QuoteWe stamped out terrorism in the last eight years with resolute actions by ending the appeasement politics: PM Modi in Jamnagar
QuoteMorbi, Jamnagar and Rajkot is such a triangle, which is going to progress as much as Japan: PM Modi in Jamnagar

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
દ્વારકાધીશના આશીર્વાદ, ફરી એક વાર તમારા બધાના દર્શન કરવા આવવાનો મોકો મળી ગયો.
સાથીઓ,
ગુજરાતના અલગ અલગ ખુણાઓમાં આ ચુંટણીમાં જવાનો મને અવસર મળ્યો. લોકો મને કહેતા હતા કે, નરેન્દ્રભાઈ હવે આ, ગુજરાતની જનતાની ગેરંટી છે કે ફરી ભાજપની સરકાર બનવાની છે. પણ તમે શું કરવા આટલી મહેનત કરો છો? મેં એમને કહ્યું, ભાઈ, હું મારા કર્તવ્યનું પાલન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ લેવા એ મારી જવાબદારી છે. અને એના ભાગરૂપે આશીર્વાદ લેવા આવું છું.
સાથીઓ,
આ ચુંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. ન તો અહીં બેઠેલા લડે છે, કોઈ. આ ચુંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે, ભાઈઓ. ચારે તરફ એક જ સ્વર છે. એક જ નાદ છે. એક જ મંત્ર છે.
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
સાથીઓ,
આપણે ત્યાં દિવાળીનો તહેવાર આવે, એટલે આપણે લક્ષ્મી પધારે એટલા માટે થઈને બધી ચિંતા કરતા હોઈએ. અને લક્ષ્મીજી પધારે એના માટે શું કરીએ? જરા ઘરનું તોરણ-બોરણ સજાવીએ, સાફસુફી કરીએ, એ બધું આમ આઘુપાછું બધું ઠેકાણે કરીએ. કેમ? તો, લક્ષ્મીજી પધારવાના છે. લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ. હવે મને કહો, આપણે દેશમાં સમૃદ્ધિ લાવવી હોય, આપણા ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય, તો આપણા રોડ, રસ્તા, આપણા પોર્ટ, એરપોર્ટ, આ બધું ટનાટન રાખવું પડે કે ના રાખવું પડે? રાખવું પડે કે ના રાખવું પડે?
અને એટલે જ ભાઈઓ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રકચર, એને એવું ભવ્ય બનાવવું છે, એવું મજબુત બનાવી રહ્યા છીએ કે જેના કારણે લક્ષ્મીજીને આપણે ત્યાં જ આવવાનું મન થાય. એમના માટે બધા રસ્તા મોકળા હોય, એના માટે આપણે મહેનત કરી રહ્યા છીએ.
ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના શહેરો, સારા હાઈવે, એની સાથે જોડવા માટેનું એક મહાઅભિયાન ચલાવ્યું છે. અને જે જે ક્ષેત્રોમાં આવવા જવાની સમસ્યા હોય, એના નિરાકરણ માટે અલગ અલગ અભિગમ. ક્યાંક પ્રગતિપથ, ક્યાંક વિકાસપથ, ક્યાંક ખેડૂતો સાથે જોડાયેલું હોય તો કિસાનપથ, અનેકવિધ રીતે અનેક પર્યટનની પણ સંભાવના. એના માટે પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ, એને લઈને ગુજરાતને આપણે આગળ વધારી રહ્યા છીએ. અને જ્યારે આ પ્રકારની વ્યવસ્થા કરીએ, ત્યારે લક્ષ્મીના આશીર્વાદ નક્કી જ હોય, ભાઈ. અને સમૃદ્ધિ આવે, આવે, ને આવે જ.
અહીં આપણા જામનગરમાં સડકોનું નેટવર્ક વધુમાં વધુ, વ્યાપક બને, ફ્લાયઓવરોની જરુરીયાત પ્રમાણે નિર્માણ થાય. જામનગર – કાલાવડ ફોર લેન રોડ, એની સ્વીકૃતિ થઈ ચુકી છે. અને ગુજરાતમાં તો ઉમરગામથી લઈને નારાયણ સરોવર સુધી આવડી મોટી લાંબી સમુદ્રની તટ આપણી, આખાય તટીય પટ્ટામાં, ચાહે દ્વારકાધીશ હોય કે સોમનાથજી હોય. અનેક બધા તીર્થક્ષેત્રો આપણા પડ્યા છે. સાગરમાલા યોજના દ્વારા કોસ્ટલાઈનના વિકાસ માટે, કનેક્ટિવિટી માટે અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટના મિશનને લઈને આપણે આજે આગળ વધી રહ્યા છીએ.
આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બીચ. આપ વિચાર કરો, ટુરિસ્ટો માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં આપણે કદમ માંડી રહ્યા છીએ. આપણો શિવરાજપુર બીચ, આજે કેટલો બધો મશહુર થઈ રહ્યો છે. એક અનેક આવા પર્યટન સ્થળોના નિર્માણની તરફ કામ એટલા માટે કરીએ છીએ કે હવે દુનિયામાં સૌથી તેજીથી, ગ્રો કરી રહ્યું હોય એ ક્ષેત્ર છે, એ ટુરિઝમ છે. દુનિયા આખીને હવે ભારત વિશે જાણવું છે. ભારત જોવું છે. ભારત સમજવું છે. હવે આગ્રા આવીને પાછા જતા રહે, એ દિવસો પુરા થઈ ગયા. એને હવે આખું હિન્દુસ્તાન જોવું છે.
આપણે આપણા ગુજરાતને એવું ચેતનવંતુ બનાવીએ, કે દુનિયાભરના ટુરિસ્ટ આપણા ગુજરાતમાં આવે. આપણે જુઓ, એક પ્રયોગ કર્યો. સરદાર સરોવર ડેમ, કેવડીયા, સરદાર વલ્લભભાઈ પટેલનું દિવ્ય, ભવ્ય સ્મારક બનાવ્યું અને આજે આખી દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લાઈન લગાવીને ઉભી રહે છે. સરદાર સાહેબનું તો સન્માન થયું જ, પરંતુ ગુજરાતના વિકાસને પણ ચાર ચાંદ લાગી ગયા. એ કામ આપણે કરતા હોઈએ છીએ. અને એટલા માટે, ટુરિઝમની આટલી સંભાવનાઓ છે ત્યારે, ઈન્ફ્રાસ્ટ્રકચરની વ્યવસ્થા, રેલ હોય, રોડ હોય, પોર્ટ હોય, એરપોર્ટ હોય. આ બધા ઉપર પ્રભાવી રીતે આપણે પ્રયાસ કરી રહ્યા છીએ.
એ જ રીતે, ભાઈઓ, બહેનો,
આ ચુંટણી, 5 વર્ષ માટેની આ ચુંટણી નથી. આ ચુંટણી આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. આપણે આઝાદીના 75 વર્ષ પુરા કર્યા. આઝાદીના 100 વર્ષ થાય, ત્યારે આપણું ગુજરાત ક્યાં હોય, એનું સપનું અને સંકલ્પ લઈને આ ચુંટણીના મેદાનમાં અમે આવ્યા છીએ. આપણું ગુજરાત વિકસિત હોય, આપણું હિન્દુસ્તાન વિકસિત હોય, અને આપણું વિકસિત ગુજરાત, મતલબ?
દુનિયાના સમૃદ્ધ દેશોના જે માપદંડ છે, એ માપદંડની અંદર, આપણે ક્યાંય પાછળ ના હોઈએ, એવું ગુજરાત બનાવવા માટે આ ચુંટણીમાં મતદાન કરવાનું છે, ભાઈઓ. અને એના માટે આત્મનિર્ભર ભારત, સમૃદ્ધ ભારત માટે આત્મનિર્ભર ભારતનું સપનું લઈને આપણે ચાલી રહ્યા છીએ. અને એના માટે આત્મનિર્ભર ગુજરાત અને એ કરવા માટે લઘુઉદ્યોગોની તાકાત વધે, ઔદ્યોગિક માળખું, હવે આપણને, એક જગ્યાએથી માલ આવે, બીજી જગ્યાએ વેચીએ, એ જમાના જતા રહ્યા.
