હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

હરિયાણાના યમુના નગરમાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન/શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 12:00 pm

હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, મનોહર લાલજી, રાવ ઈન્દ્રજીત સિંહજી, કૃષ્ણ પાલજી, હરિયાણા સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો. હરિયાણા કે મેરે ભાઈ-બેહણા ને મોદી કી રામ રામ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

April 14th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા સરસ્વતીનું ઉદ્દગમ સ્થાન, મંત્ર દેવીનું નિવાસસ્થાન પંચમુખી હનુમાનજીનું સ્થાન અને પવિત્ર કપાલમોચન સાહિબના આશીર્વાદની ભૂમિ તરીકે સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, હરિયાણા સંસ્કૃતિ, ભક્તિ અને સમર્પણનો સંગમ છે. તેમણે બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ પર તમામ નાગરિકોને હૃદયપૂર્વકની શુભેચ્છાપાઠવી હતી, બાબાસાહેબના વિઝન અને પ્રેરણાને ઉજાગર કરી હતી, જે ભારતની વિકાસ તરફની સફરને સતત માર્ગદર્શન આપતા રહે છે.

હરિયાણાના હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

હરિયાણાના હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 11:00 am

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી મુરલીધર મોહોલજી, હરિયાણા સરકારના બધા મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટના 410 કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો

April 14th, 10:16 am

હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો હતો, જેની કિંમત 410 કરોડ રૂપિયાથી વધારે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે હરિયાણાની જનતાને તેમની તાકાત, ખેલદિલી અને ભાઈચારાને રાજ્યની નિર્ણાયક લાક્ષણિકતાઓ ગણાવીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ વ્યસ્ત લણણીની મોસમમાં આશીર્વાદ આપવા બદલ વિશાળ જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આંબેડકર જયંતીના અવસર પર પ્રધાનમંત્રી 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

April 12th, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીનાં પ્રસંગે 14 એપ્રિલનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે. તેઓ હિસારની યાત્રા કરશે અને સવારે લગભગ 10:15 વાગ્યે તેઓ હિસારથી અયોધ્યા સુધીની વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી આપશે અને હિસાર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.

તમિલનાડુના રામેશ્વરમ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

April 06th, 02:00 pm

આજે રામ નવમીનો પવિત્ર તહેવાર છે. થોડા સમય પહેલા, સૂર્ય કિરણોએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા પર ભવ્ય તિલક કર્યું છે. ભગવાન શ્રી રામનું જીવન અને તેમના રાજ્યમાંથી મળેલી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણનો મુખ્ય આધાર છે. અને આજે રામ નવમી છે. મારી સાથે બોલો, જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! તમિલનાડુના સંગમ કાળના સાહિત્યમાં પણ શ્રી રામનો ઉલ્લેખ જોવા મળે છે. રામેશ્વરમની આ પવિત્ર ભૂમિ પરથી, હું બધા દેશવાસીઓને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ₹8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

April 06th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ તેમણે નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપી હતી અને પુલની કામગીરી નિહાળી હતી. તેમણે રામેશ્વરમના રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે શ્રી રામનવમીનો પાવન પર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યનાં દિવ્ય કિરણોએ રામ લલ્લાને ભવ્ય તિલકથી શણગાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામનું જીવન અને તેમના શાસનકાળમાંથી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પાયાનું કામ કરે છે. તામિલનાડુના સંગમ યુગના સાહિત્યમાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ છે એમ જણાવીને તેમણે રામેશ્વરમની પવિત્ર ભૂમિ પરથી તમામ નાગરિકોને શ્રી રામનવમીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

મહાકુંભ પર લોકસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 18th, 01:05 pm

હું પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પર વક્તવ્ય આપવા ઉપસ્થિત થયો છું. આજે આ ગૃહ દ્વારા હું કરોડો દેશવાસીઓને કોટિ-કોટિ નમન કરું છું, જેમના કારણે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન થયું. મહાકુંભની સફળતામાં ઘણા લોકોએ ફાળો આપ્યો છે. હું સરકાર, સમાજ અને બધા કર્મયોગીઓને અભિનંદન આપું છું. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો અને ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભના સફળ સમાપન પર લોકસભાને સંબોધન કર્યું

