
ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.