ગુજરાત એક મેન્યુફેકચરીંગ સ્ટેટ છે. આપણા એમએસએમઈની તાકાત, એને બળ મળે. અને મારું જામનગરની બાંધણી હોય, કે પછી મારો બ્રાસ પાર્ટનો ઉદ્યોગ હોય. અને તમને યાદ છે, એક વાત હું વારંવાર કહું છું. અને કહેવાની મારી હિંમત એટલા માટે છે કે મારે પુરું કરીને રહેવાનું છે. મેં જોયું હતું એક સ્વપ્ન કે મોરબી, જામનગર અને રાજકોટ, આ એવો ત્રિકોણ છે, જે જાપાનની બરાબરી કરે, એટલી પ્રગતિ કરવાનો છે. અને જે દિવસોમાં હું વાત કરતો હતો, ત્યારે લોકો મજાક ઉડાવતા હતા, પરંતુ આજે એન્જિનિયરીંગની દુનિયામાં આખોય પટ્ટો, એક મોટી તાકાત બનીને ઉભો થઈ ગયો છે, એને મારે આગળ વધારવાનું છે.
ભાઈઓ, બહેનો,
એક સમય હતો કે જ્યારે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી, સાઈકલ... આજે ગુજરાતમાં હવાઈજહાજ બનવાના છે. અને આ મારું જામનગર, પિનથી લઈને એરોપ્લેન સુધીના સ્પેર પાર્ટ્સ બનાવવાની તાકાત ધરાવે છે. આના માટે અવસરો જ અવસરો છે. જામનગરના નાના ઉદ્યોગો માટે અનેકવિધ અવસરોનો આ સમય છે, ભાઈઓ.
હમણા અમાર આઈ. કે. જાડેજા કહેતા હતા કે કોરોનાકાળમાં સરકારે અનેકવિધ કામો કર્યા. એ કામ તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું જાય છે. છાપાવાળા એની ચર્ચાય ઓછી કરે છે. લઘુઉદ્યોગો ટકી રહે. લોકોને રોજગારીમાંથી છુટા ન થાય, ગરીબ માણસની રોજી-રોટી ચાલુ રહે, એના માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એમએસએમઈ – નાના નાના ઉદ્યોગોને આપણે આપવાની વ્યવસ્થા કરી. અને નાના ઉદ્યોગો, આના માટે 50,000 કરોડ રૂપિયા, એક અલગ સેલ્ફ રિલાયન્સ ફંડ આપણે બનાવ્યું. પરિણામે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો રિપોર્ટ છે કે ભારત સરકારની આ યોજનાનું પરિણામ એ આવ્યું કે કરોડો લોકો, દુનિયામાં લોકોની છટણી થઈ ગઈ, ભારતમાં કરોડો લોકોની નોકરીમાંથી છટણી થવાની સંભાવનાઓ નહિવત થઈ ગઈ. ઉદ્યોગો ચાલતા રહ્યા. લોકોનો રોજગાર ચાલતો રહ્યો.
ભારતના નાના નાના ઉદ્યોગોને વધુમાં વધુ અવસર મળે. નવી નવી જગ્યાએ જાય, એના માટે ભારત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો કે 200 કરોડ સુધીનું ટેન્ડર હોય, તો ફરજીયાતપણે ભારતની બનેલી ચીજો જ ખરીદવાની રહેશે. બહારથી તમે નહિ લાવી શકો. અને આના કારણે ગુજરાતના, દેશના લઘુ ઉદ્યોગોને માટે સરકાર પણ એક મોટી ખરીદદાર બની ગઈ. એક પછી એક નીતિઓ દ્વારા આખી અર્થવ્યવસ્થાને કેવી રીતે બદલી શકાય છે, એના માટે આપણે કદમ ઉઠાવ્યા. વિકસિત ગુજરાત, વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે મારી યુવાશક્તિ, એના પર મારો ભરોસો છે.
યુવાશક્તિને શિક્ષણ મળે, યુવાશક્તિને સ્કિલ ડેવલપમેન્ટ થાય, એના કૌશલનો વિકાસ થાય, એના ઉપર અમારું ફોકસ છે. નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ, અને એમાં પણ નાનકડા એટલે પાંચમા, સાતમાથી વિદ્યાર્થીઓને કોડિંગનું શિક્ષણ, ડિજિટલ ઈન્ડિયાની મૂવમેન્ટના ભાગરૂપે, એના માટેની ટ્રેનિંગની શરૂઆત કરી રહ્યા છીએ. પહેલીવાર ખેલકૂદને, સ્પોર્ટ્સની દુનિયામાં હવે હિન્દુસ્તાન ઉપર આવી રહ્યું છે, ત્યારે શાળાની અંદર ખેલકૂદને પણ એક વિષય તરીકે અમે આગળ વધાર્યું છે.
ગરીબનું બાળક ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવે, ગરીબનું બાળક એન્જિનિયર થવાની ઈચ્છા ધરાવે, પરંતુ ભાષા આડે આવે. શહેરમાં જાય, અંગ્રેજી મીડિયમની સ્કૂલમાં ભણે, એ ગરીબનું ગજું ના હોય. તાકાત હોય, બુદ્ધિ હોય પણ ભાષાના કારણે એના ભણતરમાં વિલંબ થતો હોય, આપણે નક્કી કર્યું, અને મને હજુય સમજણ નથી પડતી કે કોઈ ડોક્ટર હોય, ભાઈ... અમેરિકાથી ભણીને આવ્યો હોય, ઈંગ્લેન્ડથી ભણીને આવ્યો હોય, એના ત્યાં કોઈ દર્દી જાય, એ દર્દી પેટમાં દુઃખે છે, એ એને અંગ્રેજીમાં કહે કે ગુજરાતીમાં કહે? ગુજરાતીમાં જ કહે ને? માથું દુઃખે છે, ગુજરાતીમાં જ બોલે ને, ભાઈ? પગમાં તકલીફ છે, એ વાત ગુજરાતીમાં જ બોલે ને? તો પછી, ડોક્ટરો ગુજરાતીમાં ભણે તો શું વાંધો છે, ભાઈ?
આપણે નક્કી કર્યું છે કે આ દેશમાં મેડિકલ અને એન્જિનિયરીંગના શિક્ષણ પણ માતૃભાષામાં થવા જોઈએ. જેથી કરીને ગરીબ માનો દીકરો પણ ડોક્ટર બની શકે. મધ્યમ વર્ગના પરિવારના સંતાનો પણ ડોક્ટર - એન્જિનિયર બની શકે. ગુજરાતી મીડિયમ ભણીને આવ્યો હોય ને તો પણ સારામાં સારો ડોક્ટર બની શકે, એના માટે આપણે કામ આદર્યું છે, ભાઈ.
યુવાઓના સશક્તિકરણની વાત... આજે ડિજિટલ ઈન્ડિયા. આજે દુનિયાની અંદર એક વાતનો ડંકો વાગે છે. હમણાં હું બાલી ગયો હતો. જી-20ની સમીટમાં. ભારતે ડિજિટલ ઈન્ડિયા તરીકે જે ક્રાન્તિ કરી છે. અને એમાં એણે સામાન્ય માનવીને એમ્પાવરમેન્ટ માટે કામ કર્યું છે, એની વ્યાપક ચર્ચા હતી. આજે લેનદેન, ખરીદવાનું, વેચવાનું કામ, યુપીઆઈ, મોબાઈલ એપ પરથી થાય છે. તમને મારા જામનગરના ભાઈઓ, બહેનો, જાણીને આનંદ થશે, દુનિયાની અંદર ડિજિટલ પેમેન્ટમાં 40 ટકા એકલા હિન્દુસ્તાનમાં થાય છે. આખી દુનિયા 60 ટકામાં અને હિન્દુસ્તાન એકલું 40 ટકામાં. આ તાકાત આપણી છે.
આજે ગામેગામ સસ્તા મોબાઈલ પહોંચ્યા છે. સસ્તા ડેટા પહોંચ્યા છે. કોંગ્રેસની જો સરકાર હોત ને ભાઈ, તો મોબાઈલ ફોન પણ બહારથી લાવવા પડ્યા હોત. આજે ભારત દુનિયામાં બીજા નંબરનો દેશ બની ગયો છે, જે મોબાઈલ ફોન બનાવે છે. અને આખી દુનિયામાં કરોડોની તાદાતમાં ભારતમાં બનેલા મોબાઈલ એક્સપોર્ટ થઈ રહ્યા છે. અને મોબાઈલ ઉપર લખેલું હોય છે, મેડ ઈન ઈન્ડિયા. ભારતમાં બનેલા મોબાઈલ સસ્તા મળવા માંડ્યા. ગરીબ પરિવાર સુધી મોબાઈલ પહોંચી ગયો. મોબાઈલ ફોન એ ગરીબને એમ્પાવર કરવાનું સાધન બની ગયો.
