This decade is becoming the decade of Uttarakhand: PM Modi at Harsil

March 06th, 02:07 pm

PM Modi participated in the Winter Tourism Program and addressed the gathering at Harsil, Uttarakhand. PM recalled his visit to Baba Kedarnath, where he had declared that, “this decade would be the decade of Uttarakhand”. He congratulated the Uttarakhand government for the innovative effort of Winter Tourism and extended his best wishes. He noted that the recently approved Kedarnath Ropeway Project will reduce the travel time from 8-9 hours to approximately 30 minutes. PM reiterated his appeal to Wed in India.

PM Modi addresses Winter Tourism Program at Harsil, Uttarakhand

March 06th, 11:17 am

PM Modi participated in the Winter Tourism Program and addressed the gathering at Harsil, Uttarakhand. PM recalled his visit to Baba Kedarnath, where he had declared that, “this decade would be the decade of Uttarakhand”. He congratulated the Uttarakhand government for the innovative effort of Winter Tourism and extended his best wishes. He noted that the recently approved Kedarnath Ropeway Project will reduce the travel time from 8-9 hours to approximately 30 minutes. PM reiterated his appeal to Wed in India.

The vision of Investment in People stands on three pillars – Education, Skill and Healthcare: PM Modi

March 05th, 01:35 pm

PM Modi participated in the Post-Budget Webinar on Employment and addressed the gathering on the theme Investing in People, Economy, and Innovation. PM remarked that India's education system is undergoing a significant transformation after several decades. He announced that over one crore manuscripts will be digitized under Gyan Bharatam Mission. He noted that India, now a $3.8 trillion economy will soon become a $5 trillion economy. PM highlighted the ‘Jan-Bhagidari’ model for better implementation of the schemes.

PM Modi addresses the Post-Budget Webinar on boosting job creation- Investing in People, Economy, and Innovation

March 05th, 01:30 pm

PM Modi participated in the Post-Budget Webinar on Employment and addressed the gathering on the theme Investing in People, Economy, and Innovation. PM remarked that India's education system is undergoing a significant transformation after several decades. He announced that over one crore manuscripts will be digitized under Gyan Bharatam Mission. He noted that India, now a $3.8 trillion economy will soon become a $5 trillion economy. PM highlighted the ‘Jan-Bhagidari’ model for better implementation of the schemes.

Prime Minister Narendra Modi to participate in Post-Budget Webinar on Employment

March 04th, 05:09 pm

Prime Minister Shri Narendra Modi will participate in the Post-Budget Webinar on Employment on 5th March, at around 1:30 PM via video conferencing. The key themes of the webinar include Investing in People, Economy, and Innovation. Prime Minister will also address the gathering on the occasion.

Today every country in the world wants to strengthen its economic partnership with India: PM Modi

March 04th, 01:00 pm

PM Modi participated in three Post-Budget webinars on MSME sector and addressed the gathering on the occasion. PM said that in the past 10 years, India had shown a commitment to reforms. He encouraged competition among states so that states with progressive policies attract companies to invest in their regions. He emphasized that the webinar aims to determine actionable solutions through participants' cooperation.

PM Modi addresses the post-budget webinars

March 04th, 12:30 pm

PM Modi participated in three Post-Budget webinars on MSME sector and addressed the gathering on the occasion. PM said that in the past 10 years, India had shown a commitment to reforms. He encouraged competition among states so that states with progressive policies attract companies to invest in their regions. He emphasized that the webinar aims to determine actionable solutions through participants' cooperation.

Together we are working towards building an India where farmers are prosperous and empowered: PM Modi

March 01st, 01:00 pm

PM Modi addressed the post-budget webinar on agriculture and rural prosperity, emphasizing stakeholders' crucial role in implementing Budget announcements. He highlighted schemes like PM-Kisan, the PM Dhan Dhaanya Krishi Yojana, and efforts to boost pulse production. Stressing innovation, nutrition, and fisheries growth, he urged collaboration to strengthen the rural economy and empower farmers.

PM Modi addresses the post-budget webinar on agriculture and rural prosperity

March 01st, 12:30 pm

PM Modi addressed the post-budget webinar on agriculture and rural prosperity, emphasizing stakeholders' crucial role in implementing Budget announcements. He highlighted schemes like PM-Kisan, the PM Dhan Dhaanya Krishi Yojana, and efforts to boost pulse production. Stressing innovation, nutrition, and fisheries growth, he urged collaboration to strengthen the rural economy and empower farmers.

ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 25th, 11:10 am

પૂર્વી ભારત અને ઉત્તર પૂર્વની ભૂમિ આજે એક નવા ભવિષ્યની શરૂઆત કરવા જઈ રહી છે. એડવાન્ટેજ આસામ એ સમગ્ર વિશ્વને આસામની સંભાવના અને પ્રગતિ સાથે જોડવાનું એક મહા અભિયાન છે. ઇતિહાસ સાક્ષી છે કે અગાઉ પણ ભારતની સમૃદ્ધિમાં પૂર્વીય ભારતની મુખ્ય ભૂમિકા હતી. આજે જ્યારે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર પૂર્વી ભારત, આપણું ઉત્તર પૂર્વ પોતાની તાકાત બતાવવા જઈ રહ્યું છે. હું એડવાન્ટેજ આસામને આ ભાવનાના પ્રતિબિંબ તરીકે જોઉં છું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું આસામ સરકાર અને હિમંતજીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. મને યાદ છે કે 2013માં જ્યારે હું ચૂંટણી પ્રચાર માટે આસામનો પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે એક સભામાં મારા મગજમાંથી એક શબ્દ નીકળ્યો અને મેં કહ્યું તે દિવસ દૂર નથી જ્યારે લોકો મૂળાક્ષરો વાંચવાનું શરૂ કરશે અને આસામ માટે A કહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 25th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પૂર્વ ભારત અને પૂર્વોત્તર ભારત આજે ભવિષ્યની નવી યાત્રાએ નીકળી રહ્યું છે અને એડવાન્ટેજ આસામ અતુલ્ય સંભવિતતા અને દુનિયા સાથેની પ્રગતિને એકબીજા સાથે જોડવા માટેની એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. ભારતની સમૃદ્ધિમાં પૂર્વ ભારત દ્વારા ભજવવામાં આવેલી મુખ્ય ભૂમિકાનો ઇતિહાસ સાક્ષી છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં પ્રગતિ કરી રહ્યાં છીએ, ત્યારે પૂર્વ ભારત અને પૂર્વોત્તર તેમની ખરી સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે કહ્યું હતું કે, એડવાન્ટેજ આસામ પણ આ જ ભાવનાનું પ્રતિનિધિત્વ છે તથા તેમણે આસામની સરકાર અને મુખ્યમંત્રીને આ પ્રકારનાં ભવ્ય સમારંભનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે 2013ના તેમના શબ્દોને યાદ કર્યા હતા, જ્યારે તેમણે કહ્યું હતું કે તે સમય દૂર નથી કે જ્યારે 'એ ફોર આસામ' આદર્શ બની જશે.

આસામના ગુવાહાટીમાં ઝુમોઇર બિનંદિની કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 06:40 pm

આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, ગતિશીલ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્ર સરકારમાં મારા સાથીદારો ડૉ. એસ. જયશંકર, સર્બાનંદ સોનોવાલ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, બધા કલાકાર મિત્રો અને આસામના મારા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાન્દિની કાર્યક્રમમાં ભાગ લીધો

February 24th, 06:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જે રીતે ઝુમોઈર અને ચાના બગીચાના કલ્ચર સાથે લોકોનો વિશેષ સંબંધ છે, તેવી જ રીતે તેઓ પણ આ જ પ્રકારનો સંબંધ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ઝુમોઈર નૃત્ય કરતા આટલી મોટી સંખ્યામાં કલાકારો એક વિક્રમ સર્જશે. વર્ષ 2023માં આસામની તેમની મુલાકાતને યાદ કરીને જ્યારે બિહુ નૃત્યની રજૂઆત કરતા 11,000 કલાકારોને જોડીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તેમના માટે અવિસ્મરણીય સ્મૃતિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ પ્રકારની રોમાંચક કામગીરીની અપેક્ષા રાખતા હતા. તેમણે આસામ સરકાર અને તેનાં મુખ્યમંત્રીને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આજનો દિવસ આસામ માટે ગર્વનો દિવસ છે, જેમાં ટી કોમ્યુનિટી અને આદિવાસી લોકો આ ઉજવણીમાં સહભાગી થયા છે. તેમણે આ ખાસ દિવસે દરેકને શુભકામનાઓ પાઠવી હતી.

બિહારના ભાગલપુરમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 02:35 pm

મંચ પર બેઠેલા રાજ્યપાલ, શ્રી આરિફ મોહમ્મદ ખાનજી, આપણા પ્રિય મુખ્યમંત્રી જે બિહારના વિકાસ માટે લોકપ્રિય અને સમર્પિત છે, નીતિશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શિવરાજ સિંહ ચૌહાણજી, જીતન રામ માંઝીજી, લલ્લન સિંહજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરજી, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય સિંહાજી, રાજ્યના અન્ય મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ, ઉપસ્થિત મહાનુભાવો અને બિહારના મારા પ્રિય ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાનનો 19મો હપ્તો બહાર પાડ્યો, બિહારનાં ભાગલપુરથી વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કર્યો

February 24th, 02:30 pm

ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારનાં ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો પ્રસિદ્ધ કર્યો હતો. તેમણે આ પ્રસંગે અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શુભારંભ પણ કર્યો હતો. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં સામેલ થયેલા તમામ મહાનુભવો અને લોકોનું વર્ચ્યુઅલ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે મહા કુંભના પવિત્ર સમયગાળા દરમિયાન મંદારચલની ભૂમિમાં પગ મૂકવો એ ખૂબ જ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સ્થળ આધ્યાત્મિકતા, વારસો ધરાવે છે અને સાથે સાથે વિકસિત ભારતની સંભવિતતા પણ ધરાવે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ ભૂમિ શહીદ તિલ્કા માંઝીની સાથે-સાથે સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, બાબા અજગૈબીનાથની પવિત્ર ભૂમિમાં પણ આગામી મહા શિવરાત્રીની તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પવિત્ર ક્ષણ દરમિયાન પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો બહાર પાડવાનું સૌભાગ્ય તેમને મળ્યું છે અને આશરે રૂ. 22,000 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે ખેડૂતોનાં બેંક ખાતાઓમાં સીધા જમા થયા છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 24th, 10:35 am

