેવાનો શરૂ કર્યો હતો. Immunity boost કરવા માટે સર હું દિવસમાં મતલબ જ્યારે પણ ભોજન કરતી હતી તેમાં મેં healthy food જે protein rich diet હતું તે લીધું. મેં ઘણું વધારે fluid લીધું, મેં steam લીધી, gargle કર્યું અને ગરમ પાણી લીધું. હું આખો દિવસ આ જ બધી વસ્તુઓ મારા જીવનમાં લેવા લાગી. અને સર આ દિવસોમાં તો, સૌથી મોટી વાત હું કહેવા માંગીશ, ગભરાવું તો જરા પણ નહીં. બહુ જ mentally strong બનવાનું છે જેને માટે હું યોગમાં બહુ જ વધારે breathing exercise કરતી હતી અને તે કરવાથી મને સારું લાગતું હતું. 

મોદી જી – હા..અચ્છા પ્રીતિ જી જ્યારે હવે તમારી આ આખી process પૂરી થઈ ગઈ. આપ સંકટમાંથી બહાર આવી ગયા. 

પ્રીતિ – હા..જી 

મોદી જી – હવે તમારો ટેસ્ટ પણ નેગેટિવ આવી ગયો છે 

પ્રીતિ – હા....જી સર 

મોદી જી – તો પછી આપ આપના સ્વાસ્થ્ય માટે, તેની દેખભાળ માટે અત્યારે શું કરો છો? 

પ્રીતિ – સર... એક તો મેં યોગ બંધ નથી કર્યા. 

મોદી જી – હા 

પ્રીતિ – ઠીક છે...હું હજુ પણ કાવો પીવું છું અને પોતાની ઈમ્યૂનિટી બૂસ્ટ રાખવા માટે હું સારું હેલ્ધી ફૂડ ખાઉં છું અત્યારે. 

મોદી જી – હા 

પ્રીતિ – જે હું બહુ જ પોતાની જાતને neglect કરી દેતી હતી, તેના પર વધારે ધ્યાન આપી રહી છું. 

મોદી જી – ધન્યવાદ પ્રીતિ જી.. 

પ્રીતિ - Thank you so much sir. 

મોદી જી – આપે જે જાણકારી આપી, મને લાગે છે કે તે ઘણાં બધા લોકોને કામ આવશે. તમે સ્વસ્થ રહો, તમારા પરિવારના લોકો સ્વસ્થ રહે, મારી આપને ઘણી ઘણી શુભેચ્છાઓ.

મારા વહાલા દેશવાસીઓ, આજે આપણા તબીબી ક્ષેત્રના લોકોની જેમ, Frontline Workers પણ દિન-પ્રતિદિન સેવા કાર્યમાં રોકાયેલા છે. તેવી જ રીતે સમાજના અન્ય લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ ફરી એકવાર કોરોના સામે સંયુક્ત રીતે લડી રહ્યો છે. આ દિવસોમાં, હું જોઉં છું કે કોઈ Quarantine માં રહેતા પરિવારોને દવાઓ પહોંચાડે છે, કોઈ શાકભાજી, દૂધ, ફળો વગેરે મોકલી રહ્યું છે. કોઈ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની મફત સેવાઓ આપી રહ્યું છે. આ પડકારજનક સમયમાં દેશના જુદા જુદા ખૂણાઓમાં પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી રહી છે અને અન્યોને મદદ કરવા જે પણ થઇ શકે તે પ્રયાસ કરી રહી છે. આ વખતે ગામોમાં પણ નવી જાગૃતિ જોવા મળી રહી છે. કોવિડના નિયમોનું સખત પાલન કરીને, લોકો તેમના ગામને કોરોનાથી સુરક્ષિત કરી રહ્યાં છે, બહારથી આવતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરમાં પણ કેટલાય યુવાનો સામે આવ્યા છે, જે પોતાના વિસ્તારમાં કોરોનાના કેસ ન વધે તેને માટે સ્થાનિક નિવાસીઓ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે. એટલે કે એક તરફ દેશ દિવસ-રાત હોસ્પિટલ, વેન્ટિલેટર્સ અને દવાઓ માટે કામ કરી રહ્યો છે તો બીજી બાજુ, દેશવાસીઓ પણ સ્વેચ્છાએ કોરોનાના પડકારનો સામનો કરી રહ્યા છે. આ ભાવના આપણને કેટલી તાકાત આપે છે, કેટલો વિશ્વાસ આપે છે. આ જે પણ પ્રયાસો થઈ રહ્યા છે, સમાજની બહુ મોટી સેવા છે. તે સમાજની શક્તિ વધારે છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે 'મન કી બાત' ની આખી ચર્ચા કોરોના રોગચાળા પર રાખી, કારણ કે, આજે આપણી સૌથી મોટી પ્રાથમિકતા છે, આ રોગને હરાવવાની. આજે ભગવાન મહાવીર જયંતિ પણ છે. આ પ્રસંગે, હું તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. ભગવાન મહાવીરનો સંદેશો આપણને તપ અને આત્મ સંયમની પ્રેરણા આપે છે. હમણાં પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યો છે. હવે બુદ્ધ પૂર્ણિમા પણ આવશે.

