મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 30th, 11:53 am

ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ નીતિન ગડકરીજી, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રીજી, અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત બધા વરિષ્ઠ સાથીઓ, મને આજે રાષ્ટ્ર યજ્ઞના આ પવિત્ર વિધિમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે દેશના વિવિધ ખૂણામાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહના તહેવારો પણ ઉજવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન ઝુલેલાલજી અને ગુરુ અંગદ દેવજીની પણ જન્મજયંતી છે. આ આપણા પ્રેરણા સ્ત્રોત, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબની જન્મજયંતીનો પણ પ્રસંગ છે. અને આ વર્ષે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે, આ પ્રસંગે, મને સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાનો અને પૂજ્ય ડૉક્ટર સાહેબ અને પૂજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો

March 30th, 11:52 am

પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 23rd, 11:30 am

આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

January 23rd, 11:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી જેને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે પ્રસંગે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝને આજે તેમની જન્મ જયંતી પર સંપૂર્ણ દેશ આદરપૂર્વક યાદ કરી રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વર્ષે પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી ઓડિશામાં તેમના જન્મસ્થળમાં થઈ રહી છે. તેમણે આ પ્રસંગે ઓડિશાનાં લોકોને અને સરકારને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નેતાજીનાં જીવનનાં વારસા પર આધારિત એક મોટું પ્રદર્શન ઓડિશાનાં કટકમાં યોજાયું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનેક કલાકારોએ નેતાજીનાં જીવન સાથે જોડાયેલી ઘટનાઓને કેનવાસ પર દર્શાવી છે. તેમણે કહ્યું કે નેતાજી પર આધારિત ઘણા પુસ્તકો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નેતાજીની જીવનયાત્રાનાં આ તમામ વારસાઓ મારા યુવા ભારતને નવી ઊર્જા પ્રદાન કરશે.

People are regarding BJP's ‘Sankalp Patra’ as Modi Ki Guarantee card: PM Modi in Tirunelveli

April 15th, 04:33 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

PM Modi holds a public meeting in Tirunelveli, Tamil Nadu

April 15th, 04:23 pm

Prime Minister Narendra Modi graced a public meeting ahead of the Lok Sabha Elections, 2024 in Tirunelveli, Tamil Nadu. The audience welcomed the PM with love and adoration. Manifesting a third term, PM Modi exemplified his vision for Tamil Nadu and the entire nation as a whole.

શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 08th, 01:00 pm

આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત તમામ આદરણીય સંતો, આચાર્ય ગૌડિયા મિશનના આદરણીય ભક્તિ સુંદર સન્યાસીજી, મંત્રીમંડળના મારા સાથીદારો અર્જુનરામ મેઘવાલજી, મીનાક્ષી લેખીજી, દેશ અને દુનિયા સાથે સંકળાયેલા તમામ કૃષ્ણ ભક્તો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો. ,

પ્રધાનમંત્રીએ શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું

February 08th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રીલ પ્રભુપાદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને એક સિક્કો પ્રસિદ્ધ કર્યો હતો. ગૌડિયા મિશનના સ્થાપક, આચાર્ય શ્રીલા પ્રભુપાદે વૈષ્ણવ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોના સંરક્ષણ અને પ્રસારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

લાલ કિલ્લા પર પરાક્રમ દિવસ ઉજવણીમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 23rd, 06:31 pm

નેતાજી સુભાષચંદ્રની જન્મજયંતિ પર, પરાક્રમ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આઝાદ હિંદ ફોજના ક્રાંતિકારીઓનાં સામર્થ્યનો સાક્ષી રહેલો આ લાલ કિલ્લો આજે ફરી નવી ઊર્જાથી ઝળહળી રહ્યો છે. અમૃતકાલનાં શરૂઆતનાં વર્ષો...સમગ્ર દેશમાં સંકલ્પથી સિદ્ધિનો ઉત્સાહ...આ ક્ષણ ખરેખર અભૂતપૂર્વ છે. ગઈકાલે જ સમગ્ર વિશ્વ ભારતની સાંસ્કૃતિક ચેતનાના એક ઐતિહાસિક પડાવનું સાક્ષી બન્યું છે. સમગ્ર વિશ્વએ, સમગ્ર માનવતાએ ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઊર્જાનો, તે ભાવનાઓનો અનુભવ કર્યો છે. અને આજે આપણે નેતા શ્રી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણે જોયું છે કે 23મી જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યારથી ગણતંત્ર દિવસનો મહાપર્વ 23મી જાન્યુઆરીથી બાપુની પુણ્યતિથિ 30મી જાન્યુઆરી સુધી સુધી ચાલે છે. હવે પ્રજાસત્તાકના આ મહાન પર્વમાં 22મી જાન્યુઆરીનો આસ્થાનું મહાપર્વ પણ જોડાઈ ગયું છે. જાન્યુઆરી મહિનાના આ છેલ્લા કેટલાક દિવસો આપણી આસ્થા, આપણી સાંસ્કૃતિક ચેતના, આપણા પ્રજાસત્તાક અને આપણી દેશભક્તિ માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યા છે. હું તમને સૌને શુભેચ્છા પાઠવું છું...અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીનાં કાર્યક્રમને સંબોધન કર્યું

January 23rd, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં લાલ કિલ્લા પર પરાક્રમ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે ભારત પર્વનો પણ શુભારંભ કરાવ્યો હતો, જે પ્રજાસત્તાક દિનની ટેબ્લો અને સાંસ્કૃતિક પ્રદર્શનો સાથે દેશની સમૃદ્ધ વિવિધતાને પ્રદર્શિત કરશે. પ્રધાનમંત્રીએ નેશનલ આર્કાઈવ્ઝનાં ફોટો, પેઇન્ટિંગ્સ, પુસ્તકો અને શિલ્પો સહિત નેશનલ આર્કાઈવ્ઝનાં ટેકનોલોજી-સંચાલિત ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તથા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા નેતાજીનાં જીવન પર પ્રસ્તુત નેતાજીનાં જીવન પર પ્રોજેક્શન મેપિંગ સાથે સમન્વયિત એક નાટકનું પણ અવલોકન કર્યું હતું. તેમણે એકમાત્ર જીવિત આઈએનએ વેટરન લેફ્ટનન્ટ આર માધવનનું પણ સન્માન કર્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર વર્ષ 2021થી પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનનું સન્માન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ છે.

અયોધ્યામાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ પછી પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

December 30th, 02:15 pm

અયોધ્યાજીના તમામ લોકોને મારા પ્રણામ! આજે આખી દુનિયા 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી છે. આવી સ્થિતિમાં અયોધ્યાના લોકોમાં રહેલો ઉત્સાહ અને ઉમંગ સ્વાભાવિક છે. હું ભારતની માટીના એક એક કણ અને ભારતની જનતાનો પૂજારી છું અને હું પણ તમારી જેમ જ ઉત્સુક છું. અમારા બધાનો આ ઉત્સાહ અને ઉમંગ થોડા સમય પહેલાં અયોધ્યાજીના માર્ગો પર સંપૂર્ણપણે જોવા મળી રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, જાણે આખી અયોધ્યા નગરી રસ્તા પર આવી ગઇ હોય. આ પ્રેમ અને આશીર્વાદ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌ મારી સાથે બોલો - સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય. સિયાવર રામ ચંદ્રની... જય.

પ્રધાનમંત્રીએ રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

December 30th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યા ધામમાં રૂ. 15,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. તેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે 11,100 કરોડ રૂપિયાની પરિયોજનાઓ અને સમગ્ર ઉત્તર પ્રદેશની અન્ય પરિયોજનાઓ સાથે સંબંધિત લગભગ 4600 કરોડ રૂપિયાની પરિયોજનાઓ સામેલ છે.

એનપીડીઆરઆરની ત્રીજી બેઠક અને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર – 2023માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

March 10th, 09:43 pm

સૌ પ્રથમ, હું આપત્તિ સ્થિતિસ્થાપકતા અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. કારણ કે કામ એવું છે કે ઘણી વખત તમે તમારા જીવને જોખમમાં મૂકીને પણ બીજાના જીવ બચાવવા માટે ખૂબ જ શાનદાર કામ કરો છો. તાજેતરમાં, સમગ્ર વિશ્વએ તુર્કી અને સીરિયામાં ભારતીય ટીમના પ્રયાસોની પ્રશંસા કરી છે અને આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. ભારતે જે રીતે રાહત અને બચાવ સંબંધિત તેના માનવ સંસાધન અને ટેક્નૉલોજિકલ ક્ષમતામાં વધારો કર્યો છે, તેનાથી દેશમાં પણ વિવિધ આપત્તિઓ દરમિયાન પણ ઘણા લોકોનાં જીવન બચાવવામાં મદદ મળી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી સિસ્ટમ વધુ મજબૂત બને, તેને માટે પ્રોત્સાહન મળે અને સમગ્ર દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ પણ ઊભું થાય એ કાર્ય માટે અને એટલે એક વિશેષ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર આજે અહીં બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી ચક્રવાતથી લઈને સુનામી સુધીની વિવિધ આપત્તિઓ દરમિયાન ઉત્તમ કામગીરી કરતી આવી છે. એ જ રીતે, મિઝોરમના લુંગલેઈ ફાયર સ્ટેશને જંગલની આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી, સમગ્ર વિસ્તારને બચાવ્યો અને આગને ફેલાતી અટકાવી. હું આ સંસ્થાઓમાં કામ કરતા તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ આપત્તિનું જોખમ ઘટાડવા માટેનાં રાષ્ટ્રીય મંચનાં ત્રીજાં સત્રનું ઉદ્‌ઘાટન કર્યું

March 10th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન (એનપીડીઆરઆર)નાં ત્રીજા સત્રનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્લેટફોર્મનાં ત્રીજા સત્રની મુખ્ય થીમ બદલાતી આબોહવામાં સ્થાનિક સ્થિતિસ્થાપકતાનું નિર્માણ છે.

જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી

February 26th, 11:00 am

મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

September 08th, 10:41 pm

આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

પ્રધાનમંત્રી શ્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું

April 05th, 02:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કલાકાર અરુણ યોગીરાજ પાસેથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું શિલ્પ મેળવ્યું