કોવિડ-19 મહામારી સમગ્ર વિશ્વમાં સરકારો માટે નીતિ ઘડતરના સંદર્ભમાં તદ્દન નવા પડકારોનો સમૂહ લઈને આવી છે. ભારત પણ એમાં અપવાદ એમાં નથી. ટકાઉપણું સુનિશ્ચિત કરીને લોક કલ્યાણ માટે પૂરતાં સંસાધનો ઊભા કરવા એ સૌથી મોટા પડકારોમાંના એક તરીકે પુરવાર થઈ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં જોવાયેલી નાણાંકીય તંગીના પશ્ચાદભૂમાં, તમે જાણો છો કે ભારતીય રાજ્યો 2020-21મા% નોંધપાત્ર રીતે વધારે ઋણ લઈ શક્યા? 2020-21માં રાજ્યો વધારાના રૂ. 1.06 લાખ કરોડ ઊભા કરી શક્યા એ જાણીને તમને કદાચ સુખદ આશ્ચર્ય થશે. કેન્દ્ર-રાજ્યની ભાગીદારીના અભિગમ દ્વારા સંસાધનોની ઉપલબ્ધતામાં આ નોંધપાત્ર વધારો શક્ય બની શક્યો.

અમે જ્યારે કોવિડ-19 મહામારીને અમારો આર્થિક પ્રતિસાદ ઘડી કાઢ્યો ત્યારે અમે એ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા કે અમારા ઉકેલો ‘બધા માટે એક જ પ્રક્રિયા’ને અનુસરે નહીં. ખંડીય પરિમાણો ધરાવતા સમવાયી દેશ માટે, રાજ્ય સરકારો દ્વારા સુધારાને પ્રોત્સાહન કરાય એવા નીતિ સાધનો રાષ્ટ્રીય સ્તરે શોધવા ખરેખર પડકારજનક છે. પણ અમને અમારી સમવાયી રાજ્ય વ્યવસ્થાતંત્રની તંદુરસ્તી પર શ્રદ્ધા હતી અને કેન્દ્ર-રાજ્ય ભાગીદારીની ભાવનામાં અમે આગળ વધ્યા હતા.

મે-2020માં, આત્મનિર્ભર ભારત પૅકેજના ભાગરૂપે, ભારત સરકારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારોને 2020-21 માટે વધારેલું ઋણ લેવાની છૂટ અપાશે. જીએસડીપીના 2% વધારેની છૂટ હતી, એમાંથી 1% અમુક ચોક્કસ આર્થિક સુધારા અમલી કરવાની શરતે હતી. ભારતીય જાહેર નાણાંમાં સુધારા માટેનો આ હડસેલો દુર્લભ છે. આ હડસેલાથી, રાજ્યો વધારાનું ફંડ મેળવવા માટે પ્રગતિશીલ નીતિઓ અપનાવવા પ્રોત્સાહિત થયા હતા. આ કવાયતના પરિણામો પ્રોત્સાહજનક જ નથી, બલકે મજબૂત આર્થિક નીતિઓ માટે મર્યાદિત લેવાલ છે એવા વલણથી વિપરિત પણ છે.

જેની સાથે વધારાનું ઉધાર લેવાનું જોડવામાં આવ્યું હતું એ ચાર સુધારા (દરેકની સાથે જીડીપીના 0.25% જોડી દેવાયા હતા)ની બે લાક્ષણિકતાઓ હતી. પહેલી તો, દરેકે દરેક સુધારા લોકોને માટે, ખાસ કરીને ગરીબો, નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે ઈઝ ઑફ લિવિંગ સુધારવા સાથે સંકળાયેલા હતા. બીજી, તેમણે રાજવિત્તીય ટકાઉપણાને પણ પ્રોત્સાહન આપ્યું.