કોંગ્રેસના જમાનામાં મોબાઈલમાં શું થયું, ભાઈ? 2-જીના ગોટાળા થયા. આ ગોટાળાના પરિણામે ઈન્ટરનેટ મોંઘા થયા. આજે અગર કોંગ્રેસની સરકાર હોત, તો તમારા ટેલિફોનનું ફોનનું બિલ, મોબાઈલ ફોનનું બિલ, 300 – 400 ના આવતું હોત. ઓછામાં ઓછું 4,000 થી 5,000 મહિનાનું આવતું હોત. આજે તો ફોન ગમે તેટલો કરો, મફતમાં.
અહીંયા જામનગરમાં આટલી બધી ફેકટરીઓ છે, બધા અન્ય રાજ્યના લોકો રહે છે, સાંજ પડે મોબાઈલ ફોન પર બેસી જાય. ઘરમાં બધા લોકો સાથે વાત કરે. એક રૂપિયાનો ખર્ચો નહિ. આ કામ આપણે કર્યું છે. ગામોગામ, ગરીબ પરિવારના યુવકો, દુનિયાભરમાં ઘેર બેસીને વાંચવાનો, અભ્યાસ કરવાનો. આપણે ગરીબ બાળકો માટે એક નિર્ણય કર્યો હતો, કોરોનાકાળમાં, કે રેલવે સ્ટેશનનું વાઈ-ફાઈ મફત કરી દો. અનેક સંતાનો રેલવે પ્લેટફોર્મ પર જતા હતા સાંજે અને જે એકઝામ આપવાની હોય તે વાંચે, અને એમાંથી સારી સારી નોકરીઓ મેળવી લીધી. ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ આપણે કરી બતાવ્યું. અને મોબાઈલ ફોન... આજે સશક્તિકરણ માટે. વીજળી-પાણી વિના...
ભાઈઓ, બહેનો,
એને આવશ્યકતા હોય, એક બીજું આપણે કામ કર્યું છે. ડ્રોન દ્વારા જમીનની માપણી, ખેડૂતોને એનું સર્ટિફિકેટ મળે. સાત-બારના ઉતારાની બધી વિગતો મળે. આ બધી ચીજોને મોબાઈલ ફોન દ્વારા સુવિધા મળે એનું કામ કર્યું છે. અને આ બધું કામ કરવામાં બધી બિચોલીયા, કટકી-કંપની બધી ખતમ થઈ ગઈ, ભાઈઓ. સરકારની મદદથી સીધા પૈસા બેન્કના ખાતામાં જમા થાય છે.
5-જી પણ હવે આવવાની તૈયારીમાં છે. લગભગ જિલ્લામથકો સુધી 5-જીની શરૂઆત થઈ ગઈ છે. અને ઘીરે ઘીરે આ 5-જી પણ પહોંચવાનું છે. આ ડિજિટલ ઈન્ડિયાનો વિસ્તાર, જેનો સૌથી વધારે લાભ, મારી યુવા પેઢીને મળવાનો છે, અને યુવા પેઢીમાં એક તાકાત આવવાની છે.
ભાઈઓ, બહેનો,
કોરોનાએ બતાવી દીધું છે કે આરોગ્યની બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારવાની જરુરીયાત છે. આજે ભારત સરકાર અને ગુજરાત સરકાર સસ્તી અને પ્રભાવી આરોગ્ય સેવાના માટે પુરજોશ કામ કરી રહી છે. આજે દેશભરમાં તાલુકા સ્તરે સારામાં સારી સુવિધા ઉભી કરવાનો આપણો પ્રયત્ન છે. આજે દેશમાં આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર મિશન શરૂ કરવામાં આવ્યું છે. એના કારણે 64,000 કરોડ રૂપિયાનો ખર્ચ સ્વાસ્થ્ય સુવિધાઓ બનાવવા માટે, આધુનિક બનાવવા માટે આજે ખર્ચાઈ રહ્યો છે.
દેશના દરેક જિલ્લામાં લગભગ 90 થી 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. અને વધુમાં વધુ લોકો ડોક્ટરો તૈયાર થાય, વધુમાં વધુ નર્સીસ તૈયાર થાય, આ દિશામાં જિલ્લે જિલ્લે એક મેડિકલ કોલેજ, એની તરફ આપણે કામ કરી રહ્યા છીએ. નર્સિંગની કોલેજ... 20 વર્ષ પહેલા, હું જ્યારે મુખ્યમંત્રી બન્યો, એ પહેલા ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી. આજે 36 મેડિકલ કોલેજ છે. 20 વર્ષ પહેલા ગુજરાતની હોસ્પિટલોમાં 15,000 પથારીઓ હતી. આજે ગુજરાતમાં ચાર ગણા, 60,000 પથારીઓ સરકારી હોસ્પિટલમાં છે.
ભારત, આધુનિકમાં આધુનિક ઈલાજ, બીમારીમાંથી બચાવવા માટેનો રસ્તો, એના માટેનું કામ કર્યું છે. ગામડાની અંદર, ગરીબ પરિવારને બીમારી થાય જ નહિ, એના માટે પણ કામ કરવાનું. યોગની વાત હોય, આ જ જગ્યા પર આયુર્વેદનું મોટું સેન્ટર ઉભું થવાનું છે. વિશ્વનું મોટું, સ્વચ્છતા ઉપર જોર, પોષણ ઉપર જોર, યોગ ઉપર જોર, બધી જ રીતે આરોગ્યની બાબતમાં હિન્દુસ્તાનની અંદર ઓછામાં ઓછી મુસીબતો આવે, અને જામનગર તો મારું મોટું કેન્દ્ર તરીકે ઉપસી રહ્યું છે, ભાઈઓ. જામનગર આવનારા દિવસોમાં ટ્રેડિશનલ મેડિસિનની દુનિયામાં, દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનવાનું છે. એનો પાયો અમે નાખી દીધો છે, ભાઈઓ.
આજે જ્યારે ગુજરાત, એક વિકસિત ગુજરાતની હું વાત કરું છું, ત્યારે કોંગ્રેસના સમયના દિવસો પણ યાદ આવવા બહુ જરુરી છે. આપણને ખબર છે, એ સમયે કોંગ્રેસના કાળખંડમાં શું સ્થિતિ હતી? અસુરક્ષા, અશાંતિ, આતંકવાદ, વોટ બેન્કની રાજનીતિ, વહાલા-દવલાની રાજનીતિ, અને અશાંતિ ફેલાવનારા તત્વોને, આતંકવાદ ફેલાવનારા તત્વો માટે મ્હો પર કોંગ્રેસને તાળાં વાગી જતા હતા. અને એના કારણે ધીરે ધીરે આખા દેશમાં બરબાદી આવી.
કોઈ એવી જગ્યા ના હોય, ભરોસો ના હોય કે સાંજે ઘેર પાછા આવીશું કે નહિ આવીએ. આ રોજ ખબર આવે કે આ જગ્યાએ બોમ્બ ફુટ્યો. પેલી જગ્યાએ ફુટ્યો, પેલા મર્યા. આ બધી સ્થિતિ હતી. નાના નાના બાળકોથી માંડીને, માતાઓ, બહેનો, અસુરક્ષાનું વાતાવરણ હતું. કેવળ વોટબેન્કની રાજનીતિ માટે કોંગ્રેસ સેનાને હાથ બાંધી રાખે. સેનાને કામ કરવામાં અગવડો પેદા કરે. આતંકવાદ સામે આવી રીતે ના લડી શકાય, ભાઈઓ. આતંકવાદ સામે લડવું પડે ને તો આંખમાં આંખ મેળવીને, આંખ લાલ કરીને એને સીધો જવાબ આપવો પડે, ભાઈ. અને આપણે એ કરી બતાવ્યું છે. નકસલવાદીઓ હોય, માઓવાદીઓ હોય, ખુલ્લેઆમ હિંસાનો રસ્તો લેનારા હોય, એક મજબુત સરકાર, એના ઘરમાં જઈને મારી આવતી હોય છે, ભાઈ. આ કામ આપણે કર્યું છે.
અને એટલા માટે ભાઈઓ, બહેનો,