સૌ પ્રથમ, હું અહીં આવવામાં મોડું થવા બદલ આપ સૌની માફી માંગુ છું. વિલંબ એટલા માટે થયો કારણ કે ગઈકાલે જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે મારા મનમાં એક વાત આવી કે આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી અને તેમનો સમય અને રાજભવન છોડવાનો મારો સમય એકબીજા સાથે ટકરાઈ રહ્યો હતો. અને તેના કારણે, એવી શક્યતા હતી કે જો સુરક્ષા કારણોસર રસ્તાઓ બંધ કરવામાં આવે, તો બાળકોને પરીક્ષા આપવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અને આ મુશ્કેલી ટાળવા માટે, મેં વિચાર્યું કે બધા બાળકો તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા પછી જ હું રાજભવન છોડીશ. આ કારણે, હું 15-20 મિનિટ મોડો નીકળ્યો અને તેના કારણે આપ સૌને થયેલી અસુવિધા માટે, હું ફરી એકવાર માફી માંગુ છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કર્યું

February 24th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઇએસ) 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ કાર્યક્રમમાં પહોંચવામાં વિલંબ થવા બદલ માફી માંગી હતી, કારણ કે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાઓ હતી અને આ કાર્યક્રમમાં તેમના સુરક્ષાના પગલાંથી વિદ્યાર્થીઓને અસુવિધા થઈ શકે તેમ હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રાજા ભોજની ભૂમિમાં રોકાણકારો અને વ્યાવસાયિક આગેવાનોનું સ્વાગત કરવું એ તેમના માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત મધ્યપ્રદેશ તરીકે મહત્ત્વપૂર્ણ છે. વિકસિત મધ્યપ્રદેશ વિકસિત ભારત તરફની યાત્રામાં જરૂરી છે. તેમણે શિખર સંમેલનનાં અદભૂત આયોજન માટે મધ્યપ્રદેશની સરકારને અભિનંદન આપ્યાં હતાં.

ભારત ટેક્સ 2025માં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

February 16th, 04:15 pm

મારા મંત્રીમંડળના સાથીઓ, શ્રી ગિરિરાજ સિંહ જી, પબિત્રા માર્ગરિટા જી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ, ફેશન અને કાપડ જગતના તમામ દિગ્ગજો, ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, મારા વણકર અને કારીગર મિત્રો, મહિલાઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું

February 16th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025ને સંબોધન કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની મુલાકાત પણ લીધી. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારત ટેક્સ 2025માં સૌનું સ્વાગત કર્યું અને ટિપ્પણી કરી કે આજે ભારત મંડપમ ભારત ટેક્સની બીજી આવૃત્તિનું સાક્ષી બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમ આપણા વારસાની સાથે સાથે વિકાસ ભારતના ભાવિની ઝલક આપે છે, જે ભારત માટે ગર્વની વાત છે. ભારત ટેક્સ હવે એક મેગા ગ્લોબલ ટેક્સટાઇલ ઇવેન્ટ બની રહ્યું છે, શ્રી મોદીએ ટિપ્પણી કરી. તેમણે ઉમેર્યું કે મૂલ્ય શૃંખલાના સ્પેક્ટ્રમ સાથે સંબંધિત તમામ બાર સમુદાયો આ વખતે ઇવેન્ટનો ભાગ હતા. તેમણે વધુમાં નોંધ્યું કે એક્સેસરીઝ, વસ્ત્રો, મશીનરી, રસાયણો અને રંગોના પ્રદર્શનો પણ યોજાઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત ટેક્સ વિશ્વભરના નીતિ નિર્માતાઓ, સીઈઓ અને ઉદ્યોગ નેતાઓ માટે જોડાણ, સહયોગ અને ભાગીદારી માટે એક મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સામેલ તમામ હિસ્સેદારોના પ્રયાસોની પ્રશંસા કરી.

પેરિસમાં AI એક્શન સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ

February 11th, 03:15 pm

જો તમે તમારા મેડિકલ રિપોર્ટને AI એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં, કોઈપણ શબ્દપ્રયોગ વિના, સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ, જો તમે તે જ એપને ડાબા હાથથી લખતી કોઈ વ્યક્તિની છબી દોરવા માટે કહો છો, તો એપ મોટે ભાગે કોઈ વ્યક્તિને તેના જમણા હાથથી લખતી વ્યક્તિનું ચિત્ર દોરશે. કારણ કે તાલીમી ડેટા પર આ જ વાતનું પ્રભુત્વ છે.