The Food Security Saturation Campaign launched in Surat will be an inspiration for other districts of the country as well: PM Modi

March 07th, 05:34 pm

PM Modi launched the Surat Food Security Saturation Campaign Programme in Limbayat, Surat and distributed the benefits under the National Food Security Act to over 2.3 lakh beneficiaries. PM stated that the government's goal is to provide adequate nutrition to every family in the country. He recognized Surat as a hub for entrepreneurship with a significant number of MSMEs. He urged women across the country to share their inspiring stories on the NaMo app.

PM Modi launches the Surat Food Security Saturation Campaign Programme

March 07th, 05:30 pm

PM Modi launched the Surat Food Security Saturation Campaign Programme in Limbayat, Surat and distributed the benefits under the National Food Security Act to over 2.3 lakh beneficiaries. PM stated that the government's goal is to provide adequate nutrition to every family in the country. He recognized Surat as a hub for entrepreneurship with a significant number of MSMEs. He urged women across the country to share their inspiring stories on the NaMo app.

બિહારના ભાગલપુરમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 02:35 pm

મંચ પર બેઠેલા રાજ્યપાલ, શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા પ્રિય મુખ્યમંત્રી જે બિહારના વિકાસ માટે લોકપ્રિય અને સમર્પિત છે, નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શિવરાજ સિંહ ચૌહાણજી, જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરજી, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, રાજ્યના અન્ય મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત મહાનુભાવો અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 19મો હપ્તો બહાર પાડ્યો, બિહારનાં ભાગલપુરથી વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો

February 24th, 02:30 pm

ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે આ પ્રસંગે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં સામેલ થયેલા તમામ મહાનુભવો અને લોકોનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહા કુંભના પવિત્ર સમયગાળા દરમિયાન મંદારચલની ભૂમિમાં પગ મૂકવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થળ આધ્યાત્મિકતા, વારસો ધરાવે છે અને સાથે સાથે વિકસિત ભારતની સંભવિતતા પણ ધરાવે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ ભૂમિ શહીદ તિલ્કા માંઝીની સાથે-સાથે સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, બાબા અજગૈબીનાથની પવિત્ર ભૂમિમાં પણ આગામી મહા શિવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પવિત્ર ક્ષણ દરમિયાન પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો બહાર પાડવાનું સૌભાગ્ય તેમને મળ્યું છે અને આશરે રૂ. 22,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા જમા થયા છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:35 am

સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 24th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

February 22nd, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.

ભારત ટેક્સ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 16th, 04:15 pm

મારા મંત્રીમંડળના સાથીઓ, શ્રી ગિરિરાજ સિંહ જી, પબિત્રા માર્ગરિટા જી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, ફેશન અને કાપડ જગતના તમામ દિગ્ગજો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, મારા વણકર અને કારીગર મિત્રો, મહિલાઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું

February 16th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2025માં સૌનું સ્વાગત કર્યું અને ટિપ્પણી કરી કે આજે ભારત મંડપમ ભારત ટેક્સની બીજી આવૃત્તિનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમ આપણા વારસાની સાથે સાથે વિકાસ ભારતના ભાવિની ઝલક આપે છે, જે ભારત માટે ગર્વની વાત છે. ભારત ટેક્સ હવે એક મેગા ગ્લોબલ ટેક્સટાઇલ ઇવેન્ટ બની રહ્યું છે, શ્રી મોદીએ ટિપ્પણી કરી. તેમણે ઉમેર્યું કે મૂલ્ય શૃંખલાના સ્પેક્ટ્રમ સાથે સંબંધિત તમામ બાર સમુદાયો આ વખતે ઇવેન્ટનો ભાગ હતા. તેમણે વધુમાં નોંધ્યું કે એક્સેસરીઝ, વસ્ત્રો, મશીનરી, રસાયણો અને રંગોના પ્રદર્શનો પણ યોજાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત ટેક્સ વિશ્વભરના નીતિ નિર્માતાઓ, સીઈઓ અને ઉદ્યોગ નેતાઓ માટે જોડાણ, સહયોગ અને ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સામેલ તમામ હિસ્સેદારોના પ્રયાસોની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી 16 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભારત ટેક્સ 2025માં ભાગ લેશે

February 15th, 01:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

પેરિસમાં ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 12th, 12:45 am

આ રૂમમાં મને એક અદ્ભુત ઉર્જા, ઉત્સાહ અને ગતિશીલતાનો અનુભવ થાય છે. આ ફક્ત એક સામાન્ય વ્યવસાયિક ઘટના નથી. આ ભારત અને ફ્રાંસના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. સીઈઓ ફોરમનો હમણાં જ રજૂ કરાયેલો અહેવાલ આવકાર્ય છે. હું જોઉં છું કે તમે બધા ઇનોવેટ, કોલાબોરેટ અને એલેવેટના મંત્ર સાથે કામ કરી રહ્યા છો, તમે ફક્ત બોર્ડ રૂમ કનેક્શન્સ જ નથી બનાવી રહ્યા. તમે બધા ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો.

પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું

February 12th, 12:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ

February 04th, 07:00 pm

હું અહીં માનનીય રાષ્ટ્રપતિના સંબોધન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. ગઈકાલે, આજે અને મોડી રાત સુધી, બધા માનનીય સાંસદોએ તેમના વિચારોથી આ આભાર પ્રસ્તાવને સમૃદ્ધ બનાવ્યો. ઘણા માનનીય અને અનુભવી સંસદસભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, અને સ્વાભાવિક રીતે, લોકશાહીની પરંપરાની જેમ, જ્યાં જરૂર હતી, ત્યાં પ્રશંસા હતી, જ્યાં મુશ્કેલી હતી, ત્યાં કેટલીક નકારાત્મક બાબતો પણ હતી, પરંતુ આ ખૂબ જ સ્વાભાવિક છે! માનનીય અધ્યક્ષજી, મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે દેશના લોકોએ મને 14મી વખત આ સ્થાન પર બેસીને રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે અને તેથી, આજે હું તેમનો આભાર માનવા માંગુ છું. લોકોનો ખૂબ આદર સાથે આભાર. ગૃહમાં ચર્ચામાં ભાગ લેનારા અને તેને સમૃદ્ધ બનાવનારા બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર

February 04th, 06:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ગઈકાલે અને આજની ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સાંસદોના યોગદાનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, લોકશાહીની પરંપરામાં જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશંસા અને જ્યાં જરૂર હોય ત્યાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે, જે સ્વાભાવિક છે. 14મી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લોકો દ્વારા આપવામાં આવી હોવાના મહાન વિશેષાધિકારને ઉજાગર કરતા તેમણે નાગરિકોનો આદરપૂર્વક આભાર માન્યો હતો અને આ પ્રસ્તાવને તેમના વિચારોથી સમૃદ્ધ બનાવવા માટે ચર્ચામાં સામેલ તમામ સહભાગીઓનો સ્વીકાર કર્યો હતો.

Eastern India is a growth engine in the development of the country, Odisha plays a key role in this: PM

January 28th, 11:30 am

PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.

PM Modi inaugurates the 'Utkarsh Odisha' - Make in Odisha Conclave 2025 in Bhubaneswar

January 28th, 11:00 am

PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.

રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:00 am

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

December 09th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 02:10 pm

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું

December 06th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.