આ પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિવાળા, અર્બન નકસલો પાછા... આજકાલ તો ગુજરાતમાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી આતંકવાદ, નકસલવાદ... ઝીરો ટોલરન્સની નીતિ પર અમે કામ કરી રહ્યા છીએ. પણ આપ સાથીઓ યાદ રાખજો કે આ લોકો મોકાની તલાશમાં છે. અવસર જો મળી ગયો નથી, કે મેદાનમાં ઉતર્યા નથી. અને એટલા માટે ગુજરાતની જે પ્રગતિ થઈ રહી છે, એના મૂળમાં શાંતિ છે, એકતા છે, એને ડહોળી નાખે એવા કોઈ તત્વોને હવે માથું ઉંચકવા નથી દેવાનું, ભાઈઓ. અને એના માટે ગુજરાતમાં એક મજબુત સરકારની જરુરીયાત છે.
ગુજરાતમાં શાંતિ, એકતા, સદભાવના, આ મંત્રને વધુને વધુ તાકાતવર બનાવવાનો છે, અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને સાથ ના મળે એની ચિંતા કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને એટલે જ કોંગ્રેસે આ બધું ના કર્યું ને એટલે જ એની વિદાય થઈ. હિન્દુસ્તાનમાં અનેક રાજ્યો એવા છે, એક વાર કોંગ્રેસ ગઈ, ફરી પેસવા જ નથી દીધી.
ભાઈઓ, બહેનો,
આજે વિકાસનો મહાયજ્ઞ, એમાં સૌના યોગદાનની જરુરત છે. અને આ વિકાસના મહાયજ્ઞને આગળ વધારવું હશે તો, હવે તમે વિચાર કરો, સૌની યોજના... હમણા અમારા આર.સી. કહેતા હતા. મને કહે, સાહેબ, ઘમાઘમ પાણી આવી રહ્યું છે, સૌની યોજનામાં. આ જ્યારે સૌની યોજના જાહેર કરી ને, ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા કે આવું તે કંઈ થતું હશે? આવડી મોટી પાઈપ નાખશે, આ મોદી સાહેબ? હું કહેતો હતો કે મારુતિ ચાલે ને એવડી મોટી પાઈપ. નાખી કે ના નાખી, ભાઈઓ? પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું? તમારી આંખ સામે પાણી દેખાય, ભાઈઓ.
પહેલા પાણી માટે આંખમાં પાણી આવી જતા હતા, આજે આંખ સામે પાણી દેખાય, આ પાણીદાર કાઠીયાવાડને બનાવવાનું કામ અમે કર્યું છે, ભાઈઓ. આ કામ અમે કર્યું છે. અને આ સૌની યોજનાએ અહીંની ધરતીને એક તાકાત આપી છે.
વીજળી, પાણી, સકડ. એના માળખાકીય સુવિધાઓ છે. જેના કારણે આજે દુનિયાભરના ઉદ્યોગો અહીં આવી રહ્યા છે. અને આ ઉદ્યોગો ગુજરાતના નવજવાનોનું ભવિષ્ય નિર્ધારીત કરી રહ્યા છે. અને ભવિષ્ય નિર્ધારીત કરી રહ્યા છે, ત્યારે અને બીજી બાજુ મારી માતાઓ, બહેનો, એમનું માન-સન્માન, એમનું શિક્ષણ, આજે આનંદ થાય. આજે હિન્દુસ્તાનની આર્મીમાં, નેવી હોય, એરફોર્સ હોય, આર્મી હોય, અમારી દીકરીઓ મોટા પાયા પર દેશનું રક્ષણ કરવા માટે આગળ આવી રહી છે.
વિકાસની નવી નવી ક્ષિતિજો ખુલી રહી છે, ભાઈઓ. બહેનો માટે અવસર બની રહ્યા છે. અને એના કારણે માતાઓ, બહેનો, આજે નરેન્દ્ર મોદીને આટલા અવસર આપી, આશીર્વાદ આપી રહી છે. એ આશીર્વાદ લેખે લાગે એના માટે હું કામ કરતો હોઉં છું.
ભાઈઓ, બહેનો,
આજે જ્યારે જામનગરમાં આવડી મોટી વિશાળ સભા, અને જામનગરથી આટલે દૂર, અને તેમ છતાય તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા. અમને બધાને આશીર્વાદ આપવા માટે આવ્યા. પરંતુ મારી તમારી પાસે કેટલીક અપેક્ષાઓ છે.
પુરી કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
બે હાથ ઉપર કરીને જરા જોરથી બોલો, તો ખબર પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તમારા મોબાઈલની ફ્લેશ ચાલુ કરો એટલે મને ખબર પડે કે કરશો બધા. કયા ખુણામાંથી અજવાળું આવે છે એ હું જોઉં. (ઑડિયન્સમાંથી હા...)
બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાની ફ્લેશ ચાલુ કરો. બધાની મોબાઈલની ફ્લેશ ચાલવી જોઈએ. ચાલુ રાખજો, હોં, હું કહું નહિ ત્યાં સુધી બંધ ના કરતા.
(ઑડિયન્સમાંથી મોબાઈલની ફ્લેશલાઈટ સાથે મોદી... મોદી... નારાઓ)
દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
બધા રેકોર્ડ તોડશો? (ઑડિયન્સમાંથી હા...)
ભાજપને જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
વધુમાં વધુ સીટો, વધુમાં વધુ કમળ દરેક પોલિંગ બુથમાંથી નીકળે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જામનગર જિલ્લાની બધ્ધેબધ્ધી સીટો જીતાડશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું એક અંગત કામ. કહું? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અંગત કામ છે, હોં... કરશો ને બધા? (ઑડિયન્સમાંથી હા...)
જામનગર ઉપર મારો એટલો તો હક્ક ખરો કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
એક કામ કરજો. આ ચુંટણીમાં હજુ તમે મળવા જાઓ. વડીલોને મળો. દરેક પોલિંગ બુથમાં જાઓ, ત્યારે એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા.
આટલું કહેશો બધાને? (ઑડિયન્સમાંથી હા...)
શું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
શું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. એવું ના કહેતા, પી.એમ. સાહેબ આવ્યા હતા ને પ્રધાનમંત્રી આવ્યા હતા. એ બધું દિલ્હીમાં. અહીંયા તો આપણા નરેન્દ્રભાઈ, બીજું કંઈ નહિ.
તો આટલું તમે કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા અને બધા વડીલોને એમણે પ્રણામ પાઠવ્યા છે.
આ મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાને પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
મને આ દરેક વડીલના આશીર્વાદ જોઈએ. કારણ કે એમના આશીર્વાદ એ મારી ઊર્જા છે. અને એ ઊર્જા મને દિવસ-રાત આ દેશ માટે દોડવાની તાકાત આપે છે. દેશ માટે ઘસવાની તાકાત આપે છે. દેશનું ભલું કરવા માટેની પ્રેરણા આપે છે. અને એટલા માટે આ જામનગરના આપ સૌ સાથીઓને મારી વિનંતી છે કે ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ જામનગર આવ્યા હતા અને આપને સૌને એમણે પ્રણામ પાઠવ્યા છે.
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ) પ
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.

