દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 12:00 pm

મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું; તમે જ્યાં પણ હોવ, તમારે તમારી જગ્યાએ બેસીને, ઊભા થવાની જરૂર નથી, આપણે પોતપોતાના સ્થાને બેસીને જ 22મી તારીખે ગુમાવેલા આપણા પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ, થોડી ક્ષણો માટે આપણા સ્થાને બેસીને, મૌન વ્રત કરીને અને આપણા ભગવાનનું સ્મરણ કરીને, આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીશું, ત્યારબાદ હું આજે મારું ભાષણ શરૂ કરીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

April 24th, 11:50 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દેશના 60 વર્ષ બરબાદ કર્યા: બિહારના ચંપારણમાં પીએમ મોદી

May 21st, 11:30 am

પીએમ મોદીએ બિહારના ચંપારણમાં એક જુસ્સાદાર જાહેર સભાને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જનસભાને સંબોધિત કરી

May 21st, 11:00 am

પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

રાજસ્થાનના માનગઢ હિલ્સ ખાતે 'માનગઢ ધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

November 01st, 11:20 am

રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત જી, મધ્યપ્રદેશના રાજ્યપાલ અને આદિવાસી સમાજના ખૂબ મોટા નેતા શ્રી મંગુભાઈ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ, મંત્રી પરિષદના મારા સાથી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તેજી, શ્રી અર્જુન મેઘવાલજી, વિવિધ સંસ્થાઓના અગ્રણી વ્યક્તિઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા જૂના મિત્રો જેમણે આદિવાસી સમાજની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા ભાઈ મહેશજી અને દૂર-દૂરથી મોટી સંખ્યામાં માનગઢ ધામમાં આવેલા મારા વ્હાલા આદિવાસી ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ 'માનગઢધામ કી ગૌરવ ગાથા' જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો

November 01st, 11:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' નામના એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતી અને સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીએ ધૂની દર્શન કર્યા હતા અને ગોવિંદ ગુરુની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કોલકતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે બીપ્લોબી ભારત ગેલેરીના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

March 23rd, 06:05 pm

પશ્ચિમ બંગાળના ગવર્નર શ્રીમાન જગદીપ ધનખડજી, કેન્દ્રના સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી કિશન રેડ્ડીજી, વિક્ટોરિયા મેમોરિયલ હોલ સાથે જોડાયેલા તમામ મહાનુભવો, વિશ્વ વિદ્યાલયોના વાઈસ ચાન્સેલર્સ, કલા અને સંસ્કૃતિ જગતના દિગ્ગજ દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રીએ શહીદ દિવસ પર કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું

March 23rd, 06:00 pm

શહીદ દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિક્ટોરિયા મેમોરિયલ હોલમાં, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિપ્લોબી ભારત ગૅલરીનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલર સાથે ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી

November 01st, 07:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલ સાથે ગાંધી સ્મૃતિની મુલાકાત લીધી હતી.

મહાત્મા ગાંધીના વારસાનું સન્માન

January 31st, 02:06 am

હું માનું છું કે મહાત્મા ગાંધીના આજના વિશ્વમાં હજુ પણ એટલા જ સુસંગત છે જેટલા તેઓ તેમના જીવનકાળ દરમિયાન હતા: શ્રી નરેન્દ્ર મોદી

Swadeshi was a weapon in the freedom movement, today handloom has become a huge weapon to fight poverty: PM Modi

January 30th, 04:30 pm

PM Modi dedicated the National Salt Satyagraha Memorial to the nation in Dandi, Gujarat. PM Modi while addressing the programme, remembered Gandhi Ji’s invaluable contributions and said, “Bapu knew the value of salt. He opposed the British to make salt costly.” The PM also spoke about Mahatma Gandhi’s focus on cleanliness and said, “Gandhi Ji chose cleanliness over freedom. We are marching ahead on the path shown by Bapu.”

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું

January 30th, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતનાં નવસારી જિલ્લાનાં દાંડીમાં રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.

UDAN has immensely helped to boost air connectivity in India: PM Modi

January 30th, 01:30 pm

Inaugurating the new terminal building of Surat Airport, PM Narendra Modi reiterated the Centre’s commitment to enhance ease of living as well as ease of doing business in the country. Highlighting NDA government’s focus on strengthening infrastructure and connectivity, the PM said that due to the UDAN Yojana, citizens were being benefitted as several airports were either being upgraded or extended throughout the country.

આજે પ્રધાનમંત્રી સુરતમાં

January 30th, 01:30 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુરતની મુલાકાત લીધી હતી. તેમણે સુરત એરપોર્ટનાં ટર્મિનલ ભવનનાં વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો, જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જોડાણ અને સમૃદ્ધિને વેગ આપશે.

30.12.2018ના રોજ મન કી બાતના 51માં સંસ્કરણમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 30th, 11:30 am

2018માં, વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “આયુષમાન ભારત”ની શરૂઆત થઇ. દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચી ગઇ. વિશ્વની ગણમાન્ય સંસ્થાઓએ માન્યું છે કે, ભારત વિક્રમી ગતિની સીથે, દેશને ગરીબીમાંથી મુક્તિ અપાવી રહ્યું છે. દેશવાસીઓના અડગ સંકલ્પથી સ્વચ્છતા કવરેજ વધીને 95 ટકાને પાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

સ્વતંત્રતા દિવસ 2018 નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનના મુખ્ય અંશો

August 15th, 09:33 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (15મી ઓગસ્ટ, 2018ના રોજ) 72માં સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ 72માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

August 15th, 09:30 am

આજે ભારતનાં 72માં સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરેથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.