દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

ચૂંટણી પંચે સમયાંતરે આપણી મતદાન પ્રક્રિયાને મજબૂત બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

January 19th, 11:30 am

In the 118th episode of Mann Ki Baat, PM Modi reflected on key milestones, including the upcoming 75th Republic Day celebrations and the significance of India’s Constitution in shaping the nation’s democracy. He highlighted India’s achievements and advancements in space sector like satellite docking. He spoke about the Maha Kumbh in Prayagraj and paid tributes to Netaji Subhas Chandra Bose.

બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 14th, 05:50 pm

આ આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે-માત્ર આપણા દેશવાસીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકશાહી-પ્રેમી નાગરિકો માટે પણ. આ લોકશાહીના તહેવારને ખૂબ ગર્વ સાથે ઉજવવાનો પ્રસંગ છે. બંધારણ હેઠળ 75 વર્ષની સફર નોંધપાત્ર છે, અને આ યાત્રાના કેન્દ્રમાં આપણા બંધારણ નિર્માતાઓની દૈવી દ્રષ્ટિ છે, જેમના યોગદાનથી આપણે આગળ વધીએ છીએ. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી ખરેખર એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. મને ખૂબ આનંદ થાય છે કે સંસદ પણ આ ઉજવણી દરમિયાન પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ભાગ લેશે. હું તમામ માનનીય સભ્યોનો આભાર માનું છું અને આ ઉજવણીમાં ભાગ લેનારા દરેકને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં સંબોધન કર્યું

December 14th, 05:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચાને સંબોધન કર્યું હતું. ગૃહને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે લોકશાહીનું સન્માન કરનારા ભારતના તમામ નાગરિકો અને વિશ્વભરના તમામ લોકો માટે આ ગર્વ અને સન્માનની બાબત છે કે આપણે લોકશાહીનો આ તહેવાર ઉજવી રહ્યા છીએ. આપણા બંધારણના 75 વર્ષની આ નોંધપાત્ર અને મહત્વપૂર્ણ યાત્રામાં આપણા બંધારણના ઘડવૈયાઓની દૂરદર્શિતા, દ્રષ્ટિ અને પ્રયાસોનો આભાર માનતાં તેમણે કહ્યું કે 75 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી લોકશાહીનો તહેવાર ઉજવવાનો આ સમય છે. શ્રી મોદી ખુશ હતા કે સંસદના સભ્યો પણ આ ઉજવણીમાં પોતાને સામેલ કરી રહ્યા હતા અને તેમના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા હતા, તેમણે આ માટે તેમનો આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 03rd, 08:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ભારતીય લોકશાહીનો મજબૂત પાયો નાખવામાં ડૉ. પ્રસાદજીના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 08:15 pm

ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ, અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો

November 26th, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતમાં બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ ન્યાયમૂર્તિ શ્રી બી. આર. ગવાઈ અને ન્યાયમૂર્તિ શ્રી સૂર્યકાંત, કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, ભારતના એટર્ની જનરલ શ્રી અર્જુન રામ મેઘવાલ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 03rd, 10:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

December 03rd, 09:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીનો બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામેલ ભારતીય ખેલાડીઓ સાથે સંવાદનો મૂળપાઠ

August 13th, 11:31 am

ચાલો, આમ તો બધા સાથે વાત કરવાથી મને બહુ પ્રેરણા મળે છે, પણ બધા સાથે સંવાદ કરવો કદાચ શક્ય નથી. પણ જુદાં જુદાં સમયે તમારામાંથી ઘણા બધા સાથે કોઈને કોઈ સ્વરૂપે મને સંપર્કમાં રહેવાની તક મળી છે, વાતચીત કરવાનો મોકો મળ્યો છે. મારા માટે ખુશીની બાબત એ છે કે, તમે સમય કાઢીને મારા નિવાસસ્થાને આવ્યાં અને પરિવારના એક સભ્ય સ્વરૂપે આવ્યાં છો. તમે તમારી સાથે ભારત માટે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. જે રીતે દરેક હિંદુસ્તાની તમારી સાથે જોડાઈને ગર્વની લાગણી અનુભવે છે, તે જ રીતે હું પણ તમારી સાથે જોડાઈને ગૌરવની લાગણી અનુભવું છું. તમારું બધાનું મારે ત્યાં હાર્દિક સ્વાગત છે.

