પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે

September 16th, 02:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે.

મિઝોરમમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 10:30 am

મિઝોરમના રાજ્યપાલ વી.કે. સિંહ જી, મુખ્યમંત્રી શ્રી લાલદુહોમા જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી અશ્વિની વૈષ્ણવ જી, મિઝોરમ સરકારના મંત્રીઓ, સાંસદો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મિઝોરમના અદ્ભુત લોકોને મારી શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો

September 13th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિઝોરમના આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સથી રેલવે, રોડ, વીજળી, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ બ્લૂ પર્વતોની આ સુંદર ભૂમિ પર રાજ કરતા પરમેશ્વર પઠિયનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેઓ મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર હાજર હતા અને ખરાબ હવામાનને કારણે આઈઝોલમાં લોકોને મળી શક્યા નહીં. આ પરિસ્થિતિઓ હોવા છતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ આ માધ્યમ દ્વારા પણ લોકોનો પ્રેમ અને સ્નેહ અનુભવી શકે છે.

NextGen GST સુધારાઓ ડેરી ખેડૂતોને સશક્ત બનાવે છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે: PM

September 04th, 08:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના ડેરી ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ આપી, પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અને સમાવેશી વિકાસને આગળ ધપાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી.

પ્રધાનમંત્રી 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાત લેશે

July 31st, 06:59 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે ઉત્તર પ્રદેશના વારાણસીમાં આશરે 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

PMAY હેઠળ 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનો કરોડો ભારતીયો માટે 'ઇઝ ઑફ લિવિંગ' અને ગૌરવને પ્રોત્સાહન આપે છે: પીએમ

June 10th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનોનો નિર્ણય આપણા રાષ્ટ્રની આવાસ જરૂરિયાતોને સંબોધિત કરવા અને દરેક નાગરિક સારી ગુણવત્તાયુક્ત જીવન જીવે તે સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રી શ્રીએ બધાને બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધામાં ભાગ લેવાની વિનંતી કરી

February 21st, 03:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ, ખાસ કરીને યુવાનોને બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા વિનંતી કરી છે. પર્યટન મંત્રાલય બેસ્ટ ટુરિઝમ વિલેજ સ્પર્ધા શરૂ કરી રહ્યું છે.

સરકારે કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી છે. આની મદદથી, ભારત વૈશ્વિક કાપડ વેપારમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી શકશે

September 08th, 02:49 pm

'આત્મનિર્ભર ભારત'ની દૂરંદેશીને વધુ એક કદમ આગળ લઇ જતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કાપડ ઉદ્યોગ માટે MMF વસ્ત્રો, MMF કાપડ અને ટેકનિકલ ટેક્સટાઇલના 10 વિભાગ/ઉત્પાદનોને રૂપિયા 10,683 કરોડના અંદાજપત્રીય ખર્ચની ફાળવણી સાથે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. RoSCTL, RoDTEP અને સરકાર દ્વારા કાપડ ઉદ્યોગમાં લેવામાં આવેલા અન્ય પગલાંઓ જેમકે, સ્પર્ધાત્મક ભાવે કાચો માલ પૂરો પાડવો, કૌશલ્ય વિકાસ વગેરેની સાથે-સાથે આ ક્ષેત્ર માટે PLI યોજનાને મંજૂરી આપવાથી કાપડ ઉત્પાદન ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થશે.

કેન્દ્રીય મંત્રીમંડળે બજાર સિઝન 2022-23 માટે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી

September 08th, 02:49 pm

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.

હિમાચલ પ્રદેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોવિડ રસીના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલ સંવાદનો મૂળપાઠ

September 06th, 11:01 am

હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાન સેવક તરીકે જ નહિ પરંતુ એક પરિવારના સભ્ય તરીકે પણ મને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે. મેં નાની નાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા હિમાચલને પણ જોયું છે અને આજે વિકાસની ગાથાને લખી રહેલા હિમાચલને પણ જોઈ રહ્યો છું. આ બધુ જ દેવી દેવતાઓના આશીર્વાદ વડે, હિમાચલ સરકારની કર્મ કુશળતા દ્વારા અને હિમાચલનાં જન-જનની જાગૃતિ વડે જ સંભવ થઈ શક્યું છે. હું ફરી એકવાર જેમની જેમની સાથે મને વાતચીત કરવાનો અવસર મળ્યો અને જે રીતે બધાએ વાતો કરી તેના માટે હું તેમનો તો આભાર વ્યક્ત કરું છું. હું સંપૂર્ણ ટીમનો આભાર વ્યક્ત કરું છું. હિમાચલે એક ટીમના રૂપમાં કામ કરીને અદભૂત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!!