ગુરુ તેગબહાદુર જીનું 400મું પ્રકાશ પર્વ પણ છે. એક મહત્વપૂર્ણ દિવસ પોચિશે બોઈશાક – ટાગોર જયંતિનો છે. આ બધું આપણને આપણું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે. એક નાગરિક તરીકે આપણે આપણા જીવનમાં જેટલી કુશળતા સાથે આપણા કર્તવ્યોને નિભાવશું, સંકટથી મુક્ત થઈને ભવિષ્યના રસ્તા પર તેટલી જ ઝડપથી આગળ વધીશું. તેવી આશા સાથે હું આપ બધાને ફરી એકવાર આગ્રહ કરું છું કે વેક્સિન આપણે બધાએ લેવાની જ છે અને સંપૂર્ણ સાવધાની પણ રાખવાની છે. દવા પણ અને કડકાઈ પણ... આ મંત્રને ક્યારેય ભૂલવાનો નથી. આપણે બહુ જલ્દી સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર આવીશું. એ જ વિશ્વાસ સાથે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર....

  • Priya Satheesh January 13, 2025

    🐯
  • கார்த்திக் November 15, 2024

    🪷ஜெய் ஸ்ரீ ராம்🪷जय श्री राम🪷જય શ્રી રામ🪷 🪷ಜೈ ಶ್ರೀ ರಾಮ್🪷ଜୟ ଶ୍ରୀ ରାମ🪷Jai Shri Ram 🌺🌺 🌸জয় শ্ৰী ৰাম🌸ജയ് ശ്രീറാം 🌸 జై శ్రీ రామ్ 🌸🌺
  • ram Sagar pandey October 19, 2024

    🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹
  • Devendra Kunwar September 29, 2024

    BJP
  • Pradhuman Singh Tomar July 15, 2024

    bjp669
  • Dr Swapna Verma May 30, 2024

    🙏🙏🙏🙏
  • Pawan Jain April 17, 2024

    नमो नमो
  • rida rashid February 21, 2024

    जय हिंद
  • MLA Devyani Pharande February 17, 2024

    जय हो
  • ज्योती चंद्रकांत मारकडे February 05, 2024

    जय हो
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Laying the digital path to a developed India

Media Coverage

Laying the digital path to a developed India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India is driving global growth today: PM Modi at Republic Plenary Summit
March 06, 2025
QuoteIndia's achievements and successes have sparked a new wave of hope across the globe: PM
QuoteIndia is driving global growth today: PM
QuoteToday's India thinks big, sets ambitious targets and delivers remarkable results: PM
QuoteWe launched the SVAMITVA Scheme to grant property rights to rural households in India: PM
QuoteYouth is the X-Factor of today's India, where X stands for Experimentation, Excellence, and Expansion: PM
QuoteIn the past decade, we have transformed impact-less administration into impactful governance: PM
QuoteEarlier, construction of houses was government-driven, but we have transformed it into an owner-driven approach: PM

नमस्कार!

आप लोग सब थक गए होंगे, अर्णब की ऊंची आवाज से कान तो जरूर थक गए होंगे, बैठिये अर्णब, अभी चुनाव का मौसम नहीं है। सबसे पहले तो मैं रिपब्लिक टीवी को उसके इस अभिनव प्रयोग के लिए बहुत बधाई देता हूं। आप लोग युवाओं को ग्रासरूट लेवल पर इन्वॉल्व करके, इतना बड़ा कंपटीशन कराकर यहां लाए हैं। जब देश का युवा नेशनल डिस्कोर्स में इन्वॉल्व होता है, तो विचारों में नवीनता आती है, वो पूरे वातावरण में एक नई ऊर्जा भर देता है और यही ऊर्जा इस समय हम यहां महसूस भी कर रहे हैं। एक तरह से युवाओं के इन्वॉल्वमेंट से हम हर बंधन को तोड़ पाते हैं, सीमाओं के परे जा पाते हैं, फिर भी कोई भी लक्ष्य ऐसा नहीं रहता, जिसे पाया ना जा सके। कोई मंजिल ऐसी नहीं रहती जिस तक पहुंचा ना जा सके। रिपब्लिक टीवी ने इस समिट के लिए एक नए कॉन्सेप्ट पर काम किया है। मैं इस समिट की सफलता के लिए आप सभी को बहुत-बहुत बधाई देता हूं, आपका अभिनंदन करता हूं। अच्छा मेरा भी इसमें थोड़ा स्वार्थ है, एक तो मैं पिछले दिनों से लगा हूं, कि मुझे एक लाख नौजवानों को राजनीति में लाना है और वो एक लाख ऐसे, जो उनकी फैमिली में फर्स्ट टाइमर हो, तो एक प्रकार से ऐसे इवेंट मेरा जो यह मेरा मकसद है उसका ग्राउंड बना रहे हैं। दूसरा मेरा व्यक्तिगत लाभ है, व्यक्तिगत लाभ यह है कि 2029 में जो वोट करने जाएंगे उनको पता ही नहीं है कि 2014 के पहले अखबारों की हेडलाइन क्या हुआ करती थी, उसे पता नहीं है, 10-10, 12-12 लाख करोड़ के घोटाले होते थे, उसे पता नहीं है और वो जब 2029 में वोट करने जाएगा, तो उसके सामने कंपैरिजन के लिए कुछ नहीं होगा और इसलिए मुझे उस कसौटी से पार होना है और मुझे पक्का विश्वास है, यह जो ग्राउंड बन रहा है ना, वो उस काम को पक्का कर देगा।

साथियों,

आज पूरी दुनिया कह रही है कि ये भारत की सदी है, ये आपने नहीं सुना है। भारत की उपलब्धियों ने, भारत की सफलताओं ने पूरे विश्व में एक नई उम्मीद जगाई है। जिस भारत के बारे में कहा जाता था, ये खुद भी डूबेगा और हमें भी ले डूबेगा, वो भारत आज दुनिया की ग्रोथ को ड्राइव कर रहा है। मैं भारत के फ्यूचर की दिशा क्या है, ये हमें आज के हमारे काम और सिद्धियों से पता चलता है। आज़ादी के 65 साल बाद भी भारत दुनिया की ग्यारहवें नंबर की इकॉनॉमी था। बीते दशक में हम दुनिया की पांचवें नंबर की इकॉनॉमी बने, और अब उतनी ही तेजी से दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहे हैं।

|

साथियों,

मैं आपको 18 साल पहले की भी बात याद दिलाता हूं। ये 18 साल का खास कारण है, क्योंकि जो लोग 18 साल की उम्र के हुए हैं, जो पहली बार वोटर बन रहे हैं, उनको 18 साल के पहले का पता नहीं है, इसलिए मैंने वो आंकड़ा लिया है। 18 साल पहले यानि 2007 में भारत की annual GDP, एक लाख करोड़ डॉलर तक पहुंची थी। यानि आसान शब्दों में कहें तो ये वो समय था, जब एक साल में भारत में एक लाख करोड़ डॉलर की इकॉनॉमिक एक्टिविटी होती थी। अब आज देखिए क्या हो रहा है? अब एक क्वार्टर में ही लगभग एक लाख करोड़ डॉलर की इकॉनॉमिक एक्टिविटी हो रही है। इसका क्या मतलब हुआ? 18 साल पहले के भारत में साल भर में जितनी इकॉनॉमिक एक्टिविटी हो रही थी, उतनी अब सिर्फ तीन महीने में होने लगी है। ये दिखाता है कि आज का भारत कितनी तेजी से आगे बढ़ रहा है। मैं आपको कुछ उदाहरण दूंगा, जो दिखाते हैं कि बीते एक दशक में कैसे बड़े बदलाव भी आए और नतीजे भी आए। बीते 10 सालों में, हम 25 करोड़ लोगों को गरीबी से बाहर निकालने में सफल हुए हैं। ये संख्या कई देशों की कुल जनसंख्या से भी ज्यादा है। आप वो दौर भी याद करिए, जब सरकार खुद स्वीकार करती थी, प्रधानमंत्री खुद कहते थे, कि एक रूपया भेजते थे, तो 15 पैसा गरीब तक पहुंचता था, वो 85 पैसा कौन पंजा खा जाता था और एक आज का दौर है। बीते दशक में गरीबों के खाते में, DBT के जरिए, Direct Benefit Transfer, DBT के जरिए 42 लाख करोड़ रुपए से ज्यादा ट्रांसफर किए गए हैं, 42 लाख करोड़ रुपए। अगर आप वो हिसाब लगा दें, रुपये में से 15 पैसे वाला, तो 42 लाख करोड़ का क्या हिसाब निकलेगा? साथियों, आज दिल्ली से एक रुपया निकलता है, तो 100 पैसे आखिरी जगह तक पहुंचते हैं।