March 18th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મહાકુંભનાં સફળ સમાપન પર આજે લોકસભાને સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રના અસંખ્ય નાગરિકોને હૃદયપૂર્વક વંદન કર્યા હતા, જેમના પ્રયત્નોથી મહાકુંભની ભવ્ય સફળતા સુનિશ્ચિત થઈ હતી. મહાકુંભને સફળ બનાવવામાં વિવિધ વ્યક્તિઓ અને જૂથોના સામૂહિક યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે સરકાર, સમાજ અને તેમાં સામેલ તમામ સમર્પિત કાર્યકરોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ ઉત્તરપ્રદેશનાં લોકો અને ખાસ કરીને પ્રયાગરાજનાં નાગરિકોનો અમૂલ્ય સાથ-સહકાર અને સહભાગીતા બદલ સમગ્ર દેશનાં શ્રદ્ધાળુઓનો વિશેષ ઉલ્લેખ કરીને તેમનો આભાર માન્યો હતો.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 12th, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસજીના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ મહંતને ધાર્મિક વિધિઓ અને શાસ્ત્રોના નિષ્ણાત તરીકે બિરદાવ્યા, જેમણે પોતાનું આખું જીવન ભગવાન શ્રી રામની સેવામાં સમર્પિત કર્યું.

પ્રધાનમંત્રીએ શ્રી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 07th, 11:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને એક સમર્પિત રામ ભક્ત તરીકે બિરદાવ્યા હતા. જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી

January 11th, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે.

પ્રયાગરાજમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન અને લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

December 13th, 02:10 pm

હું પ્રયાગરાજમાં સંગમની આ પવિત્ર ભૂમિને શ્રદ્ધાપૂર્વક નમન કરૂં છું. મહા કુંભમાં ભાગ લેનાર તમામ સંતો અને ઋષિઓને પણ હું વંદન કરું છું. હું ખાસ કરીને કર્મચારીઓ, મજૂરો અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું જેઓ મહા કુંભને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત અને સેવા કરવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, એક નવા શહેરની સ્થાપનાનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની આ ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. આવતા વર્ષે મહા કુંભનું આયોજન દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને નવા શિખરે સ્થાપિત કરશે. અને હું આ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહું છું, હું આ ખૂબ જ આદર સાથે કહું છું, જો મારે આ મહાકુંભનું એક વાક્યમાં વર્ણન કરવું હોય તો હું કહીશ કે આ એકતાનો આટલો મોટો યજ્ઞ હશે, જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થશે. આ પ્રસંગની ભવ્ય અને દિવ્ય સફળતા માટે હું તમને શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો

December 13th, 02:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના 'મહાયજ્ઞ'ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

November 22nd, 03:02 am

આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 22nd, 03:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.

નાઇજીરિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 17th, 07:20 pm

આજે, તમે ખરેખર અબુજામાં એક અદ્ભુત વાતાવરણ બનાવ્યું છે. ગઈકાલ સાંજથી બધું જોઈને એવું લાગે છે કે જાણે હું અબુજામાં નહીં પણ ભારતના શહેરમાં છું. તમારામાંના ઘણા લાગોસ, કાનો, કડુના અને પોર્ટ હારકોર્ટથી અબુજા ગયા છે, જે વિવિધ સ્થળોએથી આવે છે, અને તમારા ચહેરા પરની ચમક, તમે જે ઊર્જા અને ઉત્તેજનાનો અનુભવ કરો છો, તે અહીં આવવાની તમારી ઉત્સુકતાને પ્રતિબિંબિત કરે છે. હું પણ તમને મળવાની આ તકની આતુરતાથી રાહ જોતો હતો. તમારો પ્રેમ અને સ્નેહ મારા માટે એક જબરદસ્ત ખજાનો છે. તમારી વચ્ચે રહીને, તમારી સાથે સમય વિતાવવો, આ ક્ષણો જીવનભર મારી સ્મૃતિમાં અંકિત રહેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

November 17th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાઇજીરિયાનાં અબુજામાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાય દ્વારા વિશેષ ઉષ્મા અને ઉમંગ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સમુદાય તરફથી મળેલો પ્રેમ અને મિત્રતા તેમના માટે એક મોટી મૂડી હતી.