ઊર્જા સુરક્ષા પર G7 આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (જૂન 17, 2025)

ઊર્જા સુરક્ષા પર G7 આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (જૂન 17, 2025)

June 18th, 11:15 am

G-7 સમિટમાં આમંત્રણ આપવા અને અમારા અદ્ભુત સ્વાગત બદલ હું પ્રધાનમંત્રી કાર્નીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. G-7 જૂથના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે હું બધા મિત્રોને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ G7 આઉટરીચ સત્રને સંબોધિત કર્યું

પ્રધાનમંત્રીએ G7 આઉટરીચ સત્રને સંબોધિત કર્યું

June 18th, 11:13 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કનાનાસ્કિસમાં G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે 'ઊર્જા સુરક્ષા: બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ, ટેકનોલોજી અને માળખાગત સુવિધા' વિષય પર એક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક કાર્નીનો તેમના આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને G7ને તેની સફરના 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સાઉદી અરેબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું નિવેદન

સાઉદી અરેબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું નિવેદન

April 22nd, 08:30 am

આજે, હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું.

ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

January 28th, 09:36 pm

દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું

January 28th, 09:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનનાં 10 વર્ષ પૂર્ણ કર્યા

January 22nd, 10:04 am

બેટી બચાઓ, બેટી પઢાઓ આંદોલનને આજે 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ આંદોલન પરિવર્તનકારી, જનશક્તિશાળી પહેલ બની ગયું છે અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં લોકો પાસેથી સહભાગીતા પ્રાપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓએ લિંગ ભેદભાવ દૂર કરવામાં અને બાળકીઓને સશક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ વધુમાં નોંધ્યું હતું કે, ઐતિહાસિક રીતે બાળકોનું લિંગપ્રમાણ ઓછું હોય તેવા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે તથા આ આંદોલનને પાયાનાં સ્તરે જીવંત બનાવનાર તમામ હિતધારકોની પ્રશંસા કરી હતી.

ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 10:15 am

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદારો એસ. જયશંકરજી, જુઆલ ઓરામજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, અશ્વિની વૈષ્ણવજી, શોભા કરંદલાજેજી, કીર્તિ વર્ધન સિંહજી, પવિત્રા માર્ગેરિટાજી, ઓડિશા સરકારના નાયબ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહદેવજી, પ્રવતી પરિદાજી, અન્ય મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, ભારત માતાના બધા પુત્રો અને પુત્રીઓ જેઓ વિશ્વભરમાંથી અહીં આવ્યા છે!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

January 09th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાનાં ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. દુનિયાનાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા તમામ પ્રતિનિધિઓ અને પ્રવાસીઓનું સ્વાગત કરતાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં વસતાં વિવિધ ભારતીય ડાયસ્પોરામાં ઉદ્ઘાટન ગીત વગાડવામાં આવશે. તેમણે ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકાર રિકી કેજ અને તેમની ટીમની અદભૂત પ્રસ્તુતિ માટે પ્રશંસા કરી હતી, જેમણે ભારતીય પ્રવાસીઓની ભાવનાઓ અને લાગણીઓને દર્શાવી હતી.

સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે પીએમની વાતચીતનો મૂળપાઠ

January 03rd, 08:30 pm

હા સર, મળી ગયું. અમે તમારા ખૂબ આભારી છીએ, તમે અમને ઝૂંપડીમાંથી બહાર કાઢીને મહેલ આપ્યો છે. હું આનાથી મોટું, આનું તો સપનું પણ ન જોઈ શકું, મેં જે પણ સપનું જોયું હતું તે તમે સાકાર કરી દીધું...હા જી.

પ્રધાનમંત્રીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત કરી

January 03rd, 08:24 pm

'તમામ માટે મકાન'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સ ખાતે ઇન-સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટરમાં રહેતાં લોકો માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સ્વાભિમાન એપાર્ટમેન્ટના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

November 19th, 05:41 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

October 10th, 02:35 pm

દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં આપેલા પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

October 10th, 02:30 pm

દસ વર્ષ પહેલાં મેં ભારતની 'એક્ટ ઈસ્ટ'ની નીતિ જાહેર કરી હતી. છેલ્લાં એક દાયકામાં આ પહેલે ભારત અને આસિયાન દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધોને પુનર્જીવિત કર્યા છે અને તેમને નવી ઊર્જા, દિશા અને ગતિથી પ્રેરિત કર્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ નિમિત્તે યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

October 02nd, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં શાળાનાં નાનાં બાળકો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે તેમની સાથે વાતચીત કરી હતી.

PM Modi interacts with the Indian community in Paris

July 13th, 11:05 pm

PM Modi interacted with the Indian diaspora in France. He highlighted the multi-faceted linkages between India and France. He appreciated the role of Indian community in bolstering the ties between both the countries.The PM also mentioned the strides being made by India in different domains and invited the diaspora members to explore opportunities of investing in India.

પ્રધાનમંત્રીની ફ્રાન્સના પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

July 13th, 11:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રધાનમંત્રી એચ.ઇ. શ્રીમતી એલિઝાબેથ બોર્ન સાથે 13 જુલાઈ 2023ના રોજ મુલાકાત કરી.

ST સંગમમ ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના બંધનને મજબૂત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

March 26th, 10:49 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તમિલનાડુ અને સૌરાષ્ટ્ર સંગમમ (ST સંગમમ) ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સદીઓ પહેલા ઉદભવેલા બંધનને મજબૂત કરી રહ્યું છે.

પીએમ 3જી જૂને યુપીની મુલાકાત લેશે

June 02nd, 03:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3જી જૂન, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન, લખનૌ પહોંચશે જ્યાં તેઓ યુપી ઈન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહ@3.0માં હાજરી આપશે. લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી કાનપુરના પારૌંખ ગામ પહોંચશે, જ્યાં તેઓ માનનીય રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદની સાથે પાથરી માતા મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ, લગભગ 2 વાગ્યે, તેઓ ડૉ. BR આંબેડકર ભવનની મુલાકાત લેશે, જે પછી 2:15 વાગ્યે મિલન કેન્દ્રની મુલાકાત લેશે. કેન્દ્ર માનનીય રાષ્ટ્રપતિનું પૈતૃક ઘર છે, જે જાહેર ઉપયોગ માટે દાનમાં આપવામાં આવ્યું હતું અને તેને સામુદાયિક કેન્દ્ર (મિલન કેન્દ્ર)માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ બપોરે 2:30 વાગ્યે પરૌંખ ગામમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

મોટું વિચારો,મોટા સપના જુઓ અને તેને સાકાર કરવા સખત મહેનત કરો: મન કી બાત દરમિયાન પીએમ મોદી

December 26th, 11:30 am

મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.

બાંગ્લાદેશમાં ઓરાકાંડી ઠાકુરબારી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 27th, 12:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાતના બીજા દિવસે ઓરાકાંડીમાં સ્થિત હરિ મંદિરમાં આશીર્વાદ મેળવ્યાં હતાં અને ઠાકુર પરિવારના વારસદારો સાથે વાત કરી હતી.