QuotePM releases the Annual Report of the Indian Judiciary 2023-24
QuoteOur constitution is not merely a Book of Law, its a continuously ever- flowing, living stream: PM
QuoteOur Constitution is the guide to our present and our future: PM
QuoteToday every citizen has only one goal ,to build a Viksit Bharat: PM
QuoteA new judicial code has been implemented to ensure speedy justice, The punishment based system has now changed into a justice based system: PM

ભારતના મુખ્ય ન્યાયાધીશ, જસ્ટિસ સંજીવ ખન્નાજી, જસ્ટિસ બી. આર. ગવઈજી, જસ્ટિસ સૂર્યકાંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, શ્રી અર્જુન રામ મેઘવાલજી, એટર્ની જનરલ શ્રી વેંકટરમાની જી, બાર કાઉન્સિલના ચેરમેન મનનકુમાર મિશ્રાજી, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી કપિલ સિબ્બલજી, સુપ્રીમ કોર્ટના જસ્ટીસ, પૂર્વ ચીફ જસ્ટીસ,  અન્ય પ્રતિષ્ઠિત અતિથિઓ, સન્નારીઓ અને સજ્જનો!

તમને અને તમામ નાગરિકોને બંધારણ દિવસ પર શુભેચ્છા. ભારતના બંધારણનું 75મું વર્ષ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. આજે, હું નમ્રતાપૂર્વક ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને શ્રદ્ધાંજલિ આપું છું.

મિત્રો,

જ્યારે આપણે આ મહત્વપૂર્ણ લોકશાહી તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે આજે મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પણ છે. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભારતની સુરક્ષાને પડકારતા કોઈ પણ આતંકવાદી સંગઠનને નિર્ણાયક પ્રતિસાદ આપવાનાં દેશનાં સંકલ્પનો પુનરોચ્ચાર કરું છું.

મિત્રો,

બંધારણ સભામાં વિસ્તૃત ચર્ચા દરમિયાન ભારતના લોકશાહી ભાવિ અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. તમે બધા તે ચર્ચાઓથી સારી રીતે વાકેફ છો. તે સમયે ડો.બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, "બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ નથી... તેની ભાવના હંમેશાં યુગની ભાવના છે." બાબાસાહેબે જે ભાવનાનો ઉલ્લેખ કર્યો છે, તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. આપણા બંધારણની જોગવાઈઓ આપણને બદલાતા સમય અને સંજોગોને અનુરૂપ તેનું અર્થઘટન કરવાની મંજૂરી આપે છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ સ્વીકાર્યું હતું કે સમયની સાથે ભારતની આકાંક્ષાઓ અને સ્વપ્નો નવી ઊંચાઈએ પહોંચશે અને સ્વતંત્ર ભારત અને ભારતના નાગરિકોની જરૂરિયાતો અને પડકારો વિકસિત થશે. આમ, તેઓએ આપણા બંધારણને માત્ર કાનૂની દસ્તાવેજ તરીકે છોડ્યું ન હતું, પરંતુ તેને ગતિશીલ, સતત વહેતું પ્રવાહ બનાવ્યું હતું.

 

|

મિત્રો,

આપણું બંધારણ આપણા વર્તમાન અને આપણા ભવિષ્ય માટે માર્ગદર્શકનું કામ કરે છે. વીતેલા 75 વર્ષોમાં દેશ જે પણ પડકારોનો સામનો કરી રહ્યો છે, આપણા બંધારણે યોગ્ય સમાધાન પ્રદાન કર્યું છે. કટોકટી દરમિયાન પણ, જે લોકશાહી માટે મહત્વપૂર્ણ પડકારનો સમય હતો, આપણું બંધારણ મજબૂત રીતે ઉભરી આવ્યું હતું. આપણું બંધારણ દેશની દરેક જરૂરિયાત અને દરેક અપેક્ષા પર ખરું ઉતર્યું છે. બંધારણની આ શક્તિએ એ સુનિશ્ચિત કર્યું છે કે આજે બાબાસાહેબનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં પણ સંપૂર્ણપણે લાગુ થઈ ગયું છે. પહેલી વાર ત્યાં સંવિધાન દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

મિત્રો,

ભારત પ્રચંડ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આવા કટોકટીના સમયમાં આપણું બંધારણ આપણને માર્ગ બતાવી રહ્યું છે, આપણા માટે માર્ગદર્શક બની રહ્યું છે.