साथियों,

10 साल पहले सोलर एनर्जी के मामले में भारत दुनिया में कहीं गिनती नहीं होती थी। लेकिन आज भारत सोलर एनर्जी कैपेसिटी के मामले में दुनिया के टॉप-5 countries में से है। हमने सोलर एनर्जी कैपेसिटी को 30 गुना बढ़ाया है। Solar module manufacturing में भी 30 गुना वृद्धि हुई है। 10 साल पहले तो हम होली की पिचकारी भी, बच्चों के खिलौने भी विदेशों से मंगाते थे। आज हमारे Toys Exports तीन गुना हो चुके हैं। 10 साल पहले तक हम अपनी सेना के लिए राइफल तक विदेशों से इंपोर्ट करते थे और बीते 10 वर्षों में हमारा डिफेंस एक्सपोर्ट 20 गुना बढ़ गया है।

|

साथियों,

इन 10 वर्षों में, हम दुनिया के दूसरे सबसे बड़े स्टील प्रोड्यूसर हैं, दुनिया के दूसरे सबसे बड़े मोबाइल फोन मैन्युफैक्चरर हैं और दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बने हैं। इन्हीं 10 सालों में हमने इंफ्रास्ट्रक्चर पर अपने Capital Expenditure को, पांच गुना बढ़ाया है। देश में एयरपोर्ट्स की संख्या दोगुनी हो गई है। इन दस सालों में ही, देश में ऑपरेशनल एम्स की संख्या तीन गुना हो गई है। और इन्हीं 10 सालों में मेडिकल कॉलेजों और मेडिकल सीट्स की संख्या भी करीब-करीब दोगुनी हो गई है।

साथियों,

आज के भारत का मिजाज़ कुछ और ही है। आज का भारत बड़ा सोचता है, बड़े टार्गेट तय करता है और आज का भारत बड़े नतीजे लाकर के दिखाता है। और ये इसलिए हो रहा है, क्योंकि देश की सोच बदल गई है, भारत बड़ी Aspirations के साथ आगे बढ़ रहा है। पहले हमारी सोच ये बन गई थी, चलता है, होता है, अरे चलने दो यार, जो करेगा करेगा, अपन अपना चला लो। पहले सोच कितनी छोटी हो गई थी, मैं इसका एक उदाहरण देता हूं। एक समय था, अगर कहीं सूखा हो जाए, सूखाग्रस्त इलाका हो, तो लोग उस समय कांग्रेस का शासन हुआ करता था, तो मेमोरेंडम देते थे गांव के लोग और क्या मांग करते थे, कि साहब अकाल होता रहता है, तो इस समय अकाल के समय अकाल के राहत के काम रिलीफ के वर्क शुरू हो जाए, गड्ढे खोदेंगे, मिट्टी उठाएंगे, दूसरे गड्डे में भर देंगे, यही मांग किया करते थे लोग, कोई कहता था क्या मांग करता था, कि साहब मेरे इलाके में एक हैंड पंप लगवा दो ना, पानी के लिए हैंड पंप की मांग करते थे, कभी कभी सांसद क्या मांग करते थे, गैस सिलेंडर इसको जरा जल्दी देना, सांसद ये काम करते थे, उनको 25 कूपन मिला करती थी और उस 25 कूपन को पार्लियामेंट का मेंबर अपने पूरे क्षेत्र में गैस सिलेंडर के लिए oblige करने के लिए उपयोग करता था। एक साल में एक एमपी 25 सिलेंडर और यह सारा 2014 तक था। एमपी क्या मांग करते थे, साहब ये जो ट्रेन जा रही है ना, मेरे इलाके में एक स्टॉपेज दे देना, स्टॉपेज की मांग हो रही थी। यह सारी बातें मैं 2014 के पहले की कर रहा हूं, बहुत पुरानी नहीं कर रहा हूं। कांग्रेस ने देश के लोगों की Aspirations को कुचल दिया था। इसलिए देश के लोगों ने उम्मीद लगानी भी छोड़ दी थी, मान लिया था यार इनसे कुछ होना नहीं है, क्या कर रहा है।। लोग कहते थे कि भई ठीक है तुम इतना ही कर सकते हो तो इतना ही कर दो। और आज आप देखिए, हालात और सोच कितनी तेजी से बदल रही है। अब लोग जानते हैं कि कौन काम कर सकता है, कौन नतीजे ला सकता है, और यह सामान्य नागरिक नहीं, आप सदन के भाषण सुनोगे, तो विपक्ष भी यही भाषण करता है, मोदी जी ये क्यों नहीं कर रहे हो, इसका मतलब उनको लगता है कि यही करेगा।