  • दिग्विजय सिंह राना September 20, 2024

    हर हर महादेव
  • HARSHSINH DODIYA September 09, 2024

    ફોન નંબર મોકલો
  • Reena chaurasia August 29, 2024

    मोदी
  • JBL SRIVASTAVA May 30, 2024

    मोदी जी 400 पार
  • Vaishali Tangsale February 13, 2024

    🙏🏻🙏🏻
  • ज्योती चंद्रकांत मारकडे February 12, 2024

    जय हो
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • Jayakumar G December 26, 2022

    jai KISAN🇮🇳💐 jai Bharat🇮🇳💐 jay🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 20, 2022

    जयश्रीराम 🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 20, 2022

    नमो नमो 🙏🙏🙏🙏🙏
Explore More
প্ৰতিগৰাকী ভাৰতীয়ৰ তেজ উতলি আছে: মন কী বাতত প্ৰধানমন্ত্ৰী মোদী

Popular Speeches

প্ৰতিগৰাকী ভাৰতীয়ৰ তেজ উতলি আছে: মন কী বাতত প্ৰধানমন্ত্ৰী মোদী
After Operation Sindoor, a diminished terror landscape

Media Coverage

After Operation Sindoor, a diminished terror landscape
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
QuoteToday, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
QuoteOperation Sindoor is an unwavering pledge for justice: PM
QuoteTerrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
QuotePakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
QuoteOperation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
QuoteThis is not an era of war, but it is not an era of terrorism either: PM
QuoteZero tolerance against terrorism is the guarantee of a better world: PM
QuoteAny talks with Pakistan will focus on terrorism and PoK: PM

প্ৰিয় দেশবাসী,

নমস্কাৰ !