મિત્રો,

ભારત માટે આગળનો માર્ગ મહાન સ્વપ્નો અને સંકલ્પોને પૂર્ણ કરવાનો છે. આજે દરેક નાગરિક એક માત્ર ધ્યેયથી સંગઠિત છે – "વિકસિત ભારત'નું સર્જન. 'વિકસિત ભારત'નો અર્થ થાય છે એક એવું રાષ્ટ્ર જ્યાં દરેક નાગરિક ગુણવત્તાયુક્ત જીવન અને જીવનની ગરિમા ભોગવે છે. આ સામાજિક ન્યાય માટેનું એક મુખ્ય વાહન છે, જે બંધારણની મુખ્ય ભાવના પણ છે. એટલે તાજેતરનાં વર્ષોમાં આર્થિક અને સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. છેલ્લા એક દાયકામાં, 53 કરોડથી વધુ ભારતીયો કે જેમની પાસે અગાઉ બેંકોની પહોંચનો અભાવ હતો, તેમણે ખાતાં ખોલાવ્યાં છે. છેલ્લાં દસ વર્ષમાં ચાર કરોડ બેઘર નાગરિકોને કાયમી આવાસ પૂરાં પાડવામાં આવ્યાં છે, જેમની પાસે પેઢીઓથી ઘર નહોતાં. વીતેલા 10 વર્ષોમાં 10 કરોડથી વધુ મહિલાઓને મફત ગેસ કનેક્શન મળ્યા છે, જે કેટલાય વર્ષોથી પોતાના ઘરે ગેસ કનેક્શનની રાહ જોઈ રહ્યાં હતા. આજના જીવનમાં આપણે ઘરમાં નળ ચાલુ કરીએ અને પાણી વહી જાય એ ખૂબ જ સરળ લાગે છે. જો કે, દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ માત્ર 3 કરોડ ઘરોમાં નળનું પાણી જ ઉપલબ્ધ હતું. લાખો લોકો હજી પણ તેમના ઘરોમાં નળના પાણીની રાહ જોઈ રહ્યા હતા. મને સંતોષ છે કે અમારી સરકારે 5-6 વર્ષના ગાળામાં 12 કરોડથી વધુ પરિવારોને નળથી પાણી પૂરું પાડ્યું છે, જેનાથી નાગરિકોના જીવનને સરળ બનાવ્યું છે, ખાસ કરીને મહિલાઓના જીવનને સરળ બનાવ્યું છે, બંધારણની ભાવનાને મજબૂત બનાવી છે.

 

|

મિત્રો,

તમે જાણો જ છો કે, આપણા બંધારણની મૂળ હસ્તપ્રતમાં ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી, બુદ્ધ, મહાવીર અને ગુરુ ગોવિંદ સિંહજીનાં દૃષ્ટાંતો છે, જે ભારતની સંસ્કૃતિનાં પ્રતીક છે. બંધારણનાં આ દ્રષ્ટાંતો આપણને માનવીય મૂલ્યોના મહત્ત્વની યાદ અપાવે છે. આ મૂલ્યો આધુનિક ભારતની નીતિઓ અને નિર્ણયોનો આધાર બનાવે છે. ભારતીયોને ઝડપથી ન્યાય મળે તે માટે એક નવી ન્યાયિક સંહિતા લાગુ કરવામાં આવી છે. સજા-આધારિત પ્રણાલી હવે ન્યાય-આધારિત પ્રણાલીમાં પરિવર્તિત થઈ ગઈ છે. મહિલાઓની રાજકીય ભાગીદારી વધારવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ સાથે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અમે ત્રીજી લિંગ માટે માન્યતા અને અધિકારની ખાતરી કરવા માટે પણ પગલાં લીધાં છે. વધુમાં, અમે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને વધુ સરળ બનાવવા માટેના પગલાં અમલમાં મૂક્યા છે.

મિત્રો,

અત્યારે દેશ તેના નાગરિકો માટે જીવનની સરળતાને સુધારવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. એક સમય હતો જ્યારે પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકોને તેઓ જીવંત છે તે સાબિત કરવા માટે બેંકોની મુલાકાત લેવી પડતી હતી. હવે, વરિષ્ઠ નાગરિકો તેમના ઘરોની આરામથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધાનો લાભ લઈ શકે છે. અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાનો લાભ મળ્યો છે. આજે ભારત એક એવો દેશ છે જે દરેક ગરીબ પરિવારને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપે છે. તે એક એવો દેશ પણ છે જે 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધ વ્યક્તિને મફત આરોગ્યસંભાળ પ્રદાન કરે છે. દેશભરના હજારો જન ઔષધિ કેન્દ્રો પર સસ્તી દવાઓ 80 ટકા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં રસીકરણ કવરેજ 60 ટકાથી ઓછું હતું અને દર વર્ષે લાખો બાળકો રસીકરણ ચૂકી ગયા હતા. આજે મને એ જોઈને સંતોષ થાય છે કે મિશન ઇન્દ્રધનુષને કારણે ભારતનું રસીકરણ કવરેજ 100 ટકા સુધી પહોંચી ગયું છે. અંતરિયાળ ગામોમાં પણ હવે બાળકોને સમયસર રસી આપવામાં આવી રહી છે. આ પ્રયત્નોથી ગરીબો અને મધ્યમ વર્ગની ચિંતાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

મિત્રો,

આજે દેશ કેવી રીતે કામ કરી રહ્યો છે તેનું એક ઉદાહરણ છે મહત્વાકાંક્ષી જિલ્લાઓનું અભિયાન. એક સમયે પછાત ગણાતા 100થી વધારે જિલ્લાઓને મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જ્યાં તમામ માપદંડોમાં વિકાસને વેગ મળ્યો છે. આજે, આમાંના ઘણા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અન્ય જિલ્લાઓની તુલનામાં વધુ સારી કામગીરી બજાવી રહ્યા છે. આ મોડલને ધ્યાનમાં રાખીને હવે અમે મહત્વાકાંક્ષી બ્લોક પ્રોગ્રામ શરૂ કર્યો છે.

 

|

મિત્રો,

દેશ હવે લોકો જે રોજિંદા પડકારોનો સામનો કરે છે તેને દૂર કરવા પર ખૂબ ભાર મૂકી રહ્યો છે. હમણાં થોડાં વર્ષો પહેલાં જ ભારતમાં 2.5 કરોડ કુટુંબો હતાં, જ્યાં દરરોજ સાંજે અંધકારમાં ગરકાવ થઈ જતો હતો, કારણ કે તેમની પાસે વીજળીનાં જોડાણોનો અભાવ હતો. તમામને મફત વીજળીના જોડાણો આપીને, રાષ્ટ્રએ તેમના જીવનને પ્રકાશિત કર્યું છે. તાજેતરના વર્ષોમાં, લોકોને 4જી અને 5જી કનેક્ટિવિટી સુલભ થાય તે માટે અંતરિયાળ વિસ્તારોમાં પણ હજારો મોબાઇલ ટાવર્સ લગાવવામાં આવ્યા છે. અગાઉ જો તમે આંદામાન કે લક્ષદ્વીપ ટાપુઓની મુલાકાત લીધી હોય, તો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ નહોતી. આજે, સમુદ્રની અંદર ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ આ ટાપુઓ પર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ લાવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં ગામના ઘરો અને જમીન અંગે ઉદ્ભવતા અસંખ્ય વિવાદોથી પણ આપણે સારી રીતે વાકેફ છીએ. વિશ્વભરના વિકસિત દેશોને પણ જમીનના રેકોર્ડ સાથે નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે. જો કે આજનો ભારત આ મુદ્દાને ઉકેલવામાં અગ્રેસર છે. પીએમ સ્વમિત્વ યોજના હેઠળ, ગામના ઘરોનું ડ્રોન મેપિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, અને રહેવાસીઓને કાનૂની દસ્તાવેજો જારી કરવામાં આવી રહ્યા છે.