|

साथियों,

आज जो एस्पिरेशन है, उसका प्रतिबिंब उनकी बातों में झलकता है, कहने का तरीका बदल गया , अब लोगों की डिमांड क्या आती है? लोग पहले स्टॉपेज मांगते थे, अब आकर के कहते जी, मेरे यहां भी तो एक वंदे भारत शुरू कर दो। अभी मैं कुछ समय पहले कुवैत गया था, तो मैं वहां लेबर कैंप में नॉर्मली मैं बाहर जाता हूं तो अपने देशवासी जहां काम करते हैं तो उनके पास जाने का प्रयास करता हूं। तो मैं वहां लेबर कॉलोनी में गया था, तो हमारे जो श्रमिक भाई बहन हैं, जो वहां कुवैत में काम करते हैं, उनसे कोई 10 साल से कोई 15 साल से काम, मैं उनसे बात कर रहा था, अब देखिए एक श्रमिक बिहार के गांव का जो 9 साल से कुवैत में काम कर रहा है, बीच-बीच में आता है, मैं जब उससे बातें कर रहा था, तो उसने कहा साहब मुझे एक सवाल पूछना है, मैंने कहा पूछिए, उसने कहा साहब मेरे गांव के पास डिस्ट्रिक्ट हेड क्वार्टर पर इंटरनेशनल एयरपोर्ट बना दीजिए ना, जी मैं इतना प्रसन्न हो गया, कि मेरे देश के बिहार के गांव का श्रमिक जो 9 साल से कुवैत में मजदूरी करता है, वह भी सोचता है, अब मेरे डिस्ट्रिक्ट में इंटरनेशनल एयरपोर्ट बनेगा। ये है, आज भारत के एक सामान्य नागरिक की एस्पिरेशन, जो विकसित भारत के लक्ष्य की ओर पूरे देश को ड्राइव कर रही है।

