
પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં જહાં-એ-ખુસરો 2025માં ભાગ લેશે.
February 27th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.
પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે
February 22nd, 02:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.
નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 06th, 02:10 pm
આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું
December 06th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.બિહારના દરભંગામાં શિલાન્યાસ, ઉદઘાટન અને વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 13th, 11:00 am
રાજા જનક, સીતા મૈયા કવિરાજ વિદ્યાપતિ કે ઈ પાવન મિથિલા ભૂમિ કે નમન કરેં છી. જ્ઞાન-ધાન-પાન-મખાન... યે સમૃદ્ધ ગૌરવશાળી ધરતી પર અપને સબકે અભિનંદન કરે છી.પ્રધાનમંત્રીએ બિહારમાં રૂ. 12,100 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
November 13th, 10:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં દરભંગામાં આશરે રૂ. 12,100 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. વિકાસ યોજનાઓમાં સ્વાસ્થ્ય, રેલ, માર્ગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:45 am
બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું
September 20th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
August 15th, 03:04 pm
તેમના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
August 15th, 01:09 pm
આજે એ પાવન પળ છે, જ્યારે આપણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા અસંખ્ય પૂજ્ય વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમણે જીવનભર સંઘર્ષ કર્યો, ભારત માતા કી જયના નારા સાથે બહાદુરીથી ફાંસીને ગળે લગાવી. તેમના ધૈર્ય, સંકલ્પ અને દેશભક્તિના ગુણોને યાદ કરવાનો તહેવાર છે. આ વીરજવાનોને કારણે જ આઝાદીના આ પર્વ પર આપણને મુક્તપણે શ્વાસ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ તેમનો ખૂબ જ ઋણી છે. આવા દરેક મહાન વ્યક્તિત્વ પ્રત્યે આપણે આદર વ્યક્ત કરીએ છીએ.ભારત 78મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:30 am
78મા સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતના ભવિષ્ય માટે એક વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી. 2036 ઓલિમ્પિકની યજમાનીથી લઈને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની હિમાયત કરવા સુધી, વડાપ્રધાન મોદીએ ભારતની સામૂહિક પ્રગતિ અને દરેક નાગરિકના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે નવા જોમથી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની વાત કરી. નવીનતા, શિક્ષણ અને વૈશ્વિક નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે પુનઃપુષ્ટિ કરી કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાથી કોઈ રોકી શકશે નહીં.જો તમે 10 કલાક કામ કરશો તો હું 18 કલાક કામ કરીશ અને 140 કરોડ ભારતીયોને આ મોદીની ગેરંટી છે: પ્રતાપગઢમાં પીએમ મોદી
May 16th, 11:28 am
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક રેલીમાં પીએમ મોદીએ આઈએનડીઆઈ ગઠબંધનના પાછલા શાસનની આલોચના કરતા તેમની નિષ્ફળતાઓને ઉજાગર કરી હતી. તેમણે ભારતના અર્થતંત્રને વેગ આપવા માટે તેમની સરકારની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો, જેનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે. તેમણે કોંગ્રેસ અને સપાની વિકાસ પ્રત્યેના તેમના ઉદાસીન વલણ માટે ટીકા કરી હતી, તેમની માન્યતાની મજાક ઉડાવી હતી કે પ્રગતિ સહેલાઇથી થાય છે, સખત મહેનતને નકારી કાઢી હતી. તેમણે ઉમેર્યું હતું કે, સપા અને કોંગ્રેસ કહે છે કે દેશનો વિકાસ જાતે જ થશે, તેના માટે મહેનત કરવાની શું જરૂર છે? સપા અને કોંગ્રેસની માનસિકતાના બે પાસા છે, તેઓ કહે છે કે તે જાતે જ થશે અને આનો શું ફાયદો છે?ભદોહીમાં કોંગ્રેસ-સપાના વિજયી થવાની કોઈ શક્યતા નથી: યુપીના ભદોહીમાં પીએમ મોદી
May 16th, 11:14 am
ઉત્તરપ્રદેશના ભદોહીમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે રાજ્યભરમાં ભદોહીમાં ચૂંટણીને લઈને ચર્ચા થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે, ભદોહીમાં આ ટીએમસી ક્યાંથી આવી? આ પહેલા યુપીમાં કોંગ્રેસની કોઈ હાજરી ન હતી, અને સપાએ પણ સ્વીકારી લીધું છે કે આ ચૂંટણીમાં તેમના માટે કંઈ બચ્યું નથી, તેથી તેઓ ભદોહીમાં મેદાન છોડીને ચાલ્યા ગયા છે. મિત્રો, ભદોહીમાં સપા અને કોંગ્રેસ માટે જામીન બચાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે, તેથી તેઓ ભદોહીમાં રાજકીય પ્રયોગોનો આશરો લઈ રહ્યા છે.પીએમ મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધિત કરી
May 16th, 11:00 am
લોકસભા ચૂંટણી 2024 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલગંજ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢ યુપીમાં આનંદિત અને જુસ્સાદાર ભીડ વચ્ચે શક્તિશાળી ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુનિયા મોદી માટે લોકોનું લોકપ્રિય સમર્થન અને આશીર્વાદ જોઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, 'ફિર એક બાર મોદી સરકાર' પર હવે દુનિયા પણ ભરોસો કરે છે.I not only make plans with true intentions but also guarantee them: PM Modi in Chikkaballapur
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed a public meeting today in Chikkaballapur, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and sought support for Dr. K. Sudhakar from Chikkaballapur and Mallesh Babu Muniswamy from the Kolar constituency.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi's insightful conversation with Bill Gates
March 29th, 02:59 pm
PM Modi engaged in a conversation with Bill Gates, covering a spectrum of critical topics ranging from AI to India's impressive advancements in digital technology. Their conversation delved into the transformative role of technology in healthcare, showcasing India's innovative use of drones to empower the 'Nari Shakti.' Moreover, they touched upon India's proactive stance in addressing climate change, underscoring the country's commitment to sustainable development.પ્રધાનમંત્રી 1થી 2 માર્ચનાં રોજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે
February 29th, 05:30 pm
પ્રધાનમંત્રી 1 માર્ચનાં રોજ સવારે 11 વાગે ઝારખંડનાં ધનબાદનાં સિંદરી પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઝારખંડમાં રૂ. 35,700 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 3 વાગે એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ પશ્ચિમ બંગાળમાં હુગલીમાં આરામબાગમાં રૂ. 7,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.