પીએમ કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલકાત કરી

August 13th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2022 માટે ભારતીય ટુકડી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમારોહમાં રમતવીરો અને તેમના કોચ બંનેએ હાજરી આપી હતી. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર અને યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રામાણિક આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બિહાર વિધાનસભા, પટનાના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 12th, 06:44 pm

આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત બિહારના રાજ્યપાલ શ્રી ફાગુ ચૌહાણજી, લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજી, વિધાનસભા અધ્યક્ષ શ્રી વિજય સિંહાજી, બિહાર વિધાન પરિષદના કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધેશ નારાયણ સિંહ, નાયબ મુખ્યમંત્રી શ્રીમતી રેણુ દેવીજી, તારાકિશોર પ્રસાદ, વિપક્ષના નેતા શ્રી તેજસ્વી યાદવજી, તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,

PM addresses the closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly

July 12th, 06:43 pm

PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.

પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી

December 03rd, 10:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને અજોડ પ્રતિભા ધરાવતા ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિશેષ યોગદાન આપ્યું. રાષ્ટ્રીય હિતને સમર્પિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.

બંધારણ દિન પ્રસંગે સંસદના સેન્ટ્રલ હૉલમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 11:01 am

આજનો દિવસ બાબા સાહેબ આંબેડકર, ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા દૂરંદેશી ધરાવતા મહાનુભવોને નમન કરવાનો દિવસ છે. આજનો દિવસ ગૃહને પ્રણામ કરવાનો દિવસ છે, કારણ કે આ પવિત્ર સ્થળ પર મહિનાઓ સુધી ભારતના વિદ્વાનોએ, કાર્યશીલોએ દેશના ઉજળા ભવિષ્ય માટે વ્યવસ્થાઓ નિર્ધારિત કરવા માટે મનોમંથન કર્યું હતું અને તેમાંથી સંવિધાન સ્વરૂપે આપણને અમૃત પ્રાપ્ત થયું હતું, જેણે આઝાદીનો આટલો લાંબો સમય વિત્યા પછી આપણને અહિંયા પહોંચાડ્યા છે.

પ્રધાનમંત્રી સંસદમાં બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા

November 26th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સંસદમાં બંધારણ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને આદરણીય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને લોકસભાના સ્પીકરે સંબોધન કર્યું હતું. આદરણીય રાષ્ટ્રપતિનાં ભાષણ બાદ, બંધારણનાં આમુખના પઠનમાં દેશ એમની સાથે જીવંત રીતે જોડાયો હતો. આદરણીય રાષ્ટ્રપતિએ બંધારણ સભાની ચર્ચાઓની ડિજિટલ આવૃત્તિ, ભારતનાં બંધારણની હસ્તલિખિત પ્રતની ડિજિટલ આવૃત્તિ અને અત્યાર સુધીના તમામ સુધારાઓને સમાવતી ભારતનાં બંધારણની સુધારેલી આવૃત્તિ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ‘બંધારણીય લોકશાહી અંગે એક ઓનલાઇન ક્વિઝ’નું પણ ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 03rd, 10:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

80મી ઑલ ઈન્ડીયા પ્રિસાઈડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 12:52 pm

આજે મા નર્મદાના કિનારે સરદાર પટેલજીના સાનિધ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ બે અવસરોનો સમન્વય થઈ રહ્યો છે. બંધારણ દિન પ્રસંગે મારા તમામ ભારતીય સાથીઓને શુભેચ્છા પાઠવું છું. આપણે એ મહાન પુરૂષો અને મહિલાઓ કે જે આપણું બંધારણ ઘડવામાં સંકળાયેલા હતા તે તમામને શ્રધ્ધાંજલિ પાઠવું છું. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણનું રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા બજાવનારા આપ પ્રિસાઈડીંગ અધિકારીઓનું સંમેલન પણ છે. આ વર્ષ પ્રિસાઈડીંગ અધિકારીઓના સંમેલનનું શતાબ્દી વર્ષ પણ છે. મહત્વની આ ઉપલબ્ધિ માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં સંબોધન કર્યું

November 26th, 12:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતના કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ બિહારમાં પીએમ મત્સ્ય સંપદા યોજના, ઇ-ગોપાલા એપ્લિકેશન અને અન્ય અનેક પહેલનો શુભારંભ કર્યો

September 10th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં પીએમ મત્સ્ય સમ્પદા યોજના, ઇ-ગોપાલા અને અન્ય કેટલીક પહેલોને લીલી ઝંડી આપી હતી, જેનો ઉદ્દેશ અનુક્રમે મત્સ્ય ઉત્પાદનમાં અભ્યાસો અને સંશોધન કરવા, ડેરી, પશુ સંવર્ધન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો છે.