साथियों,

किसी भी समाज की, राष्ट्र की ताकत तभी बढ़ती है, जब उसके नागरिकों के सामने से बंदिशें हटती हैं, बाधाएं हटती हैं, रुकावटों की दीवारें गिरती है। तभी उस देश के नागरिकों का सामर्थ्य बढ़ता है, आसमान की ऊंचाई भी उनके लिए छोटी पड़ जाती है। इसलिए, हम निरंतर उन रुकावटों को हटा रहे हैं, जो पहले की सरकारों ने नागरिकों के सामने लगा रखी थी। अब मैं उदाहरण देता हूं स्पेस सेक्टर। स्पेस सेक्टर में पहले सबकुछ ISRO के ही जिम्मे था। ISRO ने निश्चित तौर पर शानदार काम किया, लेकिन स्पेस साइंस और आंत्रप्रन्योरशिप को लेकर देश में जो बाकी सामर्थ्य था, उसका उपयोग नहीं हो पा रहा था, सब कुछ इसरो में सिमट गया था। हमने हिम्मत करके स्पेस सेक्टर को युवा इनोवेटर्स के लिए खोल दिया। और जब मैंने निर्णय किया था, किसी अखबार की हेडलाइन नहीं बना था, क्योंकि समझ भी नहीं है। रिपब्लिक टीवी के दर्शकों को जानकर खुशी होगी, कि आज ढाई सौ से ज्यादा स्पेस स्टार्टअप्स देश में बन गए हैं, ये मेरे देश के युवाओं का कमाल है। यही स्टार्टअप्स आज, विक्रम-एस और अग्निबाण जैसे रॉकेट्स बना रहे हैं। ऐसे ही mapping के सेक्टर में हुआ, इतने बंधन थे, आप एक एटलस नहीं बना सकते थे, टेक्नॉलाजी बदल चुकी है। पहले अगर भारत में कोई मैप बनाना होता था, तो उसके लिए सरकारी दरवाजों पर सालों तक आपको चक्कर काटने पड़ते थे। हमने इस बंदिश को भी हटाया। आज Geo-spatial mapping से जुडा डेटा, नए स्टार्टअप्स का रास्ता बना रहा है।

|

साथियों,

न्यूक्लियर एनर्जी, न्यूक्लियर एनर्जी से जुड़े सेक्टर को भी पहले सरकारी कंट्रोल में रखा गया था। बंदिशें थीं, बंधन थे, दीवारें खड़ी कर दी गई थीं। अब इस साल के बजट में सरकार ने इसको भी प्राइवेट सेक्टर के लिए ओपन करने की घोषणा की है। और इससे 2047 तक 100 गीगावॉट न्यूक्लियर एनर्जी कैपेसिटी जोड़ने का रास्ता मजबूत हुआ है।

साथियों,

आप हैरान रह जाएंगे, कि हमारे गांवों में 100 लाख करोड़ रुपए, Hundred lakh crore rupees, उससे भी ज्यादा untapped आर्थिक सामर्थ्य पड़ा हुआ है। मैं आपके सामने फिर ये आंकड़ा दोहरा रहा हूं- 100 लाख करोड़ रुपए, ये छोटा आंकड़ा नहीं है, ये आर्थिक सामर्थ्य, गांव में जो घर होते हैं, उनके रूप में उपस्थित है। मैं आपको और आसान तरीके से समझाता हूं। अब जैसे यहां दिल्ली जैसे शहर में आपके घर 50 लाख, एक करोड़, 2 करोड़ के होते हैं, आपकी प्रॉपर्टी की वैल्यू पर आपको बैंक लोन भी मिल जाता है। अगर आपका दिल्ली में घर है, तो आप बैंक से करोड़ों रुपये का लोन ले सकते हैं। अब सवाल यह है, कि घर दिल्ली में थोड़े है, गांव में भी तो घर है, वहां भी तो घरों का मालिक है, वहां ऐसा क्यों नहीं होता? गांवों में घरों पर लोन इसलिए नहीं मिलता, क्योंकि भारत में गांव के घरों के लीगल डॉक्यूमेंट्स नहीं होते थे, प्रॉपर मैपिंग ही नहीं हो पाई थी। इसलिए गांव की इस ताकत का उचित लाभ देश को, देशवासियों को नहीं मिल पाया। और ये सिर्फ भारत की समस्या है ऐसा नहीं है, दुनिया के बड़े-बड़े देशों में लोगों के पास प्रॉपर्टी के राइट्स नहीं हैं। बड़ी-बड़ी अंतरराष्ट्रीय संस्थाएं कहती हैं, कि जो देश अपने यहां लोगों को प्रॉपर्टी राइट्स देता है, वहां की GDP में उछाल आ जाता है।

