પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રીએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

January 23rd, 07:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં ભાગ લેનારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

January 11th, 05:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, તેઓ સોનમર્ગ ટનલની મુલાકાત લેશે અને ત્યારબાદ તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાના નિર્માણ પર લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા

August 26th, 12:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ નવા જિલ્લાઓની રચના માટે લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે જાંસ્કર, દ્રાસ, શામ, નુબરા અને ચાંગથાંગના નવા જિલ્લાઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે, જેનાથી લોકોની સેવાઓ અને તકો વધુ નજીક લાવશે.

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા

August 19th, 05:48 pm

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડ. (ડૉ.) બી.ડી. મિશ્રા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ કલમ 370 અને 35 (એ)ને નાબૂદ કર્યાનાં 5 વર્ષ પૂર્ણની ઉજવણી કરી

August 05th, 03:27 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કલમ 370 અને 35(A) નાબૂદ કરવાના સંસદના પાંચ વર્ષ જૂના નિર્ણયને યાદ કર્યો, તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી, જે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરી.

જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રી 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 26મી જુલાઈએ કારગિલની મુલાકાત લેશે

July 25th, 10:28 am

26મી જુલાઈ 2024ના રોજ 25માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે.

કલમ 370 નાબૂદ કરવા પર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ઐતિહાસિક છે: પ્રધાનમંત્રી

December 11th, 12:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ઐતિહાસિક છે અને 5મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને બંધારણીય રીતે સમર્થન આપે છે.

140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન

November 26th, 11:30 am

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

મંત્રીમંડળે લદ્દાખમાં 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી) ફેઝ-2 – ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (આઇએસટીએસ)ને મંજૂરી આપી

October 18th, 03:27 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ આજે લદ્દાખમાં 13 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ માટે ગ્રીન એનર્જી કોરિડોર (જીઇસી) ફેઝ-2 – ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (આઇએસટીએસ) પરના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.

પ્રધાનમંત્રીએ લદ્દાખના વુડ કોતરકામ માટે GI ટેગની પ્રશંસા કરી

April 05th, 10:57 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના વુડ કોતરકામ માટે GI ટેગ વિશે, જે તેના પ્રકારનું પ્રથમ છે, તે અંગે ખુશી વ્યક્ત કરી.

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગે. બી.ડી. મિશ્રા (નિવૃત્ત)એ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

March 13th, 06:13 pm

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડ. બી.ડી. મિશ્રા (નિવૃત્ત) એ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

અમે લદ્દાખના લોકોનું જીવન સરળ બનાવવા માટે કોઈ કસર છોડીશું નહીં: પ્રધાનમંત્રી

February 19th, 10:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના લોકો માટે જીવન સરળ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેઓ લદ્દાખના લોકસભામાં સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા જેમાં સાંસદે લદ્દાખને તમામ હવામાન કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 4.1 કિમી લંબાઈના શિંકુન એલએના નિર્માણ માટે રૂ. 1681.51 કરોડની મંજૂરી પર લદ્દાખના લોકોની ખુશી વ્યક્ત કરી હતી.

રોજગાર મેળા હેઠળ લગભગ 71,000 નવા નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રોના વિતરણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 22nd, 10:31 am

આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે દેશના 45 શહેરોમાં 71 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. એટલે કે આજે હજારો ઘરોમાં સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે. ગયા મહિને ધનતેરસના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા 75 હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે આજનો વિશાળ જોબ ફેર દર્શાવે છે કે સરકાર કેવી રીતે સરકારી નોકરીઓ આપવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલાઓને લગભગ 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

November 22nd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવી નિમણૂક પામેલા 71,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર નિર્માણને આગળ વધારવા અને યુવાનોને તેમના સશક્તિકરણ તેમજ રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. અગાઉ ઓકટોબરમાં રોજગાર મેળા હેઠળ 75,000 નિમણૂક પત્રો નવી નિમણૂક પામેલાઓને સોંપવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ લદ્દાખના તુર્તુકના લોકોને સ્વચ્છ ભારત પ્રત્યેના જુસ્સા અને વિઝન માટે સલામ કરી

October 03rd, 10:33 pm

ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના તુર્તુકના લોકોને સ્વચ્છ ભારત પ્રત્યેના જુસ્સા અને વિઝન માટે સલામ કરી છે.

શિમલા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 31st, 11:01 am

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન રાજેન્દ્રજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ મુખ્યમંત્રી, મારા મિત્ર શ્રી જયરામ ઠાકુરજી, પ્રદેશ અધ્યક્ષ, અમારા જૂના સાથી શ્રીમાન સુરેશજી, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીદારો, સાંસદો, ધારાસભ્યો, હિમાચલના તમામ જનપ્રતિનિધિઓ. આજનો દિવસ મારાં જીવનનો એક ખાસ દિવસ પણ છે અને તે ખાસ દિવસે મને આ દેવભૂમિને વંદન કરવાનો મોકો મળે, એનાથી મોટું જીવનનું સૌભાગ્ય શું હોઇ શકે છે. આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.