Bharat is recognized globally as one of the fastest-growing emerging economies: PM Modi

Bharat is recognized globally as one of the fastest-growing emerging economies: PM Modi

June 15th, 11:10 pm

PM Modi and the Cyprus President Christodoulides held a Roundtable interaction with business leaders in Limassol. The two leaders welcomed the signing of an MOU between NSE International Exchange GIFT CITY, Gujarat and Cyprus Stock Exchange. Highlighting India's rapid economic transformation in the last 11 years, the PM noted that India has become the fastest growing major economy in the world.

Prime Minister and President of Cyprus interact with business leaders from Cyprus and India

Prime Minister and President of Cyprus interact with business leaders from Cyprus and India

June 15th, 11:05 pm

PM Modi and the Cyprus President Christodoulides held a Roundtable interaction with business leaders in Limassol. The two leaders welcomed the signing of an MOU between NSE International Exchange GIFT CITY, Gujarat and Cyprus Stock Exchange. Highlighting India's rapid economic transformation in the last 11 years, the PM noted that India has become the fastest growing major economy in the world.

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રધાનમંત્રી દ્વારા આભાર પ્રસ્તાવનો મૂળપાઠ

February 04th, 07:00 pm

હું અહીં માનનીય રાષ્ટ્રપતિના સંબોધન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત થયો છું. ગઈકાલે, આજે અને મોડી રાત સુધી, બધા માનનીય સાંસદોએ તેમના વિચારોથી આ આભાર પ્રસ્તાવને સમૃદ્ધ બનાવ્યો. ઘણા માનનીય અને અનુભવી સંસદસભ્યોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, અને સ્વાભાવિક રીતે, લોકશાહીની પરંપરાની જેમ, જ્યાં જરૂર હતી, ત્યાં પ્રશંસા હતી, જ્યાં મુશ્કેલી હતી, ત્યાં કેટલીક નકારાત્મક બાબતો પણ હતી, પરંતુ આ ખૂબ જ સ્વાભાવિક છે! માનનીય અધ્યક્ષજી, મારા માટે એ ખૂબ જ સૌભાગ્યની વાત છે કે દેશના લોકોએ મને 14મી વખત આ સ્થાન પર બેસીને રાષ્ટ્રપતિના સંબોધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપી છે અને તેથી, આજે હું તેમનો આભાર માનવા માંગુ છું. લોકોનો ખૂબ આદર સાથે આભાર. ગૃહમાં ચર્ચામાં ભાગ લેનારા અને તેને સમૃદ્ધ બનાવનારા બધાનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પ્રત્યુત્તર

February 04th, 06:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ગઈકાલે અને આજની ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સાંસદોના યોગદાનની પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે, લોકશાહીની પરંપરામાં જ્યાં જરૂરી હોય ત્યાં પ્રશંસા અને જ્યાં જરૂર હોય ત્યાં કેટલીક નકારાત્મક ટિપ્પણીઓનો સમાવેશ થાય છે, જે સ્વાભાવિક છે. 14મી વખત રાષ્ટ્રપતિના અભિભાષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક લોકો દ્વારા આપવામાં આવી હોવાના મહાન વિશેષાધિકારને ઉજાગર કરતા તેમણે નાગરિકોનો આદરપૂર્વક આભાર માન્યો હતો અને આ પ્રસ્તાવને તેમના વિચારોથી સમૃદ્ધ બનાવવા માટે ચર્ચામાં સામેલ તમામ સહભાગીઓનો સ્વીકાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી

December 15th, 10:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી. આ ત્રણ દિવસીય કોન્ફરન્સનું આયોજન 13થી 15 ડિસેમ્બર, 2024 દરમિયાન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

December 13th, 12:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે.

રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:00 am

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

December 09th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીની યુએસએમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત

June 24th, 07:30 am

તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ યુએસએમાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે ભારતીય સમુદાયના સભ્યોને અભિનંદન આપ્યા અને અમૃતકાળ દરમિયાન ભારતના વિકાસમાં યોગદાન આપવા આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રીએ ભારત-યુએસએ સંબંધોને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમનો આભાર પણ માન્યો અને દ્વિપક્ષીય ભાગીદારીના ભાવિ ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં મધ્યપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023માં પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 11th, 05:00 pm

મધ્યપ્રદેશ રોકાણકારો સમિટમાં આપ સૌ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે! વિકસિત ભારતના નિર્માણમાં મધ્યપ્રદેશની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન સુધી, કૃષિથી લઈને શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સુધી, મધ્યપ્રદેશ અજબ પણ છે ગજબ પણ છે અને સજાગ પણ છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી મધ્યપ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું

January 11th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આજે વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ સમિટ મધ્યપ્રદેશમાં રોકાણની વિવિધ તકોને પ્રદર્શિત કરશે.