|

साथियों,

भारत में गांव के घरों के प्रॉपर्टी राइट्स देने के लिए हमने एक स्वामित्व स्कीम शुरु की। इसके लिए हम गांव-गांव में ड्रोन से सर्वे करा रहे हैं, गांव के एक-एक घर की मैपिंग करा रहे हैं। आज देशभर में गांव के घरों के प्रॉपर्टी कार्ड लोगों को दिए जा रहे हैं। दो करोड़ से अधिक प्रॉपर्टी कार्ड सरकार ने बांटे हैं और ये काम लगातार चल रहा है। प्रॉपर्टी कार्ड ना होने के कारण पहले गांवों में बहुत सारे विवाद भी होते थे, लोगों को अदालतों के चक्कर लगाने पड़ते थे, ये सब भी अब खत्म हुआ है। इन प्रॉपर्टी कार्ड्स पर अब गांव के लोगों को बैंकों से लोन मिल रहे हैं, इससे गांव के लोग अपना व्यवसाय शुरू कर रहे हैं, स्वरोजगार कर रहे हैं। अभी मैं एक दिन ये स्वामित्व योजना के तहत वीडियो कॉन्फ्रेंस पर उसके लाभार्थियों से बात कर रहा था, मुझे राजस्थान की एक बहन मिली, उसने कहा कि मैंने मेरा प्रॉपर्टी कार्ड मिलने के बाद मैंने 9 लाख रुपये का लोन लिया गांव में और बोली मैंने बिजनेस शुरू किया और मैं आधा लोन वापस कर चुकी हूं और अब मुझे पूरा लोन वापस करने में समय नहीं लगेगा और मुझे अधिक लोन की संभावना बन गई है कितना कॉन्फिडेंस लेवल है।

साथियों,

ये जितने भी उदाहरण मैंने दिए हैं, इनका सबसे बड़ा बेनिफिशरी मेरे देश का नौजवान है। वो यूथ, जो विकसित भारत का सबसे बड़ा स्टेकहोल्डर है। जो यूथ, आज के भारत का X-Factor है। इस X का अर्थ है, Experimentation Excellence और Expansion, Experimentation यानि हमारे युवाओं ने पुराने तौर तरीकों से आगे बढ़कर नए रास्ते बनाए हैं। Excellence यानी नौजवानों ने Global Benchmark सेट किए हैं। और Expansion यानी इनोवेशन को हमारे य़ुवाओं ने 140 करोड़ देशवासियों के लिए स्केल-अप किया है। हमारा यूथ, देश की बड़ी समस्याओं का समाधान दे सकता है, लेकिन इस सामर्थ्य का सदुपयोग भी पहले नहीं किया गया। हैकाथॉन के ज़रिए युवा, देश की समस्याओं का समाधान भी दे सकते हैं, इसको लेकर पहले सरकारों ने सोचा तक नहीं। आज हम हर वर्ष स्मार्ट इंडिया हैकाथॉन आयोजित करते हैं। अभी तक 10 लाख युवा इसका हिस्सा बन चुके हैं, सरकार की अनेकों मिनिस्ट्रीज और डिपार्टमेंट ने गवर्नेंस से जुड़े कई प्रॉब्लम और उनके सामने रखें, समस्याएं बताई कि भई बताइये आप खोजिये क्या सॉल्यूशन हो सकता है। हैकाथॉन में हमारे युवाओं ने लगभग ढाई हज़ार सोल्यूशन डेवलप करके देश को दिए हैं। मुझे खुशी है कि आपने भी हैकाथॉन के इस कल्चर को आगे बढ़ाया है। और जिन नौजवानों ने विजय प्राप्त की है, मैं उन नौजवानों को बधाई देता हूं और मुझे खुशी है कि मुझे उन नौजवानों से मिलने का मौका मिला।

|

साथियों,

बीते 10 वर्षों में देश ने एक new age governance को फील किया है। बीते दशक में हमने, impact less administration को Impactful Governance में बदला है। आप जब फील्ड में जाते हैं, तो अक्सर लोग कहते हैं, कि हमें फलां सरकारी स्कीम का बेनिफिट पहली बार मिला। ऐसा नहीं है कि वो सरकारी स्कीम्स पहले नहीं थीं। स्कीम्स पहले भी थीं, लेकिन इस लेवल की last mile delivery पहली बार सुनिश्चित हो रही है। आप अक्सर पीएम आवास स्कीम के बेनिफिशरीज़ के इंटरव्यूज़ चलाते हैं। पहले कागज़ पर गरीबों के मकान सेंक्शन होते थे। आज हम जमीन पर गरीबों के घर बनाते हैं। पहले मकान बनाने की पूरी प्रक्रिया, govt driven होती थी। कैसा मकान बनेगा, कौन सा सामान लगेगा, ये सरकार ही तय करती थी। हमने इसको owner driven बनाया। सरकार, लाभार्थी के अकाउंट में पैसा डालती है, बाकी कैसा घर बनेगा, ये लाभार्थी खुद डिसाइड करता है। और घर के डिजाइन के लिए भी हमने देशभर में कंपीटिशन किया, घरों के मॉडल सामने रखे, डिजाइन के लिए भी लोगों को जोड़ा, जनभागीदारी से चीज़ें तय कीं। इससे घरों की क्वालिटी भी अच्छी हुई है और घर तेज़ गति से कंप्लीट भी होने लगे हैं। पहले ईंट-पत्थर जोड़कर आधे-अधूरे मकान बनाकर दिए जाते थे, हमने गरीब को उसके सपनों का घर बनाकर दिया है। इन घरों में नल से जल आता है, उज्ज्वला योजना का गैस कनेक्शन होता है, सौभाग्य योजना का बिजली कनेक्शन होता है, हमने सिर्फ चार दीवारें खड़ी नहीं कीं है, हमने उन घरों में ज़िंदगी खड़ी की है।

