
India is a supporter and a fellow traveller in Ghana’s journey of nation building: PM Modi
July 03rd, 12:32 am
PM Modi and President Mahama of Ghana attended joint press meet. In his remarks, PM Modi thanked the President for the warm welcome given to him. Both the leaders have decided to elevate the bilateral relationship into a Comprehensive Partnership”. The PM remarked that shared beliefs, struggles, and a shared dream for an inclusive future lie at the heart of the friendship between India and Ghana.
પ્રધાનમંત્રી અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા
June 13th, 02:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછીના સ્થળની મુલાકાત લીધી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત પરિવારો સાથે એકતા વ્યક્ત કરતા શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે તેમની સાથે મુલાકાત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં રાષ્ટ્રના અતૂટ સમર્થનની ખાતરી આપી હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
June 13th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન અકસ્માતમાં ઘણા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓ જે અપાર દુઃખ અને નુકસાન સહન કરી રહ્યા છે તે સ્વીકાર્યું.આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીની ટીપ્પણીનો મૂળપાઠ
June 07th, 02:00 pm
આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025માં આપનું સ્વાગત છે. આ પરિષદ યુરોપમાં પહેલી વાર યોજાઈ રહી છે. હું મારા મિત્ર, રાષ્ટ્રપતિ મેક્રોન અને ફ્રેન્ચ સરકારનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. હું આગામી યુએન મહાસાગર પરિષદ માટે પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025માં આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી
June 07th, 01:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા, તેમણે યુરોપમાં પ્રથમ વખત આયોજિત આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ 2025 પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સ સરકારનો આભાર માન્યો. પ્રધાનમંત્રીએ આગામી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
April 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.17માં સિવિલ સર્વિસીસ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 21st, 11:30 am
આપ સૌને સિવિલ સર્વિસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ વર્ષનો સિવિલ સર્વિસીસ ડે ઘણા કારણોસર ખાસ છે. આ વર્ષે આપણે આપણા બંધારણના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલે તમને બધાને ભારતના સ્ટીલ ફ્રેમ કહ્યા. તેમણે સ્વતંત્ર ભારતના અમલદારશાહી માટે નવી મર્યાદાઓ નક્કી કરી હતી. એક સિવિલ સેવક જે રાષ્ટ્રની સેવાને પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય માને છે. જે લોકશાહી રીતે વહીવટ ચલાવે છે. જે પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણથી ભરપૂર છે. જે દેશના ધ્યેયો માટે દિવસ-રાત મહેનત કરે છે. આજે, જ્યારે આપણે વિકસિત ભારત બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના આ શબ્દો વધુ સુસંગત બની જાય છે. આજે હું સરદાર સાહેબના વિઝનને સલામ કરું છું અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો
April 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય
April 05th, 11:30 am
આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.પહેલોની યાદી : છઠ્ઠા બિમ્સ્ટેક શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીની સહભાગીતા
April 04th, 02:32 pm
બિમ્સ્ટેક ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના.થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
April 04th, 12:59 pm
આજે, હું આ સમિટના સફળતાપૂર્વક આયોજન માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શિનાવાત્રાજીનો આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં 6ઠ્ઠી બિમ્સ્ટેક સમિટમાં ભાગ લીધો
April 04th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડ દ્વારા આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક (બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) શિખર સંમેલનમાં ભાગ લીધો હતો, જેનું વર્તમાન અધ્યક્ષપદ છે. આ સમિટની થીમ – બિમ્સ્ટેક - સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને મુક્ત હતી. તે બિમ્સ્ટેક ક્ષેત્રનાં લોકોની નેતાઓની પ્રાથમિકતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાનાં સમયમાં સહિયારી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા BIMSTECનાં પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રીએ BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો
April 04th, 12:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં BIMSTEC રાષ્ટ્રો વચ્ચે સહકારના વિવિધ પાસાઓને આવરી લેતી 21-મુદ્દાની કાર્ય યોજનાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે BIMSTEC રાષ્ટ્રોમાં વેપારને વેગ આપવા અને IT ક્ષેત્રની સમૃદ્ધ સંભાવનાનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો હતો. તેમણે હાલમાં આવેલા મ્યાનમાર અને થાઇલેન્ડને અસર કરતા ભૂકંપને પગલે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની જરૂરિયાતને પણ મહત્વ આપ્યું. શ્રી મોદીએ અંતરિક્ષની દુનિયામાં કામ કરવા અને સુરક્ષા ઉપકરણને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. BIMSTECને સામૂહિક રીતે સક્રિય કરવા અને નેતૃત્વ કરનારા યુવાનોની ભૂમિકા પર જોર આપતા, તેમણે આશા વ્યક્ત કરી કે સાંસ્કૃતિક જોડાણો BIMSTEC રાષ્ટ્રોને વધુ નજીક લાવશે.મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 30th, 11:53 am
ગુડી પાડ-વ્યાચ્યા આણિ નવીન વર્ષાચ્યા આપલ્યા સર્વાન્ના અતિશય મનઃપૂર્વક શુભેચ્છા! આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ પૂજ્ય સરસંઘચાલકજી, ડૉ. મોહન ભાગવતજી, સ્વામી ગોવિંદ ગિરિજી મહારાજ, સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ નીતિન ગડકરીજી, ડૉ. અવિનાશ ચંદ્ર અગ્નિહોત્રીજી, અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત બધા વરિષ્ઠ સાથીઓ, મને આજે રાષ્ટ્ર યજ્ઞના આ પવિત્ર વિધિમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો આ દિવસ ખૂબ જ ખાસ છે. આજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આજે દેશના વિવિધ ખૂણામાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહના તહેવારો પણ ઉજવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન ઝુલેલાલજી અને ગુરુ અંગદ દેવજીની પણ જન્મજયંતી છે. આ આપણા પ્રેરણા સ્ત્રોત, પરમ પૂજ્ય ડૉક્ટર સાહેબની જન્મજયંતીનો પણ પ્રસંગ છે. અને આ વર્ષે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. આજે, આ પ્રસંગે, મને સ્મૃતિ મંદિરની મુલાકાત લેવાનો અને પૂજ્ય ડૉક્ટર સાહેબ અને પૂજ્ય ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવાનો લહાવો મળ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો
March 30th, 11:52 am
પ્રધાનમંત્રીએ આજે મહારાષ્ટ્રનાં નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પવિત્ર નવરાત્રી મહોત્સવની શરૂઆતની સાથે સાથે ચૈત્ર શુક્લ પ્રતિપદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે દેશભરમાં ગુડી પડવા, ઉગાદી અને નવરેહ જેવા તહેવારોની ઉજવણી થઈ રહી છે. તેમણે આ દિવસના મહત્વ પર ભાર મૂક્યો કારણ કે તે ભગવાન ઝુલેલાલ અને ગુરુ અંગદ દેવની જન્મજયંતી સાથે સુમેળ ખાય છે. તેમણે આ પ્રસંગને પ્રેરણાદાયી ડૉ. કે. બી. હેડગેવારની જન્મજયંતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ઝળહળતી યાત્રાના શતાબ્દી વર્ષ તરીકે પણ સ્વીકાર્યો હતો. તેમણે આ મહત્વપૂર્ણ દિવસે ડો. હેડગેવાર અને શ્રી ગોલવલકર ગુરુજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મૃતિ મંદિરની મુલાકાત લઈને આદર વ્યક્ત કર્યો હતો.ભારત - ન્યૂઝીલેન્ડનું સંયુક્ત નિવેદન
March 17th, 02:39 pm
ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં આમંત્રણ પર, ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન 16-20 માર્ચ, 2025 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી લક્સન, જેઓ તેમની વર્તમાન સ્થિતિ પ્રમાણે ભારતની પ્રથમ મુલાકાતે છે, તેઓ નવી દિલ્હી અને મુંબઈની મુલાકાત લઈ રહ્યાં છે, અને તેમની સાથે પ્રવાસન અને આતિથ્ય મંત્રી માનનીય લુઇસ અપસ્ટન, એથનિક કોમ્યુનિટિઝ અને રમતગમત તથા રીક્રીએશન મંત્રી માનનીય માર્ક મિશેલ અને વેપાર અને રોકાણ, કૃષિ અને વનીકરણ મંત્રી આદરણીય ટોડ મેકક્લે પણ ઉપસ્થિત છે. અને અધિકારીઓ અને વ્યવસાયો, સામુદાયિક ડાયસ્પોરા, મીડિયા અને સાંસ્કૃતિક જૂથોના પ્રતિનિધિઓનો સમાવેશ કરતું ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ સામેલ છે.નેતાઓનું નિવેદન: યુરોપિયન કમિશનના પ્રમુખ અને EU કોલેજ ઓફ કમિશનર્સ ટુ ઇન્ડિયા સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનની મુલાકાત (ફેબ્રુઆરી 27-28, 2025)
February 28th, 06:05 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પુષ્ટિ કરી હતી કે, યુરોપિયન યુનિયન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારીએ તેમના લોકો માટે અને વ્યાપક વૈશ્વિક ભલાઈ માટે મજબૂત લાભ પ્રદાન કર્યા છે. તેમણે આ ભાગીદારીને ઉચ્ચ-સ્તર સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે ભારત-યુરોપિયન યુનિયનની વ્યૂહાત્મક ભાગીદારીના 20 વર્ષ અને ભારત-ઈસી સહકાર સમજૂતીના 30 વર્ષથી વધુના ગાળાને અનુરૂપ છે.દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC રેલીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 05:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય શેઠજી, સીડીએસ- જનરલ અનિલ ચૌહાણજી, ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ, સંરક્ષણ સચિવ શ્રી, ડીજી એનસીસી, અન્ય મહેમાનો અને એનસીસીના મારા પ્રિય મિત્રો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી
January 27th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની પ્રધાનમંત્રી રેલીને સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને બેસ્ટ કેડેટ એવોર્ડ એનાયત કર્યા હતા. એનસીસી દિવસનાં પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 18 મૈત્રીપૂર્ણ દેશોમાંથી આશરે 150 કેડેટ્સ આવ્યા હતા અને તેમણે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે મેરા યુવા ભારત (MY Bharat) પોર્ટલ મારફતે વર્ચ્યુઅલ રીતે જોડાનારા સમગ્ર ભારતમાંથી યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું સ્વાગત કરવા બદલ ભારતને ગર્વ છે: પ્રધાનમંત્રી
January 25th, 05:48 pm
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટોનું સ્વાગત કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત-ઇન્ડોનેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે ઇન્ડોનેશિયા અમારી એક્ટ ઇસ્ટ પોલિસીના મૂળમાં હતું અને ભારત ઇન્ડોનેશિયાના BRICS સભ્યપદનું સ્વાગત કરે છે.