મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 01st, 03:35 pm

વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું

May 01st, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

April 30th, 03:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેનાં રોજ મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 1 મેના રોજ મુંબઈનો પ્રવાસ કરશે અને સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ)નું ઉદ્ઘાટન કરશે.

પેરિસમાં AI એક્શન સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ

February 11th, 03:15 pm

જો તમે તમારા મેડિકલ રિપોર્ટને AI એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં, કોઈપણ શબ્દપ્રયોગ વિના, સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ, જો તમે તે જ એપને ડાબા હાથથી લખતી કોઈ વ્યક્તિની છબી દોરવા માટે કહો છો, તો એપ મોટે ભાગે કોઈ વ્યક્તિને તેના જમણા હાથથી લખતી વ્યક્તિનું ચિત્ર દોરશે. કારણ કે તાલીમી ડેટા પર આ જ વાતનું પ્રભુત્વ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી

February 11th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 14th, 10:45 am

કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથી, ડૉ. જીતેન્દ્ર સિંહજી, WMO સેક્રેટરી જનરલ પ્રોફેસર સેલેસ્ટે સાઉલોજી, વિદેશથી આવેલા આપણા મહેમાનો, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડૉ. એમ. રવિચંદ્રનજી, IMD ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાજી, અને અન્ય મહાનુભાવો, બધા વૈજ્ઞાનિકો અને વિવિધ વિભાગો અને સંસ્થાઓના અધિકારીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગના 150માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું

January 14th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના 150માં સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આઇએમડીનાં 150 વર્ષ માત્ર વિભાગની સફરનું જ પ્રતિનિધિત્વ નથી કરતાં, પણ ભારતમાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીની ગૌરવવંતી સફરનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પ્રશંસા કરી કે આઇએમડીએ આ દોઢ સદીઓમાં લાખો ભારતીયોની સેવા કરી છે અને તે ભારતની વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક બની ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આઇએમડીની ઉપલબ્ધિઓ વિશે આજે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ 2047માં આઇએમડીનાં ભવિષ્યની રૂપરેખા આપતો વિઝન ડોક્યુમેન્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારત આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આઇએમડીનાં 150 વર્ષનાં આ મહત્ત્વપૂર્ણ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.