साथियों,

किसी भी देश के विकास के लिए बहुत जरूरी पक्ष है उस देश की सुरक्षा, नेशनल सिक्योरिटी। बीते दशक में हमने सिक्योरिटी पर भी बहुत अधिक काम किया है। आप याद करिए, पहले टीवी पर अक्सर, सीरियल बम ब्लास्ट की ब्रेकिंग न्यूज चला करती थी, स्लीपर सेल्स के नेटवर्क पर स्पेशल प्रोग्राम हुआ करते थे। आज ये सब, टीवी स्क्रीन और भारत की ज़मीन दोनों जगह से गायब हो चुका है। वरना पहले आप ट्रेन में जाते थे, हवाई अड्डे पर जाते थे, लावारिस कोई बैग पड़ा है तो छूना मत ऐसी सूचनाएं आती थी, आज वो जो 18-20 साल के नौजवान हैं, उन्होंने वो सूचना सुनी नहीं होगी। आज देश में नक्सलवाद भी अंतिम सांसें गिन रहा है। पहले जहां सौ से अधिक जिले, नक्सलवाद की चपेट में थे, आज ये दो दर्जन से भी कम जिलों में ही सीमित रह गया है। ये तभी संभव हुआ, जब हमने nation first की भावना से काम किया। हमने इन क्षेत्रों में Governance को Grassroot Level तक पहुंचाया। देखते ही देखते इन जिलों मे हज़ारों किलोमीटर लंबी सड़कें बनीं, स्कूल-अस्पताल बने, 4G मोबाइल नेटवर्क पहुंचा और परिणाम आज देश देख रहा है।

साथियों,

सरकार के निर्णायक फैसलों से आज नक्सलवाद जंगल से तो साफ हो रहा है, लेकिन अब वो Urban सेंटर्स में पैर पसार रहा है। Urban नक्सलियों ने अपना जाल इतनी तेज़ी से फैलाया है कि जो राजनीतिक दल, अर्बन नक्सल के विरोधी थे, जिनकी विचारधारा कभी गांधी जी से प्रेरित थी, जो भारत की ज़ड़ों से जुड़ी थी, ऐसे राजनीतिक दलों में आज Urban नक्सल पैठ जमा चुके हैं। आज वहां Urban नक्सलियों की आवाज, उनकी ही भाषा सुनाई देती है। इसी से हम समझ सकते हैं कि इनकी जड़ें कितनी गहरी हैं। हमें याद रखना है कि Urban नक्सली, भारत के विकास और हमारी विरासत, इन दोनों के घोर विरोधी हैं। वैसे अर्नब ने भी Urban नक्सलियों को एक्सपोज करने का जिम्मा उठाया हुआ है। विकसित भारत के लिए विकास भी ज़रूरी है और विरासत को मज़बूत करना भी आवश्यक है। और इसलिए हमें Urban नक्सलियों से सावधान रहना है।

साथियों,

आज का भारत, हर चुनौती से टकराते हुए नई ऊंचाइयों को छू रहा है। मुझे भरोसा है कि रिपब्लिक टीवी नेटवर्क के आप सभी लोग हमेशा नेशन फर्स्ट के भाव से पत्रकारिता को नया आयाम देते रहेंगे। आप विकसित भारत की एस्पिरेशन को अपनी पत्रकारिता से catalyse करते रहें, इसी विश्वास के साथ, आप सभी का बहुत-बहुत आभार, बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद!