પ્રધાનમંત્રીએ દાદી રતન મોહિનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ દાદી રતન મોહિનીના અવસાન પર શોક વ્યક્ત કર્યો

April 08th, 06:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રહ્માકુમારીઓના આદરણીય આધ્યાત્મિક નેતા દાદી રતન મોહિનીજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે તેમને પ્રકાશ, જ્ઞાન અને કરુણાના દીવાદાંડી તરીકે યાદ કરવામાં આવશે.

રાજસ્થાનના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલમાં વિવિધ પરિયોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

રાજસ્થાનના આબુ રોડ ખાતે બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલમાં વિવિધ પરિયોજનાઓના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

May 10th, 07:02 pm

મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે, મને અનેક વખત તમારી વચ્ચે આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે પણ હું અહીં આવું છું, આપ સૌની વચ્ચે હું આવું છું, ત્યારે મને હંમેશા આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. અને છેલ્લા કેટલાક મહિનામાં આ બીજી વખત એવો પ્રસંગ, જ્યારે મને બ્રહ્મા કુમારીના કાર્યક્રમમાં જોડાવવાનો અવસર મળ્યો છે. અગાઉ, ફેબ્રુઆરીમાં જ તમે મને 'જલ જન અભિયાન' શરૂ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. પછી મેં વિગતવાર યાદ કર્યું કે, કેવી રીતે બ્રહ્મા કુમારીઓ સાથેના મારા સંબંધમાં સાતત્ય જળવાયેલું રહ્યું છે. આની પાછળ, પરમપિતા પરમાત્માના આશીર્વાદ અને રાજયોગિની દાદાજી તરફથી મળેલો પ્રેમ પણ છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીના શાંતિવન સંકુલની મુલાકાત લીધી

May 10th, 03:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીઓના શાંતિવન સંકુલની મુલાકાત લીધી હતી. તેમણે સુપર સ્પેશિયાલિટી ચેરીટેબલ ગ્લોબલ હોસ્પિટલ, શિવમણી વૃદ્ધાશ્રમના બીજા તબક્કા અને નર્સિંગ કોલેજના વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોયું હતું.

પ્રધાનમંત્રી 10મીએ રાજસ્થાનની મુલાકાત લેશે

May 09th, 11:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી મેના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરની મુલાકાત લેશે. લગભગ 11:45 AM પર, તેઓ નાથદ્વારામાં વિવિધ વિકાસ પહેલોને સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:15 PM પર, પ્રધાનમંત્રી આબુ રોડ સ્થિત બ્રહ્મા કુમારીઝના શાંતિવન સંકુલની મુલાકાત લેશે.

બ્રહ્મા કુમારીઓ દ્વારા જલ-જન અભિયાનના લોંચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

February 16th, 01:00 pm

બ્રહ્માકુમારી સંસ્થાનના પ્રમુખ રાજયોગિની દાદી રતન મેહિની જી, મંત્રીમંડળના મારા સાથી ગજેન્દ્ર સિંહ શેખાવત જી, બ્રહ્માકુમારી સંસ્થાની તમામ સદસ્યગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો. મને આનંદ છે કે બ્રહ્માકુમારીઓ દ્નારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયનના’ શુભારંભ પ્રસંગે હું આપ સૌ સાથે જોડાઈ રહ્યો છું. આપ સૌની વચ્ચે આવવું, શીખવું હંમેશાં મારા માટે વિશેષ રહ્યું છે. સ્વર્ગીય રાજયોગિની દાદી જાનકી જીને મળેલા આશીર્વાદ આજે મારી ઘણી મોટી મૂડી છે. મને યાદ છે કે 2007માં દાદી પ્રકાશ મણિ જીના બ્રહ્મલોક ગમન પર મને આબુ રોડ આવીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો અવસર મળ્યો હતો. છેલ્લા વર્ષોમાં બ્રહ્મકુમારી બહેનોના ઘણા બધા સ્નેહભર્યા આમંત્રણ મને અલગ અલગ કાર્યક્રમો માટે મળતા રહ્યા છે. હું પણ હંમેશાં પ્રયાસ કરું છું કે આ આધ્યાત્મિક પરિવારના સદસ્યના રૂપમાં આપની વચ્ચે આવતો જતો રહું. 2011માં અમદાવાદમાં ‘ફ્યુચર ઓફ પાવર’નો કાર્યક્રમ હોય, 2012માં સંસ્થાનની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ હોય, 2013માં સંગમ તીર્થસ્થાનનો કાર્યક્રમ હોય, 2017માં બ્રહ્માકુમારીઓ સંસ્થાનના 80મા સ્થાપના દિવસનો કાર્યક્રમ હોય કે પછી ગયા વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ સાથે સંકળાયેલો સ્વર્ણિમ ભારતનો કાર્યક્રમ હોય, હું જ્યારે પણ આપની વચ્ચે પઘારું છું તો આપનો સ્નેહ અને આ પોતીકાપણું મને અભિભૂત કરી દે છે. બ્રહ્માકુમારીઓ સાથેનો મારો આ સંબંધ તે માટે ખાસ છે કેમ કે સ્વથી ઉપર જઈને સમાજ માટે સર્વસ્વ સમર્પિત કરવું તે આપ સૌના માટે આધ્યાત્મિક સાધનાનું સ્વરૂપ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ‘જલ-જન અભિયાન’ની પ્રારંભમાં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું

February 16th, 12:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું.

'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 20th, 10:31 am

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!

પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું

January 20th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

PM expresses condolences on the passing away of Rajyogini Dadi Janki Ji

March 27th, 02:03 pm

The Prime Minister, Shri Narendra Modi has expressesed condolences on the passing away of Rajyogini Dadi Janki Ji, the Chief of Brahma Kumaris.

બ્રહ્મા કુમારી પરિવારની 80મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીનું વક્તવ્ય

March 26th, 06:11 pm

PM Narendra Modi, today addressed the 80th anniversary celebrations of the Brahma Kumaris family, via video conferencing. The Prime Minister appreciated the work done by the Brahma Kumaris institution in many fields, including in solar energy. He called for expanding the use of digital transactions to bring down corruption. The Prime Minister also touched upon themes such as Swachh Bharat, and LED lighting, and spoke of their benefits.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બ્રહ્મા કુમારી પરિવારની 80મી વાર્ષિક ઉજવણીનું સંબોધન કર્યું

March 26th, 06:10 pm

PM Modi addressed the 80th anniversary celebrations of Brahma Kumaris via video conferencing. The PM said that Brahma Kumar and Kumaris have spread the message of India's rich culture throughout the world. Laying out India's commitment towards clean energy, the PM said, By 2030, India aims to generate 40% energy from non-fossil fuels. By 2022, our aim is to ensure 175 GW of clean energy. He also urged people to further the use of digital transactions and make the system more transparent.