
મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપ-વે વિકાસ કાર્યક્રમ – પર્વતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી (12.4 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી
March 05th, 03:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબજી સુધી 12.4 કિલોમીટર લાંબી રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 2,730.13 કરોડ છે.
મંત્રીમંડળે નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પરવતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી
March 05th, 03:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર)ની લંબાઈ ધરાવતા 12.9 કિલોમીટરના રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર રૂ. 4,081.28 કરોડનાં કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.