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો

September 06th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હિમાચલ પ્રદેશના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણના લાભાર્થીઓ સાથે રસીકરણ કાર્યક્રમમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદો, ધારાસભ્યો, પંચાયતના નેતાઓ ઉપરાંત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કોવિડ-19ની પરિસ્થિતિ અંગે કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ

July 16th, 12:07 pm

કોરોના વિરૂધ્ધ દેશની લડતમાં કેટલાક મહત્વના મુદ્દા પર આપ સૌએ તમારી વાત રજૂ કરી છે. હમણાં બે દિવસ પહેલાં ઉત્તરપૂર્વના તમામ માનનીય મુખ્યમંત્રીઓ સાથે મને આ વિષય ઉપર ચર્ચા કરવાની તક મળી હતી, કારણ કે જ્યાં જયાં ચિંતાજનક હાલત છે તે રાજ્યો સાથે હું વિશેષપણે વાત કરી રહ્યો છું.

કોવિડની સ્થિતિની ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રીએ છ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી

July 16th, 12:06 pm

કોવિડ સંબંધી સ્થિતિની ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળના મુખ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી, આરોગ્ય મંત્રી પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. મુખ્ય મંત્રીઓએ કોવિડને હાથ ધરવામાં શક્ય તમામ મદદ અને સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીને એમનાં રાજ્યોમાં રસીકરણની પ્રગતિ વિશે અને વાયરસના પ્રસારને કાબૂમાં લેવા માટે લેવાઈ રહેલાં પગલાં વિશે માહિતી આપી હતી. તેમણે રસીકરણની વ્યૂહરચના વિશે પણ પ્રતિભાવો આપ્યા હતા.

રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 20th, 11:40 am

Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરી

May 20th, 11:39 am

કોવિડ-19ની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત વાતચીત કરી હતી.

કોવિડ-19 વ્યવસ્થાપન અંગે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 18th, 11:40 am

આપ સૌએ કોરોનાના બીજા વેવ સામે પહેલાંની સરખામણીએ ઘણો પરિશ્રમ કર્યો છે અને સતત કરી રહ્યા છો. તમારામાંથી કેટલાય લોકો એવા છે કે જેઓ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં પોતાના જિલ્લાઓમાં સ્થિતિ સંભાળવા માટે સતત કામ કરતાં રહ્યા છો. તેનાથી જિલ્લામાં અન્ય લોકોના ઉત્સાહમાં પણ વધારો થયો અને તમારામાંથી પ્રેરણા પણ મળી છે. ઘણા લોકો એવા છે કે જેઓ કેટ-કેટલાય દિવસો સુધી પોતાના ઘરે નહોતા જઈ શક્યા, પોતાના ઘરના લોકોને નહોતા મળી શક્યા. કેટલાય લોકોએ પોતાના પરિવારના મહત્વપૂર્ણ સભ્યો, પોતાના આત્મજનોને ગુમાવ્યા પણ છે.

પ્રધાનમંત્રીએ કોવિડની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દેશભરના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કર્યો

May 18th, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના ડૉક્ટરોના સમૂહ સાથે સંવાદ કરીને કોવિડ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

કોવિડ અને વેક્સિનેશન જેવા મુદ્દા પર પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

May 15th, 02:42 pm

દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રીને એ બાબતે માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ પરિક્ષણ થતા હતા જે અત્યારે વધીને દર સપ્તાહે 1.3 કરોડ થઈ ગયા છે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને એ પણ માહિતી આપી હતી કે હાલમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો તથા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થઈ રહ્યો છે. એવી પણ ચર્ચા થઈ હતી કે દરરોજના કેસની સંખ્યા ચાર લાખ થઈ ગઈ હતી જે હવે આરોગ્ય કર્મચારી, રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારના પ્રયાસોથી ઘટી ગઈ છે.

પંચાયતી રાજ દિવસે નેશનલ પંચાયત એવોર્ડઝ 2021 પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 11:55 am

આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયેલા પંચાયતી રાજ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરજી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડના તમામ માનનિય મુખ્ય મંત્રીગણ, હરિયાણાના ઉપ મુખ્યમંત્રીજી, રાજ્યોના પંચાયતી રાજ મંત્રીઓ, ગ્રામ વિકાસ મંત્રીઓ, દેશભરની ગ્રામ પંચાયતો સાથે જોડાયેલા તમામ જનપ્રતિનિધિ સમુદાય. અને હમણાં નરેન્દ્ર સિંહજીએ જણાવ્યું તે મુજબ આશરે પાંચ કરોડ લોકોએ આ કાર્યક્રમમાં જોડાવા માટે નોંધણી કરાવી છે. આટલી મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવું તે ગ્રામ વિકાસની દિશામાં જે કદમ ઉઠાવાય છે તેને આપોઆપ તાકાત આપે છે. આવા તમામ પાંચ કરોડ ભાઈ બહેનોને મારા સન્માનપૂર્વક નમસ્કાર.

પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડના વિતરણની શરૂઆત કરી

April 24th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ શરૂ કર્યું હતું. આ પ્રસંગે જુદી જુદી સંપત્તિઓના 4.09 લાખ માલિકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થયું હતું, જેના પગલે સમગ્ર દેશમાં અમલીકરણ માટે સ્વામિત્વ યોજના શરૂ પણ થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત આ કાર્યક્રમમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પંચાયતરાજ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.