‘એક દેશ, એક રાશન કાર્ડ’ નીતિ હેઠળ પહેલા સુધારામાં રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવાનું હતું કે રાજ્યના નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) હેઠળના તમામ રાશન કાર્ડ્સ પરિવારના તમામ સભ્યોના આધાર નંબર સાથે જોડી દેવામાં આવે અને વાજબી ભાવની તમામ દુકાનો પાસે ઈલેક્ટ્રોનિક પોઇન્ટ ઑફ સેલ ડિવાઇસીસ હોય. આનાથી મુખ્ય લાભ એ થયો હતો કે પરપ્રાંતીય શ્રમિકો દેશમાં ગમે ત્યાંથી એમનું ખાદ્ય રાશન મેળવી શકે. નાગરિકોને આ લાભો ઉપરાંત, બોગસ કાર્ડ્સ અને નકલી સભ્યો દૂર થઈ જવાથી નાણાંકીય લાભ પણ છે. 17 રાજ્યોએ આ સુધારા પૂર્ણ કર્યા અને રૂ. 37600 કરોડનું વધારાનું ઋણ મેળવવાનું મંજૂર કરવામાં આવ્યું.

ધંધાની સુગમતા, ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ સુધારવાના હેતુ સાથેના બીજા સુધારામાં, રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા હતી કે 7 કાયદાઓ હેઠળ ધંધા સંબંધી લાયસન્સોનું રિન્યુઅલ-નવીનીકરણ માત્ર ફી ચૂકવ્યેથી ઑટોમેટિક, ઓનલાઇન અને બિનભેદભાવયુક્ત કરવામાં આવે. બીજી આવશ્યકતા એ કમ્યુટરાઈઝ્ડ રેન્ડમ ઇન્સ્પેક્શન સિસ્ટમ અમલીકરણ કરવાની અને વધુ 12 કાયદા હેઠળ સતામણી અને ભ્રષ્ટાચાર રોકવા માટે ઇન્સ્પેક્શનની અગાઉથી નોટિસ આપવાની હતી. આ સુધારા (19 કાયદાઓને આવરી લેતા)થી ખાસ કરીને ‘ઇન્સ્પેક્ટર રાજ’નો મોટા ભાગનો બોજાથી સૌથી વધારે સહન કરતા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાહસોને મદદ મળી છે. એનાથી સુધારેલ રોકાણ વાતાવરણ, વધારે રોકાણ અને ઝડપી વૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું છે. 20 રાજ્યોએ આ સુધારા પરિપૂર્ણ કર્યા અને એમને રૂ. 39521 કરોડ વધારાનું ઋણ મેળવનાની છૂટ અપાઇ હતી.

15મા નાણાં પંચ અને ઘણાં શિક્ષણવિદોએ મજબૂત મિલકત વેરાની નિર્ણાયક અગત્યતા પર ભાર મૂક્યો છે. ત્રીજા સુધારામાં, રાજ્યોએ શહેરી વિસ્તારોમાં મિલકત વેરા, પાણી અને ગટર ચાર્જીસ માટે ફ્લોર રેટ, મિલકતના વ્યવહારો માટે અનુક્રમે સ્ટેમ્પ ડ્યુટી ગાઇડલાઇન મૂલ્ય અને હાલના ભાવ સાથે સુસંગત રીતે જાહેર કરવાના હતા. આનાથી શહેરી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને વધારે સારી સેવાની ગુણવત્તા સમર્થ થશે, વધારે સારી માળખાગત સુવિધાને ટેકો મળશે અને વૃદ્ધિને વેગ મળશે. મિલકત વેરો એના ક્ષેત્રમાં સુધારણાત્મક પણ છે અને એટલે શહેરી વિસ્તારોમાં ગરીબોને સૌથી વધારે લાભ થશે. આ સુધારાથી મ્યુનિસિપલ સ્ટાફને પણ લાભ થયો છે, એમને પગાર ચૂકવણીમાં ઘણી વાર વિલંબનો સામનો કરવો પડે છે. 11 રાજ્યોએ આ સુધારાને પૂર્ણ કર્યા અને રૂ. 15957 કરોડનું વધારાનું ઋણ મંજૂર કરવામાં આવ્યું.

ચોથો સુધારો ખેડૂતોને મફત વીજ પુરવઠાના બદલામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) શરૂ કરવાનો હતો. આમાં આવશ્યકતા રાજ્ય વાર યોજના ઘડવાની હતી જેમાં વર્ષના અંત સુધીમાં પાઇલટ આધારે એક જિલ્લામાં ખરેખર અમલીકરણ કરવાનું હતું. આની સાથે જીએસડીપીના 0.15% વધારાનું ઋણ સાંકળી લેવાયું હતું. ટેકનિકલ અને ધંધાદારી નુક્સાનમાં ઘટાડા માટે એક ઘટક પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને બીજું એક ઘટક આવક અને ખર્ચ વચ્ચેના તફાવતને ઘટાડવા (દરેક જીએસડીપીના 0.05%) હતું. આનાથી વિતરણ કંપનીની નાણાં સ્થિતિ સુધરી, પાણી અને ઉર્જાની જાળવણીને પ્રોત્સાહન મળે છે, અને વધારે સારા નાણાંકીય અને ટેકનિકલ દેખાવ દ્વારા સેવાની ગુણવત્તા પણ સુધરે છે. 12 રાજ્યોએ ઓછામાં ઓછા એક ઘટકનો અમલ કર્યો જ્યારે છ રાજ્યોએ ડીબીટી ઘટકનો અમલ કર્યો હતો. પરિણામે, રૂ. 13201 કરોડના વધારાના ઋણ મેળવવાની છૂટ મળી.

એકંદરે, 23 રાજ્યોએ રૂ. 2.14 લાખ કરોડની સંભાવના સામે રૂ. 1.06 લાખ કરોડનું વધારાનું ઋણ પ્રાપ્ત કર્યું હતું. આના પરિણામે, 2020-21 માટે રાજ્યોને કુલ ઋણ પરવાનગી મંજૂર કરવામાં આવી એ પ્રારંભિક અંદાજિત જીએસડીપીના 4.5% હતી.

આપણા જેવા જટિલ પડકારો સાથેના મોટા દેશ માટે આ અજોડ અનુભવ હતો. આપણે ઘણી વાર જોયું છે કે વિવિધ કારણોસર, યોજનાઓ અને સુધારાઓ વર્ષો સુધી બિનકાર્યાન્વિત રહે છે. ભૂતકાળ કરતા આ ખુશનુમા ફેરફાર હતો જેમાં મહામારીની વચ્ચે કેન્દ્ર અને રાજ્યો લોકોને અનુકૂળ સુધારા અત્યંત ટૂંકા સમયગાળામાં શરૂ કરવા ભેગા આવ્યા હોય. સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસના આપણા અભિગમના કારણે આ શક્ય બન્યું. આ સુધારાઓ પર કાર્ય કરતા અધિકારીઓ કહે છે કે વધારાના ફંડના આ પ્રોત્સાહન વિના, આ નીતિઓ ઘડવામાં વર્ષો લાગી જતે. આ ‘ દૃઢ વિશ્વાસ અને પ્રોત્સાહનો દ્વારા સુધારા’નું એક નવું મોડેલ છે. આપણા નાગરિકોના ભલા માટે, મુશ્કેલ સમયની વચ્ચે, આ નીતિઓ દાખલ કરવામાં આગેવાની લેનારા તમામ રાજ્યોનો હું આભારી છું. આપણે 130 કરોડ ભારતીયોની ઝડપી પ્રગતિ માટે ભેગા મળીને કાર્ય કરવાનું જારી રાખવાનું છે.

  • Jitendra Kumar April 17, 2025

    🙏🇮🇳❤️🎉
  • Dheeraj Thakur March 25, 2025

    जय श्री राम।
  • Dheeraj Thakur March 25, 2025

    जय श्री राम
  • KANODI GANGADHAR March 20, 2025

    JAI BHARATH MAATHA KI JAI BJP JAI
  • Prasanth reddi March 14, 2025

    జై శ్రీ రామ్.. జై బీజేపీ... 🙏🚩🪷✌️
  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 19, 2024

    जय श्री राम 🚩
  • Jitender Kumar Haryana BJP State President October 09, 2024

    ❤️🇮🇳
  • Jitender Kumar Haryana BJP State President October 09, 2024

    🙏❤️🇮🇳
  • manvendra singh September 24, 2024

    jai hind jai bharat 🙏🏽🙏🏽💐🙏🏽🙏🏽💐
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
The Future Is India: Q4 FY25 GDP Surge Cements Nation’s Global Economic Leadership

Media Coverage

The Future Is India: Q4 FY25 GDP Surge Cements Nation’s Global Economic Leadership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.