રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

May 22nd, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

May 22nd, 11:30 am

શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

તમિલનાડુના રામેશ્વરમ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

તમિલનાડુના રામેશ્વરમ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

April 06th, 02:00 pm

આજે રામ નવમીનો પવિત્ર તહેવાર છે. થોડા સમય પહેલા, સૂર્ય કિરણોએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા પર ભવ્ય તિલક કર્યું છે. ભગવાન શ્રી રામનું જીવન અને તેમના રાજ્યમાંથી મળેલી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણનો મુખ્ય આધાર છે. અને આજે રામ નવમી છે. મારી સાથે બોલો, જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! તમિલનાડુના સંગમ કાળના સાહિત્યમાં પણ શ્રી રામનો ઉલ્લેખ જોવા મળે છે. રામેશ્વરમની આ પવિત્ર ભૂમિ પરથી, હું બધા દેશવાસીઓને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ₹8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

April 06th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ તેમણે નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપી હતી અને પુલની કામગીરી નિહાળી હતી. તેમણે રામેશ્વરમના રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે શ્રી રામનવમીનો પાવન પર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યનાં દિવ્ય કિરણોએ રામ લલ્લાને ભવ્ય તિલકથી શણગાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામનું જીવન અને તેમના શાસનકાળમાંથી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પાયાનું કામ કરે છે. તામિલનાડુના સંગમ યુગના સાહિત્યમાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ છે એમ જણાવીને તેમણે રામેશ્વરમની પવિત્ર ભૂમિ પરથી તમામ નાગરિકોને શ્રી રામનવમીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

રામનવમીના પ્રસંગે પ્રધાનમંત્રી તમિલનાડુની મુલાકાત લેશે અને રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતાં નવા પમ્બન રેલ બ્રીજનું ઉદઘાટન કરશે

April 04th, 02:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલનાં રોજ તમિલનાડુની મુલાકાત લેશે. રામનવમીના પ્રસંગે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને રોડ બ્રિજ પરથી ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપશે અને પુલની કામગીરીના સાક્ષી બનશે.