Prime Minister Narendra Modi to participate in International Air Transport Association's 81st Annual General Meeting in New Delhi

Prime Minister Narendra Modi to participate in International Air Transport Association's 81st Annual General Meeting in New Delhi

June 01st, 08:01 pm

PM Modi will participate in the International Air Transport Association's 81st Annual General Meeting. It brings together more than 1,600 participants including top global aviation industry leaders, government officials and international media representatives. They will get to witness India's remarkable transformation in the aviation landscape. The Summit will focus on key issues facing the aviation industry.

Peace, security, education and development will reach every village without any hindrance: PM Modi in Karakat, Bihar

Peace, security, education and development will reach every village without any hindrance: PM Modi in Karakat, Bihar

May 30th, 11:29 am

PM Modi laid the foundation and dedicated projects worth ₹48,520 crore in Karakat, Bihar, calling it a step towards fast-tracking the state’s development. He paid tribute to Bihar’s cultural roots, honoured the strength of Indian women, and reaffirmed India’s resolve by highlighting swift justice after the Pahalgam attack.

PM Modi launches multiple development projects worth over Rs 48,520 crore at Karakat, Bihar

PM Modi launches multiple development projects worth over Rs 48,520 crore at Karakat, Bihar

May 30th, 10:53 am

PM Modi laid the foundation and dedicated projects worth ₹48,520 crore in Karakat, Bihar, calling it a step towards fast-tracking the state’s development. He paid tribute to Bihar’s cultural roots, honoured the strength of Indian women, and reaffirmed India’s resolve by highlighting swift justice after the Pahalgam attack.

રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

May 22nd, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

May 22nd, 11:30 am

શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા

May 20th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી ફ્રેડરિક મેર્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર તરીકે પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા હતા.

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ: પ્રધાનમંત્રી

May 14th, 10:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું આપણું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું, અમે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 12:00 pm

મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું; તમે જ્યાં પણ હોવ, તમારે તમારી જગ્યાએ બેસીને, ઊભા થવાની જરૂર નથી, આપણે પોતપોતાના સ્થાને બેસીને જ 22મી તારીખે ગુમાવેલા આપણા પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ, થોડી ક્ષણો માટે આપણા સ્થાને બેસીને, મૌન વ્રત કરીને અને આપણા ભગવાનનું સ્મરણ કરીને, આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીશું, ત્યારબાદ હું આજે મારું ભાષણ શરૂ કરીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

April 24th, 11:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ સીસીએસ બેઠકની અધ્યક્ષતા કરી

April 23rd, 09:00 pm

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​7, લોક કલ્યાણ માર્ગ ખાતે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી.

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની સાઉદી અરબની રાજકીય મુલાકાત

April 23rd, 02:25 am

ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ (SPC) ની નેતાઓની બીજી બેઠક 22 એપ્રિલ 2025ના રોજ જેદ્દાહમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સહ-અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિષદે SPC હેઠળ વિવિધ સમિતિઓ, પેટા સમિતિઓ અને કાર્યકારી જૂથોના કાર્યની સમીક્ષા કરી હતી. જેમાં રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ પછી બંને નેતાઓ દ્વારા મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

સાઉદી અરેબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું નિવેદન

April 22nd, 08:30 am

આજે, હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું.

17માં સિવિલ સર્વિસીસ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 21st, 11:30 am

આપ સૌને સિવિલ સર્વિસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષનો સિવિલ સર્વિસીસ ડે ઘણા કારણોસર ખાસ છે. આ વર્ષે આપણે આપણા બંધારણના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે તમને બધાને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા. તેમણે સ્વતંત્ર ભારતના અમલદારશાહી માટે નવી મર્યાદાઓ નક્કી કરી હતી. એક સિવિલ સેવક જે રાષ્ટ્રની સેવાને પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માને છે. જે લોકશાહી રીતે વહીવટ ચલાવે છે. જે પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણથી ભરપૂર છે. જે દેશના ધ્યેયો માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે, જ્યારે આપણે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ શબ્દો વધુ સુસંગત બની જાય છે. આજે હું સરદાર સાહેબના વિઝનને સલામ કરું છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો

April 21st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન મોદી 22-23 એપ્રિલ, 2025 દરમિયાન સાઉદી અરેબિયાની મુલાકાત લેશે

April 19th, 01:55 pm

વડાપ્રધાન મોદી મહામહિમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. ભારત અને સાઉદી અરેબિયા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. આ મુલાકાત આપણી બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે, તેમજ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

વડાપ્રધાન ની થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત: 03-06 એપ્રિલ, 2025

April 02nd, 02:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ (૩-૪ એપ્રિલ, ૨૦૨૫) ની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના આમંત્રણ પર શ્રીલંકાની રાજ્ય મુલાકાત (૪-૬ એપ્રિલ, ૨૦૨૫) પર જશે.

ભારત - ન્યૂઝીલેન્ડનું સંયુક્ત નિવેદન

March 17th, 02:39 pm

ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર, ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન 16-20 માર્ચ, 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી લક્સન, જેઓ તેમની વર્તમાન સ્થિતિ પ્રમાણે ભારતની પ્રથમ મુલાકાતે છે, તેઓ નવી દિલ્હી અને મુંબઈની મુલાકાત લઈ રહ્યાં છે, અને તેમની સાથે પ્રવાસન અને આતિથ્ય મંત્રી માનનીય લુઇસ અપસ્ટન, એથનિક કોમ્યુનિટિઝ અને રમતગમત તથા રીક્રીએશન મંત્રી માનનીય માર્ક મિશેલ અને વેપાર અને રોકાણ, કૃષિ અને વનીકરણ મંત્રી આદરણીય ટોડ મેકક્લે પણ ઉપસ્થિત છે. અને અધિકારીઓ અને વ્યવસાયો, સામુદાયિક ડાયસ્પોરા, મીડિયા અને સાંસ્કૃતિક જૂથોના પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સામેલ છે.

મોરેશિયસના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત બેન્ક્વેટ ડિનરમાં પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:15 am

સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રીના ભાવનાત્મક અને પ્રેરણાદાયી વિચારો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મોરેશિયસમાં મારા ઉમદા સ્વાગત અને આતિથ્ય માટે હું પ્રધાનમંત્રી, મોરેશિયસ સરકાર અને લોકોનો આભારી છું. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી માટે મોરેશિયસની મુલાકાત હંમેશા ખૂબ જ ખાસ હોય છે. આ ફક્ત રાજદ્વારી મુલાકાત નથી પણ તેમના પરિવારને મળવાની તક છે. આજે મોરેશિયસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી જ હું આ જ આત્મીયતાની લાગણી અનુભવી રહ્યો છું. દરેક જગ્યાએ પોતાનાપણું હોવાની ભાવના છે. ક્યાંય પણ કોઈ પ્રોટોકોલ પ્રતિબંધો નથી. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું ફરી એકવાર મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈ રહ્યો છું. આ પ્રસંગે 140 કરોડ ભારતીયો વતી, હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.