যোৱা কেইটামান দিনত দেশৰ শক্তি আৰু সংযম দুয়োটাই আমি সকলোৱে প্ৰত্যক্ষ কৰিছো।মই প্ৰথমে আমাৰ শক্তিশালী ভাৰতীয় সেনাবাহিনীক প্ৰণাম জনাইছো, সশস্ত্ৰ বাহিনী, আমাৰ চোৰাংচোৱা সংস্থা, আমাৰ বিজ্ঞানী, সকলোকে মই প্ৰতিজন ভাৰতীয়ৰ হৈ প্ৰণাম জনাইছো।

আমাৰ সাহসী জোৱানসকলে ‘অপাৰেচন সিন্দুৰ’ৰ লক্ষ্যত উপনীত হ’বলৈ গৈ অপৰিসীম সাহস প্ৰদৰ্শন কৰিলে। মই তেওঁলোকৰ বীৰত্বক, তেওঁলোকৰ সাহসক, তেওঁলোকৰ পৰাক্ৰমক সমৰ্পিত কৰিছো৷ মই তেওঁলোকৰ এই পৰাক্ৰমক , আমাৰ দেশৰ প্ৰতিগৰাকী মাতৃলৈ, দেশৰ প্ৰতিগৰাকী ভগ্নী আৰু প্ৰতিগৰাকী কন্যাৰ বাবে উৎসৰ্গা কৰিছো।

 

বন্ধুসকল,

যোৱা ২২ এপ্ৰিলত পহলগামত সন্ত্রাসবাদীয়ে প্রদর্শন কৰা বৰ্বৰতাই দেশ আৰু বিশ্বক স্তম্ভিত কৰি তুলিছিল৷

বন্ধৰ দিন উদযাপন কৰিবলৈ যোৱা নিৰ্দোষ নিৰীহ নাগৰিকক ধৰ্মৰ বিষয়ে সুধি পৰিয়ালৰ সন্মুখতে, শিশুসকলৰ সন্মুখতে...

নিৰ্দয়ভাবে হত্যা কৰা হৈছিল।

এয়া আছিল আতংকৰ এক বীভৎস ছবি, এয়া আছিল নিষ্ঠুৰতাৰ ভয়ংকৰ প্ৰকাশ৷ এয়া আছিল দেশৰ সমন্বয় বিনষ্ট কৰাৰ এক ঘৃণনীয় অপচেষ্টা। মোৰ ক্ষেত্ৰত ব্যক্তিগতভাৱে এই নাৰকীয় ঘটনাৰ বেদনা অসহনীয় আছিল।

এই সন্ত্ৰাসবাদী আক্ৰমণৰ পিছত সমগ্ৰ দেশ, প্ৰতিগৰাকী নাগৰিক, সমাজ, প্ৰতিটো শ্ৰেণীৰ লোক, প্ৰতিটো ৰাজনৈতিক দল একত্ৰিত হৈ 'একেষাৰে সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে শক্তিশালী ব্যৱস্থাৰ দাবীৰে থিয় দিলে।

সন্ত্ৰাসবাদীক নিঃশেষ কৰিবলৈ ভাৰতীয় নিৰাপত্তা বাহিনীক আমি পূৰ্ণ কৰ্তৃত্ব প্ৰদান কৰিলো। আমি তেওঁলোকক এইক্ষেত্ৰত সম্পূৰ্ণ স্বাধীনতা প্ৰদান কৰিলো।

আৰু আজি প্ৰতিজন সন্ত্ৰাসবাদীয়ে, প্ৰতিটো সন্ত্ৰাসবাদী সংগঠনে উপলব্ধি কৰিবলৈ বাধ্য হৈছে আমাৰ ভগ্নী-কন্যাৰ কপালৰ সেন্দুৰ মচি পেলোৱাৰ পৰিণতি কি হ'ব পাৰে ।

 

বন্ধুসকল,

অপাৰেচন সিন্দুৰ ...এয়া কেৱল এটা নাম নহয়৷এয়া দেশৰ কোটি কোটি মানুহৰ আৱেগৰ প্ৰতিফলন।

অপাৰেচন 'সিন্দুৰ' ন্যায়ৰ অখণ্ড প্ৰতিজ্ঞা। ৬ মে’ৰ গভীৰ নিশা.. ৭ মে’ৰ পুৱা.. সমগ্ৰ বিশ্বই এই প্ৰতিজ্ঞা ফলাফলত পৰিণত হোৱা দেখিবলৈ পাইছে। ভাৰতীয় বাহিনীয়ে পাকিস্তানৰ সন্ত্ৰাসবাদী শিবিৰত আক্ৰমণ কৰিছে।

তেওঁলোকৰ প্ৰশিক্ষণ কেন্দ্ৰত নিখুঁতভাৱে আঘাত কৰিছে । সন্ত্ৰাসবাদীয়ে সপোনতো কল্পনা কৰা নাছিল যে ভাৰতে ইমান ডাঙৰ সিদ্ধান্ত ল’ব পাৰে। কিন্তু যেতিয়া দেশখন একত্ৰিত হয়, দেশ প্ৰথমৰ মনোভাৱেৰে মানুহৰ মনবোৰ ভৰি পৰে, তেতিয়া দেশেই সৰ্বোচ্চ হৈ পৰে। তেতিয়াই শক্তিশালী সিদ্ধান্ত লোৱা হয় আৰু তাৰ ফল লাভ কৰা হয়।

ভাৰতীয় ক্ষেপণাস্ত্ৰই যেতিয়া পাকিস্তানৰ সন্ত্ৰাসবাদী ঘাটিত আক্ৰমণ কৰিছিল, ভাৰতীয় ড্ৰোনে যেতিয়া আক্ৰমণ চলাইছিল, তেতিয়া কেৱল সন্ত্ৰাসবাদী সংগঠনৰ ভৱনবোৰেই নহয়, তেওঁলোকৰ আত্মবিশ্বাসো কঁপি উঠিছিল।

 

বহাৱালপুৰ আৰু মুৰিদকেৰ দৰে সন্ত্ৰাসবাদীৰ আত্মগোপন স্থানসমূহ এককথাত বিশ্ব সন্ত্ৰাসবাদৰ বিশ্ববিদ্যালয় স্বৰূপ হৈ পৰিছে।

বিশ্বৰ যিকোনো ঠাইত সংঘটিত হোৱা যিকোনো ডাঙৰ সন্ত্ৰাসবাদী আক্ৰমণ- সেয়া ৯/১১ৰ সন্ত্ৰাসবাদী আক্ৰমণেই হওঁক , লণ্ডন টিউব বোমা বিস্ফোৰণেই হওঁক বা ভাৰতত দশকজুৰি সংঘটিত হোৱা বৃহৎ সন্ত্ৰাসবাদী আক্ৰমণেই হওঁক, ক’ৰবাত নহয় ক’ৰবাত এই ঘটনাসমূহ সন্ত্ৰাসবাদীয়ে আত্মগোপন কৰি থকা এই স্থানসমূহৰ সৈতে সংযুক্ত হৈ পৰিছে। সন্ত্ৰাসবাদীয়ে আমাৰ ভগ্নীহঁতৰ সেন্দুৰ মচি পেলাইছিল৷ সেইবাবেই ভাৰতে সন্ত্ৰাসবাদৰ এই মুখ্য কাৰ্যালয় ধ্বংস কৰিছে। ভাৰতৰ এই আক্ৰমণত ১০০ৰো অধিক দুৰ্ধৰ্ষ সন্ত্ৰাসবাদী নিহত হৈছে। ইমানবোৰ সন্ত্ৰাসবাদীয়ে যোৱা ডেৰৰ পৰা তিনি দশক ধৰি পাকিস্তানত মুক্তভাৱে ঘূৰি ফুৰিছিল৷ যিসকলে পূৰ্বে ভাৰতৰ বিৰুদ্ধে ষড়যন্ত্ৰ কৰিছিল, তেওঁলোকক ভাৰতে এটা আঘাততে ধ্বংস কৰি পেলালে।

 

বন্ধুসকল,

ভাৰতৰ এই কাৰ্য্যত পাকিস্তান গভীৰভাৱে হতাশগ্ৰস্ত হৈ পৰিছে৷ সকলোতে কেৱল হতাশাৰ কলীয়া ডাৱৰে ছানি ধৰিছিল৷ তেওঁলোক বিভ্ৰান্ত হৈ পৰিছিল৷এনে বিভ্ৰান্তিকৰ অৱস্থাৰ মাজতে তেওঁলোকে আৰু এটা বেয়া কাম কৰিলে। সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে ভাৰতে গ্ৰহণ কৰা ব্যৱস্থাক সমৰ্থন কৰাৰ পৰিৱৰ্তে পাকিস্তানে ভাৰতকহে আক্ৰমণ কৰিবলৈ আৰম্ভ কৰিলে।

পাকিস্তানে আমাৰ স্কুল আৰু কলেজসমূহ লক্ষ্য কৰি লৈছিল, গুৰুদ্বাৰ, মন্দিৰ, সাধাৰণ নাগৰিকৰ ঘৰ আদিও পাকিস্তানৰ আক্ৰণৰ লক্ষ্য হৈ পৰিছিল৷ এনে কাৰ্যৰ জড়িয়তে পাকিস্তানে নিজকে উদঙাই দিলে। বিশ্বই দেখিলে পাকিস্তানৰ ড্ৰোন আৰু মিছাইল কেনেকৈ ভাৰতৰ সন্মুখত খেৰৰ দৰে জ্বলি ছাই হৈ গল৷ ভাৰতৰ শক্তিশালী বায়ু প্ৰতিৰক্ষা ব্যৱস্থাই সেইবোৰ আকাশতে ধ্বংস কৰি পেলালে। সীমান্তত আক্ৰমণ কৰিবলৈ সাজু হৈছিল পাকিস্তান৷ কিন্তু ইয়াৰ বিপৰীতে ভাৰতে পাকিস্তানৰ বুকুত আঘাত হানিলে। ভাৰতৰ ড্ৰোন আৰু ক্ষেপণাস্ত্ৰই নিখুঁতভাৱে পাকিস্তানৰ লক্ষ্যস্থানত আঘাত কৰিছিল। ফলত পাকিস্তানী বায়ুসেনাৰ সেই বিমানঘাটিসমূহ ক্ষতিগ্ৰস্ত হৈছিল, যিবোৰকলৈ পাকিস্তানে গৌৰৱ কৰি আহিছিল৷ প্ৰথম তিনিদিনতে যে ভাৰতে পাকিস্তানক এনেদৰে ধ্বংস কৰিব সেয়া তেওঁলোকে কল্পনাও কৰা নাছিল । সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে ভাৰতৰ আগ্ৰাসী কাৰ্য্য ব্যৱস্থাৰ পিছত পাকিস্তানে পলায়নৰ উপায় বিচাৰিবলৈ আৰম্ভ কৰিলে। পাকিস্তানে উত্তেজনা হ্ৰাস কৰিবলৈ বিশ্বক অনুৰোধ কৰিবলৈ ধৰিলে৷ বেয়াকৈ ক্ষতিগ্ৰস্ত হোৱাৰ পিছত বাধ্যবাধকতাত পৰি ১০ মে’ৰ দুপৰীয়া পাকিস্তানী সেনাই আমাৰ ডিজিএমঅ’ৰ সৈতে যোগাযোগ কৰিলে। তেতিয়ালৈকে আমি পাকিস্তানৰ সন্ত্ৰাসবাদৰ আন্তঃগাঁথনি বৃহৎ পৰিসৰত ধ্বংস কৰি পেলাইছিলো৷ বহু সন্ত্ৰাসবাদী নিহত হৈছিল৷ আমি পাকিস্তানৰ সন্ত্ৰাসবাদী ঘাটিবোৰ ধ্বংসাৱশেষলৈ ৰূপান্তৰিত কৰিছিলোঁ৷ গতিকে, দিশহাৰা পাকিস্তানৰ পৰা এটা আবেদন কৰা হৈছিল৷ এই কথা পাকিস্তানৰ পৰা কোৱা হৈছিল যে তেওঁলোকৰ পক্ষৰ পৰা আৰু কোনো সন্ত্ৰাসবাদী কাৰ্যকলাপ তথা সামৰিক দুষ্কাৰ্য কৰা নহ’ব ৷গতিকে ভাৰতেও এই কথা বিবেচনা কৰিলে। আৰু মই আকৌ কওঁ...আমি মাত্ৰ পাকিস্তানৰ সন্ত্ৰাসবাদী আৰু সামৰিক ঘাটিৰ বিৰুদ্ধে আমাৰ ব্যৱস্থা স্থগিতহে ৰাখিছো৷

অনাগত দিনত আমি পাকিস্তানৰ প্ৰতিটো খোজৰ হিচাব লম৷ তেওঁলোকে কি মনোভাৱ গ্ৰহণ কৰে সেয়া লক্ষ্য কৰিম৷

 

বন্ধুসকল,

ভাৰতৰ তিনিটা সেনাবাহিনী-আমাৰ বায়ুসেনা, আমাৰ সেনাবাহিনী আৰু আমাৰ নৌসেনা, আমাৰ সীমান্ত সুৰক্ষা বাহিনী-বিএছএফ, ভাৰতৰ অৰ্ধসামৰিক বাহিনী নিৰন্তৰ সষ্টম হৈ আছে ।ছাৰ্জিকেল ষ্ট্ৰাইক আৰু এয়াৰ ষ্ট্ৰাইকৰ পিছত এতিয়া অপাৰেচন সিন্দুৰ সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে ভাৰতৰ এক বলিষ্ঠ পদক্ষেপ হিচাবে পৰিগণিত হৈছে। ভাৰতে এয়া নীতিগতভাবে গ্ৰহণ কৰিছে৷ ছাৰ্জিকেল ষ্ট্ৰাইক আৰু এয়াৰ ষ্ট্ৰাইকৰ পিছত এতিয়া অপাৰেচন সিন্দুৰ সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে ভাৰতৰ সন্ত্ৰাসবাদ বিৰোধী নীতিৰ শক্তিশালী প্ৰমাণ হৈ পৰিছে। সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে যুঁজত নতুন ৰেখা টানিছে অপাৰেচন সিন্দুৰে। এটা নতুন মান, এটা নতুন ধৰণ নিৰ্ধাৰণ কৰা হৈছে।

প্ৰথম কথা - ভাৰতত সন্ত্ৰাসবাদী আক্ৰমণ হ’লে উপযুক্ত উত্তৰ দিয়া হ’ব।আমি নিজৰ ধৰণে, নিজৰ চৰ্তত সঁহাৰি জনাম।

সন্ত্ৰাসবাদৰ শিপা য’ৰ পৰা বিস্তাৰিত হৈছে তাতেই আমি কঠোৰ ব্যৱস্থা গ্ৰহণ কৰিম। দ্বিতীয়তে – ভাৰতে কোনো ধৰণৰ পাৰমাণৱিক ব্লেকমেইল সহ্য নকৰে। পাৰমাণৱিক ব্লেকমেইলৰ আৱৰণেৰে ঘেৰি ৰখা সন্ত্ৰাসবাদীৰ আত্মগোপনৰ স্থানসমূহত ভাৰতে এক নিখুঁত আৰু নিৰ্ণায়ক আক্ৰমণ চলাব। তৃতীয়তে, সন্ত্ৰাসবাদক পৃষ্ঠপোষকতা কৰা চৰকাৰখন আৰু সন্ত্ৰাসবাদৰ মালিকসকলক আমি পৃথক সত্তা হিচাপে কেতিয়াও নাচাম।

'অপাৰেচন সিন্দুৰ'ৰ সময়ত বিশ্বই আকৌ দেখিছে পাকিস্তানৰ কুৎসিত মুখ।যেতিয়া মৃত সন্ত্ৰাসবাদীক বিদায় দিয়া হৈছিল।

পাকিস্তানী সেনাৰ শীৰ্ষ বিষয়াৰ মাজত লৰাধপৰা লাগিছল। দেশ খনৰ পৃষ্ঠপোষকতাত চলি থকা সন্ত্ৰাসবাদৰ এয়া এক ডাঙৰ প্ৰমাণ। ভাৰত আৰু আমাৰ নাগৰিকক যিকোনো ভাবুকিৰ পৰা ৰক্ষা কৰিবলৈ আমি নিৰ্ণায়ক পদক্ষেপ গ্ৰহণ কৰি যাম।

 

বন্ধুসকল,

আমি প্ৰতিবাৰেই যুদ্ধক্ষেত্ৰত পাকিস্তানক পৰাস্ত কৰিছো আৰু এইবাৰ অপাৰেচন সিন্দুৰে ইয়াত এক নতুন মাত্ৰা সংযোজন কৰিলে। আমি মৰুভূমি আৰু পৰ্বতমালাত আমাৰ সামৰ্থ্য উজ্জ্বলভাৱে প্ৰদৰ্শন কৰিছো৷ লগতে আধুনিক যুদ্ধত নিজৰ শ্ৰেষ্ঠত্ব প্ৰমাণ কৰিছো।এই অপাৰেচনৰ সময়ত আমাৰ মেড ইন ইণ্ডিয়া অস্ত্ৰৰ সত্যতাও প্ৰমাণিত হ’ল। আজি বিশ্বই লক্ষ্য কৰিছে- একবিংশ শতিকাৰ যুদ্ধত মেড ইন ইণ্ডিয়া প্ৰতিৰক্ষা সঁজুলিৰ সময় আহি পৰিছে।

 

বন্ধুসকল,

আমাৰ আটাইতকৈ ডাঙৰ শক্তি হৈছে সকলো ধৰণৰ সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে আমাৰ মাজত গঢ় লোৱা ঐক্য। এয়া নিশ্চিতভাৱে যুদ্ধৰ যুগ নহয়৷ কিন্তু এয়া সন্ত্ৰাসবাদৰো যুগ নহয়। সন্ত্ৰাসবাদৰ বিৰুদ্ধে শূন্য সহনশীলতাই হৈছে এখন উন্নত পৃথিৱীৰ নিশ্চয়তা প্ৰদানৰ প্ৰথম চৰ্ত৷

 

বন্ধুসকল,

পাকিস্তানৰ সেনা, পাকিস্তান চৰকাৰে যি সন্ত্ৰাসবাদক লালন-পালন কৰি আহিছে এদিন সেই সন্ত্ৰাসবাদেই পাকিস্তানক ধ্বংস কৰিব। পাকিস্তানে যদি জীয়াই থাকিব বিচাৰে তেন্তে নিজৰ দেশত থকা সন্ত্ৰাসবাদীৰ ঘাটি ধ্বংস কৰিব লাগিব। ইয়াৰ বাহিৰে শান্তিৰ কোনো বিকল্প পথ নাই। এইক্ষেত্ৰত ভাৰতৰ স্থিতি অতি স্পষ্ট৷ আতংক আৰু আলোচনা একেলগে আগবাঢ়িব নোৱাৰে৷

সন্ত্ৰাস আৰু বাণিজ্য একেলগে আগুৱাব নোৱাৰে। আনকি পানী আৰু তেজ একেলগে বৈ যাব নোৱাৰে। আজি বিশ্ব সমাজকো ক'ব বিচাৰিছো- আমাৰ ঘোষিত নীতি হৈছে- পাকিস্তানৰ সৈতে যদি আলোচনা হয়, সেয়া হ'ব সন্ত্ৰাসবাদৰ বিষয়ত, যদি পাকিস্তানৰ সৈতে আলোচনা হয়, তেন্তে সেয়া হ'ব পাক অধিকৃত কাশ্মীৰৰ বিষয়ত৷

 

প্ৰিয় দেশবাসী,

আজি বুদ্ধ পূৰ্ণিমা।

ভগৱান বুদ্ধই আমাক শান্তিৰ পথ দেখুৱাইছে। শান্তিৰ পথো শক্তিৰ মাজেৰেই পৰিচালিত হয়৷ মানৱতা শান্তি আৰু সমৃদ্ধিৰ পথেৰে আগবাঢ়ি যাওক৷ প্ৰতিজন ভাৰতীয়ই শান্তিৰে জীয়াই থাকিবলৈ সক্ষম হওক৷ যিয়ে বিকশিত ভাৰতৰ সপোন পূৰণ কৰিব পাৰিব৷

ইয়াৰ বাবে ভাৰত শক্তিশালী হ'ব লাগিব আৰু প্ৰয়োজনৰ সময়ত শক্তি ব্যৱহাৰ কৰাটোও গুৰুত্বপূৰ্ণ কথা হৈ পৰিব। যোৱা কেইটামান দিনত ভাৰতে ঠিক এনে কামেই কৰিছে।ভাৰতীয় সেনা আৰু সশস্ত্ৰ বাহিনীক পুনৰবাৰ প্ৰণাম জনাইছো।

ভাৰতবাসীৰ সাহস আৰু ঐক্যক প্ৰণাম জনাইছো।

ধন্যবাদ...

ভাৰত মাতা কী জয় !!!

ভাৰত মাতা কী জয় !!!

ভাৰত মাতা কী জয় !!!