 

|

મિત્રો,

દેશની પ્રગતિ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ પણ એટલો જ જરૂરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવાથી રાષ્ટ્રના સંસાધનોની બચત થાય છે, પરંતુ આ પ્રોજેક્ટ્સની ઉપયોગિતામાં પણ નોંધપાત્ર વધારો થાય છે. આ વિઝન સાથે પ્રગતિ નામનું એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં માળખાગત પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા હાથ ધરવામાં આવે છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટ 30-40 વર્ષથી પેન્ડિંગ હતા. હું વ્યક્તિગત રીતે આ બેઠકોની અધ્યક્ષતા કરું છું. તમને એ જાણીને પ્રસન્નતા થશે કે અત્યાર સુધીમાં રૂ. 18 લાખ કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા થઈ ચૂકી છે અને તેને પૂર્ણ થવામાં આવતાં અવરોધો દૂર થઈ ગયા છે. સમયસર પૂર્ણ થઈ રહેલા પ્રોજેક્ટ્સની લોકોના જીવન પર ઊંડી હકારાત્મક અસર પડી રહી છે. આ પ્રયત્નો રાષ્ટ્રની પ્રગતિને વેગ આપી રહ્યા છે અને બંધારણના મૂળ મૂલ્યોને પણ મજબૂત કરી રહ્યા છે.

મિત્રો,

હું ડૉ. રાજેન્દ્ર પ્રસાદના શબ્દો સાથે મારું વક્તવ્ય પૂરું કરવા માગું છું. આ જ દિવસે, 26 મી નવેમ્બર, 1949માં, બંધારણ સભામાં તેમના સમાપન ભાષણ દરમિયાન, ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, "આજે ભારતને પ્રામાણિક લોકોના જૂથથી વધુ કશું જ જોઈતું નથી, જે દેશના હિતને તેમના પોતાનાથી આગળ રાખશે." 'નેશન ફર્સ્ટ, નેશન અપોવ ઓલ'ની ભાવના ભારતના બંધારણને આવનારી અનેક સદીઓ સુધી જીવંત રાખશે. બંધારણે મને જે કામ આપ્યું છે, મેં તેની સીમામાં રહેવાનો પ્રયત્ન કર્યો છે, મેં કોઈ અતિક્રમણનો પ્રયાસ કર્યો નથી. બંધારણે મને આ કાર્ય સોંપ્યું છે, તેથી મેં મારી મર્યાદા જાળવીને મારા વિચારો રજૂ કર્યા છે. અહીં, માત્ર એક સંકેત પૂરતો છે, હજી ઘણું બધું કહેવાની જરૂર નથી.

તમારો ખૂબ ખૂબ આભાર.

 

  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 01, 2025

    Hand written note
  • Jitender Kumar BJP Haryana State Gurgaon MP and President March 01, 2025

    Approval
  • Dr Mukesh Ludanan February 08, 2025

    Jai ho
  • Vivek Kumar Gupta January 25, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta January 25, 2025

    नमो ............................🙏🙏🙏🙏🙏
  • Jayanta Kumar Bhadra January 14, 2025

    om Hari 🕉
  • सुधीर बुंगालिया January 11, 2025

    मेरा अभिमान मेरा संविधान
  • Dheeraj Thakur January 10, 2025

    जय श्री राम,,
  • Dheeraj Thakur January 10, 2025

    जय श्री राम
  • krishangopal sharma Bjp January 02, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan

Media Coverage

Manufacturing sector pushes India's industrial output growth to 5% in Jan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 માર્ચ 2025
March 13, 2025

Viksit Bharat Unleashed: PM Modi’s Policies Power India Forward