Our youth should be skilled, confident and practical, NEP is preparing the ground for this: PM Modi

July 07th, 02:46 pm

PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.

PM inaugurates Akhil Bhartiya Shiksha Samagam on implementation of NEP

July 07th, 02:45 pm

PM Modi inaugurated Akhil Bhartiya Shiksha Samagam on implementation of the National Education Policy in Varanasi. The Prime Minister said that the basic premise of the National Education Policy was to take education out of narrow thinking and connect it with the modern ideas of the 21st century.

મંત્રીમંડળે અટલ ઇનોવેશન મિશનની મુદત લંબાવવાની મંજૂરી આપી

April 08th, 09:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અટલ ઇનોવેશન મિશન (AIM)ની મુદત માર્ચ 2023 સુધી લંબાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. AIM દેશમાં આવિષ્કારની સંસ્કૃતિના વિકાસ અને ઉદ્યમશીલતાની ઇકો-સિસ્ટમના સર્જનના તેના ઉદ્દેશિત લક્ષ્ય પર કામ કરવાનું ચાલુ રાખશે.

મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 03rd, 10:08 am

આ બજેટમાં 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' અંગે લેવાયેલા નિર્ણયો આપણા ઉદ્યોગ અને અર્થતંત્ર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ આજે 21મી સદીના ભારતની જરૂરિયાત પણ છે અને તે આપણને વિશ્વમાં આપણી ક્ષમતા બતાવવાની તક પણ આપે છે. જો કોઈપણ દેશમાંથી કાચો માલ બહાર જાય છે અને તે તેમાંથી બનાવેલ માલસામાનની આયાત કરે છે, તો આ પરિસ્થિતિ કોઈપણ દેશ માટે ખોટનો સોદો હશે. બીજી તરફ જો ભારત જેવો વિશાળ દેશ માત્ર બજાર બનીને રહી જશે તો ભારત ક્યારેય પ્રગતિ કરી શકશે નહીં કે આપણી યુવા પેઢીને તકો આપી શકશે નહીં. આ વૈશ્વિક રોગચાળામાં, આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વમાં સપ્લાય-ચેન કેવી રીતે તબાહ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' પર DPIIT વેબિનારને સંબોધન કર્યું

March 03rd, 10:07 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા આયોજિત પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધવામાં આવેલ આ આઠમું પોસ્ટ-બજેટ વેબિનાર છે. વેબિનારની થીમ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' હતી.

'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 20th, 10:31 am

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!

પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું

January 20th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવક મહોત્સવ પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 03:02 pm

પુડુચેરીના લેફટેનન્ટ ગવર્નર તમિલ સાઈજી, મુખ્યમંત્રી શ્રી એન રંગાસામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી નારાયણ રાણેજી, શ્રી અનુરાગ ઠાકુરજી, શ્રી નિશિથ પ્રમાણિકજી, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્માજી, પુડુચેરી સરકારના વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, દેશના અન્ય રાજ્યોના મંત્રીઓ અને મારા યુવા સાથીઓ, વણક્કમ! આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું!

પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

January 12th, 11:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરીમાં 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી “મરે સપનોં કા ભારત” અને “ભારતની આઝાદીની ચળવળના અજ્ઞાત નાયકો” વિષય પર લખાયેલા પસંદગીના નિબંધોનું વિમોચન કર્યું હતું. આ બંને થીમ પર લગભગ 1 લાખ કરતાં વધારે યુવાનોએ તેમના નિબંધો સબમિટ કર્યા હતા જેમાંથી કેટલાક નિબંધો પસંદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ અંદાજે રૂપિયા 122 કરોડના રોકાણ સાથે પુડુચેરીમાં સ્થાપવામાં આવેલા MSME મંત્રાલયના ટેકનોલોજી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ પુડુચેરીમાં નવનિર્મિત ઓપન એર થિયેટર પેરુન્થલાઇવર કામરાજર મણીમંડપમનું ઉદ્ઘાટન કર્યું હતું જેનું નિર્માણ રૂપિયા 23 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, શ્રી નારાયણ રાણે, શ્રી ભાનુપ્રતાપસિંહ વર્મા અને શ્રી નિશિથ પ્રામાણિક, પુડુચેરીના ગવર્નર ડૉ. તમિલિસાઇ સૌંદરાજન, પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી, રાજ્ય મંત્રીઓ અને સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.