જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 12:35 pm

મોદીનીગૅરેન્ટીવાળીગાડીને લઈને જે ઉત્સાહ ગામેગામ જોવા મળી રહ્યો છે તે ભારતના દરેક ખૂણે જોવા મળે છે, પછી તે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ખૂબ નાનાં ગામો હોય કે મોટાં ગામો હોય અને અમુક તો, મેં જોયું છે કે ગાડીનો રૂટ નથી છતાં પણ લોકો ગામવાળા રસ્તે આવીને ઊભા રહી જાય છે અને ગાડી ઊભી રખાવીને બધી જાણકારી મેળવી લે છે, એટલે આ તો ખરેખર અદ્‌ભૂત છે. અને મેં કેટલાક લાભાર્થીઓ સાથે હમણાં જે વાતચીત કરી. મને જણાવવામાં આવ્યું છે કે આ યાત્રા દરમિયાન દોઢ લાખથી વધુ લાભાર્થીઓને તેમના અનુભવો કહેવાની તક મળી, અને આ અનુભવોની નોંધ રેકોર્ડ કરવામાં આવી છે. અને છેલ્લા 10-15 દિવસમાં મેં વચ્ચે-વચ્ચે જોયું પણ છે કે ગામના લોકોની શું લાગણી છે, યોજનાઓ મળી છે તે પાક્કી પૂરી મળી છે કે નથી મળી. સમગ્ર ડિટેલ એમને ખબર, બધી ચીજ, હું તમારા વીડિયો જોઉં છું, ત્યારે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે મારાં ગામના લોકો પણ તેમને જે સરકારી યોજનાઓ મળે છે તેનો કેવી રીતે સારો ઉપયોગ કરે છે.હવે જુઓ જો કોઈને કાયમી ઘર મળ્યું હોય તો તેને લાગે છે કે તેના જીવનમાં નવી શરૂઆત થઈ ગઈ છે. જો કોઈને નળથી પાણી મળે તો તેને લાગે કે અત્યાર સુધી તો આપણે પાણી માટે મુશ્કેલીમાં જીવતા હતા, આજે આપણા ઘરે પાણી આવી પહોંચ્યું છે. જો કોઈને શૌચાલય મળે તો તેને લાગે છે કે તેને ઈજ્જત ઘર મળ્યું છે અને આપણે કહેતા કે જૂના જમાનામાં મોટા મોટા ધનિક લોકોનાં ઘરે શૌચાલય ઉપલબ્ધ હતાં, હવે આપણાં ઘરોમાં શૌચાલય છે. તેથી તે સામાજિક પ્રતિષ્ઠાનો પણ વિષય બની ગયો છે.કોઈને મફત સારવાર મળી છે, કોઈને મફત રાશન મળ્યું છે, કોઈને ગેસ કનેક્શન મળ્યું છે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું છે, કોઈનું બૅન્ક ખાતું ખુલ્યું છે, કોઈને પીએમકિસાન સન્માન નિધિ મળી રહી છે, કોઈને પીએમપાક વીમાનો લાભ મળ્યો છે, તો કોઇને પીએમ સ્વનિધિ યોજના દ્વારા સહાય મળી છે, કોઇને પીએમ સ્વામિત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે, એટલે કે જો હું યોજનાઓનાં નામ કહું તો, જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે વસ્તુઓ ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.

પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

December 09th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

We are against war, but peace is not possible without strength: PM Modi in Kargil

October 24th, 02:52 pm

Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.

PM celebrates Diwali with Armed Forces in Kargil

October 24th, 11:37 am

Keeping in with his tradition of spending Diwali with armed forces, the PM Modi spent this Diwali with the forces in Kargil. Addressing the brave jawans, the Prime Minister said that the reverence for the soil of Kargil always draws him towards the brave sons and daughters of the armed forces.

કેન્દ્ર સરકાર કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટવાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે: પ્રધાનમંત્રી

July 28th, 12:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર કિશ્તવાડ અને કારગિલમાં વાદળ ફાટવાની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે